________________
*
પ્રબુદ્ધ જીવન
છે.
પડતી નથી! બેઉ પક્ષને એક બીજાના હલેસાથી તરી જવું છે! (૨)
જુલાઈ મહિનામાં ‘પ્રબુદ્ધ જીવને' સાધુ સમાજ માટે, અમે એક ચર્ચાનો પ્રારંભ કર્યો હતો-વિહાર માર્ગ અકસ્માત અને આધુનિકતા ચતુર્વિધ સંઘને આ ચર્ચા માટે અમે આમંત્રણ આપ્યું હતું. અમને શ્રાવક-શ્રાવિકા તરફથી અનેક પત્રો મળ્યા છે જે પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થઈ રહ્યાં છે. પરંતુ આજ સુધી કોઈ પણ જૈન સાધુસાધ્વીશ્રીએ આ વિષયની કોઈ ચર્ચા કરી નથી, કે કોઈ પત્ર અમને આ વર્ગ તરફથી પ્રાપ્ત નથી થયો! 'પ્રબુદ્ધ જીવન'ના વાચક લેખક વર્ગમાં જૈન સાધુ-સમાજનો વર્ગ બહોળો છે તો પણ. (૩)
બાબરી મસ્જિદ અને રામજન્મ ભૂમિને નામે એક રાજકીય પક્ષ ભારતની ગાદી ઉપર બેસી ગયો, અને ઉતરી પણ ગયો; કારણ કે જનમાનસ ક્યારેક ઘેનનું ઝોકું ભલે ખાઈ જાય પણ સંપૂર્ણ ઊંધી તો નથી જ જતું. ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ' એ અવાજ ચિરંજીવ ન બન્યો. અહીં કાર્લ માર્કસના શબ્દો યાદ આવે છે, એ મહાન વાસ્તવિક ચિંતકે કહ્યું હતું કે, ‘ધર્મ એક અફીણ છે.'
રાગ કેવા ખેલ ખેલાવે છે? બાળા સાહેબ ઠાકરેને પુત્રરાગ તીવ્ર ન હોત અને રાજને સંભાળી લીધા હોત અને રાજે પોતાની મહત્ત્વાકાંક્ષા થોડી સીમિત કરી હોત તો આજે મહારાષ્ટ્ર ઉપર શીવસેનાનું રાજ હોત જ. રાજકારણમાં વ્હાલા અને સારાની પસંદગી કામ નથી આવતી. ‘શાણા’ની પસંદગીમાં જ ‘શાણપણ' છે. પરંતુ જે થાય છે તે અંતે તો કર્માધિન હોય છે. ‘બુદ્ધિ કર્માશુ સારિણી। છે માનવના પૂર્વ કર્મફળને પ્રમાણે જ બુદ્ધિ પોતાના નિર્ણયો લે છે. નહેરુ વંશજ રાહુલ ગાંધી શાણા છે, એટલે સર્વ પ્રથમ પોતાની પાત્રતા સિદ્ધ કરવાના માર્ગે છે. સત્તાની લગામ સંભાળવા કરતા એમને લોકો સત્તા આપે એવી પાત્રતાનો માર્ગ સ્વીકાર્યો છે, અને એવી પાત્રતા સિદ્ધ થાય તો જનતાએ પણ નહેરુ વંશ માટેના પૂર્વગ્રહથી મુક્ત થવું એટલું જ જરૂરી છે.
(૪)
નવેમ્બર, ૨૦૦૯
નાટક
છેલ્લા બે પાંચ વર્ષમાં મુંબઈનો નાટ્ય ઉદ્યોગ-(જી, સિનેમા ઉદ્યોગ કહેવાય તો નાટ્ય ઉદ્યોગ કેમ ન કહેવાય ? બન્નેનો વિશેષ ધ્યેય તો પૈસા કમાવવાનો જ છે. અત્યારે ગુજરાતી નાટકોનો ‘ધન” યુગ ચાલે છે. પ્રત્યેક રવિવારનું ‘પ્રવાસી’ જૂઓ, નાટકની જા.ખ. બે પૂરાં પાનામાં-‘સુવર્ણ યુગ’ તો ગયો, જે પાયામાં હતો.)– પોતાના નાટકમાં જૈન ધર્મની કથાને કેન્દ્ર સ્થાને રાખીને એવાં નાટકો નિર્માતાઓ પ્રસ્તુત કરી રહ્યા છે, કારણકે એમના પ્રેક્ષક વર્ગમાં જૈનોની સંખ્યા વિશેષ છે. ઉપરાંત જૈન મંડળોનો પણ આ નાટય ઉદ્યોગને ઉષ્માભર્યો સાથ છે, જે અભિનંદનને પાત્ર
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં દૃષ્ટિ કરીએ તો જણાય છે કે જૈન મુનિ ભગવંતોએ અનેક વિષયમાં અઢળક અને અમૂલ્ય સાહિત્યનું સર્જન કર્યું હતું, એમાં નાટક પણ છે.
જૈનોના 'રાયપર્સણી સુખ' નામના આગમ ગ્રંથમાં એક કથા છે કે એકવાર ભગવાન મહાવીર ફરતાં ફરતાં આમલકખ્યા નગરીમાં પહોંચ્ય અને આમ્બસાલ વનમાં અશોક વૃક્ષની નીચે એક મોટી કાળી શીલા ૫૨ બિરાજમાન થયા. એ સમયે સ્વર્ગના સૂર્યભદેવ એમની વંદના કરવા આવ્યા અને સૂર્યભદેવે બત્રીશ પ્રકારના અભિનયાત્મક નાટક કરી બતાવ્યાં. આ બત્રીશ પ્રકારના અભિનયમાં કેટલાંક તો એવા છે કે જે ભરતના નાટ્યશાસ્ત્રમાં પણ જોવા મળે છે, એટલે આ કથાથી સિદ્ધ થાય છે કે જેનોમાં પણ મહાપુરુષના આદરને માટે અભિનય કરવાની પરંપરા હતી.
જૈન મુનિ ભગવંતોએ સાહિત્યના સર્વ પ્રકારનું સર્જન કર્યું છે. એમાં નાટકોનું સર્જન પણ ગણનાપાત્ર છે. ‘રઘુવિલાસ’, ‘નલ વિલાસ’, ‘સત્ય હરિશ્ચંદ્ર’, ‘કૌમુદી ચિત્રાનંદ’, ‘નિર્ભય ભીમવ્યા યોગ', ‘રંભા મંજરી', ‘મોહ પરાજ્ય', 'કુમુદચંદ્ર', ‘દ્રૌપદી સ્વયંવર' વગેરે અનેક નાટકોની યાદી જૈન સાહિત્યના ઈતિહાસમાં છે જે આશ્ચર્યકારક છે.
વિશેષ આશ્ચર્યની હકીકત તો એ છે કે જેમ પાંચમા વેદ જેવા ‘નાટ્યશાસ્ત્ર'ની ઋષિ ભરતે રચના કરી હતી તેમ ૧૧-૧૨મી સદીમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય સાધુ ભગવંત મહાકવિ શ્રી રામચંદ્રે ભરત મુનિના નાટ્યશાસ્ત્ર જેવા જ ‘નાટ્ય દર્પણ’ ગ્રંથની રચના કરી હતી.
આ ‘નાટ્ય દર્પણ'માં નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિનયકલા પરત્વે કેટલાંક મહત્ત્વના અને તે કાળને લક્ષમાં લઈએ તો પ્રણાલિકાભંજક ગણી શકાય એવા વિધાનો કર્યા છે. પૂર્વ કાળના સર્વ અલંકાર અને નાટ્યશાસ્ત્રીઓનું વિધાન હતું કે નાટકમાં ‘રસ એ બ્રહ્માનંદ' સમાન એટલે એ આનંદ આપનાર જ હોવો જોઈએ. પણ મહાકવિ મુનિ રામચંદ્રે આ 'નાટ્ય દર્પણ' ગ્રંથમાં એવું વિધાન કર્યું કે નાટકમાં ‘સુર્વે દુ:વાત્મવોરસ:' એમ સુખ-દુઃખ બે પ્રકારના હા,વિભક્ત રસ હોવા જોઈએ, લોકો અભિનેતાનું ચાતુર્ય જોવા માટે દુઃ ખાત્મક નાટક જોવા જાય છે, નાટકનો હેતુ માત્ર આનંદ આપવાનો જ નહિ, પરંતુ જીવનમાં રહેલી કરુણતાનું વાસ્તવિક દર્શન કરાવવાનો હેતુ પણ હોવો જોઈએ. આથી પણ વધુ તો મુનિ રામચંદ્રે પૂર્વકાલિન નાટ્યાચાર્યોની બીજી એક માન્યતાનો સચોટ વિરોધ કર્યો છે તે જોવા જેવું છે. એ પૂર્વાચાર્યોની એવી માન્યતા હતી કે અભિનેતા જે સંવેદનો અને ભાવનાઓ પોતાના અભિનયમાં વ્યક્ત કરે છે તે એ પોતે અનુભવતો નથી; એટલે એ માત્ર તત્ સમ છે, માત્ર એ પાત્રની અભિવ્યક્તિ છે, જ્યારે મુનિ