________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
મારા ઘરે શાલિભદ્ર મુનિને વહોરવા કેમ ન મોકલ્યા ?' પ્રભુએ કહ્યું, ‘તમારા ઘરે મુનિરાજ પધાર્યા હતા. પણ તમે ઓળખી ન શક્યા.' રસ્તામાં પૂર્વ ભવની માતા 'ધન્યાએ' દહીં વહોરાવ્યું હતું. દહીંથી માસ-ક્ષમાનું પારણું કરી મારી સંમતિ લઈ વૈભાર પર્વત ઉપર હમણાં જ ગયા છે અને અનશન સ્વીકારી લીધું છે. વૈભાર પર્વત ઉપર આવી પહોંચી, શ્રેણિક મહારાજા અને મંત્રી અભયકુમાર પણ ત્યાં આવી પહોંચે છે.
પ્રબુદ્ધ જીવન
ધગધગતી શિલા ઉપર માખાના પિંડ જેવા ધન્ના અને શાલિભદ્ર મુનિને દેખીને ભદ્રા માતા હૈયાફાટ રુદન કરવા લાગી.
શ્રેણિક મહારાજા ભદ્રા શેઠાણી પાસે આવી કહેવા લાગ્યા, ‘હે ભદ્રા ! તું તો આ જગતમાં પરમ વંદનીય છે. તું તો રત્ન-કુક્ષિ છે. તું તો નંદનવનની ધરતી છે. તેં આવા કલ્પવૃક્ષ સમાન મહાન એવા આ ધન્ય બનેલા મહામુનિવરને જન્મ આપ્યો છે. લોકો જે મૃત્યુથી ડરે છે તે મૃત્યુને તારા આ મહાન તેજસ્વી પુત્ર-રત્ને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે. તારે તો તેને કોટિ કોટિ વંદન કરી અંતરથી અભિનંદન આપવા જોઈએ.
શ્રેણિકની સમજાવટથી ભદ્રા માતા શાંત બની અને કહેવા લાગી, ‘હે પ્રભુ મહાવીરના અને ગુરુ ગૌતમના શિષ્ય તું પરમ શાતા અનુભવ બન્ને મુનિવરો તમારો માર્ગ કલ્યાણકારી બનો. ભદ્રા માતા અને રાજા શ્રેણિક પોતાના સ્વસ્થાને જાય છે અને તુ જ બન્ને મુનિઓ સમાધિપૂર્વક કાળધર્મ પામીને 'સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેઓ ઉત્તમ દેવ થયા, ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી તેઓ મોક્ષમાં જશે. કોટિ કોટિ વંદના હોજો આ બન્ને મુનિરાજોને,
૫૭
ધન્ના જેવા વૈભવમાં આળોટતા ઋદ્ધિશાળી ધનિકો સંસાર છોડીને સંઘમના પંથે કેવા નીકળી પડે છે તેનો ખ્યાલ આવા ગ્રંથીથી આવે
જય હો ! જય હો ! ધન્ના-શાલિભદ્ર મુનિવરોના દેવ-આત્માનો. આ ગ્રંથનું એ સમય-કાળમાં જૈન ધર્મ અને સાહિત્યમાં સ્થાન :
પ્રભુ મહાવીરના સમયની આ કથા છે. મગધ દેશમાં પ્રભુ મહાવીર વિચરે છે. રાજા શ્રેણિકનું રાજ્ય છે. તે સમયે સમાજમાં દંભ, ક્રિયાકાંડ, પશુબલી અને અહિંસાનું સામ્રાજ્ય ફેલાયું હતું. લોકો વૈભવ વિલાસમાં ફસાયેલા છે. પ્રભુ એક નવો જ રાહ ચીંધે છે. પ્રસ્તુત કથામાં તે સમયની ધાર્મિક પરંપરાની ઝલક દેખાય છે. પ્રભુએ તપનો મહિમા બતાવ્યો અને સંયમ વડે સાધના કરી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જૈન સાહિત્ય હજારો ગ્રંથોમાં અને લાખો હસ્તપ્રતોમાં અનેક ભાષાઓમાં વિસ્તરેલું છે. આવા ગ્રંથો ખરેખર જૈન ધર્મના સિદ્ધાંતોને પુષ્ટિ આપે છે. તે સમયમાં સંયમનું અને જૈન શાસન આવા મહાપુરુર્ષોથી પ્રભાવિત બનેલું છે. આવા ગ્રંથોનો શાસનમાં ખૂબ જ પ્રભાવશાળી મહિમા છે. જે તે સમયની સમાજ-ધર્મ-રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો પરિચય કરાવે. છે. સમાજમાં તે સમયે મહાવીર-પ્રભુની દેશનાથી શાલિભદ્ર અને
છે. પચીસો વર્ષ પહેલાની ઘટનાને કથા સ્વરૂપે સાંભળી આજના શ્રાવક-શ્રાવિકાઓ ધન્ય બને છે.
પ્રાચીન સમયમાં પંડિત ધર્મકુમાર વિરચિત શાલિભદ્ર ચરિત્ર ઉપર કોઈ ટીકા ગ્રંથ લખાયેલ જેવા મળતો નથી. કેટલીક હસ્તપ્રતો જોવા મળે છે. તેમાંથી એક અવસુરી મૂળ સાથે શ્રી યશોવિજયજી ગ્રંથમાળાએ વિ. સં. ૧૯૬૬માં પોતાના પંદરમા સંધ તરીકે પ્રકાશિત કરેલ જાણવા મળે છે.
ગ્રંથનું ચિંતન :
આજે લોકો શ્રી શાલિભદ્ર ચરિત્ર વાંચી મહાકાવ્યનો આનંદ માણી શાલિભદ્ર અને ધન્ના જેવા મહાપુરુષોને કોટિ કોટિ વંદન કરે છે. પ્રથમ તો પરમાત્મા પાસે ધન્ના-શાલિભદ્ર જેવી ઋદ્ધિ અને રિતિ સિદ્ધિની માંગણી કરે છે અને છેવટે તેઓના ત્યાગની અને સમતાની વાત સાંભળી તેઓનો જય જયકાર બોલાવે છે.
પ્રસ્તુત મહાકાવ્યની ફળશ્રુતિ માત્ર આ ચાર લીટીની પ્રાર્થનામાં જ ટૂંકમાં વર્ણવી શકાય.
આ લઘુ નિબંધની સમાપ્તિ નીચેની પ્રાર્થના લખી શાલિભદ્ર અને ધળાના જીવનને ટૂંકમાં ળશ્રુતિરૂપે દર્શાવું છું. કે માનવ !
મમતા તું મેલ, મમતા તું મેલ, માયાવી દુનિયાની મમતા તું મેલ, જુઠો આ ખેલ, જુઠો આ ખેલ, સંસારી દુનિયાનો જુઠો આ ખેલ, જે તારું દેખાય, તે તારું ન થાય, ખાલી જંજાળોમાં ભમતો તું જાય, જીવનમાં એક, રાખી લે ‘ટેક”, “મુક્તિને કાજે આ માનવનો દેછે..
આ લઘુ નિબંધના લખાણમાં ક્યાંય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઈ ગયું હોય એનું ત્રિવિધ, ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ સંદર્ભ ગ્રંથો કે
(૧) ધન્ના-શાલિભદ્ર રાસ - જિન વિજય (૨) ધન્નાનો રાસ - શ્રી ગંગમુનિ (૩) શાલિભદ્ર શ્લોકો - ઉદય રત્ન (૪) ધન્નાઓઢાળીયું - શ્રી ગુણચંદ (૫) શાલિભદ્ર રાસ - જિન હર્ષસૂરિ (૬) ધન્ના-શાલિભદ્ર ચરિત્ર - ગુણ વિનય (૭) ધન્ના-સજ્ઝાય - શ્રી લક્ષ્મી કલ્લોલ (૮) શાલિભદ્ર ચોપાઈ - જિન વર્ધમાન
(૯) પન્ના-શાલિભદ્ર ચોપાઈ - શ્રી જિન વર્ધમાન (૧૦) શાલિભદ્ર ઓઢાળીયું - શ્રી પદ્મચન્દ્રસૂરિ (૧૧) ધન્ના-શાલિભદ્ર સજ્ઝાય - વિદ્યા કીર્તિ (૧૨) ધન્નાશાલિભદ્ર રાસ - જિન વિજય (૧૩) ધન્ના-શાલિભદ્ર ચરિત્ર - શ્રી ત્રિલોકસૂરી (૧૪) ધન્ના-શાલિભદ્ર ચરિત્રમ (કાવ્ય) - શ્રી ધર્મકુમાર (૧) શાલિભદ્ર
મહાકાવ્યમ્ - પંડિત ધર્મકુમાર રચિત ગુજરાતી અનુવાદ...ટીકા શ્રી મુનિચંદ્રવિજયજી મ. સાહેબ
૩, કોઠારી નગર સોસાયટી, મૈયાણી માર્ગ, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૨ (ગુજરાત) મોબાઈલ ૦૯૪૨૮૪૭૪૦૪૫,
: