SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન પ્રાણ આધારિત વિભિન્ન સાધના-પદ્ધતિ 2 પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય મ. રહ્યો છે. આરોગ્યનું ક્ષેત્ર હોય કે અધ્યાત્મનું શરીર શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ દ્વારા સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત કરવું એ જ ઉદ્દેશ છે. અહિં આપણે પ્રાણ આધારિત કેટલીક પ્રાચીન અને અર્વાચીન બંને સાધના–પદ્ધતિનો પરિચય કરવા સાથે તે જીવનમાં કેટલી ઉપયોગી છે તે જોઈ (૧) શ્વાસ-વિજ્ઞાન (The Science of Breathing) આપણે જે શ્વાસ લઈએ છીએ તેનો પ્રાકારાક્તિ સાથે ધનિષ્ઠ સંબંધ છે. જેને (Vital Energy-જીવનશક્તિ) કહી શકાય. પ્રાણનું કામ શ્વસનતંત્રનું સંચાલન કરવાનું છે. હૃદયના સ્થાને આવેલ અનાહત ચક્ર એ પ્રાણનું કેન્દ્રબિન્દુ છે. પાતંજલ યોગસૂત્રમાં પ્રાણનું પાંચ પ્રકારે પૃથક્કરણ કરેલ છે-પ્રાણ, અપાન, સમાન, દાન, ઘ્યાન. તદુપરાંત બીજા પણ પાંચ ઉપ-પ્રાણ છે. જે સૂક્ષ્મવાયુ રૂપે છે. નાગ, સૂર્ય, કૃકલ, ધનંજય અને દેવદત્ત. પ્રાણ મૂલતઃ એક હોવા છતાં કાર્યભેદથી એના પાંચ વિભાગ પડે છે. શરીરસ્થ સૂક્ષ્મ સાત ચક્રોમાં તેનો વાસ છે. પ્રાાવાયુ સૌમાં મુખ્ય છે. તેનું સ્થાન હૃદય એટલે કે અનાહત ચક્ર છે જે જીવનતિ બને છે. અપાન વાયુ નાભિથી નિમ્ન પ્રદેશમાં-સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્રમાં છે. તેનું કાર્ય ઉત્સર્ગ કરવાનું છે. સમાન વાયુ નાભિમાં – મણિપુરચક્રમાં છે તેનું કાર્ય પાચન પોષણ કરવાનું છે. ઉદાન વાયુ કંઠમાં વિશુદ્વિચક્ર, આજ્ઞાચક્ર અને સહસાર ચક્રમાં છે–ઉન્નયન તેનું કાર્ય છે. વ્યાન વાયુ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે પરિનયન તેનું કાર્ય છે. પંચ કોશમાં પ્રાણમય કોશ (શરીર)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન યોગી શ્રી ચિદાનંદજીએ પણ 'સ્વોદયજ્ઞાનમાં ઉપર્યુક્ત પ્રાણના પ્રકારો બનાવ્યા છે. (પદ્ય ક્રમાંક-૪૪૨-૪૪૩), જૈન દર્શનની દૃષ્ટિએ ૧૦ પ્રાણ છે-જે દ્રવ્યપ્રાણ રૂપ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ (મન, વચન, કાયા) બલ, શ્વાર્સોશ્વાસ અને આયુષ્ય તે પૈકી શ્વાસોશ્વાસની સ્પષ્ટ રીતે સ્વતંત્ર ગણતરી કરી છે. અને જીવસૃષ્ટિમાં કોને કેટલા પ્રાણ હોય છે તે નવતત્ત્વની ૭ મી ગાથામાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, (આનપાન) ભાષા અને મન આ ૬ પર્યાપ્તિ એક શક્તિવિશેષ છે. યોગદર્શન અને જૈનદર્શનમાં જે રીતે પ્રાણનો પરિચય મળે છે તે મૌલિક છે. પ્રાણાયામની સાધના સંપૂર્ણપણે અને સ્વતંત્ર રીતે અધ્યાત્મલક્ષી હોવા છતાં વૈદિક શ્રુતિઓમાં (ચામાં) તેને દેવતાનું રૂપક આપીને પ્રાર્થના કરવામાં આવી છે. – 'નમસ્તે વાર્યા, ત્વમેવ પ્રત્યક્ષ બ્રહ્માસિ' આમ પંચતત્ત્વોમાં અગ્નિ, વરૂણ, પૃથ્વીની જેમ વાયુ (પ્રાણ)માં પણ દેવત્વ આરોપિત કરીને તેની ઉપાસના કરવા દ્વારા પ્રાણશક્તિ-ઉર્જાનું કેમ ઉર્દીકરણ કરવું એ ઉદ્દેશ ૯ ૧. પાતંજલ યોગદર્શન અનુસાર અષ્ટાંગ યોગ પૈકી પ્રાણાયામ (રેચક, પૂરક, કુંભક), અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભત્રિકા, ઉડ્ડીયાનબંધ વગેરે. ૨. વિપશ્યના,૩. પ્રેક્ષાધ્યાન, ૪. સ્વરોદયજ્ઞાન, ૫. Pranic Healing તથા પૈકી, ૬. સુદર્શન ક્રિયા, ૭. Levitation. હવે આપણે ક્રમશઃ વિચાર કરીશું : પાતંજલ યોગ સૂત્રમાં પ્રાણાયામનો પરિચય આપતું સૂબે છે – વાદ્યાયન્તરસ્તથ્ય વૃત્તિ વૈશ-ાત-સંધ્યામિ: પરિતૃષ્ટો રીર્ઘસૂક્ષ્મ:।। ૨/૫૦ બાહ્યવૃત્તિ, આત્યંતરવૃત્તિ અને સ્તંભવૃત્તિ એટલે કે રેચક, પૂરક અને કુંભક–એ ત્રિવિધ પ્રાણાયામ દેશ, કાલ અને સંખ્યાથી નિયમિત થાય છે અને અભ્યાસથી દીર્ઘ તથા સૂક્ષ્મ બને છે. સાધારણ રીતે એક સ્વસ્થ-તંદુરસ્ત વ્યક્તિની શ્વાસોશ્વાસનો સમય તેને માત્રા કહેવાય છે. એવી ૧૬ માત્રાથી (પરિમાણ) પૂરક, ૩૨ માત્રાથી રેચક અને ૬૪ માત્રાથી કુંભક પ્રાણાયામ પરિપૂર્ણ થાય છે. શ્વાસ લેવાની સૌથી શ્રેષ્ઠ ચાવી-Kay-પદ્ધતિ એ છે કે-શ્વાસ લેતી વખતે પેટ-કુદર ફુલવું જોઈએ અને શ્વાસ છોડતી વખતે પેટ અંદર જવું જોઈએ, Correct breathing is to inhale till the stomach expands and exhale to contract it. આપણે નોર્મલ રીતે એક મિનિટમાં ૧૫ થી ૧૮ વાર શ્વાસ લઈએ છીએ એ પ્રમાણે ગણીએ તો એક કલાકમાં ૬૦૪૧૫૯૦૦ વા૨ અને ૨૪ કલાકમાં ૯૦૦૪૨૪=૨૧,૬૦૦ વાર શ્વાસ લઈએ છીએ. પ્રાણાયામના અભ્યાસથી શ્વાસ શુદ્ધ અને સંયમિત થાય છે અને પરિણામે શ્વાસોશ્વાસની ગતિને લંબાવી શકાય છે. આ સંદર્ભમાં યોગી શ્રી ચિદાનંદજી સોદાનમાં કહે છે. કે આ કાળમાં મનુષ્યના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૧૬ વર્ષની છે તે મુજબ ૧૦૦ વર્ષમાં ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ ચાર અબજ, સાત કરોડ, અડતાલીસ લાખ અને ચાલીસ હજાર શ્વાસોશ્વાસ ભોગવાય છે. પિથ ૪૦૪ થી૪૦૩ શ્વાસને આપણા મનોગત ભાવ, વિચાર, આવેશ, લાગણી સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. There is a deep relationship between our breath and our emotions. As soon as
SR No.526003
Book TitlePrabuddha Jivan 2008 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size769 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy