SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૨૦૦૧ એ જ પ્રમાણે ‘શ્રી સંબોધ સિત્તરિ' નામના ગ્રંથમાં એના રચયિતા આચાર્ય ભગવંતથી રત્નશેખરસૂરીશ્વરજી વિઝા વિષે વિધાન કરે છે કે ‘આણાયુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા તે સંપ છે. બાકીનો (આજ્ઞા બહારનો સમુદાય અસ્થિનો સમૂહ છે.' (૩૭) *કોતરીનું ખંડન, શબનો માર અને શુન્ય અયમાં રૃદન જેમ નિષ્ફળ છે તેમ આજ્ઞા વિનાનું અનુષ્ઠાન ફળ જાા' (૩૯) પ્રબુદ્ધ જીવન એવું પણ બને. પરમાત્માની પૂજા કરનાર પૂજા કરીને તરે પણ ખરો અને ડૂબે એવું ય બને. એ બેધારી તલવાર છે. પરંતુ આજ્ઞા જિનાજ્ઞાનો આરાધક આત્મા તો અવશ્ય એકાન્તે તરે જ છે. મુક્તિને મેળવે જ છે. માટે જ શ્રાવકે કપાળે તિલક કરવાની જે પ્રણાલિકા છે તે પ્રતીકાત્મક છે કે...જિનયરભગવંતની આજ્ઞા મસ્તિષ્કમાં ધારણ કરું છું-શિવા કરું છું અર્થાત્ જિનાના એજ મારી મતિ જો ને જિનાજ્ઞાનુસારી જ ગતિ હજો. જિનાજ્ઞા એ મારો આશ્રય હજો ! ‘આજ્ઞા મુજબ તપ, આજ્ઞા મુજબ સંયમ તથા આજ્ઞા મુજબ દાન શોભે છે, આશા વિનાના ધર્મની શોભા ગુણાના સમૂહ જેવી છે.' (૪૦) 'આજ્ઞાનું ખંડન કરનાર આત્મા શ્રી વીતરાગ દેવનું મહાન વિભૂતિઓ વડે ત્રિકાળ પૂજન કરે તો પણ તેની તે બધી ક્રિયા નિરર્થક છે.’ (૪૧) ‘લોકમાં રાજાની આજ્ઞાના ભંગથી એક જ વાર દંડ થાય છે. સર્વજ્ઞદેવની આજ્ઞાના ભંગથી અનંતવાર દંડ થાય છે.' (૪૨) જૈમ અવિધિથી કરેલું ભોજન વિનાશ કરે છે અને વિધિથી કરેલું ભોજન જીવન આપે છે તેમ અવિધિથી કરેલ ધર્મ સંસાર અને વિધિથી કરેલ ધર્મ માલ આપે છે.' (૪૩) મહામહોપાધ્યાય શ્રી યશોવિઝન ગરિાવર્ષથી શ્રી સીમંધરસ્વામી વિનંતિરૂ૫ ૩૫૦ ગાથાના સ્તવનની દશમી ગાથામાં કહે છે કે... ભદ્રબાહુ ગુરુ વદળ વચન એ, આવશ્યકમાં લહિએ; આણા શુદ્ધ મહાજન જાણી, તેહના સંગે રહિયે. (૧૦) પૂ. બહુબાહુ સ્વામી મહારાજાએ પોતાના મુખથી જ કહેલ વચન આવશ્યક સૂત્રમાં મળે છે. એમાં લખ્યું છે કે 'આજ્ઞાશુદ્ધ હોય તે જ મહાજન છે. એ જાણીને તેવાં મહાજનના જ પરિચયમાં, સંગમાં એવું અહીં સ્પષ્ટ થાય છે કે ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાને આધીન એવો જે સંઘ છે તે જ મહાજન છે. આમ સાચી આરાધના આજ્ઞાપાલનમાં છે. ‘શ્રી મન્નહ જિણાણું’ની સજ્ઝાય કે જે ‘શ્રાવક નિત્ય કૃત્ય સ્વાધ્યાય’ તરીકે પણ ઓળખાય છે એમાં જ્ઞાની ભગવંતે શ્રાવકના છત્રીસ નિત્ય કોનો નિર્દેસ કરેલ છે. એ સૂત્રમાં સૌ પ્રથમ તો મન જિલ્લાામાં કહેવા પૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતની જિનાજ્ઞાને માનો એવું સંબોધન કર્યું છે. એ સજ્ઝાયોના શ્રાવકના છત્રીય કોમમાં પ્રધાનતા જિનાજ્ઞાની છે. જિનાજ્ઞા સાપેક્ષ જ છત્રીસ કોંધી કરવાનાં છે તેમ બીજા પણ કરવા યોગ્ય કૃત્યો જિનાજ્ઞા સાપેક્ષ જ કરવાના છે. માટે જ કહ્યું છે કે જિહ્માએ કહીત, સર્વાં નિત કારણું | સંદીપ બુદ્ધિએ સર્વ કમનિબંધોં ।। દાન, શશશ, તપ, ભાવ, ચારિત્રપાલન, દેવ-ગુરૂ ભક્તિ, વિનય બોધ અનુષ્ઠાનો નિવા, મોક્ષનું દ્વારકા બને છે. બાકી તો આપી બુઢિએ સારું લાગતું હોય તે પણ જો જિનાજ્ઞા નિર હોય તો તેને કર્મબંધનું, સંસારવૃદ્વિનું કારણભૂત જાણાવું. કવિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી કેન્દ્વાયાર્ય મહારાજશ્રી ‘વીતરાગ સ્તોત્ર’માં પરમાત્મ ભગવંતની સ્તવના કરતાં જણાવે છે કે... वीतराग सपर्याया स्तवाज्ञा पालनं परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ॥ (આ જગતમાં સ્તવના ક૨વા લાયક જો કોઈ હોય તો એક માત્ર વીતરાગ પરમાત્મા છે. એ વીતરાગ પરમાત્માની આજ્ઞાનું આરાધન મોક્ષને આપનાર થાય છે જ્યારે આજ્ઞાની વિરાધના સંસાર-ભવભ્રમણનું કારણ બને છે.) દ્વાદશાગીને ધરનાર દ્વાદશાંગીને સહારે તરે એવું પણ બને અને ડૂબે ૯ જિનેશ્વર ભગવંત એટલે અરિહંત પરમાત્મા. એ અરિહંત શબ્દના ત્રણ પાવાથી સ્વરૂપો છે જે વિષે ચિંતન, મનન, અનુòત્રા કરતાં રહસ્યોદ્ઘાટનથાયછે કે... અરિહંતની આજ્ઞા: અનાદિકાળથી અન્ય આત્માઓ પ્રતિ સેવેલા શત્રુભાવનો નાશ કરે છે. અહતની આજ્ઞા : પૂજવા યોગ્ય પુરુષવિશેષમાં રહેલી પૂરતા કે જે જીવને અનાદિથી અકલ, અગમ્ય, અદૃષ્ટ, અલક્ષ્ય (અલખ) રહેલી છે. એવી આર્યતતા, પૂજ્જતા, પૂજ્યના સ્વરૂપને અર્થાત્ સ્વ સ્વરૂપી દર્શાવનાર છે-ઓળખાવનાર-સમજાવનાર છે. અહતની આજ્ઞા : જન્મ-મરણાની પરંપરાની અંત લાવનારી, ભવબીજને બાળી, નાંખનારી આપના બતાડનારી છે. आश्रवस्यात् सं मोक्ष कारणम्इतीयमाईतीमुष्टिरन्यदस्थापनम् ॥ (આશ્રવો ભવનો હેતુ છે અને સંવર મોક્ષનું કારણ છે. માટે આશ્રવો સર્વથા ોય છે અને એવર સર્વથા ઉપાદેય છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું સંક્ષેપમાં આ પરમ રહસ્ય છે. બાકી બીજો બધો આનો જ વિસ્તાર છે.) મિત્વ, અવિરતિ, ક્રખાય અને યોગ એ ચાર આરવ છે જેના પ્રતિપક્ષે સમ્યક્ત્વ, વિરતિ, નિષ્કપાયભાવ-અપ્રમત્તતા અને સમિતિગુપ્તરૂપ-પોગથી એ ચાર સંવર છે. મિથ્યાત્વે આત્માના સત્-સમ્યગ્ સ્વરૂપને આવરે છે, વિરતિએ આત્માના પૂર્ણ સ્વરૂપને આવરેલ છે, સાથે આત્માના પ્રાંત સ્વરૂપને આવરેલ છે અને યોગથી આત્માનું અરૂપીપણું આવરાયેલ છે, જે આવૃત સ્વરૂપને અનાવૃત કરવા માટે થઇને જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે કે આશ્રવથી છૂટવું અને સંવરમાં રહેવું જેથી સ્વ સ્વરૂપને પમાય. આવી આ જિનાજ્ઞાનો વિરાધક શિક્ષાને પાત્ર બને છે, જ્યારે જિનાજ્ઞા આરાધક ાવરોહણ કરી સ્વરૂપની ભઠના થાય છે. પરમસુખની સ્વામી બને છે, અને મુકામે પહોંચે નહિ અર્થાત મોક્ષ પામે નહિ ત્યાં સુધી જિનાજ્ઞાના શસ્ત્રામાં નિર્ભય રહી આત્મોન્નતિનાં સોપાન સર કરતો રહે છે. જિનાજ્ઞા સંદર્ભમાં જ જૈનદર્શનનું એક આગવું મંત્રાત્મક, સામૂિલાક સુત્ર છે કે... तमेव सच्च निस्संकं जं जिपोर्टि पइयं । તે જ નિઃશંક સાચું છે જે જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ-પ્રકાશલ છેકરેલ છે. આ સૂત્રમાં ભાવિત થતી અવિહડ દૃઢ શ્રદ્ધા શ્રી જિનવાણીમાં થવી જોઇએ. એમાં શંકાને, તર્કને કોઈ સ્થાન અવકાશ જ નથી, હા ! એ વાણીને યથાર્થ સમજવાનો યથાશક્તિ સુયોગ્ય પ્રયત્ન કરવાનો જ છે અને એ વાણી જેમ જેમ સમજાતી જશે, જેમ જેમ વિષયમાં ઊંડા ને ઊંડા ઊતરતા જઇશું તેમ નાભિમાંથી જ, હૃદયમાંથી જ ઉદ્ગારો ઊઠશે કે ‘આ જ સત્ય છે, આ જ તત્ત્વ છે જે જિનેશ્વરે કહ્યું છે અને ત્યારે
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy