________________
મે ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૧૮
D ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્યકારના સર્જનમાં ધણીવાર એમના અંગત જીવનનું પ્રતિબિંબ ઝીલાય છે. જીવનના વૈવિસભર અનુભવો એમની કૃતિઓમાં ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અને જિંદાદિલીભર્યું જીવન જીવનાર જયભિખ્ખુ ના જીવનની આ ઘટના એક ડરમાંક અને વહેમી છોકરાનું એક સાહસિક છોકરામાં કેવી રીતે રૂપાંતર થાય છે તેનો આલેખ આપે છે. સર્જક જયભિખ્ખુના કુમારાવસ્થામાં બનેલા પ્રસંગને જોઈએ આ અઢારમા પ્રકરામાં)
શેરસિંહ બાપુની બહાદુરી!
ઘરના મુરબ્બી પાસે ભીખા (‘જયભિખ્ખુ’નું હુલામણું નામ)એ વિદેશી ઘડિયાળ જોયું અને એ જમાનામાં અત્યંત કિંમતી અને દુર્લભ ગણાતું. આ ઘડિયાળ ભીખાએ જીદ કરીને જીવની જેમ જાળવવાની શરને લીધું. ઘડિયાળ પહેરીને સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા ભીખાલાલે પીપળાના ઝાડના થડની નાનીશી બખોલમાં આ ઘડિયાળ મૂક્યું. એવામાં અંધારું થતાં પાછા વળવાની ઉતાવળમાં એ લેવાનું ભૂલી ગર્યા.
ઘેર આવ્યા પછી રાતના ઘેરા અંધકારમાં હાથમાં કડિયાળી ડાંગ સાથે એ ડિયાળ લેવા માટે પોતાના ગોઠિયા એવા ખેડૂતના દીકરા જગતની સાથે નીકળ્યો અને રસ્તામાં રીંછનો ભેટો થયો. જગતે ભારે ઝીંક ઝીલી; પરંતુ એ ઘાયલ થતાં ડરોક ભીખાના મનમાં એકાએક શૂરાતન જાગ્યું અને એન્ને જીવસટોસટ ખેલીને કડિયાળી ડાંગ રીંછના પાછલા પગે જોરથી ફટકારી અને પછી નીચે પડેલા રીંછ પર બંનેએ ડાંગનો વરસાદ વરસાવ્યો. રીંછ મરણતોલ માર ખાઈને નીચે પડ્યું ને મરી ગયું. ભીખો અને જગત બન્ને થાકીને લોથપોથ થઈ ગયા હતા.
રાતના બણક વાગી ચૂક્યા હતા અને ભીખાએ ઘેર પાછા ફરવાનો વિચાર કર્યો, ત્યારે ખેડૂતના ભડ દીકરા જગતે કહ્યું, 'અલ્યા! જે ઘડિયાળને માટે આ મોતનો મુકાબલો કર્યો, એનું શું? એને લીધા વિના પાછા જવાય નહીં.”
ભીખાએ કહ્યું, ‘દોસ્ત ! એ અપશુકનિયાળ ઘડિયાળને યાદ ન કરાય. હવે એને ભૂલી જા. આટલું જાનનું જોખમ ખેડ્યું તે ઓછું છે?”
જવા દે ને. આટલી હિંમત બતાવી તે બસ છે! હિંમતના બહુ પારખા ન હોય! કાકાને હું ચોખ્ખું ચોખ્ખું કહી દઈશ કે ઘડિયાળ ખોવાઈ ગયું છે. તમારે ઠપકો આપવો હોય તો ઠપકો
૨૧
આપો અને મારવો હોય તો મારી નાખો !'
જગત હાથમાં કડિયાળી ડાંગ ઘુમાવતો બોલ્યો, ‘અલ્યા, પાગલ, છેક નદીકિનારે જઈને તરસ્યા પાછા આવીએ તે ચાલે ! તારે ન આવવું હોય તો અહીં બેસ. હું અબઘડી વાંધાં-કોતર વીંધી નદીએ પહોંચીને ઝાડની બખોલમાંથી ઘડિયાળ લઈ આવું છું.
આમ બોલી જગત જમીન પ૨ કડિયાળી ડાંગ ઠોકી આગળ ચાલવા લાગ્યો. ભીખો જગતને જતો જોઈ રહે એવો નહોતો. એણે પણ જગતની સાથે ચાલવા માંડ્યું. બંનેનાં કપડાં ધૂળથી રગદોળાયેલાં હતાં. કપડાં પરથી ધૂળ ખંખેરી. ભીખાની બંડી ફાટી ગઈ હતી અને જગતના આખા શરીરે રીંછના નહોરના ઉઝરડા ઉપસી આવ્યા હતા. આ કશાની પરવા કર્યા વિના આ બંને ગોઠિયા નદી તરફ ચાલ્યા.
રીંછને ધરતી પર ઢાળીને મેળવેલા સાહસભર્યા વિજયના કારણે
એમનામાં પ્રબળ ઉત્સાહ હતો. બંનેને એમ લાગતું કે આજે આ આખી દુનિયામાં અમને કોઈ ડરાવી કે હરાવી શકે તેમ નથી. રીંછ પરના વિજયે એમનામાં નવો જુસ્સો અને સંકલ્પ જગાવ્યા હતા. આજ સુધી દિવસે વાંધાં-કોતરોમાં જતાં ભય પામતો ભીખો હવે આ અંધારી રાતમાં નિરાંતે નિર્ભય બનીને ચાલતો હતો.
પછી પાછા ફરવામાં હું માનતો નથી. ગમે તે થાય, આ વાંધાંઓને વીંધીને, નદી કિનારે પહોંચીને ઘડિયાળની તપાસ તો કરવી જ પડે
તેમનાં પત્ની માલિની દેવી બે મહિના ‘એ વાત તો સાચી, પણ જોખમ માથે લીધા | માંદાં રહ્યાં. કૃષ્ણ કૃપલાનીના જાગ્યા મુજબ રવીન્દ્રનાથે ખૂબ હસુજા કરી વીજળી નહતી તેજી સાથે પંખો નાંખતા રહ્યા. કૃષ્ણ દત્ત અને એન્ડ્રુ રોબિન્સને સુશ્રૂષાની આવી વાતનો રવીન્દ્રનાથની આંતરિક શાંતિ કાંઈ બાવ પ્રતિવાદ કર્યો છે. રવીન્દ્રનાથે લખ્યું છે કે ચોંકાતે ટનાથી વિચલિત થતી નહીં પત્નીના મૃત્યુ પછી તે નવા ઉત્સાહથી શાંતિનિકેતનના કામમાં લાગી ગયા.
બંને નદીના કિનારે પહોંચ્યા અને પીપળાની બખોલ તપાસી. ઘડિયાળ જેવું મૂક્યું હતું જેવું બિચારું શાંતિથી પડ્યું હતું. માત્ર એ પોતાનું કામ કરતું હતું. ચંદ્રના ઝાંખા અજવાળામાં ભીખાએ ઘડિયાળ જોયું, તો બરાબર રાતના ત્રણ અને પિસ્તાળીસ થયા હતા.
હવે નવી ફિકર પેઠી. ઘે૨ મા દૂઝણાં (દૂધ આપતું ઢોર)ની સંભાળ લેવા ઊઠે તે પહેલાં પહોંચી જવું પડે તેમ હતું, બંને ઝટપટ નદીકિનારે પહોંચ્યા અને હાથ-મોં ધોયા. એમના શરીર પર લોહીના ડાઘા પડ્યા હતા, એ પણ સાફ કરી નાખ્યા. બંડીઓ કાઢીને ધોઈ નાખી અને
પછી લાકડી પર અને ફરફરતી ધજાની જેમ ભાવીને ધર તરફ પાછા ફર્યા. જાકો રીંછ પરના
એમના વિજયની પતાકા ઉડાડતા ન હોય!