________________
પ્રબુદ્ધ વન
રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણેશ્વરમાં આગમન
_ગંભીરસિંહ ગોહિલ
રામકૃષ્ણ પરમહંસના જીવન અને કૃતિત્વથી સમસ્ત જગત પ્રભાવિત થયેલું છે. દેશનો છેલ્લા સવા-દોઢ સૈકાનો ઈતિહાસ તેનો સાક્ષી છે. આધ્યાત્મિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક એમ અનેક ક્ષેત્રો પર તેમનો પ્રત્યક્ષથી વધુ પરોક્ષ પ્રભાવ પડેલો છે.
મહાપુરુષોના જીવનની ગતિવિધિઓ ન્યારી હોય છે. પરંતુ વાસ્તવિકતાઓ તપાસીએ તો જણાશે કે રામકૃષ્ણના કોલકતા ખાતેના નિવાસે જ તેમને જગત સમક્ષ લાવી મૂક્યા હતા. જો તેમનો નિવાસ તેમના જન્મસ્થળે જ રહ્યો હોત તો પણ તેમની ઉત્કટ પ્રભુપરાયણતા તો પાંગરી જ આ હોત. પરંતુ જગતને તેમનો લાભ ઘણો જ ઓછો મળ્યો હતો.
રામકૃષ્ણના પિતા ખુદીરામ માણિકરામ ચટ્ટોપાધ્યાયનું મૂળ વતન દેરેગામ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું હતું. વિપરીત સંજોગોમાં તેમને તે ગામ છોડવું પડ્યું હતું. બાજુના ગામ કામારપુકુરમાં તેમણે વસવાટ કરેલો જ્યાં ૧૯૩૬માં રામકૃષ્ણનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ ગદાધર. સાત વરસની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું.
રામકૃષ્ણની જીવનસરિતાને અહીંથી વળાંકો મળવાનું શરૂ થાય છે. તેમના સૌથી મોટા ભાઈ રામકુમારે પૂજા, કર્મકાંડ વગેરેનાં કાર્યોથી કુટુંબનો નિર્વાહ ચલાવવા માંડ્યો. તેમણે વ્યાકરણ, સાહિત્ય, સ્મૃતિશાસ્ત્ર, જ્યોતિષ વગેરેનો અભ્યાસ કર્યો હતો. યોગ્ય ગુરુ પાસે દેવીમંત્ર લઈને તેમણે શક્તિ ઉપાસના પણ કરેલી.
પિતાના મૃત્યુ પછી છ વર્ષે રામકુમારનાં પત્ની પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યાં. ચાર ભાઈ-બહેન, માતા, પુત્ર વગેરેનું પાલન પોષણ કરવાનું મુશ્કેલ જણાતાં રામકુમારે કોલકતા નજીક ઝામાપુકુરમાં પાઠશાળા ખોલી. ધર્મિષ્ઠ, નિસ્પૃહ અને શસ્ત્રોના નિષ્ણાત રામકુમાર ભણાવવા ઉપરાંત સેવાપૂજાનું કામ પણ કરતા.
રામકૃષ્ણ બાળપણથી જ વારંવાર ભાવાવેશમાં આવી જતા. તેમની અદ્ભુત સ્મૃતિ, પ્રબળ વિચારશક્તિ, દૃઢ સંકલ્પ બળ, અસીમ સાહસ, વિનોદપ્રિયતા અને કરુણાના પ્રસંગો બનતા રહેતા. સેવાપુજાનાં કાર્યોમાં મદદ મળે અને તેને સારી કેળવણી મળે તે હેતુથી પાઠશાળા ખોલ્યા પછી બેએક વરસે રામકુમાર ગદાધરને કોલકતા લઈ આવ્યા. ત્યારે તેમની ઉંમર સોળેક વર્ષની હતી.
કોલકત્તાની પાઠશાળામાં આવ્યા પછી મોટાભાઈની ઈચ્છા પ્રમાણે સેવાપૂજાના કાર્યમાં રામકૃષ્ણ થોડી મદદ કરતા. તે સિવાયના સમયના આસપાસના યજમાન કુટુંબો તેમના મધુર કંઠે ભજન સાંભળવા અને અન્ય નાના કામ માટે બોલાવતા. આથી
એપ્રિલ, ૨૦૧૦
તેમનો અભ્યાસ ખાસ આગળ વધ્યો નહિ. આથી રામકૃષ્ણને મોટા ભાઈએ ઠપકો આપ્યો. ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું,‘ચોખા-કેળાંનાં સીધાં બાંધવાની વિદ્યા મારે નથી શીખવી; મારે તો એવી વિદ્યા શીખવી છે કે જેનાથી જ્ઞાનનો ઉદય થાય અને મનુષ્ય સાચોસાચ કૃતાર્થ બને !' બીજી બાજુ રામકુમારની આર્થિક સ્થિતિ વધુ કથળતી ચાલી.
આ સમયે કોલકતાના દક્ષિણ ભાગમાં જાનબજાર નામના મહોલ્લામાં રાણી રાસાિના પરિવારનો નિવાસ હતો. કોલકતાનું આ સુવિખ્યાત જમીનદાર કુટુંબ હતું જેની પાસે અઢળક સંપત્તિ અને પુષ્કળ મિલ્કતો હતી. રાણી રાસમિણના પતિ રાજચંદ્રદાસનું અવસાન થતાં કૌટુંબિક મિલ્કતોનો વહિવટ રાણી ખુદ કરતાં. તેમનામાં વહિવટી કુશળતા ઉપરાંત ઈશ્વરશ્રદ્ધા, તેજસ્વિતા, ગરીબો પ્રત્યેની કરુણા, દાનશીલતા વગેરે અનેક ઉમદા ગુણો હતા.
રાણી રાજાિને સંતાનમાં માત્ર ચાર દીકરીઓ જ હતી. તેમના પરિવારો પણ સાથે જ રહેતાં. સૌથી નાના જમાઈ મથુરામોહન વિશ્વાસ કાર્બલ કરતા અને વહિવટમાં રાણીને મદદ કરતા. આથી મિલ્કો, નોકર ચાકર, નાણાંકીય વ્યવસ્થા, અદાલતી દાવાઓ વગેરેની વ્યવસ્થા તેમની સીધી દેખરેખ હેઠળ ચાલતી.
તીવ્ર ધર્મભાવનાથી રાણીએ સંકલ્પ કરેલો કે કાશીધામે જઈ વિશ્વેશ્વર ભગવાન અને અન્નપૂર્ણા માતાના દર્શન કરવાં અને વિશેષ કરીને પૂજન કરાવવું. આ ધર્મકાર્ય માટે રાણીએ ઘણું ધન એકઠું કરી રાખેલું. આખરે ઈ. ૧૮૪૯માં યાત્રા માટે તેમણે તૈયારીઓ શરૂ કરાવી. રેલવે ત્યારે હતી નહિ. સો જેટલાં નાના મોટા વહાણોમાં પરિવાર, નોકર-ચાકર અને સાધન સામગ્રી સાથે યાત્રા શરુ કરવાનું આયોજન પૂરું કરવામાં આવ્યું.
જાત્રાએ નીકળવાની આગલી રાત્રે જ રાણીને સ્વપ્નમાં દેવીના દર્શન થયાં. દેવીએ રાણીને આદેશ આપ્યો કે કાશી જવાની જરૂર નથી. ભાગીરથી તીરે સારી જગ્યાએ મારી મૂર્તિ સ્થાપીને પૂજા વગેરેનો બંદોબસ્ત કર. હું તે મૂર્તિના માધ્યમથી તારી પાસેથી નિત્યપૂજા ગ્રહણ કરીશ.
ભક્તિપરાયણા રાણીએ દેવીના આદેશથી ધન્યતા અનુભવી. કાશીની યાત્રા તરત અટકાવી દીધી, સંચિત કરેલું ધન આ શુભકાર્યમાં
યોજવાનો નિશ્ચય કર્યો. આ માટે ભાગીરથીના તીરે ખરીદાયેલી વિશાળ જમીનનો ઉપયોગ કરવાનો નિર્ણય થયો. પુષ્કળ ધન ખર્ચીને નવ શિખરોથી શોભતું અતિવિશાળ કાલીમંદિર, તેની પાસે બીજાં નાનાં મંદિરો, બગીચાઓ, નિવાસો તથા અન્ય સુવિધાઓનાં બાંધકામો