SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૦ તો જોઈએ જ, અને ૮ માં તો બધાંની ‘ના’ જ. પરંતુ આ ‘ના’ માં એક મમત્વ છે, જેના વાંચનથી પોતાના જીવનનું ઘડતર થયું હોય, જેના વાંચને વનમાં સત્ત્વ અને આનંદની પર્ધા આપી હોય અને ‘સંકેલવા’નું તો કોઈ પણ સહૃદયી ન જ કહે. પરંતુ વાસ્તવિકતા શું? શ્રદ્ધા રાખી ક્યાં સુધી આવા સામયિકનું પ્રકાશન કરતા રહેવું ? ભોકતા ન મળે તો કલાનું પ્રોજન શું? કલાપીએ ગાયું જ હતું કેઃ કલા છે ભોજ્ય મીઠી તે ભોકતા વિણ કલા નહીં! કલાવાન કલા સાથે ભોકતા વિણ મળે નહીં! ગુજરાતી વાચક વર્ગ ઓછો થતો જાય છે એનું આ પ્રમાણ. આ પરિસ્થિતિ માટે સર્વ પ્રથમ દોશી છે સાંઠ વરસ પહેલાંના આપણા ગુજરાતના રાજકારણીઓ. અને એમાં મોખરે ઠાકોરભાઈ દેસાઈ અને અંગ્રેજ વિરોધી એમના આદર્શવાદી સાથીઓ. સાંઠ વરસ પહેલાં ગુજરાતમાં એવો કેળવણીનો ‘ફતવો’ આ ગુજરાતી ભક્તોએ–વિશેષ તો અંગ્રેજ સાથે અંગ્રેજી ભાષાના વિરોધી–બહાર પાડ્યો કે અંગ્રેજી વિષય એસ.એસ.સી.માં મરજિયાત બનાવ્યો એટલું જ નહિ, આઠમા ધોરણથી જ એ.બી.સી. શિખવાડાય. માત્ર ચાર વર્ષ અંગ્રેજીના અભ્યાસના વિદ્યાર્થીને કૉલેજમાં સંપૂર્ણ અંગ્રેજીના માધ્યમના વિદ્યાર્થીઓ પાસે મૂકવાથી આ વિદ્યાર્થીઓ કેટલી મોટી લઘુતાગ્રંથીના રોગી બની ગયા હશે! વાસ્તવિક જીવનના પ્રવાહમાં પોતાના ‘કાચા' અંગ્રેજીને કારણે એમને કેટલું વેઠવું પડ્યું હશે ? અને એટલે જ આ વર્ગ પોતાના સંતાનો માટે અંગ્રેજી માધ્યમનો આગ્રહ રાખે એમાં અનૌચિત્ય કશું જ નથી. પ્રબુદ્ધ વન સાઠ વરસ પહેલાં શિક્ષણમાં અંગ્રેજી ભાષાનું સ્થાન હતું, એની સમાંતરે ગુજરાતીને પણ મહત્ત્વ હતું, એ પેઢીના વયસ્કોને મળો તો એમનું પ્રભુત્વ બન્ને ભાષામાં છે એવો અહેસાસ થાય છે જ. મુંબઈની એક સ્કૂલ એવી હતી કે જ્યાં ગુજરાતી માધ્યમ સાથે દરેક વરસે એક એક વિષય અંગ્રેજીમાં વધતો જાય. આ શાળાના વિદ્યાર્થીમાં બન્ને ભાષા પર પ્રભુત્વ છે એનો આ લખનારને અનુભવ છે. અત્યારે તો ગુજરાતી ભાષાની પરિસ્થિતિ લગભગ આવી છેઃઅબે તબે કે સોલહ આના, અઠે કઠે કે બારક, ઈંક તિકડં આઠ આના, શું શા પૈસા ચાર. અત્યારે ગુજરાત સરકાર ‘સ્વર્ણિમ ગુજરાત’ના નગારા વગા છે, અને ‘વાંચે ગુજરાત’નું અભિયાન શરુ કર્યું છે. પણ આવતી કાલે પણ ‘વાંચે ગુજરાતી ભાષા ગુજરાત' એવું કરવું હોય તો સત્તા સ્થાને બેઠેલા મહાનુભાવો પહેલાં એ નિયમ કાયદો કરે કે ગુજરાતની પ્રત્યેક સ્કૂલમાં, હા ‘પ્રત્યેક’ – પહેલી થી એચ.એસ.સી. સુધી એક વિષય ગુજરાતીનો ફરજિયાત હોવો જ જોઈએ. ગુજરાતમાં વસવું હશે, ગુજરાતની ધરતીનું અન્ન આરોગવું હશે તો આ ‘ધર્મ’ પણ ગુજરાતમાં વસતા સર્વે માનવોએ અપનાવવો પડશે જ. તો જ ભવિષ્યનું ગુજરાત ગુજરાતી વાંચશે. અને ગુજરાત બહારના ગુજરાતીઓએ તો કવિ ખબરદારની આ કવિતા સાર્થક કરી જ છેઃ ૫ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત; જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત. ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં હે ગરજી ગુર્જર માત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રેમાનંદે ગુજરાતી ભાષાને સન્માન ન મળે ત્યાં સુધી શિખા ન બાંધવાની પ્રતિજ્ઞા લીધી, કવિ નર્મદે કહ્યું: ‘ગુજરાતી ભાષાને માનભર્યું સ્થાન અપાવીશ નહિ ત્યાં સુધી માથે પાઘડી બાંધીશ નહિ, અને કવિ દલપતે ગુજરાતી ભાષાને વ્હાલ કરતા કહ્યું:આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું; જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું; ભારત વર્ષ વિષે બીજી ભારત માનવતી તણું માન તજાવું દેશ વિષે દલપત કહે, ભભકો તુજ જો ભલીભાત ભજાવું. વિદ્વાન મિત્ર ડૉ. ગુણવંત શાહે ગુજરાતી ભાષાને ચેતનવંતી રાખવા જે “અવાજ” ઉઠાવ્યો છે એમાં આપણે બધાં આપણાં સર્જનાત્મક શબ્દો ઉમેરીએ અને આપણે પણ કોઈક એવી જ પ્રતિજ્ઞા લઈએ, અને ગુજરાતી ‘બોલી’ને પહેલાં સાચવીએ. એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે ત્યારે ગુજરાતીમાં જ બોલે. કચ્છી માડુનો દાખલો લ્યો. એક કચ્છીભાઈ તમારી સાથે ગુજરાતીમાં વાત કરતા હશે ત્યારે એ જ સમયે જો કોઈ કચ્છી મહાનુભાવ મળી જાય તો એ બેઉ કચ્છીપ્રેમી કચ્છી બોલીમાં જ વાતો કરે, અને તમે નિરખતા રહી જાવ. આપણે પણ પૃથ્વી ઉપર ક્યાંય ગુજરાતી મળે તો એની સાથે ગુજરાતીમાં જ બોલીએ અને ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીએ, અને ‘ગુજ્જુ' જેવા અપમાનજનક શબ્દને જાકારો આપીએ. આટલું કરીએ તો ગુજરાતી ભાષા ઘસાશે નહિ, પણ ચકચકીત બનશે. ગુજરાતી વાણી અને બોલી ગુંજશે તો સદાકાળ ગુજરાતી ગિરા અજર અમર. સ્વર્ણિમ ગુજરાતના અભિયાનને અભિવંદના અને વાંચે ગુજરાત' ભાવને વંદના. જય ગુર્જર ગિરા. ધનવંત શાહ ‘ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન' ‘પ્રબુદ્ધ જીવન'ના માર્ચ-તીર્થંકર મહાવીર જન્મકલ્યાણક વિશેષાંકમાં ડૉ. જયકુમાર જલજનો લેખ ‘ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન જે પુસ્તિકામાંથી અમે અવતરણ કર્યું છે એ પુસ્તિકા પ્રાપ્ત કરવા અમોને અનેક વાચકોએ પૃચ્છા કરી છે. આ પુસ્તિકા અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં હિંદી ગ્રંથ કાર્યાલય, ૯ હીરાબાગ, સી. પી. ટેંક, મુંબઈથી પ્રાપ્ત થશે. ફોન નં. : 23826739 / 23826739. મો. નં. : 9820896128)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy