________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. મૂર્છાઓમાં લૌકિક અને ધાર્મિક કથાઓ અનેક છે. તેમાં પ્રાકૃત ભાષામાં શબ્દોની ઉત્પત્તિ આપી છે. તથા સંસ્કૃત અને પ્રાકૃત પર્ધા પણ છે.
પ્રબુદ્ધ જીવન
(૫) ટીકા સાહિત્ય : આગમો પર વિસ્તૃત ટીકાઓ લખાઈ છે. આગમસિદ્ધાંતને સમજવા માટે આ સાહિત્ય અગત્યનું છે. ટીકા સાહિત્ય મોટે ભાગે સંસ્કૃતમાં લખાયેલું છે, તેમાંનો કથાભાગ પ્રાકૃતમાં છે. આગમની વલભી વાચના પહેલાં ટીકા સાહિત્ય લખવામાં આવેલું.
મૂળસૂત્રની જેમજ તેની નિર્યુક્તિ-ટીકા-પૂર્વિ અને ભાષ્ય એ ચારેય પ્રામાણિક છે અને તેથી તેની માન્યતામાં કોઈપણ જાતનો
વિવાદ ઊભો કરવો જોઈએ નહિ. આ પાંચેય મળીને પંચાગી સાહિત્ય ને છે.
મૂળસૂત્રના યથાર્થ ભાવો જાણવા માટે નિર્યુક્તિ ટીકા આદિનો સહારો લેવો જ પડે છે. તેના વગર કેટલીય જગ્યાએ અર્થનો અનર્થ થતાં વાર નથી લાગતી. વળી સૂત્રકારની જેમ જ નિર્યુક્તિ-ટીકા-ભાષ્ય અને ચૂર્ણિના રચયિતા મહાપુરુષો પણ પ્રબળ ક્ષયોપશમવન્ત અને ભવભીરુ હતા તેથી તેમની રચનામાં કોઈ અન્યથા ભાવ થવાનો.
સંભવ રહેતો નથી. ભગવતી સુત્રના નામો:
ભગવતી સૂત્ર ને વિહપજ્ઞત્તી કહેવાય છે. એનું સંસ્કૃતરુપ છે-વ્યાખ્યાપ્રશપ્તિ. પ્રશ્નોત્તરની શૈલીમાં લખાયેલ આ ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે. વ્યાખ્યાનો અર્થ છે વિવેચન કરવું અને પ્રાપ્તિનો અર્થ છે સમજવું, જેમાં વિવેચનપૂર્વક તત્ત્વ સમજાવવામાં આવે છે તેને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે. નંદીસૂત્રમાં ચાર પ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ છે–જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ. જ્યારે કષાયપાણ્ડમાં પાંચમી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ બતાવી છે. શ્વેતાંબર સાહિત્યમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ માત્ર દ્વાદશાંગીના પાંચમા અંગના રુપમાં જ મળે છે. અભયદેવસૂરિએ સૂત્રના પ્રારંભમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પદની વ્યાખ્યા કરી છે. એ અનુસાર પ્રસ્તુત આગમમાં ગૌતમસ્વામી ગણધરે પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ મહાવીરે જે પ્રતિપાદન કર્યું તેની પ્રજ્ઞાપના છે તેથી તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. એમણે તેના ચા૨ અર્થ બીજા કર્યા છે.
૧. વ્યાખ્યા+પ્રજ્ઞા+આપ્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ ૨. વ્યાખ્યા+પ્રજ્ઞા +આત્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ. આમાં વ્યાખ્યાની પ્રજ્ઞાથી અર્થની પ્રાપ્તિ થાય છે તેથી વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ એવું નામ છે. ૩. વ્યાખ્યાપ્રજ્ઞ+આપ્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ ૪. વ્યાખ્યાપ્રજ્ઞ+ આત્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ.
વ્યાખ્યાકાર ભગવાન મહાવીર દ્વારા ગણધરોને અર્થની પ્રાપ્તિ થઈ તેની તેનું નામ વ્યાખ્યામજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ છે. આ ચારે અર્થ બૌદ્ધિક છે. પ્રાકૃત વ્યાકરાની દૃષ્ટિથી કરવામાં
આવ્યા છે.
અભયદેવસૂરિએ આ સૂત્રનું બીજું નામ વિઆહુપળત્તિની વ્યાખ્યા કરી છે.
(૧) વિવાદ-પ્રાપ્તિ-વિવાદ ક્ષપ્તિ-આમાં વિવિધ અથવા વિશિષ્ટ અર્થપ્રવાહોનું પ્રજ્ઞાપન છે તેથી વિવાદપ્રજ્ઞપ્તિ કહેવાય છે.
(૧) વિદ્મવ્યાધ+પ્રજ્ઞપ્તિ-વિબાધપ્રાપ્તિ-માં બાધારહિત અર્થાત્ પ્રમાણથી અબાધિત અર્થનું નિરુપણ છે તેથી વિવ્યાધપ્રજ્ઞપ્તિ કહેવાય છે.
પ્રસ્તુત આગમનું નામ ભગવતી છે. ભગવતી એ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વિશેષણ હતું. પોતાની વિશિષ્ટતાને લીધે મળેલું આ વિશેષણ આગળ જતા તેનું નામ બની ગયું જે વધુ પ્રચલિત બન્યું. વળી એમ પણ કહેવાય છે કે ભગવતી એ નામ સૂત્રની પૂજ્યતાને સૂચવનારું છે. વળી ગૌતમસ્વામી અગ્નિભૂતિ-વાયુભૂતિમંડિતપુત્ર-માકંદીપુત્ર-રાહક-જયંતિ શ્રાવિકા અન્યતીર્થક સ્કંદક પરિવ્રાજક વગેરેએ પૂછેલા ૩૬૦૦૦ સવાલોના જવાબો તેમાં છે તેથી તેનું ઘણું મહત્ત્વ હોવાથી આ પાંચમા અંગનું નામ ભગવતી છે. ભગવતીસૂત્રના રચનાકાર :
અગિયાર ગણધર ભગવાર્તાના દીક્ષાપર્યાયમાં સૌથી વધારે લાંબા સમયનો દીક્ષાપર્યાય પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીનો હતો; અને એથી જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, પોતાના અગિયાર ગણધરો પૈકી પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, પોતાની પાટે સ્થાપિત કર્યા હતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે સમયે, એ તારકના અગિયાર ગણધરો પૈકી માત્ર બે જ ગણધર ભગવાનો વિદ્યમાન હતા. પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી અને પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, એ બે સિવાયના નવેય ગણધર ભગવાનો, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે પહેલાં જ નિર્વાણને પામી ચૂક્યા હતા. નિયમ એવો છે કે ગણધર ભગવાનો પોતાના નિર્વાણને પામવાના સમયથી એક મહિના પૂર્વે પાદોપગમન અનશનને સ્વીકારે છે, એટલે એ નવેય ગણધર ભગવાનોએ પાદોપગમન અનશનને સ્વીકારતાં પહેલાં, પોતપોતાનો ગણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ વર્ષો પહેલાં ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પણ નિર્વાણને પામ્યા છે, એટલે એ તારકે પણ નિર્વાણ પામ્યાના એક મહિના પહેલાં જ પોતાનો ગણ પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. આથી એમ સમજી શકાય છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ લગભગ બાર વર્ષે, એ તારકના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીની નિશ્રામાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના સમસ્ત મુનિગણો આવી ગયા હતા. આમ થવાથી, એ