________________
તા. ૧૬-૭-૮૯
પ્રબુદ્ધ જીવન :
વિષયને અનુરૂપ ગુજરાતી ભાષા માટે તેઓ લાચાર હતા. તેમ છતાં તેઓએ ગુજરાતી ભાષાનું માધ્યમ રવીકાયું અને શીખવ્યું પણ ખરું... ' અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરે વિષમાં વર્ષોથી કેટલાક અંગ્રેજી શબ્દ અધ્યાપકેને તેમના અદયાપનકાર્યમાં આત્મસાત થયા હોય તે શબ્દને ભાવ પ્રમાણેને ગુજરાતી ભાષાના પર્યાય તેઓ શેાધી ન શકે એ દેખીતી બાબત હતી. તેથી સઘળા વિના પારિભાષિક શબ્દ તૈયાર કરવા એ ગુજરાત યુનિવર્સિટીની તાત્કાલિક
જવાબદારી હતી. ગુજરાત યુનિવર્સિટીએ થડા પારિભાષિક શબ્દોની યાદી સાઈકલેસ્ટાઈલ કરાવીને કોલેજોમાં એકલી હતી, પણ તે યાદી કહેવા પૂરતી જ હતી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીએ પારિભાષિક શબ્દોની નાની પુસ્તિકાઓ છપાવી. પરંતુ તે પણ પર્યાપ્ત નહોતી. વાસ્તવમાં પારિભાષિક શબ્દ નકકી કરવા માટે સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાઓના નિષ્ણાત તેમજ જે વિષયના પારિભાષિક શબ્દ નકકી કરવાના હોય તે વિષયના નિષ્ણાત અધ્યાપકની સમિતિ હોવી જોઇએ. આ યાદી ઉપરછલ્લી રીતે તૈયાર ન થવી જોઈએ, પરંતુ તે પર્યાપ્ત અને સંપૂર્ણ હોવી જોઇએ.
ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા હોવી જોઇએ એ સિદ્ધાંત પાછળ વિચારસરણી એ હતી કે વિદ્યાથી માતૃભાષાના માધ્યમ દ્વારા જ કેઈ વિષય સારી રીતે ગ્રહણ કરી શકે અને તે વિષય પરની પકડ મેળવવા પણ સરળતાથી સમર્થ થાય. આ સંબંધમાં પ્રબુદ્ધ જીવનના માનનીય તંત્રી મહાશય ડો. રમણલાલ ચી. શાહે તા. ૧-૧-'૮૭ના પ્રબુદ્ધ જીવનમાં તેમને ‘ભાષાવાનું વિષ” તંત્રીલેખમાં લખ્યું છે, “માણસ પોતાની જાતને સારામાં સારી રીતે માતૃભાષામાં વ્યકત કરી શકે છે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું જો એ માધ્યમ હોય તે તે તેમાં ગ્રહણ કરવામાં અને વ્યકત કરવામાં વધુ સફળતા મેળવી શકે છે.” આ વિચારસરણી વૈજ્ઞાનિક છે એમાં કઈ જ શંકા નથી. પરંતુ વિદ્યાથી વિષય સમજે અને તેના પર પ્રભુત્વ મેળવે તે માટે વિષયની સામગ્રી માતૃભાષામાં પ્રાપ્ય હોવી જોઇએ એ અનિવાર્ય બાબત છે. પ્રાદયાપકનાં વ્યાખ્યાનથી વિષય સ્પષ્ટ બને અને તેમાં રસ પડે એ આનંદની વાત છે, પરંતુ વાચને માટેની તે વિષયની સામગ્રી માતૃભાષામાં યોગ્ય પ્રમાણમાં ન હોય તે ઉચ્ચ શિક્ષણનું માળખું ખામીભર્યું જ ગણાય
તે સમયે થેડા અપવાદો બાદ કરતાં ઇંગ્લેંડના પ્રાધ્યાપક અને વિદ્વાનોનાં જુદા જુદા વિષય પર લખેલાં પુસ્તક જ ઉપલબ્ધ હતાં. વિદ્યાથીએ પિતાની વિચારશકિત ખીલવે અને કઇ ચેકકસ વિષયને તલસ્પર્શી અભ્યાસ કરવા પામે એવા ઉચ્ચ શિક્ષણના હેતુને અનુલક્ષીને લખાયેલાં એ પુસ્તકે હતાં. પારિભાષિક શબ્દોની સંપૂર્ણ અને પર્યાપ્ત યાદી આપ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીની તરતની જવાબદારી એ હતી કે અભ્યાક્રમ પ્રમાણેના વિષયે માટે સુચવાતાં પ્રમાણભૂત અંગ્રેજી પુસ્તકેને ગુજરાતીમાં અનુવાદ થાય, પરંતુ આ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવાની વ્યવસ્થિત પેજનાના અભાવે કોલેજોનાં પુરતકાલયમાં તે માત્ર શભા પૂરતાં રહ્યાં છે. પરિણામે, નવી પેઢીઓના વ્યાખ્યાતાઓ
અને પ્રાધ્યાપકૅ માટે જે સંદર્ભગ્રંથનું વાચન જરૂરી ગણાય તે નહિવત્ બન્યું હોય એ દેખીતું છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમના વિષયને સ્પર્શતા ગ્રંથ સંસ્કૃત, હિંદી, બંગાળી વગેરે ભાષામાં લખાયેલા હોય તેમને પણ ગુજરાતી ભાષામાં અનુવાદ કરે એ અહીં સ્વીકૃત જ છે : '.
હું જ્યારે ૧૯૪૮માં કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા હતા ત્યારે અંગ્રેજીના વિષયમાં ગદ્યમાં નિબંધ, પદ્યમાં જુદાંજુદાં કાવ્ય અને એક નવલકથા એમ ત્રણ પુસ્તકોનો અભ્યાસ કરે પડતા હતા. બીજા વર્ષમાં એટલે ઇન્ટર આર્ટસમાં નિબંધ, શેકપીઅરનું નાટક અને એક નવલક્યાં, તદુપરાંત The Art of Writing-લેખનકળાનું નાનકડું પુરત એમ ચાર પુસ્તકોને અભ્યાસ કરવાનો રહે. ગુજરાત યુનિવર્સિટી થતાં અભ્યાસક્રમમાં ગુજરાતીનું આ જાતનું સ્થાન થયું ખરું ? ત્યારે બી. એ.નાં બે વર્ષ હતાં વિદ્યાર્થીઓ બી.એ.માં ઐચ્છિક વિષયે જે પસંદ પડે તે લે, પણ બંને વર્ષમાં અંગ્રેજી વિષય ફરજિયાત હતા. ગુજરાત યુનિવર્સિટી થયા પછી ત્યારે બી.એ.માં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે સ્થાન મળ્યું ? અહીં ભાષાવાદ કે પ્રાંતવાદની હિમાયત નથી, તેમ રાષ્ટ્રભાષા પ્રત્યે અનાદર નથી; પરંતુ ગુજરાતી ભાષા કે માતૃભાષાનાં યોગ્ય રથાનની જ બાબત છે. ગુજરાતના વિદ્યાથીઓને ન આવડે સરખું અંગ્રેજી કે હિંદી અને ગુજરાતી-માતૃભાષા અંગે પણ ઉચિત જાણકારી ન મળે તેવા શિક્ષણની શી સાર્થકતા ગણાય ? ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતમાં ગુજરાતી છે એને અર્થ એ જ થાય કે શિક્ષણના પ્રત્યેક તબકકે ગુજરાતી ભાષાનું શિક્ષણ, જેમ અ ગ્રેજોના સમયમાં અંગ્રેજીનું શિક્ષણ મહત્ત્વપૂર્ણ હતું, તેમ મહત્ત્વપૂર્ણ બનવું જ જોઈએ. આમ થતું નહિ રહે તે ગુજરાતના શિક્ષિત યુવાને તેમના વિચારો મેગ્ય રીતે વ્યકત નહિ કરી શકે જે વૈયકિતક રીતે તેમજ સામાજિક રીતે ઈટ નથી. - ગુજરાતી વિષય ગમે તે શિક્ષક શીખવી શકે એવી માન્યતા ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં હાઈકુલના શિક્ષણ અંગે હતી. ભલે શિક્ષકની માતૃભાષા ગુજરાતી હોય એટલે તે શીખવી શકે એમ માની લઇએ, પરંતુ ગુજરાતીને વિજય શીખવવા માટે વિશિષ્ટ લાયકાત હોવી જ ઘટે એ સત્યનું ગૌરવ લેવામાં ગુજરાતના કેળવણીકારાની શેભા છે. જે ભાષા ગુજરાતીઓના વિચારની અને રોજબરોજના વ્યવહારની છે, જે ભાષા દ્વારા પોતાના ભાવે અને લાગણીઓ વ્યકત કરવામાં આવે છે અને જેનાં સાહિત્યનું પાન જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે તે ભાષા પ્રત્યે વધુ પડતી ઉદાસીનતામાં નુકસાન જ રહેલું છે. અ ગ્રેજોના સમયમાં હાઇસ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણનું જે મહત્ત્વનું સ્થાન હતું તેવું સ્થાન પ્રાપણે આજે પણ ગુજરાતી. ભાષાના શિક્ષણને આપી શક્યા નથી. તે સમયમાં મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ પ્રશ્નપત્ર અંગ્રેજીને રહે ત્યારે આજે આપણે પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીને રાખીએ છીએ એટલે બાહ્ય ફેરફાર ગુજરાતીનું મહત્ત્વ બતાવવા માટે જરૂર કર્યો છે. પરંતુ એમ તે નથી ને કે પ્રથમ પ્રશ્નપત્ર સહેલે હોય તે વિદ્યાથીઓને બીજા પ્રશ્નપત્રોમાં માઠી અસર ન થાય માટે ગુજરાતીના પ્રશ્નપત્રને પ્રથમ સ્થાન આપ્યું છે ? એ સિવાય એસ. એસ. સી.ના ગુજરાતીના અભ્યાસક્રમમાં