________________
૧૬
પ્રબુદ્ધ જીવન
મૂળ કથાનકોની પાછળથી જૈન પરંપરા ઊભી થઈ હતી), (૧૨) જૈન તત્ત્વ-સિદ્ધાંતોનું નિરૂપણ કરતા ‘દ્રવ્યગુણાપર્યાયનો રાસ', ‘જીવદયા રાસ', ‘ક્ષેત્રપ્રકાશ રાસ’, ‘બારવ્રત રાસ', ‘ઈહીયાવહી રાસ', ‘કર્મવિવરણનો રાસ’, ‘નવતત્ત્વ રાસ' વગેરે, (૧૩) ધર્મોપદેશવાળા ‘હિતશિક્ષા રાસ’, ‘પુણ્યપાપફલ રાસ' વગેરે-આમ અનેક વિષયોને આવરી લેતા અઢળક રાસાઓ મધ્યકાલીન ગુજરાતીમાં રચાયા છે. ભરપૂર દસ્તાવેજી સામગ્રી
મધ્યકાળમાં પ્રચુર માત્રામાં ખેડાયેલું રાસાસાહિત્ય ભરપૂર ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. ખાસ કરીને ઈતિહાસપ્રસિદ્ધ રાજાઓ, મંત્રીઓ આદિ રાજપુરુષો, સાધુઓ, શ્રેષ્ઠીઓ, સંઘયાત્રાઓ અને તીર્થજીર્ણોદ્વારોના વિષયવસ્તુવાળા રાસાઓમાં આવી ઐતિહાસિક સામગ્રી સંગ્રહાયેલી હોઈ એનું એક વિશેષ દસ્તાવેજી મૂલ્ય છે. ‘હીરવિજયસૂરિ રાસ' જેવી કૃતિ આનું એક સુંદર ઉદાહરણ છે. સાધુઓની ગુરુપરંપરા પણ આવી કૃતિઓમાં સચવાયેલી જોવા મળે છે.
જુદા જુદા સમયને તબક્કે એક જ વિષય પર એકથી વધુ કવિઓએ રાસાસ્કૃતિની રચના કરી હોય એનાં ઉદાહરણો પાર વિનાનાં છે. જેમ કે ‘જંબુસ્વામી રાસ’ ધર્મસૂરિ, ઉપાધ્યાય યશોવિજય, ઉદયરત્ન, જિનહર્ષ, જ્ઞાનવિમલ વગેરે કવિઓએ, ‘શત્રુંજય રાસ' નયસુંદ૨, સમયસુંદ૨, જિનહર્ષ, ઉદયરત્ન આદિ કવિઓએ, ‘સુરસુંદરી રાસ' નયસુંદ૨, વિનયવિજય, ક્ષેત્રવર્ધન, જિનોદયસૂરિ, વીરવિજય, વિબુધવિજય વગેરે કવિઓએ, ‘શ્રીપાળ રાજાનો રાસ' વીરવિજય/યશોવિજય ઉપા., જિનહર્ષ, મેરુવિજય, જ્ઞાનસાગર, માનવિજય વગેરે કવિઓએ, ‘નલદમયંતી રાસ' નયસુંદ૨, સમયસુંદ૨, મેઘરાજ વગેરે કવિઓએ, ‘કુમારપાલ રાસ’ જિનહર્ષ, ઋષભદાસ, હીરકુશલ વગેરે કવિઓએ રચ્યા છે.
જેમ એક જ વિષયવસ્તુવાળી રાસરચના અનેક કવિઓને હાથે રચાઈ છે તેમ એક જ કવિની રાસકૃતિની અનેક હસ્તપ્રતો થઈ છે. જેમકે સમયસુંદ૨ કવિની વાત કરીએ તો એમની ‘સાંબ–પ્રદ્યુમ્ન રાસ'ની ૬૩ હસ્તપ્રતો, ‘ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ'ની ૫૦ હસ્તપ્રતો, ‘પ્રિયમેલક રાસ’ની ૫૦ હસ્તપ્રતો, ‘નલદવદંતી રાસ'ની ૪૪ હસ્તપ્રતો થઈ છે. એ જ રીતે જિનહર્ષરચિત ‘શ્રીપાળ રાજાનો રાસ'ની ૨૭ હસ્તપ્રતો થઈ છે.
તા. ૧૬-૪-૨૦૦૦
રાજગચ્છના વજસેનસૂરિના પટ્ટધર શ્રી સાલિભદ્રસૂરિએ સં. ૧૯૪૧માં પ્રથમ તીર્થંક૨ ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચેના
યુદ્ધની કથાને નિરૂપતા, ૧૪ ઠવવામાં વહેંચાયેલા ૨૦૩ કડીના ‘ભરતેશ્વર બાહુબલિ રાસ'ની રચના કરી છે. વજ્રસેનસૂરિના ‘ભરતેશ્વર બાહુબલિ ઘોર'ને બાદ કરતાં આ રાસકૃતિ એ ગુજરાતી ભાષાની જૂનામાં જૂની ઉપલબ્ધ કૃતિ છે. બે ભાઈઓ વચ્ચેનું મુષ્ટિયુદ્ધ, બાહુબલિને મનોમન પસ્તાવો થતાં ભરતને મારવા ઉગામેલી મુષ્ટિથી જ કરેલો કેશલોચ, તપશ્ચર્યામાં રહેવા છતાં કેવળજ્ઞાન ન થવું, તપશ્ચર્યાનું અભિમાન, બ્રાહ્મી અને સુંદરી એ બે બહેનોનાં મર્મ વચનોથી અંતે બાહુબલિનો અહં ગળી જતાં લાધેલું કેવળજ્ઞાન-આ પ્રસંગોને નિરૂપતી આ કૃતિ યુદ્ધવર્ણનો, ઓજસયુક્ત ડિંગળશૈલીને કારણે નોંધપાત્ર બની છે. આ જ કવિએ રચ્યો હોવાનું મનાતો સોરઠા, દુહામાં પ્રયોજિત ૬૩ કડીનો ‘બુદ્ધિ રાસ/હિતશિક્ષા પ્રબુદ્ધ રાસ' મળે છે.
મહેંદ્રસૂરિશિષ્ય ધર્મએ સં. ૧૯૬૬માં ‘જંબુસ્વામી રાસ'ની રચના કરી છે. આ કૃતિ ૫ ઠવવામાં વિભક્ત, મુખ્યત્વે રોળા બંધમાં રચાયેલી ૪૧ કડીની છે. એમાં જંબુસ્વામીના બે ભવની કથા આલેખી સંયમ દીક્ષાનો મહેમા ગાવામાં આવ્યો છે.
એક અજ્ઞાત કવિની ૪૭ કડીની ‘સ્થૂલિભદ્ર રાસ' કૃતિ પ્રાપ્ત થઈ છે. એની પ્રતનો લેખનસમય સં. ૧૭૮૧ને મળતો હોઈ એ અગાઉની આ રચના કદાચ આ ધર્મ કવિની હોય એવો પણ એક તર્ક છે.
વિજયસેનસૂરિની ‘રેવંતગિરિ રાસુ' સં. ૧૮૭માં રચાયેલી, ૪ કડવામાં વિભક્ત, ૪૦ કડીની દુહા-સોરઠાની દેશીઓમાં થયેલી રચના છે. ગિરનાર ઉપરનાં દેરાસરોના જે જીર્ણોદ્વારો થયા એમાંના કેટલાકની માહિતીને સમાવી લેતી આ એક ટૂંકી રાકૃતિ છે. તેજપાળે ગિરનારની તળેટીમાં વસાવેલું તેજલપુર ગામ અને બંધાવેલું કુમર સરોવર, સોરઠના દંડનાયક આંબડે ગિરનાર પર બંધાવેલી પાજ, સાજને બંધાવેલું નેમિનાથનું જિનાલય અને એનો કરેલો ઉદ્ધાર, કાશ્મીર દેશથી આવેલા સંઘપતિ રત્નએ નેમિબિંબની કરેલી સ્થાપના વગેરે ઉલ્લેખો આ રાસામાં મળે છે.
પાલ્હણે સં. ૧૨૮૯માં ૫૫ કડીના ‘આબુરાસ'ની રચના કરી એમાં આબુતીર્થ અને ત્યાં વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા નેમિભુવનની કથા આલેખાઈ છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઘણો મોટો ભાગ રોકીને બેઠેલા આ ગંજાવર રાસાસાહિત્યમાંથી હજી મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત તો ઘણું ઓછું જ થયું છે. કેવળ હસ્તપ્રત સ્વરૂપે ભંડારોમાં સચવાયેલી અને અદ્યાપિ અપ્રકાશિત રાસાસ્કૃતિઓ પાર વિનાની છે. ‘જૈન ગુર્જર કવિઓ’શ્રાવક, શ્રાવિકા એ સાત પુણ્યક્ષેત્રોની ઉપાસનાનું વર્ણન છે. તાલરાસ
સં. ૧૩૦૭માં ખરતરગચ્છના અભયતિલકે ૨૧ કડીનો ‘મહાવીર રાસ', વિનયચંદ્રે સં. ૧૩૩૮માં ૫૩ કડીનો ‘બારવ્રત રાસ' રચ્યા છે. કોઈ અજ્ઞાત કવિનો સં. ૧૩૨૭માં રચાયેલો ‘સપ્તક્ષેત્રિ રાસ’ મળે છે. એમાં જૈન ધર્મનાં જિન મંદિર, જિન પ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી,
(બીજી આવૃત્તિ)ની સૂચિ જોતાં આ વાતની પ્રતીતિ થાય છે.
અને લકુટરાસ એ બે પ્રકારના રાસના ઉલ્લેખો આ કૃતિમાં પ્રાપ્ત થાય છે.
શ્રાવક ઋષભદાસે રચેલા ૩૨ રાસાઓમાંથી હજી માત્ર ચાર જ રાસાઓ પ્રકાશિત થયા છે; એ જ રીતે જિનહર્ષ કવિએ રચેલી ૩૫ ઉપરાંતની રાસારચનાઓમાંથી માત્ર નવ કૃતિઓ જ પ્રકાશિત થઈ છે. આમ મધ્યકાલીન ગુજરાતીના સમગ્ર રાસાસાહિત્યને પ્રકાશમાં આણવાનું કામ હજી મોટા પડકારરૂપ રહ્યું છે. ગુજરાતી જૈન રાસાસાહિત્યનો વિકાસ (મુખ્ય મુખ્ય રાસાકવિઓને આવરી લઈને) વિક્રમનું ૧૩થી ૧૫મું શતક
આ ઉપરાંત પ્રજ્ઞાતિલકસૂરિશિષ્યએ(?) સં. ૧૩૬૩માં ‘કછૂલી રાસ', ગુણાકરસૂરિએ સં. ૧૩૭૧માં ‘શ્રાવકવિધિ રાસ’, અમ્બદેવસૂરિએ સં. ૧૩૭૧માં ‘સમરા રાસો', ધર્મક્લશે સં. ૧૩૭૭માં ‘જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ', સારમૂર્તિએ સં. ૧૩૯૦માં ‘જિનપદ્મસૂરિ પટ્ટાભિષેક રાસ' જેવા રાસાઓ આપ્યા છે. એમાં અદેવસૂરિનો ‘સમરા રાસો' શત્રુંજયના ૧૫મા ઉદ્ધારક સમરાશાએ સં. ૧૩૭૧માં સંઘ કાઢી, શત્રુંજય આવી આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી એ ઘટનાને નિરૂપે છે. સંધયાત્રાના વર્ષમાં જ કવિએ આ રાસાની રચના કરી છે.
પૂર્ણિમાગચ્છના, શાલિભદ્રસૂરિએ ‘પંચપાંડવચરિત્ર રાસ'ની સં.