SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ ભાવનાના અર્થમાં નહિ. બાહ્ય દબાણથી પ્રેરાયેલી નીતિમાં આ તત્ત્વોનું દમન થાય છે એટલે એમાં પાયાની શિથિલતા રહેલી છે. જાતીય વ્યવહારમાં પણ વ્યક્તિગત વર્તન અને બીજાઓ સાથેના સામાજિક પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક સંબંધો પરત્વે આવશ્યક અંકુશ, બાહ્ય દબાણથી પ્રેરાયેલી નીતિથી ઘણું ખરું મૂકવામાં આવતો હોય છે, પરંતુ ઉપર કહ્યું તેમ સ્વયંભૂ સત્ય એટલે શું? ઈશાંતિલાલ ગઢિયા ૩૭ નીતિના પાયા પર શક્ય બનતું અંકુશયુક્ત જાતી વર્તન વધારે સ્વસ્થ અને ઈષ્ટ છે. ‘નીતિનાશને માર્ગે 'માં આ વિકલ્પની વિચારણાનો અભાવ તરત જ વરતાઈ આવે છે. રસિકલાલ શાહ, બી-૧૬, ખીરા નગર, એસ. વી. રોડ, સંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૪, ફૅન : ૦૨૨-૨૬૬૧૩૬૦૫૨૬૬૧૫૫૫૩, ૩૨ ‘સત્ય’ શબ્દ સાંભળતાં જ રાજા હરિશ્ચંદ્ર, સોક્રેટિસ, ગાંધીજી વગેરે હોય છે. આમ દેહ-મનના તમામ સ્તરે સત્ય સમાન રીતે વ્યાપ્ત હોવું વિભૂતિઓનાં ચરિત્ર તાદ્દશ થાય. ગાંધીજી તો ત્યાં સુધી કહેતાં કે, ‘ઈશ્વરના જોઈએ. છાંદોગ્ય ઉપનિષદમાં સત્યનિષ્ઠ નારી જુબાલા અને તેના અનેક નામ છે. છતાં એક જ નામ શોધવું હોય તો તે છે સત્-સત્ય. પુત્રની વાત આવે છે. પુત્ર ગૌતમ ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા મારી દૃષ્ટિએ સત્ય જ ઈશ્વર છે...મરતાં પણ સત્ય ન છોડવું.' આ જાય છે. ઋષિ બાળકને એનું કુળ અને ગોત્ર પૂછે છે. બાળક મૂંઝાઈ સંદર્ભમાં નીચેનું પંક્તિયુગ્મ કેટલું સૂચક છેજાય છે. મને ખબર નથી. માતાને જઈને પુછી આવું.' બાળક માતા પાસે આવે છે. માતાની આંખમાંથી અશ્રુ વહે છે. વાત એમ હતી કે જુબાલાએ કેટલાયના ઘરે જઈને દાસીવૃત્તિ કરવી પડી હતી, અને બહુસેવાને પરિણામે શિશુનો જન્મ થયો હતો. શું કહેવું ઋષિને? બાલાને સત્યમાં દૃઢ શ્રદ્ધા હતી. સત્યનો મહિમાં તેણે અશેષ આત્મસાત્ કર્યો હતો. બાળકને સચ્ચાઈ જણાવે છે અને ઋષિને પણ એમ જ કહેવા કહે છે, ‘તારું નામ સત્યકામ છે. ઋષિને કહેજે કે હું જબાલાપુત્ર સત્યકામ છું.' બાળક આશ્રમમાં પાછો ફરે છે. ગૌતમ ૠષિ માતાપુત્રના નિર્મલ સત્યપ્રિય અંતઃકરણથી પ્રભાવિત થાય છે. સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોધ તારામાં પરમેશ્વર છે કે નહિ શોધ. ‘સત્ય’ એટલે જે વાસ્તવમાં છે તે. અર્થાત્ વસ્તુતઃ જે વિદ્યમાન છે, મોજૂદ છે તે, નિરપેક્ષ (absolute) અસ્તિત્વ એ જ સચ્ચાઈ. દુનિયામાં અનધર કંઈક હોય તો તે છે ‘સત્ય' તે અજેય છે. સર્વાધિક શક્તિમાન છે. સત્ય એટલે ફક્ત ‘સાચું બોલવું’ એ જ નહિ. સત્યના ગુણને વ્યાપક અર્થમાં લેવો જોઈએ. સત્યભાષી હોવું, એ તો એનું એક પાસું થયું. જે ઈમાનદાર, નિષ્કપટ અને નિષ્ઠાવાન છે, એ સત્યધર્મી છે. સચ્ચાઈના ગુણ ઉપરાંત તે ભદ્રતા અને શુચિતાના ગુણથી સંપન્ન છે. તે શુદ્ધ આચરાથી નિત્ય કર્મબના સન્માર્ગ પર ચાલનારો છે. અલબત્ત, ખાંડાની ધારે ચાલવા જેવો આ વિકટ માર્ગ છે. સત્યવીરની કસોટી તેમાં જ થાય ને ? સત્યથી ઊંચો કોઈ ધર્મ નથી. એક સંતનું પ્રવચન પૂરું થયા બાદ એક જિજ્ઞાસુ એમની પાસે આવ્યો અને પૂછ્યું, ‘આટલા વિશાળ શ્રોતાગણમાંથી આપ કોને સૌથી વિશેષ ધાર્મિક ગણો છો ?' સંતે વિચારપૂર્વક જવાબ આપ્યો, ‘બે દિવસ પહેલાં નગરના સગૃહસ્થ સુર્બોધકાંત અવસાન પામ્યા. એમને.' પેલા ભાઈએ આશ્ચર્યના ભાવ સાથે કહ્યું, “એ તો કદી દેવદર્શને જતા નહોતા, એમણે એકેય તીર્થયાત્રા કરી નહોતી, યજ્ઞ કે અનુષ્ઠાન કર્યા નહોતા.' સંત બોલ્યા, ‘એમણે જે જે નહોતું કર્યું એની મોટી યાદી તમારી પાસે હશે, પણ એટલું યાદ રાખજો કે સત્યાત્ ન અસ્તિ પરમો ધર્મ:। સુબોધકાંત હંમેશાં સત્યના પક્ષે રહ્યા હતા. એમણે સત્યનું માત્ર ચિંતવન નહિ, અનુસરણ પણ કર્યું હતું, પૂરી નિષ્ઠાથી.' ચિત્ત, વાણી અને આચરા-ત્રર્ણ વચ્ચે એકવાક્યતા હોવી, એ સત્યમાં સ્થિત વ્યક્તિનું લક્ષણ છે. એની કથની અને ક૨ણી વચ્ચે તાલમેળ સંવેદનશીલ હૃદયમાં સત્યનું બીજ સહજ રીતે પાંગરે છે. ક્યાંય પણ જૂઠ, અન્યાય, પ્રપંચ કે જુલમ જોતાં જ આવી વ્યક્તિ હચમચી કે ઊઠે છે. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની મુસાફરી વખતે ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, છતાં વચ્ચે મેરિટ્સબર્ગ સ્ટેશને એમને ઉતારી મૂકવામાં આવ્યા. આ અનુભવે એમનામાં તીવ્ર મનોમંથન જગાવ્યું, જે આખરે સત્યાગ્રહમાં પરિણમ્યું. સન ૧૯૧૫માં ગાંધીજીએ સાબરમતી (અમદાવાદ) ખાતે ‘સત્યાગ્રહ આશ્રમ' સ્થાપ્યો. કોઈ આશ્રમના નામ સાથે ‘સત્ય’ શબ્દ જોડાયેલો હોય, એવું દુનિયાએ પહેલી વાર જોયું. ગાંધીજી દ્વારા પ્રોધિત એકાદશ વ્રતમાં સત્યનું સ્થાન પહેલું છે. નીચેની ચતુદી કંડિકા જુદી જુદી સંસ્થાઓ અને આશ્રર્મામાં નિયમિત ગવાય છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. અભય, સ્વદશી, સ્વાદત્યાગ, ને સર્વધર્મ સરખા ગણવા, એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા. * એ-૬, ગુરૂપા સોસાયટી, પાણીની ટાંકી પાછળ, હરની રોડ, વડોદરા-૩૯૦ ૦૦૬.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy