SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક કવિએ યોદાનો ભાવ દર્શાવતાં કહ્યું છે કે, 'મારા સ્વામી તો ત્રિલોકના સ્વામી થશે.’ અને યોદા એનો આનંદ અનુભવે છે અને પોતે એમની સાથે સંયમ જીવનમાં સહોગી થઈ શકશે નહીં તેનું દુઃખ પણ અનુભવે છે. થોદા આગળ કહે છે કે સુ નથી આ અપશુકનના પુલકિત છે મુજ માા, સ્વામી! કરજો સુખે પ્રયાણ ! પામર છું હું તેમ છતાં પણ વીરપુરુષની નારી, હું તો નહીં પણ પગલે પગલે આવશે પુત્રી તમારી આશિષ ચો પ્રિયદર્શનાને પાયે ઉત્તમ સ્થાન ! સ્વામી ! કરજો સુખે પ્રથા, આ પંક્તિઓમાં થોદાનું પીર ક્ષત્રિયાણી તરીકેનું રૂપ પ્રગટ થાય છે. શૂરવીર ક્ષત્રિય પુરુષ સંગ્રામ ખેલવા જાય ત્યારે વીર ક્ષત્રિયાણી કુ-કુમ્ કેસરનું તિલક કરીને પતિને વિદાય આપે છે. જાણે કે યશોદા એમ કરતી હોય કે, આપ તો જગત વિજેતા છો ! જગત કલ્યાણ અર્થે આપનું આ મહાભિનિષ્ક્રમણ છે ! આપ પધારો સ્વામી! આપની ભાવનાઓ, વિચારો, કાર્યો અને પુષ્પસ્મૃતિ અમને સદાકાળ પ્રેરણા આપશે.’ ‘પુલકિત છે મુજ પ્રાણ' એ પંક્તિથી વાતાવરણની પ્રસન્નતાનો ભાવકને અનુભવ થાય છે. ‘વિદાય’ હોવા છતાં ક્યાંય પણ કલ્પાંત કે કાગારોળ કે કકળાટ નથી. વસંતના ખીલેલાં ગુલોહર જેવી આનંદભરી પ્રસન્નતા છે. ત્યાર પછી યશોદા કર્યા છે તમારા પગલે તો હું આવી શકતી નથી પરંતુ આપની પુત્રી પ્રિયદર્શના જરૂર આપના પગલે પગલે આવશે અને આપ તેને એવા શુભ આશીર્વાદ આપો ! કવિ, યોદાની સ્ત્રીસહજ મનોવ્યથા દર્શાવતાં કહે છે કેદીક્ષા મહોત્સવ કાજ હજારો નાચી રહ્યાં નરનારી, ચારું છું કે મને રોકને દેશો નહીં વીસારી, જાઓ ! સીધાવો | અંતર્યામી કરવા જગત કલ્યાણ! સ્વામી! કરજો સુખે પ્રયાણ....! કાર્તિક માસની કૃષ્ણ પક્ષની દશમીનો એ શુભ દિવસ હતો કે જ્યારે રાજા નદીવર્ધને પોતાના પ્રિય અનુજ વર્ષમાનના દીક્ષા મહોત્સવ માટે ક્ષત્રિયકુંડ નગરને શાગાર્યું હતું. હજારો નર-નારી નાચી રહ્યાં હતાં. ત્યારે યશોદા વિદાય લેતાં પતિને એટલું જ કહે છે કે, તમે ભલે સુખે પ્રયાણ કરો પણ આ રાંકને વિસરી જતા નહીં. અહીં કવિએ નારી સહજ મનોભાવ રજૂ કર્યો છે. જે હસતે મુખ્ય પતિને ‘વિદાય’ આપતી વીર ક્ષત્રિયાણી જેવી યશોદાના હૃદયની ફૂલ જેવી કોમળતાનો આપણને પરિચય કરાવે છે. એપ્રિલ, ૨૦૧૩ નીરસ પ્રસંગ આ કથાગીતમાં પ્રવાહી શૈલીમાં પ્રગટ કર્યો છે. પહાડ પરથી ઝરણું રૂમઝુમ કરનું કલકલ નાદે વહેતું હોય તેવો અહીં અનુભવ થાય છે. પ્રસંગને શબ્દોની પીંછીના થોડાં લસરકાથી તેઓ સર્જે છે. એક સુંદર, ભાવમોહક કથા ! આથી જ આ કથાગીતમાં એક પ્રકારના વેગનો અનુભવ આપણને થાય છે. માત્ર થોડી સીધી સાદી પંક્તિઓમાં કોઈપણ જાતના શબ્દાલંકાર વિનાની રચના દ્વારા તેઓ પ્રભુ મહાવીરના સંસારત્યાગની અને થોદાની તેજસ્વિતાની અભૂતપૂર્વ ઘટનાનો આપણને સાક્ષાત્કાર કરાવે છે. આ રીતે આ કથા ગીતમાં આદરણીય કવિશ્રી શાંતિલાલ શાહની વિશિષ્ટ દુષ્ટિ પ્રગટ થાય છે. પ્રભુ મહાવીરના જીવનનો અનન્ય અને C. 15, મહાવીર કો.ઓપ. સોસાયટી, શંકર લેન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૭, ફોન : : ૦૨૨ ૨૮૦૭ ૮૭૯૪. મો. ૦૯૮૨૦૨૮૪૨૮૧. વર્તમાન જીવવરને ધ્યાને (અનુસંધાન પૃષ્ટ ૪૯થી ચાલુ) જે તુમ આગમરસ સુધા૨સે, સીંચ્યો શીતલ થાયજી; તાસ જનમ સુકૃતારથ જાણો, સુર નર તસ ગુણ ગાયજી વ. ૪ આસ્તિક ધર્મમાં તેમના ધર્મગ્રંથોનું આગવું અને બહુમાનભર્યું સ્થાન આગમ-આવાચાર્યજ્ઞાન નિયંધનમ્ આમ: । વિશ્વના કોઈપણ હોય છે. જૈન ધર્મમાં પિસ્તાળીસ (૪૫) આગમાં માનવામાં આવે છે. એ પિસ્તાળીસ આગમોનો સમાવેશ ચૌદપૂર્વ, પથનાસૂત્ર, અંગ, ઉપાંગ, છેદસૂત્ર, મૂલસૂત્ર, ભાષ્ય, યૂર્તિઓ અને ટીકાઓમાં કરવામાં આવ્યો છે. જેણે આ આગમરૂપી સુધારસનું રસપાન કર્યું તે સમતા સમ્યકત્વરૂપી શીતળતાને પ્રાપ્ત કરે છે. એનો જન્મારો સફળ થયો. આ સુકૃત્યના કારણે જેના ગુણો દેવતાઓ અને મનુષ્યો ગાય છે. સાહિબ તુમ પદ પંકજ સેવા નિત્ નિતુ એહિ જ યાચુંજી, શ્રી જ્ઞાનવિમલસૂરિસર ભાખે, પ્રભુને ધ્યાને માંચુજી. વ. ૫ પ્રભુ મહાવીરને સાહિબાનું સંબોધન કરે છે અને સમર્પિતતાની પરાકાષ્ટા પદ પંકજ પદ-ચરણ, પંકજ-કમળ ચરણકમળોની વા નિત્ય હ૨ સમયે સમયે યાંચુ છું યાને માંગું છું. નિતુ નિતુ શબ્દ ૫૨ વજન મૂક્યું છે. પ્રભુ તારાથી દૂર નથી થયું. જ્ઞાન=આત્મા, વિમલ-નિર્મળ સ્વચ્છ, શુદ્ધ, નિર્મલ થયેલા આત્મારૂપી આચાર્ય એમ કહે છે, પ્રભુના ધ્યાનમાં લીન થયો. બહારથી અંદરમાં આવ્યો. બહાર પ્રભુ ભક્તિ કરી અને અંદરમાં પોતાના પ્રભુ સાથે મેળાપ થતાં પોતાનો ચૈતન્ય એવો આત્મા ઉજાગર થઈ ગયો. કવિ જ્ઞાનવિમલસૂરિના આ નાનકડા સ્તવનમાં કવિની કાવ્યશક્તિ અને તત્ત્વજ્ઞાનનો સુભગ સંગમ પ્રતીત થાય છે. ૩૦૧, રમણ પન્ના, સુભાષ રોડ, વિલેપાર્લે (ઈસ્ટ). મુંબઈ-૪૦૦ ૦૫૭. મોબાઈલ : ૦૯૯૩૦૪૯૫૭૪૫.
SR No.526055
Book TitlePrabuddha Jivan 2013 04
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy