SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-'૮૯ તા. ૧૬-૧૧-૮૯ પ્રાદ્ધ જીવન ૧૧ અંગ્રેજી ને પશ્ચિમી લગ્નજીવન ભંગારનું એ દર્શન કરાવે છે. “મીસ એલાયન્સ’ એ જ પ્રકારની વિષય અને આકૃતિ સૌન્દર્યનું પ્રભુત્વ સિદ્ધ કરતી શેની બીજી રચના છે. ધ હાર્ટબ્રેક હાઉસ વેરવિખેર ને છિન્નભિન્ન થતા કુટુંબજીવનની કરુણતા હાસ્યને કટાક્ષ નીચે છુપાવે છે. છેલ્લાં ત્રણેય નાટમાં વસ્તુની સળંગ-સૂત્રતાને લગભગ અભાવ દેખાય છે. અને પાત્રોની જુદી જુદી ગતિવિધિઓથી સમગ્ર રચનાનું હાડ બંધાય છે. સમાજજીવનની સમીક્ષા સાથે કલાત્મક પ્રગશીલતાને સજક ક્યાંય ભૂલી શકતા નથી. ડોકટર્સ ડાઈલમા'માં એ ઠેકટરો અને દદીઓના વિલક્ષણ સંબંધેનું નિરૂપણ કર્યું છે. જે કાર્ય ઘણું ઉમદા ને પવિત્ર ગણાવું જોઈએ તેને કટ અને દવાના વેપારીઓ કેવું ધંધાકીય સ્વરૂપ આપે છે એ પરિસ્થિતિ જાણીતી છે. વિવિધ રોગો અને રવાથી ડોકટરે વચ્ચે રીબાતા દદીઓનું શ્રધેયચિત્ર તે અહીં જોવા મળે જ છે, પણ વિશેષ તે ડોકટરના માનવીય વરૂપનું લેખક વિસ્મયજનક નિરૂપણ જે રીતે કર્યું છે તે ફકત તત્કાલીન નથી, સવંકાલીન છે. નાટકના અન્તમાં કે કરુણ ઘટના બનતી નથી અને છતાં નાટકની નાયિકા જેનીફરની અન્તરવ્યથા. જ આ નાટકને ટ્રેજેડી બનાવે છે. બહુ રસિક ન લાગે એવું આ નાટક માનવસ્વભાવના ચાતુર્યવંત અવલોકન માટે ખૂબ મહત્ત્વનું બન્યું છે. શોએ મહદઅંશે કામેડીએનું સજન કર્યું છે, ત્યારે અહીં તેને ટ્રેજેડી રચવાને પ્રાગ ઠીક રીતે સિદ્ધ થયેલ છે. વ્યકિત, કુટુંબ અને સમાજની બહાર નીકળીને લેખક એપલ કાટ” કે “ નટ બિલિયન્સ' જેવી રચનાઓ દ્વારા રાજકારણ અને અર્થશાસ્ત્ર પ્રત્યે વળે છે. “એપલ કોર્ટમાં -તેમણે રાજાશાહીના વિરોધમાં લોકશાહીનાં અનિષ્ટ દર્શાવ્યાં છે. તે ‘બેનટ બિલિયન્સ'માં કરોડપતિઓ અને અબજપતિઓના જીવનની વેધક કઠણાઈ બતાવી છે. પહેલા વિશ્વ યુદ્ધની ભૂમિકા ઉપર તેમણે ચાર Playlets of war લખીને એ ઘેર સંગ્રામની યાતનાઓ પિતાની લાક્ષણિક કટાક્ષવાણી દ્વારા પ્રગટ કરી છે. 'જીનિવા” મહદ અંશે પ્રયોગશીવ્રતાની દ્રષ્ટિએ લખાયેલું નાટક છે. પણ તે દ્વારા તેમણે વિશ્વશાંતિના કર્ણધારે જ જગતમાં કેટલી અશાંતિ ફેલાવે છે ને આન્તરરાષ્ટ્રીય નાણાંને દુર્વ્યય કરે છે તે વક્રદષ્ટિએ દર્શાવ્યું છે. કરે છે ત્યારે તેમને શયતાનનો ભેટો થાય છે શયતાન પણ મુખ્ય પાત્રની જોડે લાંબી ને ગહન તત્વચર્ચામાં જોડાય છે. શયતાન એમ કહે છે કે આજને તમારે માનવી એટલે તે મૂખ ને ખરાબ છે કે તેને સર્વનાશમાંથી કઈ ઉગારી શકે તેમ નથી. ત્યારે દેનજુઆન એવી દલીલ કરે છે કે ફક્ત માણસમાં જ એવી વિરલ શકિત રહેલી છે જે દ્વારા તે ખૂબ આત્મસંઘર્ષ કરીને મહામાનવ-Superman બની શકે તેમ છે. માણસમાં રહેલી આ વિરલ શકિતને નજુઆન Life Force તરીકે ઓળખાવે છે. વાસ્તવિક રીતે કહીએ તો. શે ના મનને એ આંતરિક સંધર્ષ છે. તે અહીં વ્યકત થયે છે. સામાન્ય રીતે નાસ્તિક મનાતા શે Life-Force માં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમને ઊડે ઊંડે શ્રદ્ધા છે કે આ Life-Force આ વિરલ શકિત ઈશ્વરનું જ બીજુ રૂપ છે. પ્રચ્છન્ન રીતે શે આમ એક આસ્તિક જ છે. આ નાટકની સમીક્ષા કરતાં એ. સી. ડ એમ નોંધે છે કે શો નાં પાત્રો કેવળ લેખકના Mouth pieces છે એ જે આક્ષેપ થયું છે તે બેટે છે. કેમકે અહીં નજમાન અને શયતાન પરસ્પરથી ખૂબ વિરોધી વિચારે વ્યકત કરે છે. તેમાંથી કેના વિચારો સાચા છે એ નકકી કરવાનું એ પ્રેક્ષક ઉપર જ છોડયું છે અને એ રીતે પિતાની ઉત્તમ કલાદષ્ટિને તેમણે અહીં પરિચય કરાવ્યું છે. - આ નાટકને માત્ર છેલે અંક જ લગભગ નેવું મિનિટ સુધી ચાલે છે. તેમાં વાત કે ઘટનાઓ જેવું કંઈ છે જ નહિ. છે ફકત દીધું ચર્ચાઓ ને ગહન જીવન પર્યેષણાઓ !' આવું સાહસ માત્ર બર્નાડ શે જ નાટકના સ્વરૂપ દ્વારા કરી શકે. પણ શેની વિશેષતા એ છે કે તેઓ ગંભીર ચર્ચાઓની સાથે પ્રેક્ષકોને કે વાચકને સતત હસતા રાખે છે. હાસ્યરસની છોળામાં જીવનનું ગહન તત્વજ્ઞાન ઓગળી જાય છે. એટલે પાઠકે “બેર થઈ જતા નથી. તેમને કંટાળે આવતા નથી. શે એમ કહેતા હતા કે મારે તે ફિલસૂફે મીટ કલાસ જોઈએ છે! અને ખરેખર અહીં તેમને A hit of philosophers મળી પણ રહે છે. કેમકે આ નાટક મૂળ તે એક કલાત્મક સર્જન કરવાની દૃષ્ટિએ જ છે એ લખ્યું હતું. પરંતુ સાહસિક દિગ્દર્શકેએ અને કલાકારોએ જ્યારે આ નાટક રંગભૂમિ ઉપર પેશ કયું ત્યારે નાટયગૃહમાં પ્રેક્ષકો શાન્ત સ્તબ્ધ-Spellbound-બનીને આ નાટક જોતા હતા, અને ટાંકણી પડે તે પણ સંભળાય એવી શાન્તિ સર્વત્ર પ્રસરી રહી હતી. સેન્ટ જન’ સર્વાનુમતે શોનું ઉત્તમ નાટક ગણાય છે. અહીં પણ લેખકને એજ આક્રોશ સંભળાય છે. જમાને જમાને વિશ્વ-નિયતા કોઇને કે માનવને પિતાનું રૂપ આપીને આ પૃથ્વી ઉપર એકલે છે, એ માનવ પૃથ્વીને ઉદ્ધારે છે અને છતાં પૃથ્વી પતિએ તેમને કેટલા સતાવે છે એ ફ્રાન્સની વીરાંગના જેન એફ આર્કના જીવન નિમિત્તે શાએ દર્શાવ્યું છે. અહીં માત્ર જોન એફ આકનું વીરચરિત્ર આપવાનો લેખકને ઉદ્દેશ નથી, પણ ઇશ્વરી અંશ ધરાવતા સ્ત્રી પુરુષોની જગતમાં જે વિડંબના થાય છે, અને તમને જે રીતે સતાવવામાં આવે છે, તે મુદે કેન્દ્રસ્થાને રહે છે. શોની જીવનદષ્ટિ અહીં બરાબર ઓતપ્રોત થયેલી છે. અને જેના દ્વારા બન શેનું પિતાનું જ વ્યક્તિત્વ અંકુરિત વહેતા સમય પ્રવાહમાં શોની આ બધી રચનાઓ કાલગ્રસ્ત બની જતાં કદાચ ભુલાઈ જશે પણ તેમણે ત્રણ એવી મહાન રચના કરી છે જેને કાળપ્રવાહ પણ લુપ્ત નહીં કરી શકે. આ ત્રણેય રચનાઓ ભવ્ય વિધદષ્ટિ ધરાવે છે. - “મેન એન્ડ સુપરમેનને બર્નાડ શેડ કેમેડી એન્ડ ફિલેફી તરીકે ઓળખાવે છે અને ખરેખર તેમાં એ બને છે. શેની આ એક ખૂદ નાટયકૃતિ છે. તેના ત્રણ અંકે છે અને તેમાં મુખ્ય પાત્ર ત્રણ છે. સાહિત્ય સૂવિટમાં તિહાસિક બની ગયેલા દેનજ આનના પાત્રને લેખકે જુદે જ પડ આપે છે. નાટકને છેલ્લે એક ખૂબ મહત્ત્વનો છે અને ખકની સર્ગશકિતને ઉત્તમ પરિચય કરાવે છે. દેન જુઆન અન્ય પાત્ર જોડે અહીં સ્વપ્ન જુએ છે તે દીર્ઘ ચર્ચાઓ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy