SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જુન ૨૦૧૦ સંલ્લેખના સંદર્ભે જૈન દર્શનમાં મૃત્યુ-ચિંતનનું નિરૂપણ થયું છે. આ બે ડી.વી.ડી.નું દર્શન-શ્રવણ કરવાથી બે દિવસની આ મહાવીર કથા મહાવીર પ્રસંગો અને ચિંતનને તાદ્દશ્ય કરે છે અને એ ભગવાન મહાવીરના જીવનના વણસ્પર્ધા પાસાઓનું દર્શન કરાવે છે. મહાવીર કથામાં સ્ટેજની સજાવટ, માઈક અને લાઈટની ઉત્તમ વ્યવસ્થા, વિશાળ ઑડિટોરિયમ, શ્રોતાઓને સંમોહિત કરે તેવું મંત્રમુગ્ધ વક્તવ્ય, સુરમ્ય ગીત-સંગીતની સુરાવલી, હાવભાવ, શૈલી, આરોહ-અવરોહ અને જાણે આદર્શ વક્તાનું ઉપનિષદ અપનાવ્યું હોય તેવા વક્તા દ્વારા મહાવીર કથાની ભવ્યતા આ ડી.વી.ડી.માં દૃશ્યમાન થાય છે. પ્રબુદ્ધ જીવન કથાઓમાં સપાટી પરની વાતો કહી મનોરંજન કરતાં વક્તાઓ વર્તમાન સમયના પ્રવાહમાં કદાચ લોકપ્રિય બની શકે પરંતુ કાળની કસોટી સામે વિચાર તત્ત્વનું ઊંડાણ અને મૌલિકતા જ ટકી શકે. વૈચારિક સમૃદ્ધિ અને મૌલિક તત્ત્વચિંતન એ આ મહાવીર કથાની દિવ્યતા છે. વાણીની દિવ્યતા જ સ્વપર કલ્યાણકારક બની શકે. આ કથા દૃશ્ય-ક્ષવણમાં દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય છે. મહાવીર કથાની વાત કરતા વિદ્વાન આયોજક ધનવંતભાઈ શાહે કહ્યું કે ‘આ કથા હૃદય મંજન, હૃદય અંજન અને હૃદય રંજન છે અને આવી સરસ ચિંતન કથા જ આપણને બોધિબીજની યાત્રા કરાવે.’ મહાવીર કથાએ આ વાતને ચરિતાર્થ કરતી સાત્ત્વિક ચિંતનની એપ્રિલ ’૧૦ના અંકમાં ઉપરોક્ત શીર્ષકથી પ્રગટ થયેલ લેખના પ્રોત્સાહક પ્રતિભાવ આવ્યા છે. કેટલાક વાચકમિત્રોએ પ્રેમપૂર્વક સૂચન કર્યું છે કે હજુ વધુ સ્પષ્ટીકરણ થાય અને અન્ય મુદ્દા આવરી લેવામાં આવે, તેથી લેખનો બીજો (અને અંતિમ) હપ્તો અત્રે પ્રસ્તુત છે. લેખના અંતે ભૂલો નિવારવા અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. રોગનાં લક્ષણો–કારણો જાણ્યા પછી એનો ઉપચાર પણ કરવો જોઈએ ને! (૧) નિરનુસ્વાર ‘મા’ના બીજા અર્થ: સૌરાષ્ટ્ર-કચ્છ તરફની લોકભાષામાં ક્રિયાનો નકાર સૂચવવા ‘મા’ પ્રયોજાય છે. જેમ કે, (૧) બેટા, કાગળ ફાડ મા. અર્થાત્ ‘બેટા કાગળ ફાડીશ નહિ.’ (૨) છોકરાઓ ઘોંઘાટ કરો મા. અર્થાત્ છોકરાઓ, ઘોંઘાટ કરશો નહિ. આજ્ઞાર્થ વાક્યોમાં આ રીતે ‘મા’ વપરાય છે. શબ્દલીલા કેવું રમણીય રૂપ ધારણ કરે છે, એનું ભવ્ય ઉદાહરણ જુઓઃ મા, મા. કેટલું નાનું વાક્ય ! ફક્ત એકાક્ષરી ત્રણ શબ્દો. તેમાં અર્થનો આબોહવાનું સર્જન કર્યું છે. પરંપરાગત કથાકારોને બેસવાની જગ્યાને વ્યાસપીઠ કહેવાય સામાન્ય લેખન-અશુદ્ધિઓ (૨) શાંતિલાલ ગઢિયા ૧૫ છે. પરંતુ શ્રી ધનવંતભાઈએ આ સ્થાન માટે ‘જ્ઞાનપીઠ’ શબ્દનો પ્રયોગ કર્યો. મહાવીર કથાએ જ્ઞાનપિપાસુ માટે જ્ઞાન સંપ્રાપ્તિનો આનંદ પ્રદાન કરી ‘જ્ઞાનપીઠ’ શબ્દને ચરિતાર્થ કર્યો છે. જ્ઞાનપીઠ પર મૂકાયેલો ચળકતો તાંબાનો લોટો પણ પ્રતિકાત્મક લાગે છે. અહીં મહાવીર વાણીનું અમૃત ભરેલું પડ્યું છે. આમાંથી જેટલું અમૃત ઝીલી શકાય એટલું ઝીલવાનું છે. આવી સુંદર મહાવી૨ કથાનું આયોજન કરવા બદલ ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ધનવંતભાઈ શાહ, મુંબઈ જૈન યુવક સંઘના સંચાલકો અને સર્વે ટીમ અભિનંદનની અધિકારી છે. મહાવીર સ્વામીના સુવર્ણાક્ષરી કથન અને દિવ્ય જીવન દર્શનના ગુણ ગાતી, બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી, તત્ત્વ અને સંગીતથી વિભુષિત આ વિશિષ્ટ મહાવીર કથાની બે ડી.વી.ડી. મુંબઈ જૈન યુવક સંઘે તૈયાર કરી છે. આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ડી.વી.ડી. તૈયાર કરવામાં આવી છે. આ ડી.વી.ડી. દરેકે જોવા અને વસાવવા જેવી છે. પ્રત્યેક જૈન છાત્રાલયો, જૈન મંડળોમાં યુવકયુવતીઓને બતાવવા જેવી છે. આવા આયોજનો અનેકોને ધર્માભિમુખ કરવામાં નિમિત્ત બની શકે તેમ છે. *** ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ.) M. : 9820215542 ઘૂઘવતો સાગર વહે છેઃ મા, તું રડીશ નહિ. ક્રમવાચક સંજ્ઞા તરીકે ‘મા’: મેં પાંચમા વિદ્યાર્થીને એ જ સવાલ પૂછ્યો. ચૌદમા અધિવેશનના પ્રમુખ દવેસાહેબ હતા. બંને વાક્યોમાં ‘મા’ નિરનુસ્વાર છે. પ્રાયઃ લોકો અનુસ્વાર કરે છે. (૨) ક્રિયાપદનો અંત્યાક્ષર ‘વો’ નહિ, ‘ઓ’ કરો. અહીં બેસીને ચિત્રો જુવો. તમે કપડાં ધુવો છો? ઉપરનાં વાક્યોમાં ‘જુવો’ અને ‘વો' અશુદ્ધ પ્રયોગ છે. સાચું છે-જુઓ, ધુઓ. તેવી જ રીતે ક્રિયાપદમાં ‘વે’ નહિ, ‘એ’ કરવું જોઈએ. રમેશ ચા પીવે છે. (સાચું-પીએ) ચંદુ શાંતિથી સૂવે છે, (સાચું-સૂએ) ‘ખોવું’, ‘રોવું’ ધાતુનાં રૂપોમાં થતા ફેરફાર જુઓઃ ખોવું-ખુઓ છો ખુએ છે રોવું-રુઓ છો
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy