SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : , તા. ૧-૧૨-૮૯ ત્યારથી પ્રતિવર્ષ નિયમિતપણે ચિત્રકુટમાં નેત્રયજ્ઞમાં આવે છે, તેની વ્યવસ્થાની સંભાળ રાખે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમના પરિવારના સભ્ય પણ આ નેત્રયજ્ઞમાં સક્રિય રસ લે છે. પૂ. રણછોડદાસજી મહારાજના સમાગમથી શેઠ ને અરવિંદભાઈના જીવનમાં લેકસેવાને સ દેશે વણાઈ ગયો છે અને તેમનામાં સાદાઈ, સરળતા વિનમ્રતાના ગુણોનો વિકાસ થયો છે. એમનું લોકસેવાનું કાર્ય બીજા અનેક ધનપતિઓ માટે પ્રેરણારૂપ બને એવું છે. પૂજય રણછોડદાસજી મહારાજના જીવનના કેટલાયે પ્રેરક પ્રસંગ છે. એમના થકી પિતાને ચમત્કારિક અનુભવ થયાની વાત પણ કેટલાક પાસેથી સાંભળવા મળે છે. - પૂજ્ય રણછોડદાસજી મહારાજનો પુણપ્રભાવ ઉત્તર ભારતમાં અને ગુજરાત, સૌરાષ્ટ્ર તથા અન્ય સ્થળે ઘણો મેટ રહ્યો છે. તેમના હજારો ભકત છે. આવા ભકમાંથી કેટલાય ભકતે પિતાને કામધંધે છોડીને માનદ્ સેવા આપવા માટે કારતક મહિનામાં ચિત્રકુટ પહોંચી જાય છે.. ચિત્રકુટમાં જે વિશાળ ફળક ઉપર નેત્રયજ્ઞ યોજાય છે તે માટે અનેક સ્વયસેવકાની જરૂર પડે છે. ગુરુભકત એ સેવા આપવા માટે હંમેશાં તત્પર હોય છે. મુંબઈ, રાજ કેટ, વેરાવળ, સુરત, બગસર વગેરે સ્થળેથી રવયસેવકોની ટુકડીએ ત્યાં આવી પહોંચે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પણ સંખ્યાબંધ સ્વયંસેવકે આવે છે. પંદર દિવસ કે એક મહિનાનું રોકાણ હોવાને કારણે કેટલાક તે સહકુટુંબ ત્યાં આવી પહોંચે છે. આ બધા જ રવયંસેવક ઓપરેશન થિયેટરમાં, વેડમાં, રસેડામાં કે અન્ય સ્થળે આપેલી ફરજ બજાવવા માટે વહેલી સવારથી જે અથાગ પરિશ્રમ ઊઠાવે છે તે ધન્યવાદને પાત્ર છે. પૂજય રણછોડદાસજી મહારાજ સમગ્ર ભારતમાં ઘણું વિચર્યા હતા અને એમના સંપર્કમાં અનેક લેકે આવ્યા છે. જે લેકાએ પૂજ્ય મહારાજને નજરે જોયા છે અને તેમના સમાગમમાં આવ્યા છે તે બધાના જીવનમાં લેકકલ્યાણને એક અભિગમ સજાવે છે. પૂરી નિષ્ઠાથી અને સેવાભાવનાથી કેટલા બધા કાર્યકર્તાઓ પિતાની મેળે આ નેત્રયજ્ઞમાં સેવા આપવા માટે દેડી જતા હૈય છે. શ્રી રામદાસભાઈ ગોકાણી શ્રી ચંપકભાઈ મોદી અને ઇલાબહેન મોદી, શ્રી જાનીબાપા, શ્રી રાજાકાકા, શ્રી કાનજી બાપા, શ્રી વિઠ્ઠલભાઈ, ગુરુભકત સ્વ. કેશુકાકાના પરિવારના સભ્ય, વગેરે કેટલા બધા ગુરુભકતે પૂરી લગની સાથે આ કામમાં લાગી ગયેલા ચિત્રકુટમાં આપણને જોવા મળે છે. આ નેત્રયજ્ઞમાં ઘણાં બધાં વર્ષોથી માનદ્ સેવા આપનારા ડેકમાં ડે. જોબનપુત્રા, ડે. જોશી, ડે. જોગલેકર વગેરે છે. તેઓના હાથે છેલ્લાં કેટલાંય વર્ષોમાં હજારો ઓપરેશન થયાં છે. આ દિવસ તેઓ ઊભે પગે ચીવટપૂર્વક ઓપરેશન કરતા હોય છે. પ્રત્યેક દદીની આંખ સારી થાય એ માટે તેઓ સતત કાળજી રાખે છે. એકંદરે દર વર્ષે નેત્રયજ્ઞનું પરિણામ ઘણું જ તેષકારક રહે છે. આ ડોકટરો માને છે કે બાર મહિનામાં તેમને સારામાં સારો સમય આ નેત્રયજ્ઞમાં પસાર થાય છે. એમાં તેઓ જીવનની ધન્યતા અનુભવે છે. આ બધા પીઢ, અનુભવી ડોકટરો ઉપરાંત ડે. જેન અને બીજા કેટલાક ફેકટરો પણ સારી સેવા આપે છે. જેઓ એક વખત ચિત્રકુટ આવે છે તેને પછી ચિત્રકુટ છોડવાનું મન થતું નથી. આ ને યજ્ઞમાં એક વડની અંદર ૩૦૦ થી વધુ દર્દીઓને ખાટલા રાખવામાં આવે છે અને એવા નવ જેટલા વેડ'માં દદીઓની ભરતી થાય છે. મહિલાઓ માટે જુદા જ રાખવામાં આવે છે. જે દદીઓને બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે આંખના ટેન્સનને કારણે વિશેષ 'યાન આપવાની જરૂર હોય તેવા દદીઓના માટે એક જદે ર્ડ' રાખવામાં આવ્યું છે. એક વર્ડ માં એક સાથે, આટલા બધા દર્દીઓને રાખવામાં આવે છે કારણ કે તો જ ભોજન, તબીબી સહાપ અને અન્ય બાબતે માટે. પહોંચી શકાય. જેમ વોર્ડમાં નાના અને વધારે તેમ ડેકટરની અને સ્વય સેવાની જરૂર વધારે પડે નેત્રયજ્ઞમાં આવનાર ઘણા ખરાં દર્દીએ નિરક્ષર હોય છે. એટલે તેઓ દરેકને જે એક કાર્ડ આપવામાં આવે છે તે એમના ગળામાં દેરી વડે ભરાવી રાખવાનું હોય છે કે જેથી ડેકટરો કે રવયંસેવકે તેમની ભરેલી વિગતો પ્રમાણે દદીં' વિશે બધી માહિતી તરત જાણી શકે. દાખલ થયા પછી બધા દર્દીઓને નવા વસ્ત્રો અપાય છે. દદીઓના સગાઓને રહેવાજમવા માટે બહાર વ્યવસ્થા હોય છે. અને તેઓને પિતાના દદીને નકકી કરેલ સમયે મળવા દેવામાં આવે છે. મિલાઈ એટલે કે મિલન માટેની માઇક ઉપર જાહેરાત થતાં જ . બધા જ માણસે પિતાના દદી પાસે પહોંચી જાય છે. આ એકદશ્ય જોવા જેવું હોય છે. પ્રૌઢ કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં પતિ પત્ની કે એમના સ્વજનો એકબીજાને મળવા કેટલા ઉત્સુક હોય છે. તે આ પ્રસંગે જોવા મળે છે. મળવા આવનાર રવજનો પણ મિલન સમય પૂરો થવાની માઈક ઉપર જાહેરાત, થતાં જ વોર્ડમાંથી બહાર નીકળી જાય છે. એ જાતની શિરત, આ નેત્રયજ્ઞમાં આદરપાત્ર છે. ગરીબ ગભરૂ લોક પિતાના રવજનની બીજા વેડમાં બદલી થઈ હોય અને તરત તેની ભાળ ન મળતી હોય ત્યારે કેવી અસ્વસ્થતા અનુભવે છે તે પણ જોવા મળે છે. કેટલાક દદીએ કે એના, સાથીદારે એવા અભણ અને અજ્ઞાન હોય છે કે પિતાનું નામ કે ગામના નામ બોલવામાં પણ ગડબડ કરી નાખે છે. દદ એક નાના અને એક ગામનાં હોય છે ત્યારે તેમને મેળવી આપવામાં સ્વયંસેવકેને ઠીક ઠીક પરિશ્રમ પડે છે. તે આ સ્વયસેવક તરીકે ની અંદર જે ભાઈ બહેને કામ કરતા હોય છે તેઓને દરદીઓના વિવિધ પ્રકારના અનુભવો થતા હોય છે. દદીએના જીવનની ભાતભાતની વાત સાંભળવા મળે છે. આવા બધા અનુમ. એક વાર્તા કે નવલકથા લખવા જેટલા રસિક હોય છે, રવયં સેવકે પણ કોઈ પણ પ્રકારની સૂગ રાખ્યા વગર દરદીઓની પ્રેમથી સેવા કરે છે. દરેક દદીને કાઇકને કઈક પ્રશ્ન તે હેય છે. તેની વાત ધીરજથી અને પ્રેમથી સાંભળીને તેને ઉકેલ રવય સેવકે તરત લાવતા હોય છે. મહિલા દદી'એના માથામાં તેલ ઘસી આપવાનું કામ મુંબઈ, સૂરત વગેરે શહેરોની શ્રીમંત મહિલા. સ્વયંસેવિકાઓ કરતી જ્યારે જોઈએ ત્યારે ગુરુભકિતનો (વધુ માટે જુઓ પૃષ્ઠ ૧૧ ઉપર )
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy