________________
૧૦
we get excited our breath gets short and shallow, when we calm down our breath gets longer and deeper. Breathing and our inner being is closely related.
શ્વાસ મન સાથે સંબંધિત છે તો મનનો સંબંધ વાયુ સાથે છે. મનો યંત્ર મરૂત્ તંત્ર। એમ મહર્ષિઓ કહે છે એટલે આ એક ચેનલ છે.
જ્યારે જ્યારે આપણે ભાવાવેશમાં આવીએ છીએ ત્યારે આપણા શ્વાસનો ગ્રાફ પણ up-down થાય છે. થર્મોમીટરમાં જેમ પારો ઉપર-નીચે જાય છે તેમ અહીં પણ સમજવું.
આનું એક ગણિત આ પ્રમાણે છે. શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ૧૨ થી ૧૫ ગણીએ તો તે નોર્મલ છે પણ જુદી જુદી ક્રિયાઓમાં તેમાં વધારો કે ન્યૂનતા જોવા મળે છે ઃ
ગાતી વખતે-Singing-૧૬ શ્વાસોશ્વાસ ખાતી વખતે-Eating-૨૦ શ્વાસોશ્વાસ ચાલતી વખતે-walking-૨૪ શ્વાસોશ્વાસ સૂતી વખતે-Sleeping-૩૦ માર્ચાયાસ કામ વાસના–Sex-૩૬ શ્વાસોશ્વાસ ક્રોધ સમયે-Exciting-૩૭ શ્વાસોશ્વાસ
હવે આપણે ધાર્મિક ક્ષેત્રમાં દષ્ટિપાત કરીશું તો જૈનદર્શનમાં પ્રતિક્રમણની વિધિમાં પણ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સાંકળી લેવામાં આવી છે. પ્રતિક્રમણના ધડાવશ્યકમાં કાર્યોત્સર્ગ વખતે નવકારમંત્ર અથવા લોગસ્સસૂત્ર ગણવાનું વિધાન છે. તેની સમય મર્યાદા માટે કહ્યું છે કે-એક લોગસ્સસૂત્ર ગણતાં ૨૫ થી ૨૮ શ્વાસોશ્વાસ થાય છે જ્યારે એક નવકારમંત્રના આઠ શ્વાસોશ્વાસ ગણતા ચાર વાર નવકાર ગણવાથી ૩૨ શ્વાસોશ્વાસ થાય છે.
પ્રબુદ્ધ જીવન
ધ્યાન, સાધના, મંત્ર-જાપ, કાઉસગ્ગ વગેરેમાં શ્વાસોશ્વાસનું લક્ષ્ય ઉપયોગી એટલા માટે છે કે તે સહજ છે, સ્વાભાવિક છે. (૨) વિપશ્યના
વિપશ્યના એ બૌદ્ધ પરંપરાની એક સાધના પદ્ધતિ છે. તેને ‘આનાપાન સતિ' પણ કહેવામાં આવે છે. 'આનાપાન' એટલે શ્વાસોશ્વાસ. સતિ એટલે એના પ્રતિ જાગૃતિપૂર્વકનું તટસ્થ રીતે નિરીક્ષણ કરવું. સ્મૃતિનું પાલિ ભાષામાં ‘સતિ' થયું.
વિ+વૃશ (પશ્ય) એટલે વિશેષ રીતે-બારીકાઈથી જોવું-અર્થાત્ આપણાં ભીતરમાં શ્વાસોશ્વાસને જોવો.
શ્વાસોશ્વાસનું માધ્યમ સૌને સર્વત્ર સદા, સુલભ હોય છે એટલે સાધના પદ્ધતિમાં તેને અગ્રસ્થાન આપ્યું છે. બીજું કારણ એ પણ છે કે-આપણા શ્વાસનો આપણા મનોગત વિકારો સાથે ગાઢ સંબંધ છે. જ્યારે મનમાં ક્રોધ જાગે, વાસના જાગે, ભય જન્મે ત્યારે શ્વાસની ગતિ (Frequency) તેજ થઈ જશે એ આપણો અનુભવ છે. અને શાંત થતાં નોર્મલ-સાધારણ બની જશે.
શ્વાસોશ્વાસ, એકદમ વર્તમાનની At Present ની ઘટના છે. આથી તે તરફ મનને લઈ જવાથી વિકારો શાંત થાય છે. પરિણામે નષ્ટ થાય છે, કારણ કે ત્યારે ભૂતકાળનું કોઈ સ્વપ્ન નથી અને ભવિષ્યની કોઈ કલ્પના નથી. માત્ર આપણે આપણા જ શ્વાસના
તા. ૧૬ આંક્ટોબર, ૨૦૦૮
સાક્ષી–દૃષ્ટા બનવાનું છે.
જેમ પાતંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ છે તેમ બૌદર્શનમાં અષ્ટાંગ અનિતા મળે' અષ્ટાંગ માર્ગ (પથી કે તેના નામ-શીલ, સમાધિ, પ્રજ્ઞા, સમ્યગ્ વાણી, સમ્યગ્ કર્મ, સમ્યગ્ આજીવિકા, સમ્યગ્ વ્યાયામ, સમ્યગ્ સ્મૃતિ છે.
શ્રી સત્યનારાયણ ગોયન્કાજીએ વિપશ્યનાને દેશ-વિદેશમાં વિકસાવી છે. અનેક ધ્યાન-કેન્દ્રો સ્થાપિત થયા છે. સાધકો તેનો લાભ લે છે.
(૩) પ્રેક્ષાધ્યાન
વિપશ્યના અને પ્રેક્ષામાં માત્ર શાબ્દિક અંતર છે. તેના ભાવાર્થમાં કોઈ ભેદ તફાવત નથી. વિપુરા (પર) જે અર્થ બતાવે છે તે જ અર્થ પ્રર્ ધાતુ બતાવે છે. તેનો અર્થ છે-પ્રકૃષ્ટ રૂપે જોવું તે-પ્રેક્ષા.
તેરાપંથી જૈનાચાર્યશ્રી તુલસીજીએ અને તેમના અનુગામી યુવાચાર્ય શ્રી મહાપ્રશજીએ આ પદ્ધતિનો સૂત્રપાત કર્યો છે. આ સાધના પદ્ધતિનું મૂળ સ્રોત (Base) તો જૈનદર્શનના તત્ત્વો જ છે.
જેનામાંમાં એક વાક્ય છે
'મપિમ્ન અપ્પમ મ ળ' અર્થાત્ કે આત્મન્ ! તું તારી જાતને ો. એટલે કે સ્વયં જો. આત્માને જો, તેનો સાક્ષાત્કાર દર્શન
કર.
અહીં આ પ્રેક્ષાધ્યાનના અંતર્ગત મુખ્યત્વે શ્વાસપ્રેક્ષા આવે છે. તે ઉપરાંત શરીરપ્રેક્ષા, દીર્ઘશ્વાસપ્રેક્ષા, ચૈતન્યકેન્દ્રપ્રેક્ષા, સમવૃત્તિ, વેશ્યાધ્યાન (Aura), કાર્યોત્સર્ગ વગેરેનો પણ સમાવેશ થાય છે.
સ્વરોદયનું શાસ્ત્ર પણ શ્વાસથી જોડાયેલું છે-તેનો વિચાર આપણે અલગથી કરીશું.
પ્રેક્ષાધ્યાનની સમીક્ષામાં એ વિચારણીય છે કે-ઉપર્યુક્ત આગમ વાક્યનો અભિપ્રાય જો માત્ર આત્મા, ચૈતન્ય પરત્વે જ હોય તો તેનાથી સંલગ્ન પ્રાણ, શ્વાસોશ્વાસ, શરીર કે લેમ્પા વગેરે તેની મર્યાદાની બહાર છે-એટલે તેનો સમાવેશ કરી શકાય નહિ. અને ચૈતન્ય ગુણોથી સંબંધિત આત્માના અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીર્ય, ઉપયોગ, અબાધિત સુખ એવા ભાવપ્રાણને જ પ્રાધાન્યતા આપવી ઘટે. અલબત્ત, આ કક્ષાએ પહોંચવા માટે પ્રેક્ષાધ્યાન જરૂર પગથિયું બની શકે છે. (૪) સ્વરોદય જ્ઞાન
યોગના ક્ષેત્રમાં જૈનાચાર્યોનું બહુ જ મોટું પ્રદાન છે. અત્રે સંક્ષિપ્તમાં જોઈએ
પાતંજલ યોગદર્શનનો અષ્ટાંગયોગ પ્રસિદ્ધ છે. બૌદ્ધ પરંપરામાં અાંગમાર્ગ છે. તેમ જૈનદર્શનમાં યોગની આઠ દિષ્ટ છે, તે આ પ્રમાણે છે
મિત્રા, તારા, બલા, દીપા,
સ્થિરા, કાન્તા, પ્રભા અને પા.
આ પાયા ઉપર યોગ યાત્રા આગળ વધે છે. ૧૪ પૂર્વધારી,