________________
* પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૯૮૯ તા. ૧૬-૯-૮૯
છે. સંયુકત અંક પ્રબુદ્ધ જીવનને તા. ૧-૧૦-૧૯૮૯નો તથા તા. ૧૬-૧૦-૧૯૮૯ને અંક સંયુકત અંક તરીકે તા. ૧૬-૧૦-૧૯૮૯ રોજ પ્રગટ થશે.
જૂની હોય છે, તેના બચાવનાં સાધનો હેતાં નથી.. મેળા પ્રસંગે ડીવાળા સમાય તેના કરતાં વધુ ઉતારુઓને ભરે છે અથવા ભરવાની ફરજ પડયાને બચાવ કરે છે. કાયદા પ્રમાણે હેડીની સ્થિતિ દર વર્ષે તપાસીને જે તેને લાઇસન્સ આપવું જોઇએ અને તેમાં પ્રવાસ કરવામાં સલામતી છે તેની ખાતરી કરવી જોઈએ. કાંઠા પરનો અધિકારીઓએ જોવું જોઇએ કે નિયમેનું બરાબર પાલન થાય છે, અને અકસ્માત વખતે બચાવનાં સાધને સુલભ હેય તે જોવું જોઈએ પરંતુ અહીં પણ દુષ્ટ રાજકારણ અને ભ્રષ્ટાચાર સર્વોપરી હોય છે, સ્થાનિક નેતાઓ નૌકાવ્યવહારમાં લાઈસન્સે કબજે કરે છે અને પ્રવાસીઓની સલામતીની ઉપેક્ષા કરીને વધુમાં વધુ ન થાય એવી રીતે નૌકાવ્યવહાર ચલાવે છે. નૌકાઓનાં લાઇસન્સ ધરાવનાર માથાભારે માણુ ચુંટણીમાં ઉભેલા નેતાઓને જિતાડવાનું કે હરાવવાનું સામર્થ્ય ધરાવે છે, તેમાં હોડી અકસ્માતમાં ડઝનબંધ કે સેંકડે માણસે ડૂબી જાય છે તેમાં કેને પડી છે? ' - આસામ, બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં નૌકાવ્યવહારનું મહત્ત્વ ઘણું જ છે. તેમ તે તેના અનર્થ. તથા દુરાચારથી પણ પીડાય છે. આધુનિક ધોરણે નૌકાવ્યવહાર વિક્સાવવામાં ભારત હજી એક વર્ષ પાછળ છે.
એક વધુ પા૫ ડુંગરાળ પ્રદેશમાં થતી જાનહાનિ માટે જવાબદાર છે અને તેમાં રાજકીય નેતાઓથી માંડીને રાજ કરતા પ્રધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનેગાર છે. આજે બળતણું તથા ઇમારતી કોમ માટે લાકડા એટલાં બધાં મૂલ્યવાન થઈ ગયા છે કે રાજકારણમાં વગ ધરાવનાર માણસે અમલદારોને અને પ્રધાનેને લાંચ આપીને વૃક્ષો કાપવાના પરવાના મેળવે છે. ગામડાની સ્થાનિક જરૂરિયાત માટે દસ વૃક્ષ કાપવાની રજા મેળવીને હજાર વૃક્ષ કાપવામાં આવે તે પણ કેણુ પૂછે છે ? મુખ્ય પ્રધાનોથી માંડીને જંગલખાતાના પ્રધાને સુધી સહુએ ચૂંટણીમાં ચૂંટાઈ આવવાનું હોય છે અને તે માટે બંધ મતે તે માથાભારે કોન્ટ્રાકટરો જ લાવી આપેને ! આવી રીતે હિમાલયને પણ એ મુંડી નાખવામાં આવ્યો છે કે એ દ્રશ્ય જોઇને સમજુ માણસને આઘાત લાગે. પરિણામ એ આવે છે કે અસંખ્ય વૃક્ષનાં મૂળ વડે બંધાઈ રહેલી ધરતી અને માટી વરસાદમાં છૂટી પડી જવાથી તે નીચે ધસી પડે છે, તેથી કામ કરતા મજુરોને અને ગામડાને દાટી દે છે.
મેટર અકરમાતે, રેલવે અકરમા અને વિમાની અકસ્માતે પણ મોટા ભાગે તેમના ચાલકેની ભૂલના પરિણામે હોય છે. વિમાની અકરમાતેના તપાસપંચના અહેવાલ આંખ ઉઘાડનારા હોય છે. વિમાની પ્રવાસીઓને વળતર ૫૦૦૦ ને બદલે ૧૫૦ હજાર આપવામાં આવે તે પણ આ પ્રજાસત્તાકના પ્રજાજનનું મૂલ્ય વધી જતું નથી. આવા અનેક અકસ્માત પાછળ દોષ માણસને તથા તેના માનસને હોય છે. ચાલતું હેય તેમ ચાલવા દેવું, કઈ સારું કામ કરવાની પહેલ ન કરવી અને પિતાની પદવીને શ્રેષ્ઠ આવક આપનાર જાગીર બનાવવી તે આ રોજબરોજ બનતા અસંખ્ય કણ અકસ્માતે માટે જવાબદાર છે.
આચાર્ય શ્રી વિજ્યવલભસૂરિ સ્મારક
વ્યાખ્યાનશ્રેણી સંધના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈના આર્થિક સહયોગથી ઉપયુકત વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે: વ્યાખ્યાતા ઃ ડે રમણલાલ ચી. શાહ વિષય : ગુજરાત ઉપર પંજાબના સાધુઓનો પ્રભાવ
સ્થળ : બિરલા કીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦ ૦૭. દિવસ: સેમવાર, તા, ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સમય : સવારના ૯-૦૦ કલાકે આ કાર્યક્રમના પ્રારંભે . પૂ. સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી મંગલાચરણ કરશે અને શ્રી જતીન શાહ ભકિત સંગીત આપશે. સૌને સમયકર ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે. શૈલેશ એચ. કેકારી કે. પી. શાહ સંજક - નિરુબહેન એસ. શાહ
મંત્રીએ સાભાર સ્વીકાર
* કાવ્યસ્પંદિતા (ગુજરાતી કવિયિત્રીઓ અંગેનો શધ પ્રબંધ) લે. ડો. ગીતા પરીખ * ડેમી સાઈઝ * પૃષ૩૦૬ * મૂલ્ય : રૂ. ૬૫ મ પ્રકા. ગીતા પરીખ એ / ૨, મનાલી એપાર્ટમેન્ટસ, વિક્રમ સારાભાઈ રોડ, અમદાવાદ૩૮૦૦૧૫ * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લે. ડે. . રમણલાલ ચી. શાહ * કાઉન સેબપેજી-પૃષ્ઠ-૬૦ # પ્રકા. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/ બી. ચંદ્રનગર સોસાયટી, આનંદનગર, જ્યભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ * આચારાંગસૂત્ર (ગુજરાતી અનુવાદ) લે. સંતબાલ * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૪૩૨ * મૂલ્ય રૂા. ૪૦/- પ્રક. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઇની વાડી, અમદાવાદ-૩૮૦૦૦૧. * પશુઓની નગરયાત્રા # લે સુશીલા ઝવેરી ઝ કાઉનસેળ પિજી * પૃષ્ઠ-૯૬. મૂલ્ય- રૂા. ૧૪/ને પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાક અમદાવાદ-૩૮૦૦૦૧ * માનસિક શાંતિના ચેટ ઉપાયે * લે... એન. અનંતનારાયણ * કાઉન સોળ પેજી * પૃષ્ઠ- ૩ * પ્રકા. દિવ્ય જીવન સંધ, શિશુવિહાર, ભાવનગર ૩૬૪૦૦૧ * ચાહ ગઈ ચિંતા ઘટી (હિન્દી) લે. ચંદનમલ ચાં * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૧૮૩ મૂલ્ય રૂ. ૨૫ % પ્રકા. ચાંદ પ્રકાશન ભારત જૈન મહામંડળ, ૧૦૮, એ. સ્ટાન્ડ હાઉસ, ૧લા માલા ૮૩, મહર્ષિક રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨ * પહલા સુખ નીરોગી કાયા (હિન્દી) સંપા, ચંદનમલ ચાંદ * ડેમાં સાઈઝ ૧ પૃષ્ઠ – ૧૯૮ મૂલ્ય રૂ. ૨૫, પ્રકાશક ઉપ મુજબ “ સ્વાદ્વાદ ઔર સપ્તભંગીનય (હિન્દી લે. ડો. ભીખારીરામ યાદવ * ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ:
૨૩૦ મૂ૫ રૂ. ૬૦ પ્રકા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ છે આ સંસ્થાન, આઈ. ટી. આઇ. રાડ, વારાણસી (યુ. પી.