SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૦ ચર્ચા વિચારણા મુજબ આપણી સેન્ડહર્સ્ટ રોડ શાખાને શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહનું નામકરણ કરવાનું નક્કી કરેલ છે. આજના શુભ દિને પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ-સાધ્વીજી વૃંદની નિશ્રામાં પૂ. ગુરુદેવશ્રીના આશિષસહ સેન્ડહર્સ્ટ રોડ શાખાને શ્રી અરુણભાઈ જે. શેઠના શુભહસ્તે શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહનું નામકરણ કરવામાં આવ્યું. સર્વેએ આ શુભ પ્રસંગને અત્યંત ઉત્સાહથી વધાવી લીધો. ત્યારબાદ ડૉ. બિપિીનભાઈ શાહે વિદ્યાલયની વિકાસ ગાથાની જે સ્ક્રીપ્ટ બનાવેલી તેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી. આ ડોક્યુમેન્ટરી એટલી સુંદર રીતે બતાવવામાં આવેલ કે તે જોઈને સર્વે મહાનુભાવોએ ખૂબ જ હર્ષ પ્રગટ કર્યો. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ૫. પૂ. આ. ભ. પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની જીવન ઝરમર પર સુંદર વકતવ્ય રજૂ કરી, શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા. તેઓશ્રીએ જણાવ્યું કે, ‘કાંતદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીારકનું વન એક પંચતીર્થી સમાન છે. જ્ઞાનતીર્થ વિદ્યાતીર્થ, શૌર્યતીર્થ, માનવતીર્થ અને જીવનતીર્થની એમણે રચના કરી. વિદ્યાથી આરંભીને માનવતા સુધી એમની દ્રષ્ટિ ફરી વળી છે. તેજસ્વી વ્યક્તિઓ જ ઘર્મ કે સમાજને તેજસ્વી બનાવી શકે, એમ કહેનારા આચાર્યશ્રીએ જેનો જ્ઞાન, શક્તિ અને કરુણાથી તેજસ્વી બને અને તે માટે માત્ર ઉદ્ઘોષણા જ કરી નહીં, પણ પોતાના આચરણથી એ સાકાર કરી બતાવી. મહાવીર જૈન વિદ્યાલય દ્વારા એમણે અનેક વ્યક્તિઓમાં વિદ્યાજ્યોત જગાવી અને સમાજની એવી સેવા કરી જે આજ સુધીમાં અદ્વિતીય છે. એમના કન્યા કેળવણીના વિચારો મૂર્ત બન્યા છે, પરંતુ જૈન યુનિવર્સિટીની રચનાનો ખ્યાલ આજના સમાજને માટે પડકારરૂપ છે. એની સિદ્ધિ એ જ આચાર્ય વિજયવલ્લભસૂરિને આપણે કરેલી યથાર્થ વંદના કહેવારો.’તેમો વધુમાં જણાવ્યું કે યુગદ્રષ્ટાને કઈ પરિસ્થિતિમાં અને કયા સમયમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી એ વિચાર કરતાં જ ગુરુદેવશ્રીની કેળવાયેલા જૈન સમાજની અપેક્ષા દૃષ્ટિમાન થાય છે. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે જૈન સમાજની પ્રગતિની પારાશીશી શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે. જ્યારે પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ્રગતિ નહી થાય ત્યારે સમજવાનું કે કેળવાયેલા જૈન સમાજની આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી શ્રાવકજનો શ્રી ચંપાલાલ વર્ધન, પ્રગતિને પૂર્ણ વિરામ આવી જશે. આપણે યાત્રાએ જઈએ ત્યારે પંચતીર્થી ડૉ. ધનવંત શાહ, સંઘના ટ્રસ્ટીઓ શ્રી પુષ્પસેન ઝવેરી, શ્રી પ્રશાંત ઝવેરી અને શ્રી ગિરિશભાઈ શાહ તેમજ દિલ્હીથી શ્રી અરુણ ગુરુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ પ્રસંગોચિત વક્તવ્ય પ્રગટ કર્યું હતું. કરીએ એ મુજબ જ્યારે જ્યારે આપણે પૂ. ગુરુદેવશ્રીને વંદન કરીએ છીએ ત્યારે સમજવાનું કે આપણે કોઈ વ્યક્તિ, જૈન સમાજને જગાડનાર કાંતદા કે યુગવિધાતાને વંદન કરતાં નથી. પરંતુ આપણું વંદન પંચતીર્થીને છે. પ્રબુદ્ધ જીવન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આશીર્વચન આપતાં જણાવ્યું કે પૂ. ગુરુદેવ શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની છેલ્લી ઈચ્છા મુજબ જૈન વિશ્વ- વિદ્યાલયની સ્થાપના એ જ એનું મુખ્ય ધ્યેય છે તે માટે તેઓશ્રીએ આદરણીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીને આ બાબતમાં ઝડપથી કાર્ય હાથ ધરવા સૂચન કર્યું. પ્રમુખશ્રીએ પણ પૂ. ગુરુદેવશ્રીના આ સૂચનને વધાવતાં જણાવ્યું કે અને આ દિશામાં જરૂરથી આગળ કાર્યવાહી શરૂ કરશું. માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે વિદ્યાલયનો હાલનો વિકાસ એક રેકોર્ડ છે. તેમ છતાં આપણે આ વિકાસથી સંતોષ લઈ, બેસવું પરવડશે નહિ. સમાજ આપણી પાસેથી ૩૧ ઘણી અપેક્ષાઓ રાખે છે. આપણે શતાબ્દી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ત્યારે સમાજની અપેક્ષા અને આપણા યુવાધનની ઉચ્ચ કેળવણીની જરૂરતો પૂરી પાડી શકીએ એ જ શતાબ્દીની સાચી ઉજવણી ગણાશે. ૫. પૂ. આ. ભ. પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું જૈન વિશ્વવિદ્યાલય સ્થાપવાનું સ્વપ્ન સિદ્ધ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેઓશ્રીએ જણાવ્યું કે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું એ વિદ્યાલયના અહોભાગ્ય ગણાય. પ્રમુખશ્રીએ જણાવ્યું કે વિદ્યાલય શતાબ્દીની આરે ઊભું છે. શતાબ્દીની શાનદાર ઉજવણી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં થાય તે માટે શતાબ્દીના વર્ષોના ત્રણ ચાતુર્માસ પૂ. ગુરુદેવ મુંબઈમાં કરે તેવી ભાવભરી વિનંતી કરી માનદ્ કોષાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ આર. શાહની આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. ત્યારબાદ સર્વેએ સાથે મળીને સાધર્મિક ભક્તિનો લાભ લીધો. -તરુણભાઈ મહેતા ૦૨૨-૨૩૭૯૧૭૯ (૨) ડૉ. કુમારપાળ દેસાઈને આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી એવોર્ડ સમર્પણ તા. ૨૦–૧૧–૨૦૧૦ના મુંબઈમાં શ્રી ચંદ્રપ્રભુ જૈન સંઘ, શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, જૈન ઉપાશ્રયમાં (પ્રાર્થના સમાજ)માં ૫. પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી પ્રેમપ્રભસાગરસૂરીશ્વરજી (વાત્સલ્યદીપ)ની શુભ નિશ્રામાં સન-૨૦૧૦નો ઉપરોક્ત એવૉર્ડ દાનેશ્વરી શ્રીદીપચંદભાઈ ગાર્ડીના શુભ હસ્તે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ થયો હતો. આ પ્રથમ એવૉર્ડના સૌજન્યદાતા શેઠશ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ (માલેગામવાળા) ઉપર ઉપસ્થિત સર્વ સાધ્વીશ્રીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ આવા સારસ્વત પ્રોત્સાહનના શુભ કાર્ય માટે ધન્યવાદ વરસાવ્યા હતા. -તંત્રી (૩) સંઘરત્ન શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલાનો અમૃત ઉત્સવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં છેલ્લા ૫૦ વર્ષથી સતત નિયમિત ઉપસ્થિત રહી જ્ઞાન લાભ લેનાર કચ્છી સમાજના અગ્રણી સંઘરત્ન સંધવી શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલાનો ૭૫ો જન્મદિવસ, અમૃત ઉત્સવ તા. ૧૮ નવેમ્બરના મુંબઈમાં કચ્છી મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘની શ્રી નારણજી શામજી મહાજન વાડી-માટુંગામાં શ્રી ચંદુલાલભાઈના પરિવારજનો અને મિત્રોએ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો. ભાતબજારમાં નાના બાંકડા ઉપર ફોટો ફ્રેમ બનાવવાનો વ્યવસાય શરૂ કરી વર્તમાનમાં ભળ્યે ફર્નિચરોના શો રૂમ અને અન્ય ઉદ્યોગમાં પ્રગતિ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy