________________
૧૬
યુદ્ધ ન
દિમાગ
(૧૯૨૪-૨૫ના-વિદ્યાથી એના અને પ્રિન્સિપાલેાને) તુ ચંદ્રવદન ચી. મહેતા
દિમાગ એટલે શુ? મિજાજ. મિજાજ એટલે શું ? તેર. ગુરસાને એક પ્રકાર. દંશના અંશ વગરને, સત્યના પંથને વળગીને ચાલવાને, દૃઢ ખનેખા ચડ્ડી પકવ થયેલા તે દિમાગ.
મહાત્મા ગાંધી ભારતમાં ૧૯૧૫-૧૬ માં આવ્યા ત્યારે હેંગિંગ ગાર્ડન (ફ઼િાજશાહ મહેતા ઉદ્યાન)માં મિટિીંગ હતી ત્યારે ગાંધીજી ચંપલ – અંગરખુ પહેરીને આવ્યા હતા એ જોઇને કંઇક પારસી બાનુએ બ્રિટિશ સ ંસ્કૃતિની અસરને પરિણામે ધાઇ ગઈ હતી. 'નકરા વાનિયા'. પગમાં ખુટ નહી', મેાજા પણ નહીં, એવી એવી ટીકા કરનારાએ તે હતી. તે ‘નકરા વાનિયા’ એટલે કે ગાંધીજી ઉપર કેવળ એક નાના ઉપરણા સાથે ટૂંકી પેતી પગમાં ચપલ પહેરીને શહે નશાહ જ્યેાજ ન લડનમાં મળ્યા હતા. તેએ ભારતમાં પાછા આવ્યા ત્યારે દાદાભાઇ નવરાજજી જે હિન્દના દાદા ગણાતા હતા. એમની પૌત્રીએ ગોમીબહેન અને ખુરશેદાબહેન ગાંધીજીની સેવામાં આવી. ખાદી વેચવાતા એમને બધા કા*ક્રમ અમ લમાં મૂકવામાં તેએ ખીજી પારસી બાનુએ સાથે તત્પર થઇ. એ વીશી (૧૯૨૦)ને જમાના. એ અંતે પારસી બહેનેાનાં સેવાનાં કામેથી, બ્રિટિશ સરકારના વખાણનારા પારસીએ ધીરે ધીરે ભારતની આઝાદીની લડતમાં જોડાતા ગયા. પારસી પ્રભાતફેરી નીકળતી, કેસરિયા સાડી પડેરી પારસી બાનુએ પિકટિંગ કરતી વગેરે.
૧૯૨૩-૨૪ની આ વાત છે. નાતાલના વિસામાં મુ બઇમાં એલ્ફિન્સ્ટન કાલેજની હોસ્ટેલમાં રિગલ સિનેમા સામેના રસ્તા ઉપર ખૂણામાં એક જબરજસ્ત હોશિયાર વિદ્યાથી ઓનું જૂથ ભણે, રહે. જાતજાતનાં કૌતુકા કરે. એમાં મેટાભાગના પારસી, સિન્ધી, મુસલમાન અને ગુજરાતી વિદ્યાથીએ હતા. કાઈપણ પ્રકારના જાતિભેદ નહી નડે. મનમાં ઊગેલેા જ નહી, એમાં મેટાભાગના ખી. એ. અને વકીલાતનુ શીખનારા વિદ્યાથી એ મેખરે. અમારી સાથે યુસુફ્ મહેરઅલી, સાલી બાટલીવાલા, ચંદ્રકાન્ત ત્રિવેદી, ઇસા જામગરા, જહાંગીર સુખડિયા, પેટીગરા, અડવાણી વગેરે હતા. તે વખતના મેટાભાગના દક્ષિણી વિદ્યાથીએ ફટ કલાસ માટે ખંતથી કલાકાના કલાકો સુધી અભ્યાસ કરવાવાળા હતા. એવા એક સ્નેપેલિટન ટાળાના નેતાઓમાં એક જહાંગીર ચીનીવાલા હતા અને બીજા જહાંગીર સુખડિયા હતા. ઇંસા સાલિસિટરનું ભણતા હતા.
નાતાલની એ સાંજે મિટિ ગ થઇ. વિદ્યાથી એમાં અમસ્થી ભાષણબાજી ચાલી મિટિંગમાંથી હોસ્ટેલની લેખીમાં જ ઉપર પહેલે માળે ગીતા ગાતાં સરઘસ કાઢવાનાં કરતા ગોઠવાવા લાગ્યાં. હાથમાં નાનકડી મશાલ, થોડાં વાજિત્રા હતાં. એમાં ડ, ઢાલક વાવટા, જાતજાતનાં ગીતે એમ ચાળીશેક જણાનું નાનકડું સરÜસ બીજે માળેથી પહેલે માળે આવ્યુ, ત્યાંથી ભોંયતળિયે ફરતુ કરતુ આવ્યુ. અને ટેનિસ કાટ પર
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
ગાવા—બજાવવા એકઠું થઈ ગયું. રાતના દસ – અગિયાર
વાગ્યા હશે.
એ હોસ્ટેલના કમ્પાઉન્ડને અડીને ધેરી રસ્તા પર મેજેસ્ટિક હોટેલ હતી. એમાં પાંચેક અગ્રેજો આવીને ઊતરેલા. એમાંના બે અ ંગ્રેજોના મનમાં કશી સમજણ વિના, આ એક બ્રિટિશ વિરાધી ચળવળ છે, એવે દારૂના નશાને કારણે ભ્રમ પેદા થયા. એ અગ્રેજોએ બારીએથી બૂમાબૂમ કરી પણ કાર્ય વિદ્યાથી આ શાંત પડયા નહિં એટલે તે બંને અગ્રેજો રિવેલ્વર લઇ હોસ્ટેલના દરવાજે આવી બારણા ખાલી ધમકાવવા માંડયા. રાતના બાર વાગી ગયા હતા. થોડી ધમાધમી થઇ ગઇ.
ત્યારે આજની આટલી વસ્તી નહીં. તેણે રસ્તા પર થોડીઘણી તે હા હા થઇ. સવારે વિદ્યાથી એની સભા થઈ. એમાં પેલા એ અંગ્રેજો હેસ્ટેલમાં ધસી આવ્યા હતા એમાંના એકની વિશ્ર્વર એક છેાકરાએ ખૂંચવી લીધી હતી. તેની નોંધ લેવાઇ અને ખે અગ્રેજો ઉપર ડ્રેસ પાસનો દાવે માંડવાનું નકકી થતાં પછી તે કાલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ કાવન ટન સાહેબ પણ ચર્ચાના મેદાનમાં આવીને જોડાયા અને છેકરાઓના દ્રઢ નિશ્ચય જાહેર થયો કે કાર્ટોમાં લડી લેવુ, એ એ સમયે ત્યારના પ્રખ્યાત બેરિસ્ટર મહમદઅલી જિન્હાને શકવામાં આવ્યા.
બીજી બાજુ પેલા ખે અ ંગ્રેજો તે વાઇસરોયના ખાડીગાડ હતા. તે સીમલાથી દિલ્હી થઇ મુઅણુ આવ્યા હતા. સ્ટીમરમાં બેસીને લંડન રજા પર જવાના હતા. તેએ હાર્ટલ સામેની મેજેસ્ટિક હેટેનમાં ખે દિવસ ઊતર્યાં. એમાં આ ધમસાણમાં ભેરવાયા. એટલે એમણે વાઇસરાયને સીમલા તાર ઉપર તાર કર્યાં પ્રિન્સિપાલ કાવન ટનને મળ્યા અને J& સમજૂતી પર આવવા વાટાઘાટો ચાલી.
એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રિન્સિપાલ કાવન ટન એક્ષક'થી આવેલ હતા. બહુ ઠંડા મિજાજના હતા. અંગ્રેજીના પ્રેસર, સ્વભાવે નમ્ર અને બ્રિટિશ ન્યાયમાં પાાદઢ વિશ્વાસ ધરાવનારા હતા. એમણે ખે-ત્રણ વાર ખાનગીમાં મસલતા કરી. દરમિયાન પેલા ખેડીગાર્ડની સ્ટીમર તે ઊપડી ગઈ. સીમલાથી તેમના ઉપર વિવિધ વિવિધ પ્રકારનાં દબાણેા આવતાં હતાં. એટલે પેલા ખાડીગાડ જરા ઢીલા પડ્યા. તેમણે કાલેજ લાઇબ્રેરીમાં પુસ્તકા માટે સારી એવી રકમ આપવાની તત્પરતા બતાવી અને એ માટે ત્રણ – ચાર દિવસે ચર્ચા ચાલી. પ્રિન્સિપાલ કાવનટનને આખી ચર્ચામાં પાતે ખે બાજુનાં મતભ્યે રજૂ કર્યાં. અને એ ચર્ચામાં ઠીક ઠીક પ્રમાણમાં હાજરી આપી હતી. પણ કાઈ પણ વખતે એમણે વિદ્યાથી એને ઠપકા આપ્યા નહિ કે ખાણું કર્યુ નહિ. મૂળ મુદ્દાની વાત તેા એ હતી કે પેલા બે અનાડી દારૂડિયાઓ સંરક્ષકાને જો કા'માં સજા થાય તો એમની સરકારી નોકરી જોખમાય. એમનાં પેન્શન બગડે. એ (અનુસ ંધાન પૃષ્ઠ ૧૫)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ – ૪ ૦૦૦૪, ટે. ન', ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જ્ગન્નાથ શંકર શેડ રાડ, ગિરગામ, મુંબઇ
- ૪૦૦૦૦૪
15