________________
૧૦
પ્રબુદ્ઘજીવન
મનુષ્યપણું એ આત્માનો પર્યાય છે. દ્રવ્ય એક જ હોવા છતાં અવસ્થા પ્રમાણે નામ - પર્યાય બને છે. મતિજ્ઞાનમાં જ્ઞાન ગુણ છે અને મતિ એ જ્ઞાનગુણનો એક પર્યાય છે. મતિજ્ઞાનની તરતમતાએ કરીને વપરાતાં બુદ્ધિશાળી, મૂર્ખ આદિ વિશેષણો છે.
દ્રવ્ય – ગુણ – પર્યાય એ ત્રણે ૫૨માર્થથી અભેદ છે. ત્રણે એક ક્ષેત્રે છે. વ્યવહારથી, ગણતરીથી ભેદરૂપ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ છે અને ત્યાં જ પર્યાય છે માટે અભેદતા અને એકક્ષેત્રિયતા સિદ્ધ થાય છે.
આત્મા જ્ઞાનશક્તિના ઉપયોગ વડે જાણે તે નિશ્ચયનય, આત્મા ગ્રંથાદિ પુસ્તકોના વાચનથી જાણે તે વ્યવહારનય, ગુરુની મદદથી જાણે તે વ્યવહા૨કા૨ણ. પોતાના જ્ઞાન ઉપયોગથી જાણે તે સ્વાધીનકા૨ણ સ્વાધીનસાધન.
આપણો ગુણ આપણાથી અભેદ હોય જ્યારે આપણું નિમિત્ત આપણાથી ભિન્ન હોય. ગુણી અને ગુણ, આધાર અને આધેયરૂપ છે તેમ નિમિત્ત અને નૈમિત્તિકનો પણ આધાર આધેયરૂપ વ્યવહાર કરાતો હોય છે. તીર્થંકર ભગવંત આપણા માટે નિમિત્તરૂપ છે. પરંતુ તેઓ આપણાથી ભિન્ન છે. અર્થાત્ તેઓમાં આપણા ગુણ નથી છતાં એમના જેવા ગુણો
આપણામાં છે..
સદ્ભૂત વ્યવહાર – અસદ્ભૂત વ્યવહાર ઃ એક જ દ્રવ્યના ગુણપર્યાયમાં ઘટાવવાના છે. એમાં નિમિત્તને નહીં લેવાય. ઘડાનો નિમિત્તકર્તા કુંભાર છે પરંતુ ઘડાનો ઉપાદાનકર્તા માટી છે કે જે પદાર્થ - દ્રવ્યના આધારે પર્યાયો ઉત્પન્ન થાય છે. એ પર્યાયોનું અસ્તિત્વ પૂર્વે તે પદાર્થમાં - દ્રવ્યમાં હોય છે તેમ સમજી લેવું. મોજાં - તરંગ શક્તિરૂપે દરિયામાં હતાં તેથી જ દરિયામાં મોજાં – તરંગો ઉદ્દભવે છે. આપણા પોતામાં પણ સત્તાગત કેવળજ્ઞાન વર્તે છે તેથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. ઉત્પાદનું અસ્તિત્વ દ્રવ્યમાં હતું એટલે પર્યાય ઉત્પન્ન થાય છે. એ ઉત્પાદનો જ્યારે વ્યય થાય છે ત્યારે તે પર્યાય પણ તે દ્રવ્યમાં સમાય છે. માટે કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો જણાય છે - પ્રતિબિંબિત થાય છે. સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો એક સમયે વર્તે છે - વિદ્યમાન છે એટલે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. છદ્મસ્થ અલ્પજ્ઞાની, અપૂર્ણજ્ઞાની સ્વયંની ભેદદશાને કારણે, ક્રમિક દશાને અંગે દ્રવ્યમાં ઉત્પાદ અને વ્યય ભૂતવત્ અને ભવિષ્યવત્ સમજે છે.
આપણી પોતાની જે વર્તમાન વેદનરૂપ સ્થિતિ છે તે ભૂતવત્ બનતાં તે વેદાતી નથી. પરંતુ એ સ્થિતિમાં પણ આપણે જ્ઞાતા-દ્રષ્ટા બનવાનું છે. “હું” "I" જેને વર્તમાન ગુણપર્યાયયુક્ત દ્રવ્ય માનીએ છીએ તે વાસ્તવમાં “હું” દ્રવ્ય નથી. એ તો દ્રવ્યનો પર્યાય છે જે ભૂતવત્ બને છે. બાકી ખરેખર તો “હું” એ તો માત્ર પ્રદેશપિંડ છે - દ્રવ્ય છે. હું
જીવદળ-જીવદ્રવ્ય અદળ - પ્રદેશપિંડરૂપ જીવદ્રવ્ય છું અને કેવળજ્ઞાન મારો નિત્ય ગુણપર્યાયરૂપ સ્વભાવ છે. બાકી છદ્મસ્થના જે કાંઈ બધા પર્યાયો કે જેમાં “હું”પણાનો આરોપ છે તે તો માત્ર વર્તમાનરૂપ સાદિસાન્ત હોવાથી અસંતુ પર્યાયો છે તેથી તે હુંકારને અહંકાર એટલે કે અનિત્ય અસત્ હુંકાર અર્થાત્ અહંકાર કહેલ છે.
વિશ્વમાં રહેલા સર્વ પર્યાયો તે ‘હું’ નથી, એ ઉદાસીન ભાવ છે. પરમાં ‘હું’ ભાવ - ‘હુંકાર’ - અહંકાર કહેવાય છે. સત્ય “હું” - સાચો “હું” તે તો આત્માનું પરમાત્મત્ત્વ છે એ હું નથી પણ સોડહં – સોડહંનો નાદ છે.
તા. ૧૬-૩-૨૦૦
ઉદાસીનભાવે નહીં પણ ઉલ્લાસભાવથી જીવવાનું છે. જીવ માત્રને આત્મવત્ સિદ્ધ સ્વરૂપે જોવાથી તેઓ પ્રત્યેના દેહભાવ, મોહભાવ ચાલ્યા જાય. આપણાં કર્તવ્ય, ફરજ, કર્મયોગ ફળપ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વિના ઉદાસીનભાવે તથા પ્રકારે કરવાં જોઈએ. જીવો પ્રત્યે દુર્ભાવ નહીં કરવો, તેમ જીવો પ્રત્યે ઉદાસીનભાવ પણ નહીં રાખવો. સર્વ જીવો પ્રતિ પ્રેમભાવ, વાત્સલ્યભાવ, આત્મવભાવ કેળવવા જોઈએ.
પુદ્દગલ દ્રવ્યો અને સજાતિય જીવો વચ્ચે રહેલાં આપણે તે બધાંયની સાથે અને બધાંયની વચ્ચે જીવવાનું છે. એ સર્વ પર હોવાથી ઉદાસીનભાવે જીવવાનું છે. જ્યારે પંચ પરમેષ્ટિ ભગવંતો (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) સજાતિય ૫૨ હોવા છતાં સ્વરૂપ ઐક્યથી તેમની સાથે
કોઈપણ પદાર્થ પ્રત્યે રાગ થાય તો સુખબુદ્ધિ થાય. અધ્યાત્મની દૃષ્ટિએ બુદ્ધિથી ચકાસીશું તો રાગ નહીં થાય. જ્યાં રાગ છે જ નહીં ત્યાં પછી દ્વેષની ઉત્પત્તિનો પ્રશ્ન રહેતો નથી. કારણ કે દ્વેષ એ રાગમાં મળતી નિષ્ફળતાની નીપજ છે. જ્યારે રાગદ્વેષ જાય અર્થાત્ રાગ સમૂળો જાય ત્યારે આત્માનું વીતરાગ, નિર્વિકલ્પ, નિરપેક્ષ, નિશ્ચય, શુદ્ધ, સત્ય, પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આત્માના એ અનાદિ નિષ્પન્ન સ્વરૂપને સમજવા માટે જ દ્રવ્યાનુયોગ વિચારણા છે. દ્રવ્યાનુયોગની સમજણથી આત્માને સમજીને, પર્યાયદૃષ્ટિ હઠાવી, દ્રવ્યદૅષ્ટિ કેળવીને જ્ઞાનધ્યાનમાં અનુભવન - વેદન કરતાં થઈએ, આત્મસ્થિત થઈએ ત્યારે વીતરાગતા આવે. શ્રેણિગત વીતરાગતા આવે એટલે મોહનીયકર્મનો થયોપશમ
થાય, સકામ નિર્જરા થાય અને અંતે ક્ષય થાય છે ત્યારે જ નિષ્કર્મા,
નિરંજન, નિરાકાર, નિરાવરણ, નિરપેક્ષ થવાય છે. આત્મા ધર્મમાં ગતિ ઉપકરણ બનાવી સાધનથી સાધના કરે તો સ્વયં અકાલ બની પરમાત્મા કરે, આત્મામાં સ્થિતિ કરે, ભગવાનમાં અવગાહના લે અને પુદ્દગલને
થાય.
સોનાની લંકા સોનાની હોય પણ આપણી ન હોય, ૫૨ હોય તો તે સોનાની લંકા આપણા શા ખપની? - આપણને શા કામની? એ જ પ્રમાણે આત્મા સિવાયનાં શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ ગમે એટલાં સારાં હોય, સોહામણાં હોય તોય તે ૫૨ છે અને આપણાં છે નહીં અને આપણાં થનાર નથી તો એ આત્માને શા કામનાં? તેમ પર એવી ભોગસામગ્રી પણ આત્માને શાં કામની? હા! તે યોગસામગ્રી - યોગસાધના બની રહી આત્માને ભોગમાર્ગેથી યોગમાર્ગે લઈ જઈ આત્મામાંથી ૫૨માત્મા બનાવે તેટલા પૂરતી તેની કિંમત અંકાય.
દેહપિંજરમાં પુરાયેલ આત્મા જો તનમનનું દુઃખ ટાળી નહીં શક્યો અગર જો મન અને તન દ્વારા આત્માના અતીન્દ્રિય સુખને પામી શક્યો નહીં તો શાસ્ત્રઅધ્યયન અગર પંચાચારનું પાલન શા કામનું?
સત્ત્ની પ્રાપ્તિ સત્ વડે.હો પણ, અસત્ વડે નહીં હોય. દશા, હાલત, અવસ્થા એ ગુણપર્યાય છે અને એ પણ પરમ સત્ય છે કે કોઈપણ દ્રવ્ય અવસ્થા વગ૨નું ક્યારેય નહીં હોય. સંસારીજીવની સંસારીદશા - સંસારી અવસ્થા અસત્ - ખોટી - આભાસી - વિનાશી - માયાવી હોય છે, છતાંય એ અવસ્થા જેની છે તે આત્મા અવસ્થાપતિ - દશાપતિ પોતે તો સતુ હોય છે. મૂળ ગર્ભશ્રીમંત - જન્મજાત શ્રીમંત પણ હાલ
ત્રય સ
સંઘના ઉપક્રમે, ચિખોદરાની આંખની હૉસ્પિટલના સહયોગથી નીચે પ્રમાણે નેજ્ઞયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું હતું.
(૧)
સ્વ. તારાબહેન ચંદુલાલના આર્થિક સહયોગથી સ્વ. ચંદુલાલ મોહનલાલ ઝવેરીના સ્મરણાર્થે પંચમહાલ જિલ્લામાં સેવાલિયા મુકામે શનિવાર, તા. ૨૮-૮-૯૯ના રોજ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો.
(૨) સ્વ. જ્યોત્સ્ના ભૂપેન્દ્ર ઝવેરીના સ્મરણાર્થે, શ્રી ભૂપેન્દ્ર ઝવેરીના આર્થિક સહયોગથી સુરત જિલ્લામાં મઢી મુકામે રવિવાર, તા. ૬-૨-૨૦૦૦ના રોજ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. D મંત્રીઓ