SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧ રોહાને પોતાના અંગસેવક તરીકે મહેલમાં જ રોકી રાખ્યો રાજાએ પ્રથમ રાત્રિથી જ રોહાની પરીક્ષા કરવાનું વિચાર્યું. સાંજને સમયે રાજા રોહાને કહે, ‘હે રોહા! તું રાત્રિના ચારેય પ્રહર મારા નિવાસના દરવાજે જાગતો બેસી રહેજે. પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક રોહા રાત્રિના એક પ્રહર સુધી તો જાગ્યો, પણ પછી ઘસઘસાટ ઊંઘી ગયો. રાજાએ મોટા અવાજે રોહાને સાદ કર્યો પણ રોહા સહેજ પણ બોલતો નથી. રાજાએ આવીને જોયું તો તેને સૂતેલો દીઠો. રાજાએ રોહાને સોટીના પ્રહારથી જગાડ્યો. રોહા વળતો બોલ્યો, ‘હે રાજા, હું ઊંઘતો નહોતો, પણ મને મનમાં એક ચિંતા થતી હતી.' રાજા કહે, ‘શી ચિંતા થતી હતી તે મને કહે.' રોહા બોલ્યો, ‘પીપળાના વૃક્ષનાં જે પાંદડાં છે એમાં શિખા અને દંડમાં દીર્ઘ કોણ?’ રાજાને પણ સંદેહ થતાં કહે, 'તારા વિના આની ઉત્તર કોકા આપે ? તું જ આનો જવાબ આપ.' રોહા કહે, ‘જ્યાં સુધી પાંદડું લીલું હોય ત્યાં સુધી શિખા ને દંડ સરખાં જ હોય.’ વળી પાછા રાજા ને રોહા બંને ગાઢ નિદ્રામાં સરી પડ્યા. જ્યારે રાત્રિનો બીજો પ્રહર પૂરો થયો ત્યારે રાજાએ રોહાને બોલાવ્યો. રાજા : ‘તું જાગે છે કે સૂતો છે?’ રોહા : ‘જાગું છું; પણ એક ચિંતા છે.’ રાજા : ‘શી ચિંતા છે તે મને ઝટ કહે.' રોહા : 'બકરીના જઠરમાં સંવર્તક વાયુને લઈને એવી ગોળાકાર સીડીઓ થાય છે.' રોહા : ‘હે સ્વામી, મને પ્રશ્ન એ થાય છે કે બીજાં પ્રાણીઓ પ્રૌઢ મને સાચું કહો, હું કેટલા પિતાનો પુત્ર છું?’ મળત્યાગ કરે છે, જ્યારે બકરી હિંડીઓ કેમ મૂકે છે?' રાજા : ‘રોહા, આનો જવાબ તું જ શોધી કાઢ.' પછી બંને સુઈ ગયા. ત્રીજા પહોરે રાજા ઊઠીને રોહાને પૂછે છે, ‘જાગે છે કે ઊંઘે છે?’ રોહા કહે, ‘સ્વામી! હું જાગું તો છું, પણ મને એક પ્રશ્ન સતાવે છે.’ રાજા પૂછ છે ‘શો ?’ રોહા કહે, ‘ખિસકોલીની પૂંછડી અને એનું શરીર એ બેમાં મોટું કોણ અને નાનું કોણ?’ રાજા કહે, “આનો નિર્ણય પણ તું જ કર.' રોહાનો ઉત્તર : ‘બંને સરખાં જ હોય છે.' વળી પાછા બન્ને સૂઈ ગયા. ચોથા પ્રહરે રાજા જાગ્યો ને રોહાને સૂતેલો જોતાં જગાડવા લાગ્યો. પણ રોહા જાગ્યો નહીં. એટલે રાજાએ રોહાને ચૂંટિયો ખણીને પૂછ્યું, ‘જાગે છે કે ઊંઘે છે?' ત્યારે સત્વરે જાગીને રોહાએ કહ્યું, “હે રાજા ! મને તો ઊંધ જ આવતી નથી. મને એક મોટી મૂંઝવણ થઈ છે. પણ આવી મૂંઝવણ મારે તમને કેમ કરીને કહેવી? હવે તો તમારા તરફથી ખાતરી મળે તો જ મારાથી કહેવાય.' ૧૩ અધિક કડવો બન્યો-આવી તું બન્યો જણાય છે.' રોહા કહે, ‘હું જે કાંઈ કહું છું તે સત્ય જ કહું છું.' ત્યારે રાજાએ પૂછ્યું, ‘રોહા, તું જ કહે કે હું કેટલા બાપનું બાળક છું. અને તેઓ કોણ કોણ છે? માતા બોલી. 'આવું પૂછતાં તને શરમ-સંકોચ થવાં જોઈએ. છતાં આમ કેમ પૂછવું પડ્યું ?' રાજાએ રોહાની બધી વાત માતાને માંડીને કહી સંભળાવી. પછી માતા રાજાને કહેવા લાગી, ‘સુરતકાળે બીજ નિક્ષેપ કરનારા રાજાતારા પિતા તે પહેલા પિતા. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે મને કુબેર દેવના સ્થાનકે જઈ પૂજા કરવાની ઈચ્છા થઈ. પ્રતિમાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે એનાથી આકર્ષાયેલા ચિત્તવાળી મેં કુબેરની પ્રતિમાને સર્વાંગે આલિંગન કર્યું. પૂજા કરી હું પાછી વળતી હતી. ત્યાં માર્ગમાં ચાંડાલ મળ્યો. તેનું સુકુમાર સ્વરૂપ જોઈ હું એની સામે નિહાળી જ રહી. ત્યાંથી ઉતાવળે ઘરે આવવા નીકળી ત્યાં એક ધોબી એકલો આવતો હતો. એના રૂપથી પણ મારું મન પરવશ બન્યું. પછી ઘેર આવી. બેઠી ત્યાં જ એક વીંછીએ મને ચટકો ભર્યો. આમ હે પુત્ર! સ્પર્શ કે જોવા માત્રથી મને ભોગેચ્છા-તૃપ્તિનો અનુભવ થયો હતો. એ રીતે રોહા સાચો છે. બાકી તો તારા પિતા વિના મારા જીવનમાં બીજું કોઈ નથી.’ રાજા માતાને પ્રણામ કરી રોહા પાસે આવ્યો. એની પ્રશંસા કરી રાજાએ કહ્યું, ‘રોહા, તેં જે વાત કહી એ સાચી છે, મારી માતાને રાજો વચન આપ્યું એટલે રોહાએ એની મૂંઝવણ રજૂ કરતાં પૂછતાં તારાં જ કહેલાં નામો મારી માતાએ પણ કબૂલ્યાં.' કહ્યું, `ી રાજા, તમારે કેટલા બાપ છે?' રાજા કહે, ‘રોહા, તું બુદ્ધિવંત ખરો, પણ લાજમર્યાદા લોપીને હવે તો તું માથે ચઢી બેઠો. ગરીબને ધન મળે એટલે સૌને ઘાસ બરાબર ગણવા માંડે. કારેલીનો છોડ ને પાછો લીમડે ચડ્યો એટલે રોહા બોલ્યો, 'તમારે પાંચ પિતા છે. ભૂપાલ, કુબેર દેવ, ચાંડાલ, ધોબી અને વીંછી એ પાંચ તમારા પિતા.' રાજા પૂછે છે, ‘રોહા, તેં કયા સંકેતથી આ વાત જાણી ?' રોહા બોલ્યો, “ભૂપાલની જેમ તમે પણ પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરો છો. કુબેરની જેમ તમે પણ દાતા તરીકે દાન આપીને સેવા કરો છો, મોટા દાની છો. ચાંડાલ જેમ નિર્દય હોય તેમ રણસંગ્રામમાં શત્રુ સામે તમે નિર્દય બનો છો. ધોબી જેમ વસ્ત્રને ચોળીને ધૂએ છે તેમ તમે પ્રજા પાસેથી સઘળી વસૂલાત કરો છો અને અપરાધીનું ધન નીચોવી લો છો. વીંછી નાના-મોટાની બીક રાખ્યા વિના સૌને ડંખ મારે છે તેમ તમે પણ નાના-મોટા કોઈને છોડતા નથી. જુઓ, મારા જેવા બાળકને પણ તમે ચડકો દીધો જ ને! હે રાજા! મેં તમને આ સાચી વાત કહી. તમને મારી વાત માન્યામાં ન આવે તો આપનાં માતાને પૂછી જુઓ.’ રાજા રોહાની બધી વાત સાંભળી રહ્યો. સવાર થયું એટલે રાજા માતા પાસે ગયો. માતાને પગે લાગીને પૂછવા લાગ્યો, ‘માતા! પછી જિતશત્રુ રાજાએ એના પાંચસો મંત્રીઓમાં રોહાને મુખ્ય મંત્રી બનાવ્યો અને એને સર્વ રાજ્યાધિકાર સોંપ્યો. ત્યારબાદ રોહાને પૂછીને જ રાજ્યનું બધું કામ થવા લાગ્યું. આ બધો રોહાના બુદ્ધિચાતુર્યનો પ્રતાપ.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy