________________
તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮
તમે ૧૦૩ વર્ષના વ્યક્તિને ખડખડાટ હસતા, અવનવા વ્યંજનો માણતા અને સાહિત્યનું રસપાન કરતા જોયા છે ? આ અનુભવના સાક્ષી હોવું તે એક સૌભાગ્ય છે. સ્વસ્થ મન, સ્વસ્થ શરીર બક્ષે, એ સંગમ સ્વસ્થ નાગરિક ઘડે. આવા સમન્વયનું પરિમાણ એટલે ડૉક્ટર મુકુન્દરાય જોષી.
શહેરના એક જાણીતા આઈ-સર્જન, ઈમાનદારીથી એમના માટે એક પેરેગ્રાફમાં તો લખાય જ નહિ. કદાચ એક પુસ્તક પણ ઓછું પડે એટલી સામગ્રી ભરેલી છે એમના જીવનમાં.
અહીં ફક્ત એક સંબંધ અને સાનિધ્યના અંશની જ રૂપરેખા આપવી છે.
જોષી પરિવાર પડોશી. ડૉક્ટરની બે પુત્રીઓ હર્ષા ને મીરાં. અમારી ગાઢ મૈત્રી. અમે બધાં
એમને બાપુજી સંબોધીએ. તેમના જન્મ શતાબ્દીની ઉજવણી પછી મીરાંએ પ્રસ્તાવ મૂક્યો કે ‘બાપુજી હવે ખાસ બહા૨ નથી જતા અને જાતે વાંચવું ફાવતું નથી. જો હું રોજ થોડું તેમને વાંચી સંભળાવું તો? જીવનભર બાપુજીને સાત્ત્વિક વાંચનનો શોખ વાંચન, ચિંતન, મનન, ગ્રહણ, આચરણ-આ ક્રમને બહુ જ ઓછા નિભાવી જાણે-જે બાપુજીએ નિભાવ્યો હતો. એમની રુચિથી હું પરિચિત. છેલ્લા કેટલા દાયકાઓથી પડોશી નાતે વાટકી વ્યવહારની જેમ જપુસ્તકો, મેગેઝીન, લેખોની આપ-લે તો હની જ. મેં પ્રસ્તાવ વધાવી લીધો. થોડા ઠાગાઠેયા પછી તો અમારી ગાડી પુરપાટ દોડી.
મૂળ પાલિતાણા ગામના અને પાલનપુર આવી વસેલા જોષી પરિવારના મોભી ડૉક્ટર મુકુન્દરાયના પિતાશ્રી પણા ડૉક્ટર. બાપુએ અમદાવાદ મેડિકલ કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું, ગાંપીજીના વિચારો ને ચળવળથી આકર્ષાઈ
અમદાવાદમાં ગાંધીજીને મળ્યા. કૉંગ્રેસમાં જોડાવાની ઈચ્છા દર્શાવી. લગ્ન કરેલ હતા નાનપણમાં જ. ગાંધીજીએ કહ્યું વડીલની લેખિત પરવાનગી લાવો તો તમને લઈએ. ત્યાં તકલીફ હતી. પિતાશ્રી તો સાક્ષાત્ દુર્વાસા. નજીવા કારણસ૨ પતિ-પત્નીને પહેરે કપડે ઘરની બહા૨ કાઢ્યા ના. પાડોશીએ કુટુંબીજનની જેમ રાખ્યા ઇના. પરવાનગી ક્યાંથી લાવવી ? છેવટે વડોદરા કૉંગ્રેસની શાખામાં જોડાયા. દંપતી સક્રિય કાર્યકર બન્યા. અવારનવાર જેલ-વાસ ભોગવ્યો.
પ્રબુદ્ધ જીવન
પંથે પંથે પાથેય..
મઘમઘતા સાધુચરિત્ર ડૉ. મુકુન્દરાય જોષી સાથે વાંચન યાત્રા
1 નીના જગદીશ સંઘવી
ગાંધીજીની નજદીકીથી કામ કર્યું. દેશ સ્વતંત્ર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાની શરતે. જેલોમાં પણ લીડરશીપ લઈ પ્રૌઢશિક્ષણ, અક્ષરજ્ઞાન, ગીતાજ્ઞાન તેમજ બીજા વર્ગો લેતા, કાર્યકરોનું સંગઠન તથા સમાજજાગૃતિના રચનાત્મક કાર્યો સફ્ળતાપૂર્વક હાથ ધરતા. સ્વાતંત્ર્યતાનો સંગ્રામ થાળે પડવા આવ્યો કે પાછી કૉલેજ શરૂ કરી. થાળે પડવા આવ્યો કે પાછી કૉલેજ શરૂ કરી. મેડિકલ ડિગ્રી મેળવી ઇંગ્લેન્ડ બે વર્ષ રહીને સર્જન બન્યા. તેમના પત્નીએ પણ એમ.એ. કર્યું. ભારતમાં સ્થાયી થયા. આ દરમ્યાન ચાલીશીમાં પ્રવેશ્યા પછી બે દીકરીઓનો જન્મ થયો.
ઈંગ્લેન્ડના રહેવાશ દરમ્યાન ખાદી છુટી ગઈ. તેમના પત્ની રમાબેને આજીવન પર્યંત ખાદી પહેરી. ગાંધી વિચારોથી ઘડાયેલું જીવન. હંમેશા સેવાભાવી ઝોક વનમાં રહ્યો. સંતપુરુષ જો સાંસારિક હોય તો કેવા હોય ? બાપુને જાો તો તમે કહો કે ‘આવા જ’. શ્રી અરવિંદભાઈ મફતલાલ દ્વારા સ્થાપિત ચિત્રકુટમાં ચલાવાતો નેત્રયજ્ઞ, જેમાં બાપુએ વર્ષમાં એક મહિનો, એમ ૫૦ વર્ષ લાગલગાટ સેવા આપી. એકે પૈસો લીધા વિના.
એમનો વાંચનરસ વધુ આધ્યાત્મિક. વાંચનમાં ઇતિહાસ, પ્રેરક પ્રસંગો, નાની નવલિકા તેમજ માહિતીસભર નિબંધો. ગીતો અને કવિતાઓ. વાંચન ગુજરાતી અને અંગ્રેજીમાં. તેઓ ખુદ તો સંસ્કૃતમાં પારંગત ગીતા તો પચાવી ગયા હતા.
વાંચન સામગ્રી એકત્રિત કરવા અમે બધા મહેનત કરીએ. હર્ષા સુધા મૂર્તિની અડધો ડઝન ચોપડીઓ અંગ્રેજીમાં લાવી. ‘અખંડ આનંદ’ લગભગ આખું વંચાતું, ધુમકેતુની નવલિકાઓ, ‘ગોરસ'ની તો આખી સિરીઝ અમે ભવન્સની
લાઈબ્રેરીમાંથી લાવી વાંચેલી. ટાઈમ મેગેઝીન
૩૫
તથા રીડર્સ ડાયજેસ્ટ મેગેઝીનમાંથી અમને સ-રસ લાગે તેવી રચનાઓ શોધી હું એકત્ર કરની જન્મભૂમિની રવિવારની પૂર્તિ પણ ખરી.
નવનીત સમર્પશ એમના પ્રિય. તારક મહેતાના
‘દુનિયાને ઉંધા ચશ્મા’નું એક ચેપ્ટર દરરોજ
વાંચવાનું, અમે છેલ્લા ત્ર વર્ષના જૂના
ચિત્રલેખા ભેગા કર્યાં. તેમાંથી આ લેખો કાઢી એક ફાઈલ બનાવી. તો એ પણ છ મહિનામાં પૂરી. છેવટે મેં શ્રી તારકભાઈને પરિસ્થિતિ જણાવી તો તેમનો ફોન આવ્યો ને પુસ્તકોનો સ્રોત્ર મેળવી આપ્યો. શરૂઆત આધ્યાત્મિક લેખથી થાય. પછી બાપુજી કહે, ‘જુઓ ભારે ખોરાક થોડો ખવાય, વધુ લેવાથી અપચો થાય. હવે થોડું હક્કુકુલ્લુ લો, ઝટ હજમ થઈ જાય.' પછી અમે હાસ્યલેખકની કૃતિ જેમાં જ્યાતીન્દ્ર દવે, તારક મહેતા ને બીજાઓને વાંચીએ. પછી સુરેશ દલાલ, કાન્તિ ભટ્ટ વિગેરેની કોલમો આવે. અખંડ આનંદમાં આવતું ધરતીના ધરુ આકાશના ચરુ તેમને પ્રિય. અતિ-પ્રિય. છેલ્લે અંત આવે ગીતો–કવિતાથી. ‘અમી સ્પંદન’ એમનું પ્રિય પુસ્તક. ગવાય ને ગાઈએ પણ ખરા. રોજના ૪-૫ ગીતો કવિતાઓ. કવિતાઓ એમને કડકડાટ યાદ. મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો” ને ઈકબાલનું 'સારે જહાં સે' પ્રિય, એ પુસ્તકના કદરદાનને હંમેશા જોષી પરિવાર તરફથી 'અમી સ્પંદના’ ભેટ અપાતું. મને પણ મળ્યું છે.
સાંજે સાડા ચારે શરૂ થતું વાંચન પોણા સાતે અચુક બંધ થાય. એમનામાં બિલ્ટ-ઈન ઘડિયાળ. રોજ મને કહે, 'ટાઈમ શું થયા? જુઓ તો! આજના માટે આટલું બસ.' એ જ્યારે પણ કહે ત્યારે અચૂક પોણા સાત જ થયા હોય. હું એમને ત્યાં પહોંચું ત્યારે રાહ જોઈને બેઠા હોય. પાંચ મિનિટ મોડું થાય તો ચિંતા કરે. શું હશે ? કેમ હજુ દેખાયા નહિ. પહોંચું એટલે પ્રેમથી આવકારે ને પૂછે આજે શું નવું લાવ્યા છો ? જમતા પહેલા મેન્યુ જોવા જેવી વાત, પછી પહેલા શું વાંચવું તે સૂચવે. એમની આતુરતા મને રોજ નવી ચોપડી શોધવા પ્રેરતી. એકવાર બધાની નજરમાં આવ્યું પછી તો મિત્રો, સગાંઓ એમના માટે ખાસ પુસ્તકો લાવતા.
એમની દૌહિત્રી ભૂમા નાનપણાથી મને નીન્નીટી કહે. પછી ઘરમાં બધાએ–બાપુ
(વધુ માટેજુઓ પાનું ૩૪)