SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક અંગત સ્વજનથી વ્યક્તિ જ્યારે વિખુટી પડે ત્યારે એની આંખોમાં આંસુ કવિતાની એક વિશિષ્ટતા એ એની પ્રાસાદિકતા હોય છે. નરસિંહ મહેતા ચહેરા ઉપર વેદના અને મનમાં વિષાદ પ્રગટતાં હોય ! પરંતુ વિશ્વમાં કે મીરાબાઈની કવિતા વાંચીએ તો એ આપણને તરત જ સ્પર્શી જશે. એક વિદાય એવી હતી કે જેમાં વિદાય લેનાર રાજકુમારમાં ઉત્સાહÀસીલ-ડે-લુઈ Sheshi-de-Lul નામના વિવેચકે આવા કાવ્યનું એક અને વિદાય આપનાર એમની પત્નીમાં કોઈ વીર નારીને છાજે એવો લક્ષ Direct from the Heart આપ્યું છે. આ વિદાય નામનું કથાગીત જુસ્સો છે. વિદાય સાથે જોડાયેલી વેદનાની લિપિ ભુંસાઈને જાણે વાંચીએ ત્યારે એનો આપણે અનુભવ પામીએ છીએ. આનંદના અક્ષરો ન રચતી હોય ? વિશ્વમાં રાજકુમાર સિધ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ પ્રસિદ્ધ છે. મહાભિનિષ્ક્રમણ એટલે મહાનની પ્રાપ્તિ માટે નિષ્ક્રમણ નીકળવું તે ! રાજકુમાર સિધ્ધાર્થે જગતમાં વૃધ્ધત્વ અને મૃત્યુ જોયા અને તેથી જ એમણે સંસારનો ત્યાગ કર્યો હતો. જ્યારે પ્રભુ મહાવીર- વર્ધમાનનું અભિનિષ્ક્રમણ અત્યંત વીરલ છે. વીરલ એટલા માટે કે તેમાં એક વિશિષ્ટ પરિસ્થિતિ, ભાવ અને પ્રાપ્તિ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે પોતાના વડીલબંધુ નંદીવર્ધનની અનુમતિ લઈને રાજકુમાર વર્ષમાને સંસારનો ત્યાગ કરવાનો વિચાર કર્યો છે. પરંતુ ગૃહત્યાગની આ મંગલ ઘડીએ કોઈની પણ ઉપેક્ષા કે અવગણના ન હતી; કોઈની પણ અવહેલના કે અનાદર ન હતાં! સંસારનો ત્યાગ હતો છતાં અત્યંત વિરલ પરિસ્થિતિ હતી. ભાવ પણ દેવાં ? ક્યાંય રૂદન કે નિઃસાસા ન હતા. ક્યાંય વેદના, ચીસ કે વિખુટા પડવાનો વિલાપ ન હતો. રાજકુમાર વર્ધમાનના હૃદયમાં ત્યાગના આનંદનો સાગર ઉછળતો હતો, અને એમની પત્ની યોદાના હૃદયમાં ભવ્ય હેતુ માટે થતો પ્રભુના સંસારત્યાગને અંતરના ઉમંગથી વધાવવાનો ઉત્કૃષ્ટ ભાવ હતો. આમ વિદાય હોવા છતાંય પરિસ્થિતિ સાવ અલગ, ભાવ તદ્દન ભિન્ન અને પ્રાપ્તિનો આદર્શ કેટલો ઊંચો ! રાજકુમાર વર્ધમાન મહેલ-નગરની સીમા પાર કરીને માત્ર અખંડ વિશ્વને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડને પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યાં હતાં. પોતીકા પરિવારના પ્રેમભર્યા સંબંધોના સીમાડા ઓળંગીને ચેતન-અચેતન એવી સમગ્ર સૃષ્ટિને પોતાનો પરિવાર બનાવતા હતા. આમ, ભગવાન મહાવીરનું આ અભિનિષ્ક્રમણ એ સંસારની સઘળી સીમા અને સર્વ બંધનોથી પર થઈને માનવ આત્માની સ્વતંત્રતાનું દર્શન કરાવતું વિરાટ પગલું હતું. આવા સમયે વિખુટા પડવાની વેદનાને બદલે મહાન પ્રાપ્તિ માટેનું તેજ પ્રવર્તતું હતું. ૫૧ શીર્ષક હેઠળની આ રચના-કથાગીત, એ એના ભાવ, એની ભાષા, એની તાજગી અને એની વિશિષ્ટતા મારા હૃદયને સ્પર્શી ગઈ છે. શ્રી શાંતિલાલ શાહની રચનાના શબ્દો એમના હૃદયમાંથી નીકળતાં હતાં, અને તે સીધેસીધા શ્રોતાજનોના હૃદયમાં ઓગળી જતાં હતાં. ઉત્તમ શ્રી શાંનિલાલ શા. આ કથાગીતમાં એક વિસ્ય ઘટનાને શબ કરી છે. આવા કાવ્યોમાં ઉપાડ સૌથી મહત્વનો હોય છે અને એવો ઉપાડ અહીં જોવા મળે છે. જાણે તેઓ આપણને દીક્ષા લેવા જતાં મહાવીરપ્રભુ અને ભક્તિભાવથી 'વિદાય' આપતી યોદાનું શબ્દચિત્ર દોરી આપતા ન હોય? શ્રી શાંતિલાલ શાહના આ કાવ્યનો ઉપાય ચમત્કૃતિપૂર્ણ છે. તેઓ કહે છેઃ રાજપાટ સહુ તજી મહાવીર દીક્ષા લેવા જાય, ભક્તિભાવથી દેવી યોદા આપી રહ્યા વિદાય ! સંસારત્યાગ કરતાં મહાવીરનું ચિત્ર આપ્યા પછીઆ કવિનું ફોકસ ઘોદા પર પડે છે. આમ કોકસ બદલનાં રહીને તેઓશ્રી પ્રસંગ આલેખનની સાથેસાથે નાટ્યાત્મક્તા સાથે છે. સમગ્ર પરિસ્થિતિ ભાવકની દ્રષ્ટિ સમક્ષ કોઈ ઘટના બનતી હોય તે રીતે ઉપસી આવે છે. કર જોડીને બોલ્યા યોદા, કરજો સુપ્તે પ્રયાશ ! આનંદમંગલ ગાઈ રહ્યાં, સૌ જોક બની સુલતાન ! સ્વામી! સુખે કરજો પ્રયાશ ! વાટ જુએ છે દુનિયા સારી, એના તારણહારની, જીવ જગતના કરે ઝંખના, જીવનના ઉધ્ધારની, માી માત્રના મંગલ કાજે, પ્રેમ કરજો પ્રસ્થાન, સ્વામી! કરજો સુખે પ્રયાણ. શા માટે થોદા પોતાના પતિના પ્રયાણ પરત્વે ઉત્સાહીત છે ? એનું કારણ એક જ છે કે આકાશમાં લાખો તારાઓ છે પણ પૃથ્વી પર તો ચંદ્રમાનો જ પ્રકાશ પથરાય છે. વિશ્વ પુરુષોથી ભરેલું છે પણ આરાધ્યદેવ તો એક જ છે. સમગ્ર સૃષ્ટિ એના તારણહારની રાહ જુએ છે ત્યારે પ્રાણી માત્રના મંગલને માટે રાજકુમા૨ વર્ધમાનને સ્વામી! કરજો સુખે પ્રયાણ ! એમ યશોદા કહે છે. સંગીતને જીવન સમર્પણ કરનારા અને જૈન તેમ જ અજૈનો સૌના હૃદયમાં પોતાની પ્રાસાદિક રચનાઓથી ચિરંજીવ સ્થાન મેળવનાર સ્વ. શ્રી શાંતિલાલ શાહની પ્રભુ મહાવીર વિષેની ૪૯/૫૦ જેટલી ભગવાન બુધ્ધની માòક સંસારની વેદના જોઈને રાજુકમાર વર્ધમાને સંસારનો ત્યાગ નથી કર્યો પરંતુ એમણે સંસારના શુભ ભાવો જોયા છે. માતા ત્રિશલા અને રાય સિધ્ધાર્થના અખૂટ પ્રેમને પામ્યા છે. રચનાઓ મળે છે. પરંતુ એમની આ તમામ રચનાઓમાં ‘વિદાય ’વડીલબંધુ નંદીવર્ધનનો અનુપમ બંધુપ્રેમ એમણે માણ્યો છે. પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શના પાસેથી જીવનની પ્રસન્નતાને પામ્યા છે. પણ તેઓ હવે સમગ્ર સૃષ્ટિના શાશ્વત સુખને માટે સંસાર છોડીને નીકળ્યા છે ત્યારે યશોદા એના આનંદને પ્રગટ કરવાની સાથે તેમની સાથે સંસાર ત્યાગ કરી શકતી નથી એનો વસવસો પ્રગટ કરે છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy