________________
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
જાન્યુઆરી, ૨૦૧૩
ફેંકવામાં આવે અને એ થોડીક ક્ષણોમાં બહાર નીકળે) જેવા મહાન જાદુગરો જાદુપ્રયોગો કરતા શહીદ થયા હતા. એમણે પ્રયોગને થોભાવી દેવાને બદલે મૃત્યુને સ્વીકારવું વધુ પસંદ કર્યું હતું.
ઝિંદાદિલ જાદુગર કે. લાલે કોઈ પણ ભોગે આ પ્રોળ પૂર્ણ કરવાનું
મોટા ભાગના માણસો બંગાળી હતા, આથી આ માણસ સાહજિક નક્કી કર્યું. ઈષ્ટ દેવનું સ્મરણ કરીને ઢીલા બોલ્ટ સાથે બાવડાના પૂરા રીતે સહુમાં ભળી ગયો.
બળથી આરીના બે હાથાને ઊંચકીને એ બંગાળી છોકરી પર પ્રયોગ કર્યો અને સફળ થયા. એમણે સ્ટેજના ખુણા પર દૃષ્ટિ ફેરવી, અને જોયું તો પુલીના નટબોલ્ટ ઢીલા કરનાર માણસ ત્યાં ઊભો-ઊભો ધ્રુજતો હતો.
મુંબઈના માટુંગામાં કે. લાલના શોમાં જનમેદની ઊભરાવા લાગી. કે. લાલના જાદુપ્રયોગોમાં લેડી-કટિંગનો એક પ્રયોગ આવે. મહાન જાદુગર હોશિ ગોર્ડિંગે લેડીકટિંગનો આ પ્રયોગ આપણા આ જગતને આપ્યો હતો. આ પ્રયોગ કરતી વખતે ઘણા જાદુગરો બંધ પેટીમાં છોકરીને પૂરીને કાપતા હતા, જ્યારે કે. લાલે એમાં પરિવર્તન કર્યું અને એ છોકરીને ટેબલ પર સુવાડીને એના પેટના ભાગને સહુ કોઈ જોઈ શકે તેમ કાપતા હતા. એથીય વિશેષ આગળ વધીને એના શરીરના બે ભાગ છૂટા પાડીને દર્શકોને બતાવતા પણ હતા! ત્યારબાદ થોડી જ ક્ષણોમાં એ કે. લાલના જાદુપ્રયોગોમાં એમર્કો મહાત્મા ગાંધીજી અને છોકરી થિયેટરના દરવાજામાંથી દાખલ થઈ ગાંધીભાવનાને જીવંત કર્યાં હતાં. જૈન ધર્મના પ્રેક્ષકોની હરોળ વચ્ચેથી દોડીને સ્ટેજ પર પ્રભાવને પરિણામે જાદુમાંથી હિંસાની બાદબાકી કરી આવતી હતી. આમાં વીજળીની મોટર દ્વારા હતી, તો ગાંધીપ્રભાવને કારણે એમણે સિદ્ધિ અને આવી કરવત ફરતી હોય અને એ આરીની સમૃદ્ધિની વચ્ચે સાદાઈભર્યું જીવન પસંદ કર્યું હતું. બાજુના લોખંડના સળિયાને હાથથી મજબૂત રીતે પકડીને એ છોકરીના પેટ પર ફેરવી એના શરીરના બે ટુકડા છુટ્ટા પાડતા હતા.
શો પૂરો થયો, પણ કે. લાલના મનમાં પ્રચંડ ઝંઝાવાત સર્જાયો. માણસ આટો દુષ્ટ અને નિર્દય બની શકે ખરો ? જ્યાં હરીફાઈમાં માનવીઓને માખીની જેમ મસળી નાંખવાનું વિચારાતું હોય, એવો જાદુનો ખેલ ચાલુ રાખવો શા માટે ? જ્યાં માણસ માણસાઈ નેવે મુકીને મોતનો કાસદ બનતો હોય, તેવો ખેલ કરીને કરવું શું ? બીજી બાજ કોલકાતાની કાપડની દુકાન એમને બોલાવતી હતી. પિતા ગિરધરભાઈને પણ એમ થતું હતું કે પુત્ર આવા જોખમી વ્યવસાયને બદલે દુકાન સંભાળે તો વધુ
સારું ! આ ઘટનાને પરિણામે કે. લાલ અત્યંત હતાશ બની ગયા. હાથ અને ખભામાં ભારે કળતર થતું હતું. એમને થયું કે હવે આ પ્રયોગો કરવાનો કોઈ અર્થ નથી. એને બદલે કોલકાતા પાછો જો, કુટુંબીજનો સાથે નિરાંતનું જીવન ગાળું અને ધીકતી કમાણી કરતી કે. છોટાલાલ એન્ડ સન્સની કાપડની દુકાનમાં બેસી જાઉં.
૪૬
કે. લાલના પ્રોગોએ મેળવેલી વ્યાપક લોકપ્રિયતા જોઈને અમદાવાદના બે આયોજકોની દોરવીથી બંગાળના એક પ્રસિદ્ધ જાદુગર કે. લાલના વિશાળ કાફલામાં પોતાના માણસને સામેલ કરી દીધો. કે, વાલ એ સમર્થ કોલકાતામાં રહેતા હોવાથી એમના કાવાના
બંને સળિયા પરના નટર્બોફ્ટ પેલા કાવતરાબાજે ઢીલા કરી દીધા હતા. એટલે થાય એવું કે આરી-ક૨વત ફરવાની શરૂ થાય એટલે ઉપરના નટોન્ટ ઢીલા હોવાથી એ આવી કરવત કાં તો એ છોકરી પર જોશભેર પડે. જો એ આરીને સામે જવા દે, તો નજીકની બેઠકમાં બેઠેલા પ્રેક્ષકો પર પડે અને શું થાય એની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી જો એ આખીય લોખંડના હાથાવાળી કરવત પોતે પોતાની તરફ લઈ જાય, તો એ સ્વયં ખતમ થઈ જાય.
આ કટોકટીભર્યા પ્રસંગનું વર્ણન કરતાં કે. લાલે એક વા૨ કહ્યું હતું કે, ‘એમને એમની નજર સમક્ષ દેવદૂત જેવી એક તેજસ્વી આકૃતિ દેખાઈ અને એ આકૃતિએ એમને સંકેત આપ્યો કે સાવધ થઈ જાય !' વળી આ ઘડીએ શો અધવચ્ચે અટકાવીને બંધ રાખવાની તો વાત જ નહોતી. કારણ કે ઝિંદાદિલ જાદુગર જિંદગીને જંગ અને મૃત્યુને રંગ માનીને ખેલ કરતો હોય છે. એના વ્યવસાયની એ પવિત્ર આચારસંહિતા હોય છે કે જાદુગર ક્યારેક પોતાની ભૂલ થાય કે પ્રયોગ નિષ્ફળ જાય તેમ લાગે, છતાં એને અધવચ્ચેથી અટકાવતો નથી; ભલે પોતાની ભૂલને કારણે મોતને ભેટવું પડે. આને કારણે તો સામેથી છોડેલી બંદૂકની ગોળી દાંત પર પકડનાર સિંગ લિંગ હળાહળ ઝે૨ પીનાર અલ્લાબક્ષ અને જાદુગરોના ભિષ્મપિતામહ સમા હેરી હુઠિની (તાળું મારેલી પેટીમાં પોતાને રાખી દરિયાના પાણીમાં
એમણે તત્કાળ પોતાના બાકીના શો રદ કરવાની જાહેરાત કરી.
જીવનમાં ક્યારેય આવી અમાનુષી વૃત્તિ કલ્પી નહોતી. કે. લાલે પોતાના કોલકાતાના નિવાસસ્થાનમાં પાછા ફર્યા. સહકર્મીઓને સારી એવી રકમ આપીને અલવિદા આપી. જાદુનો તોતિંગ સામાન કોઈ ગોદામમાં ખડકી દીધો. એમના શોના આયોજકોને કહી દીધું કે હવે કોઈ નવા શહે૨માં જાદુપ્રયોગો માટે બુકિંગ કરશો નહીં. હું કોલકાતા પાછો ફરું છું.
જિંદગી અને મોત વચ્ચેના દાવપેચ જેવા એ શો પછી કે. લાલ. ઢગલો થઈ ગયા. મન એટલું બધું ઉદાસીન અને વેદનાગ્રસ્ત બની ગયું હતું કે કોલકાતા ગયા પછી કેટલાય દિવસ તો પથારીમાં વિચારમગ્ન સ્થિતિમાં સૂઈ રહ્યા. ભૂતકાળની એ ઘટના એમને સતત કોરી ખાતી હતી. કશું કરવાનું મન થતું નહોતું. દિવસોના દિવસો સુધી ઘરમાં બેસી રહ્યા. અશક્તિ એટલી આવી ગઈ કે. પલંગ પરથી નીચે ઊતરવું પણ મુશ્કેલ બન્યું. આખી જિંદગી જે કલાસાધના માટે હોમી દીધી હોય, એ આખીય જિંદગી એક ઘટનાથી ભસ્મીભૂત થઈ જાય, ત્યારે કેવું થાય !