SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક વેદાન્ત અને યોગ શ્રી ગૌતમ પટેલ ડૉ. ગૌતમ પટેલ સંસ્કૃત સાહિત્ય એકાડમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એમના લખેલ પુસ્તકોની સંખ્યા ૧૫૦ જેટલી છે. રાષ્ટ્રપતિના હાથે તેઓ સન્માનિત થયા છે. આપણી પરંપરામાં યોગ ઉપર અનેક પ્રકારે ચિંતન થયું છે. વેદાન્ત અને યોગની વાત કરીએ તે પહેલાં યોગ અને શિવમંદિર વિષયક ચિંતન માછીએ. યોગના યમ, નિયમ, આસન, પ્રાજ્ઞાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવાં આઠ અંગો સ્વીકારાયાં છે. આ આઠ અંગો ભગવાન શિવના મંદિરમાં દૃષ્ટિગોચર થાય છે જેમકે - (૧)યમ : શિવના મંદિરની બહાર ભૈરવની મૂર્તિ હોય છે એ યમનું પ્રતીક છે કારણ એ યમયતિ એટલે અયોગ્યને અંદર દાખલ ધતાં રોકે છે. (૨)નિયમ : શિવમંદિરમાં કાચો છે. આ કાચબો પોતાનાં અંગોને જરૂર પડે ત્યારે નિયમમાં લે છે. સંકોચી લે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે - ચા દિલે પાયું ર્માંડમાંનીય સર્વશઃ । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ભ.ગી.૨-૫૮ (૩)આસન : શિવમંદિરમાં નન્દી આસન લગાવીને બેઠી છે આથી એને આસનનું પ્રતીક કહેવાય. (૪)પ્રાણાયામ : શિવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ હોય છે. હનુમાન વાયુપુત્ર છે અને પ્રાણાયામમાં વાયુનું નિયમન કરવાનું હોવાથી આપણે હનુમાનજીને પ્રાણાયામનું પ્રતીક માની શકીએ. હવે આપણે યોગ અને વેદાન્તનો સંબંધ વિચારીએ, જેવું વેદાન્તનું નામ ઉચ્ચારીએ કે તરત આપણી સમક્ષ આદિ શંકરાચાર્ય ઉપસ્થિત થઈ જાય. તેઓશ્રીએ અપ૨ોક્ષાનુભૂતિ’ નામનો પ્રકરણગ્રંથ આપ્યો છે. આ ગ્રંથમાં યોગમાર્ગના યમ નિયમ વગેરે અંગોને જુદી જ રીતે - વેદાન્તદર્શનની રીતે સમજાવ્યાં છે. આમ જનતામાં એમના એ વિચારો બહુ પ્રચલિત થયા નથી, પરા એજ જાણવા-માણવા જેવા અવશ્ય છે. તેમને આપકો ધ્યાનનું પ્રતીક ગકાવી શકીએ. (૮)સમાધિ : શિવમંદિરમાં ભગવાન શિવ સદાકાળ સ્થિર - એક જ સ્થાને બિરાજે છે. તેઓને સમાધિનું પ્રતીક ગણાવી શકાય. આમ યોગમાર્ગના આઠ અંગોના પ્રતીક શિવમંદિરમાં છે. ફેબ્રુઆરી - ૨૦૧૮ અપરોક્ષાનુભૂતિમાં આદિ શંકરાચાર્યે નિદિધ્યાસનના ૧૫ અંગો ગણાવ્યાં છે (૧) યમ (૨) નિયમ (૩) ત્યાગ (૪) મૌન (૫) દેશ (૬) કાલ (૭) આસન (૮) મૂલબંધ (૯) દેહની સમતા (૧૦) દૃષ્ટિની સ્થિરતા (૧૧) પ્રાણનો નિરોધ (૧૨) પ્રત્યાહાર (૧૩) ધારણા (૧૪) આત્માનું દર્શન અને (૧૫) સમાધિ. આ ૧૫ અંગોમાં (૧) યમ (૨) નિયમ (૭) આસન (૧૧) પ્રાણનો નિરોધ (પ્રાણાયામ) (૧૨) પ્રત્યાહાર (૧૩) ધારણા (૧૪) ધ્યાન અને (૧૫) સમાધિ આ યોગમાર્ગમાં સ્વીકારાયેલાં આઠે અંગોનો અહીં સમાવેશ થયેલો છે. આદિ શંકરાચાર્યે આ ૧૫ અંગોની વિસ્તૃત ચર્ચા આ ગ્રંથમાં કરી છે. આપણે કેવળ યોગમાર્ગનાં જે આઠ અંગો અહીં દર્શાવ્યા છે તેની જ ચર્ચા કરીશું. એક વાત ધ્યાન રાખવાની છે કે આદિ શંકરાચાર્યે જે યોગમાર્ગના આઠ અંગો અહીં સમાવ્યા છે તેની ચર્ચામાં તેઓએ યોગમાર્ગનો જ અર્થ સ્વીકાર્યો (૫)પ્રત્યાહાર : શિવમંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ હોય છે. પ્રત્યાહારમાં ઈન્દ્રિયો વિષયો તરફ જાય તેને પાછી વાળવાની છે. ગણેશજીની સૂંઢ આગળ જાય છે અને તરત પાછી વળે છે. આથી તેમને પ્રત્યાહારનું પ્રતીક માની શકાય. (૬)ધારણા : શિવમંદિરમાં સર્પ પોતાની ફણા પ્રસરાવી ટટ્ટાર ઊભેલો બતાવવામાં આવે છે એ સતત શિવ સામે જ જોતો હોય છે એ ધારણાનું પ્રતીક છે. (૭)ધ્યાન । શિવમંદિરમાં માતા પાર્વતી સ્થિર રીતે બિરાજે છે. વારંવાર અભ્યાસ કરવી જોઈએ. નથી. પણ પોતાની રીતે - વેદાન્તદર્શનની રીતે એ સહુની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે વિગતે જોઈએ, (૧)યમ ઃ સર્વ શ્રોતિવિજ્ઞાનાવિન્દ્રિયગ્રામસંયમઃ । यमो ऽयमिति सम्प्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ।। - અપરોક્ષા. ૧૦૪ 'સઘળું બ્રહ્મ છે' એવા વિજ્ઞાનથી – વિશિષ્ટશાનથી ઈન્દ્રિયોના સમૂહનો સારી રીતે સંયમ કરવો એ 'યમ' કહેવાય છે. એનો અહીં યોગમાર્ગનો ધમની જુદી જ - વેદાન્તી વ્યાખ્યા છે. (૨)નિયમ : ખાતીબશ્વવિખીયતિકૃતિ / नियमोहि परानन्दो नियमाक्रियते बुधैः ।। પણાં જીવન - અપરોક્ષા. ૧૦૫ ૫૩
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy