SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ વીરોનો આવિર્ભાવ ઃ મહાવીર-બુદ્ધ : જૈન-બૌદ્ધના પરિપ્રેક્ષ્યમાં Hપ્રા. દીક્ષા એચ. સાવલા ( પ્રા. કુ. દીક્ષા સાવલા આણંદની કૉલેજમાં સંસ્કૃતની પ્રાધ્યાપિકા છે. સંસ્કૃતના વિષયમાં એમના પ્રદાન માટે એઓને ત્રણ સુવર્ણચંદ્રક અને અન્ય પારિતોષિકો પ્રાપ્ત થયા છે. મનુષ્ય જીવનમાં ધર્મ એના પાયામાં રહેલ છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં તેના આધારરૂપે એક યા બીજા પ્રકારે ધર્મ અથવા એક પ્રકારની શ્રદ્ધાનો સ્વીકાર થયેલો છે. આમ એક તરફ ધર્મ એ સંસ્કૃતિનું હાર્દ છે, જ્યારે બીજી તરફ ઘણા બધાં યુદ્ધો અને તકરારો ધર્મના નામે જ થયેલા છે. આતંકવાદનો વૈશ્વિક મુદ્દો પણ સાચા ધર્મના ખોટા અર્થઘટનનું જ પરિણામ છે. જીવનમાં સાચા ધર્મની સમજ હોવી જરૂરી છે. જેને કારણે માણસ પોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક પાળી શકે અને સાથે-સાથે અન્ય ધર્મો પ્રત્યે સાચો અભિગમ કેળવી શકે. આજની વ્યક્તિ નિરાશા-હતાશાનો ભોગ બની છે. એને ઉગારવા માટે સાચા ધર્મની દિશા જાણવી ખૂબ જરૂરી છે. તો જ જીવમાંથી શિવ અને માટીમાંથી મહાત્મા બની શકીશું. બિનસાંપ્રદાયિકતાના નામે નાસ્તિક બનવું પડે એ પરવડે તેમ નથી. ધર્મ પાસે આ બધી સમસ્યાઓમાંથી ઉગારવાની શક્તિ છે. ૨૧મી સદીના વૈજ્ઞાનિક યુગમાં માણસને માટે ધર્માધતા કે મતાગ્રહ રાખવા પણ યોગ્ય નથી. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે માણસ પાસે અન્ય ધર્મોનું જ્ઞાન અને આદર તેમ જ પોતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા હોવી જરૂરી છે. કોઈપણ સંપ્રદાય કે પંથ હોય એના નિચોડને કહેવું હોય તો કહી શકાય: कबीर कुँआ एक है पनिहारी अनेक । बर्तन सबके न्यारे भले पानी सबमें एक ।। ધર્મ શબ્દ પૃથરિયતિ શબ્દ પરથી ઉતર્યો છે. જગતમાં ઘણા બધા ધર્મો છે, જેમકે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ, શીખ ધર્મ, જરથોસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ, કન્ફયુશિયસ ધર્મ, તાઓ ધર્મ, શિન્જો ધર્મ ઇત્યાદિ જેવા છે. પણ એટલું ચોક્કસ છે કે જો બધાં જ ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે તો સમગ્ર માનવજાતનું નૈતિક સ્તર ઊંચું આવે અને ધર્મમાત્રનું ગૌરવ વધે. જગતમાં અનેક પંથો, અનુગમો કે ધર્મો છે. પણ ધર્મ એક જ છે. જુદાં જુદાં ધર્મો અને તેમના આરાધ્ય દેવો તાત્ત્વિક દૃષ્ટિએ એક જ છે. અને સત્યની સમજૂતિ આપવા માટે વિનોબા ભાવેએ નીચેની સર્વધર્મ પ્રાર્થનાનો પ્રસાર કર્યો છેઃ ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તુંબ્રહ્મ મજુદ તું, યહ્ય શક્તિ તું, ઇશુ પિતા પ્રભુ તું. રુદ્ર-વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમ-તાઓ તું વાસુદેવ-ગો-વિશ્વરૂપ તું-ચિદાનંદ હરિ તું, અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું. આમ આપણે જૈનધર્મ-જૈનદર્શન-મહાવીર સ્વામી અને બૌદ્ધધર્મ, બૌદ્ધદર્શન, ગૌતમ બુદ્ધમાં રહેલી કેટલીક સામ્યતા એવમ્ વૈષમ્યતા જોઈએ. બંને દર્શનોમાં તાત્ત્વિક વિચારણાઓ તથા એના પાયા વિશેની રજૂઆત જોઈએ. જૈનધર્મ-જૈનદર્શન–મહાવીરસ્વામી બૌદ્ધધર્મ-બોદ્ધદર્શન-ગૌતમબુદ્ધ ૧. જૈન ધર્મના પ્રણેતા મહાવીરસ્વામી છે. ૧. બૌદ્ધ ધર્મના પ્રણેતા ગૌતમ બુદ્ધ કહેવાય છે. ૨. મહાવીરસ્વામીનો જન્મ બિહારનાવૈશાલીનગરની નજીકના ૨. ગૌતમ બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં લુમ્બિની નામના કુંડગ્રામમાં આજથી ઈ. સ. પૂર્વે પ૯૯માં ક્ષત્રિય પરિવારમાં થયો ઉદ્યાનમાં ઈ. સ. છઠ્ઠી શતાબ્દિની આસપાસ એટલે કે ઈ. સ. ૫૬૩માં હતો. વૈશાખી પૂર્ણિમાના દિવસે આદિત્ય ગોત્રમાં થયો હતો. ૩. મહાવીર સ્વામીનો પરિવાર ૩. ગૌતમબુદ્ધનો પરિવાર બચપણનું નામ-વર્ધમાન બચપણનું નામ-સિદ્ધાર્થ-ગૌતમ માતા-ત્રિશલામાતા. પિતા-સિદ્ધાર્થ.પત્ની-યશોદા. પુત્રી-પ્રિયદર્શના માતા-માયાદેવી. પિતા-શુદ્ધોધન.પત્ની-યશોધરા.પુત્ર-રાહુલ ૪. ત્રિશલા માતાને ૧૪ સ્વપ્ન પછી મહાવીર સ્વામીનો જન્મ થયો ૪. અસિતમુનિએ ગૌતમ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે તે જીવનમાં હતો. એક ઘટનાથી સંસારનો ત્યાગ કરશે. ૫. મહાવીર સ્વામીએ ૩૦ વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી. ૫. ગૌતમબુદ્ધે જીવનમાં જોયેલાં ત્રણ દૃશ્યો (રોગી, વૃદ્ધ, મૃત્યુ પામેલ) ને જોઈ સંવેદ ઉત્પન્ન થયા પછી સંસારનો ત્યાગ કર્યો. ૬. ભગવાન મહાવીરના ઉપદેશોનો સાર જૈન આગમમાં સંગ્રહિત ૬. ભગવાન બુદ્ધના ઉપદેશોનો સાર ત્રિપિટકમાં સંઘરવામાં આવ્યો.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy