SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકનું નામ : અવલોકન વિય સંપાદક - રમણ સોની પ્રકાશક : શારદા સોની પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા ૩૯૦૦૦૭, ફો નં.(૨૬૫) ૨૩૫ ૭૧૮૭ મુલ્ય રૂા. ૪૫૦/-, પાના:૧૬-૩૫૨-૩૬૮ આવૃત્તિ : પ્રથમ ૨૦૧૭ આ અવક્ષોને વિશ્વ' ભારતીય અને વિદેશી ભાષાઓમાં - એટલે કે દુનિયાભરમાં આજે પ્રગટ થતાં અસંખ્ય પુસ્તકોમાંથી પ્રતિનિધિરૂપ અને સક્ષમ પુસ્તકોવિશેની રસપ્રદ વાતો, સમક્ષતિ રૂપે સૌની સમક્ષ મૂકવા ચાહે છે. ૧૫ ભારતીય ભાષાઓ તેમજ અંગ્રેજી દ્વારા ૧૨ વિદેશી ભાષાઓ - પ્રદેશોનો વિવિધ સાહિત્યસ્વરૂપો તથા અન્ય શાસ્ત્રીય વિષયોનાં સાંજપ્રત સમયનાં પુસ્તકો આવરી લઈ શકાય હોવાથી ગ્રંથ – વિશ્વનું એક ભાતીગળ ચિત્ર ઊપસી શક્યું છે. આ પુસ્તકનું અવલોકન વિશ્વ વ્યાપક અને વૈવિધ્યભર્યું બન્યું છે. આ ગ્રંથમાં - અસમિયા, ઉડિયા, ઉર્દૂ, કન્નડ, કાશ્મિરી, ગુજરાતી, તમિલ, પંજાબી, બંગાળી, ભારતીય, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી, હિંદી, એ ભારતીય ભાષાઓની તેમજ અંગ્રેજીદ્વારા અમેરિકન, આઈરીશ, આફ્રિકન, ઈટાલિયન, કેનેડિયન, તિબેટન, જાપાની પેલેસ્ટિયન, પૉલિશ, ફ્રેન્ચ, બ્રિટિશ, ઇંગ્લીશ, સ્પેનિશ, એ વિદેશી ભાષાઓના – કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, આત્મકથા, સાહિત્યશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર સંસ્કૃતિ - એ સ્વરૂપો – વિષયોને સમાવતાં ૮૫ ઉપરાંત પુસ્તકો વિશે. ગુજરાતી તથા અન્યભાષી અભ્યાસીઓએ ઓક્ટોબર - ૨૦૧૭ નામત ડૉ. કલા શાહ લખેલા પરિચયને મૂલ્યાંકનદર્શી સમીક્ષા લેખો સ્થાન પામ્યા છે. એથી અહીં રસપ્રદ અને વિચારોત્તેજક ગ્રંથ વિધિનું એક ભાતીગળ ચિત્ર ઉપસ્યું છે. *** પુસ્તકનું નામ ઃ શુન્યાવકામાં પડથા લેખક : જયંતિ એમ. દલાલ પ્રકાશક : ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ શિ. સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૧ ફોન નં.૦૨૬૫-૨૪૨૨૯૧૬ મૂલ્ય રૂા. ૨૫૦/-, પાના ઃ ૩૪૪ આવૃત્તિ બીજી ૨૦૧૬ શૂન્યાવકાશમાં પડયા શૂન્યાવકાશમાં પડવા' એટલે આતંકવાદ અને વૈજ્ઞાનિક સંશોધનોને કેન્દ્રમાં રાખીને. જયંતિ એમ.. દલાલની કસાયેલી કામે લખેલી અદ્યતન નવલકથા. આ નવલકથામાં એક બાજુ આતંકવાદ અને ત્રીજા વિશ્વયુદ્ધના પડઘા સંભળાય છે તો બીજી બાજુ વિશ્વશાંતિ અને આંતરધર્મીય એખલાસની પ્રતિબદ્ધતા જોઈ શકાય છે. એમાં ધર્મ, મનોવિજ્ઞાન અને પર્યાવરણપ્રદૂષણની વાસ્તવિક ભૂમિ પર સનાતન અને ઈંક્બાલના બે મુખ્ય પાત્રોની આસપાસ દેશવિદેશનો લોકોનું નિરૂપણ કરવામાં નવલકથાકાર સાહિત્યિક નિપુણતાથી વાચકને ક્ષિતિજ વિનાની દુનિયાની અનુભૂતિ કરાવે છે. વૈજ્ઞાનિક, સંશોધન, ન્યૂક્લિયર વિશ્વયુદ્ધ, કોમવાદ, આતંકવાદ, હિન્દુ-મુસ્લિમ એખલાસ અને વિશ્વશાંતિ જેવા વૈવિધ્ય સભર વિષયોના વિશાળલક પર નવલકથાકારે એક અજોડ ક્યા ગૂંથી છે. આ નવલકથામાં વિનાશ તરફ ધસતા વિશ્વને ઉજાડનારા એકવડા બાંધના, સશક્ત વૈજ્ઞાનિક ડૉ સનાતનની વિશ્વશાંતિની ખોજના પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને પ્રિત પ્રયત્નનું આલેખન કરવામાં આવ્યું છે. એક બાજુ વિજ્ઞાન દ્વારા શોધાતાં પરમામાં શસ્ત્રો જગતને ત્રીજા વિશ્વયુદ્ધ ભણી ઘસડી રહ્યા છે ત્યારે એજ વિજ્ઞાન વિશ્વશાંતિ સાધવાની આગળી ભાવના નવલકથા લેખકે પ્રગટ કરી છે અને તે એટલી હ્રદયસ્પર્શી છે કે તે ભાવકના અંતરમાં સતત પડછાયા કરે છે. વિનાશકના ટાળવા માટેની જરૂરિયાત એવા વિશ્વશાંતિ જેવા જટિલ વિષયને પણ રસપ્રદ અને થાશમ બનાવ્યો છે તે લેખકની સર્જક પ્રતિભાની પ્રતીલી કરાવે છે. *** પુસ્તકનું નામ : આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન જૈન સાહિત્ય શાનસત્ર-૧૬ના શોધપત્રોનો સંચય સંપાદક : શુશવંત બરવાળિયા પ્રકાશકઃ અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર, ઘાટકોપર મો.૯૮૨૦૨૧૫૫૪૨ મૂલ્ય રૂ।. ૨૨૫/-, પાના ઃ ૨૩૧ આવૃત્તિ ૨૦૧૭ ગુજશવંતભાઈ સત્યદિન | બરવાળિયા સાચા અર્થમાં જૈન સાહિત્ય તત્વજ્ઞાન અને ધર્મના ક્ષેત્ર સેવા અર્પણ કરી રહ્યા છે અને જ્ઞાનસત્ર-૧૬મા ના અધ્યાત્મ કાર્યોમાં આત્મચિંતન' એ વિષય પર વિદ્વાનોના શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ પ્રકટ કર્યો તે દ્વારા જૈન સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. વિવિધ વિદ્વાનો દ્વારા જૈન સાહિત્યના સાહિત્યકારોની કૃતિઓ અથવા તેમના તત્વજ્ઞાન વિષયક લેખો વાચકોની જ્ઞાનવૃદ્ધિ જરૂર કરશે. જૈન સાહિત્યના વિવિધ વિદ્વાનોએ શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાય યશોવિજયજી, શ્રીમદ બુદ્ધિ સાગર, ચિદાનંદજી અવધુ કવિ આનંદનજી, સમય વિશેષાંક ૪.
SR No.526111
Book TitlePrabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy