SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક નિયમપાલનનાં મીઠાં ફળઃ બે કથાઓ રથનૂપુર નામનું એક નગર છે. એમાં વિમલયશ નામનો રાજા રાજ્ય કરે છે. સુમંગલા એની પટ્ટરાણી છે. તેની કૂખે એક પુત્રી અને એક પુત્ર-એમ બે સંતાનોએ જન્મ લીધો છે. પુત્રીનું નામ વંકચૂલા અને પુત્રનું નામ વંકચૂલ છે. વંકચૂલ જ્યારે યુવાન વયનો થયો ત્યારે એક સ્વરૂપવાન ગુણિયલ કન્યા સાથે એનું લગ્ન કરવામાં આવ્યું. આ વંકચૂલ ઉદ્ધૃત, ખરાબ ચરિત્રનો અને નિર્ગુણી હતો. આ કારણે એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ દરમિયાન બાળવૈધવ્યને પામેલી બહેન વંકચૂલા પણ ભાઈની સાથે જ ચાલી નીકળી. રખડતો રખડતો વંકચૂલ એક મોટા જંગલમાં આવી ચઢ્યો. ત્યાં કેટલાક ધનુર્ધારી ભીલોને એણે જોયા. વંકચૂલ એમની નજીક ગયો. પેલા ભીલો પણ સ્વરૂપવાન અને રાજકુમાર જેવા આ વંકચૂલને જોઈ નવાઈ પામ્યા. સૌએ વંકચૂલને નમસ્કાર કરી અહીં આવવાનું કારણ પુછ્યું. વંકચૂલે પોતાને ઘરમાંથી કાઢી મુકાયો હોવાની આત્મકથની જણાવી. આ સાંભળી ભીલોએ કહ્યું, ‘અમારો સ્વામી તાજેતરમાં જ મૃત્યુ પામ્યો છે. તો તમે જ એ સ્વામીપદ સંભાળો.' ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ વિચાર કરીને એમની માગણી સ્વીકારી અને ચોમાસામાં યોગ્ય સ્થળે એમને ઊતરવાની સગવડ કરી આપવા તૈયારી દર્શાવી. પણ સામે એણે એક શરત મૂકી. ‘મહેરબાની કરીને તમારે અમને ક્યારેય ધર્મનો ઉપદેશ આપવો નહીં. કેમકે અમારો લૂંટફાટનો ધંધો જ અમારા પેટગુજારાનું સાધન છે.’ સાધુ ભગવંતો તો નિરાસક્ત હતા. જેમને ધર્મને માટે કશી રુચિ જ નથી એમને ઉપદેશની વર્ષા કરવાથી પણ શું ? એટલે તેઓએ શરત કબૂલ રાખી. યોગ્ય સ્થળ શોધી ત્યાં નિવાસ કરી પોતાની રોજિંદી ધર્મક્રિયાઓમાં અને ધર્માચરણમાં વ્યસ્ત રહી ચોમાસાના દિવસો વીતાવવા લાગ્યા. એમ કરતાં છેવટે ચોમાસાના ચાર માસ પૂરા થયા. એટલે સર્વ સાધુસમુદાયે વિહાર કરવાની તૈયારી કરી. પલ્લીપતિ વંકચૂલને પણ એની જાણ કરી. વંકચૂલ પણ, આ સાધુઓએ પોતે મૂકેલી શરતનું ઉચિત પાલન કર્યું છે અને કશો ધર્મોપદેશ કર્યો નથી એથી ઘણો ખુશ હતો. વિહાર માટે પ્રસ્થાન કરતા સાધુઓને વળાવવા માટે વંકચૂલ પલ્લીપ્રદેશના સીમાડા સુધી ગયો. વંકચૂલ તે ભીલોની સાથે એમની પલ્લીમાં ગયો અને પલ્લીપતિ બનીને એમની સાથે રહેવા લાગ્યો. પેલા ભીલોની સાથે એ પણ લૂંટ કરવા નીકળી પડતો. એમ કરતાં જતે દિવસે તે એક નામચીન લૂંટારા તરીકે પ્રસિદ્ધ થયો. હવે એક વખત ચંદ્રયશ નામે એક આચાર્ય ભગવંત સાત સાધુઓ સાથે વિહારમાં ભૂલા પડીને ભમતાં ભમતાં ભીલોની આ પલ્લી પાસે આવી ચડ્યા. જે સ્થાનેથી વંકચૂલે પાછા ફરવાનું હતું તે સ્થાને ઊભા રહીને આચાર્ય ભગવંતે મધુર વાણીથી કહ્યું કે ‘અમે તારા પલ્લીપ્રદેશમાં આવ્યા, તેં અમને ચોમાસાના સ્થિરવાસની સગવડ કરી આપી અને ધર્મ-આરાધનામાં અમારું ચોમાસું સારી રીતે પસાર થયું એમાં તારી સહાય અમને મળી છે તેથી તારે માટે મારા મનમાં એક ઈચ્છા જાગી છે.’ વંકચૂલને પણ એ ઈચ્છા જાણવાનું કુતૂહલ થયું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, ‘ભલે બીજી રીતે તું ધર્મપાલન કરી શકે એમ ન હોય તોપણ તારો આ લોક અને [આ પ્રથમ કથાનો આધારસોત આચાર્યશ્રી પરલોક સફળ બને એ માટે તું કંઈક નિયમ ચોમાસું એકદમ નજીકમાં જ હતું. આકાશ જયકીર્તિસૂરિ વિરચિત ‘શીલોપદેશમાલા’ ગ્રહણ કર.' વંકચૂલે લાચારી દર્શાવતાં કહ્યું, પણ વાદળોથી ઘેરાવા માંડ્યું હતું. ધરતી પર પરની આચાર્યશ્રી સોમતિલકસૂરિ- ‘આવો કોઈ નિયમ મારાથી શી રીતે પાળી નવા તુશાંકુરો ફૂટી નીકળ્યા હતા. નાના (અપરનામ) વિદ્યાતિલકસૂરિએ રચેલી શકાશે ?’ ત્યારે મહાત્માએ શક્તિ અનુસાર જીવોના સંચારથી રસ્તાઓ ઉભરાવા લાગ્યા ‘શીલતરંગિણી વૃત્તિ' છે. મૂળ ગ્રંથ પ્રાકૃત નિયમ ધારણ કરવા કહ્યું. અંતે વંકચૂલ સંમત હતા. એટલે આગળનો વિહાર કરવો યોગ્ય ભાષામાં છે. એની વૃત્તિ સંસ્કૃતમાં છે. આ થતાં એની પાસે આ પ્રમાણે નિયમ ગ્રહણ નથી એમ આચાર્ય ભગવંતને જણાતાં તેઓ વૃત્તિ-ગ્રંથની રચના વિ. સં. ૧૩૯૨/ કરાવ્યું. ૧. અજાણ્યું ફળ ખાવું નહીં. ૨. કોઈ એમના સમુદાય સાથે ભીલોની પલ્લીમાં ૧૩૯૭માં થઈ છે. એનો ગુજરાતી જીવની હિંસા કે વધ કરતાં પહેલાં સાત ડગલાં આવી પહોંચ્યા. ભીલોના અધિપતિ વંકચૂલે અનુવાદ પ્રસિદ્ધ થયો છે: પાછા હઠીને પછી તેનો અમલ કરવો. ૩. આ સાધુમહાત્માઓને વંદન કર્યાં. સાધુઓએ પુસ્તક : ‘શ્રી શીલોપદેશમાલાવળતા ‘ધર્મલાભ’ કહી, અહીં વસતિ ભાષાંતર', અનુ. વિદ્યાશાળાના અધિકૃત (રહેઠાણ) માટે પૃચ્છા કરી. વંકચૂલે પણ શાસ્ત્રીજી, મકા. શ્રી જૈન વિદ્યાશાળા, મહાત્માઓની પરિસ્થિતિ અને સંજોગોનો અમદાવાદ. ઈ. સ. ૧૯૦૦]. રાજાની પટ્ટરાણીને માતા સમાન ગણવી. ૪. કદી કાગડાનું માંસ ખાવું નહીં. આ ચાર નિયમોનો વંકચૂલે મહાત્માના પ્રસાદ રૂપે સ્વીકાર કર્યો અને સાધુભગવંતો
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy