________________
નવેમ્બર ૨૦૧૦
પ્રચાર થયો છે. જે દાર્શનિક, અધ્યાત્મિક, અધ્યાત્મ ચેતનાને ઉબુદ્ધ કરનાર વિશિષ્ટ ગ્રંથ છે.
પ્રબુદ્ધ વન
કર્તાની વિગત : બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પહેલી કે બીજી શતાબ્દીમાં અનંતપુર જિલ્લામાં આન્ધ્રપ્રદેશના ગુન્ટુકલ સ્ટેશનથી લગભગ ચાર માઈલ દૂર કૉંડકુંડમાં કુંદકુંદાચાર્ય જન્મ્યા. જિન શાસનની આધ્યાત્મિક ક્રાંતિની જન્મઘૂંટી પીને માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં નંદીસંઘમાં તેમણે મુનીવ્રત અંગીકાર કર્યો ત્યારે એમને પદ્મનંદી નામ અપાયું. કોડંકપુરના વાસી હોવાથી તેઓ કોડકુંડાચાર્ય કહેવાયા. પછી શ્રુતિ, કર્ણપ્રિયતા અને મધુરતાની દૃષ્ટિથી કાળાન્તરે કુંદકુંદાચાર્ય કહેવાયા.
પૂજ્યશ્રીએ પ્રભુ મહાવીરના ઉપદેશને યથાસૂત્ર લોકજીવનમાં ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. છઠ્ઠા એટલે પ્રમત્ત અને સાતમા એટલે અપ્રમત્ત ગુણસ્થાનમાં ઝૂલનાર સંત તેમ છઠ્ઠા, સાતમા સ્થાનમાં ઝૂલનારા બીજા સંતોનો આત્મઅનુભવ આ ગ્રંથમાં ભરેલો છે. તેઓ દિગંબર પંથના સર્વોત્કૃષ્ટ સ્થાને છે. તેમને આકાશમાં ચાર આંગળ ઊંચે ચાલવાની સ્મૃતિ હતી. તેમની મહત્તા દર્શાવનારા શીલાલેખો વિજયનગર, શ્રવણ બેલગોડા, કર્ણાટક ચંદ્રગિરિ તથા વિન્ધ્યગિરિમાં મળે છે. જ્ઞાન અને સાધનાના તત્ત્વો જીર્ણ થઈ લુપ્ત થતા હતા ત્યારે શાશ્વત મૂલ્યોની એમણે પુનઃ સ્થાપના કરી
આચાર અને આત્મિક બોધ સાધનાથી વિહીન માત્ર દૈહિક આચરણ પરિવર્તનના વિરૂદ્ધ સર્વકાલિક અવાજ ઉઠાવી, સાધુ શ્રાવકોની સુરક્ષા તથા બીજી બાજુ સાધુત્વના ગૌરવને નાક પર રાખી સ્વેચ્છાચારી થતી શ્વેતવસ્ત્રધારી પરંપરા વિરુદ્ધ મોરચો ઊભો કરી મૂળ સંઘની સ્થાપના કરી. એમના બે ઉત્તરદાયિત્વ હતા એક દ્વિતીય શ્રુતસ્કંધ રૂપ પરમાગમ અધ્યાત્મશાસ્ત્રને લિખીત રૂપમાં વ્યવસ્થિત કરવું, બીજું શિથિલાચાર વિરૂદ્ધ સશક્ત આંદોલન ચલાવી સખત પગલાં લેવા. આ બેઉ ઉત્તરદાયિત્વ એમણે બખૂબી નિભાવ્યા. કુંદકુંદાચાર્યના ગુરુ સમયસારમાં ભદ્રબાહુને માન્યા છે. બોધ પાહુડમાં ગુરુના રૂપમાં ભદ્રબાહુનું સ્મરણ છે. તાત્પર્યવૃત્તિમાં જયર્સનાચાર્યે કુંદકુંદાચાર્યના ગુરુનું નામ કુમારનંદી સિદ્ધાંતદેવ લખ્યું છે જ્યારે નંદી સંઘની પટ્ટાવલિમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. એમને મહાવીરના શિષ્ય પણ કહી શકાય કેમકે તેઓ મહાવીર શાસનની પરંપરાના આચાર્ય છે. અંતમાં કુંદકુંદાચાર્ય તત્ત્વાર્થસૂત્રના રચયિતા ઉમાસ્વાતીને આચાર્યપદ પ્રદાન કરી મોક્ષ પામ્યા. ગ્રંથનો વિષય
સમયસાર જિનવાણીનો શિરમોર દ્રવ્યાનુયોગમાં ઉત્કૃષ્ટ ગ્રંથ છે. અમૃતચંદ્રદેવે સમયસારને અદ્વિતીય અક્ષયચક્ષુ કહ્યું છે. એમાં નિશ્ચયનયથી આત્માના દ્રવ્યસ્વરૂપ પર પ્રકાશ પાડ્યો છે. પરમાગમ સમયસાગરમાં નવતત્ત્વોનું શુદ્ધ નયની દૃષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ આગમયુક્તિ અનુભવ અને પરંપરાથી વિસ્તારપૂર્વક
૧૯
સમજાવ્યું છે. નવતત્ત્વમાં આત્મતત્ત્વ કેવું છે એમાં એક અજીવ અને આઠ પર્યાય છે. ચૈતન્યરસના ધામ આત્માના આનંદરસની પ્રાપ્તિ કરવી તે અનુભવરત્ન શાંતિરસનો સિંધુ મુક્તિનો મોક્ષ માર્ગ છે.
ધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્ર છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યોનું અને નવ તત્ત્વોનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું છે. પ્રવચનસારમાં જિન પ્રવચનનો સાર છે. સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે જે અશરીરી થવાનું શાસ્ત્ર છે.
કાનજીસ્વામી કહે છે સમયસાર સર્વશ્રેષ્ઠ આગમ છે. જેમાં લાખો શાસ્ત્રોનો સાર છે. એ જૈનશાસનનો સ્તંભ, સાધકની કામધેનુ કલ્પવૃક્ષ છે જેમાં ચૌદ પૂર્વેનું અસ્ય સમાયેલું છે. એમાં આત્માનું એકત્વ અને પરદ્રવ્યોની ભાવથી અલગતા દર્શાવી છે. શાસ્ત્રનો ઉદ્દેશ્ય યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનું છે. સર્વ વિશુદ્ધ જ્ઞાનમાં કહ્યું છે જીવથી લઈ મોક્ષ સુધી બધા સ્વાંગ એટલે કે નાટકમાં જે વેષ પહેરીને આવે તે સ્વાંગ આત્માની વાસ્તવિક સ્થિતિ નથી. એ સ્વાંગથી ભિન્ન આત્મા છે એ જે જાણી જાય છે તે જ્ઞાની છે. બધા સ્વાંગ સમાપ્ત થઈ જાય અને છેલ્લે જ્ઞાન સ્વભાવી આત્મા જ રહે તેનું નામ સર્વ વિશુદ્ધ જ્ઞાન. શેક્સપિયરે પૃથ્વીને રંગભૂમિ અને જિંદગીને નાટકનું પાત્ર ગણ્યું હતું જે ભજવી અંતે માનવી મોતને ભેટે છે એમ આ ગ્રંથને આચાર્યે નાટકનું રૂપક આપ્યું છે, જ્યાં સંસારરૂપી રંગભૂમિ પર જીવ અજીવ એકત્ર વેશ ધારણ કરી આપણી વિવિધ નાટ્યલીલા બતાવી જગને ભરમાવે છે એનું સુંદર ચિત્રણ છે. નાટકના મુખ્ય પાત્રો કારણ સમયસાર અને કારણ પરમાત્મા છે. જ્યાં સુધી જીવને આપણા આત્મતત્ત્વનું ભાન નથી હોતું તે અજીવ-પુદ્દગલ-શરીરને આપણું માની રાગદ્વેષમાં તન્મય થઈ એમાં એકત્વબુદ્ધિનો ભ્રમ રાખી એની સાથે પ્રેમનો સંબંધ જોડે છે ત્યાં સુધી તે અજ્ઞાની છે. જ્યાં સુધી પરમતત્ત્વ જીવ પુદ્ગલ અજીવમાં પ્રવેશ કરી દેહપીંજરમાં હોય છે ત્યાં સુધી જ એ સાત કે નવ તત્ત્વના બાહ્ય વૈષ ધારણ કરી સંસારરૂપી ચિત્રપટ પર આપણી નાટ્યલીલા બતાડે છે. જ્યારે જીવ સ્વ સમયમાં સ્થિત થઈ પરમતત્ત્વમાં વિલીન થઈ જાય છે ત્યારે સાત કે નવ રૂપના વિચિત્ર સંસાર નાટક ચિત્રણનો અંત થાય છે. એ નવ રૂપ પાણીના પરપોટા જેવા કે પ્રતિબિંબ જેવા ભ્રમાત્મક અવસ્તુરૂપ હોય છે. આત્મા અનાદિથી નિગોદથી લઈ મોક્ષ સુધી જેવો ને તેવો જ રહે છે. તેના પ્રદેશમાં કોઈ ફરક પડતો નથી.
સંોગી ભાવથી જુદો તે આત્મા હું છું એની પ્રતીતિ તે સમ્યક્દર્શન. આ હું જ છું એ જાણવું તે સમ્યજ્ઞાન, આત્મામાં લીન કે ધ્યાનસ્થ થવું તે સચરિત્ર. આ હું છું અહમ્ એકત્વબુદ્ધિ આ મારું છે મમત્વબુદ્ધિ. આનો હું કર્તા છું કર્તૃત્વ બુદ્ધિ