SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ , પ્રબુદ્ધ જીવન. સ્થિતિને કાને જે રીતે આલેખી છે એ જોઇએ. કાવ્યારંભે જ માદ્રી પાંડુને રેકતા કહે છે કે, નહીં નાથ ! નહીં’ નાથ ! ન જાણે કે સવાર છે. આ બધું ઘર અંધારું હજુ તે બહુવાર છે.' પરંતુ પાંડુ તે નીકળી પડે છે... “ખરે ત્યારે આને અનુભવ જરા આજ કરીએ, જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ. ફરીએ.” આ જરા” આખી પરિસ્થિતિને પલટાવનારુ નીવડે છે. પછી તે વસંતના વૈભવનું સુંદર ચિત્રણ કાવ્યમાંથી પ્રકટે છે. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ, ડોલતે વાયુ વાયા પાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય બેસીને કોણ જાણે કયહિં પરભૃતિકા, ગાન સ્વગીય ગાય ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.’ * આ વસતનો વૈભવ એનું ધાર્યું કરે છે અને પાંડુ બોલી ઉઠે છે ‘પ્રિયે ! માદ્વી! આહ ! સહન મુજથી આ થતું નથી, નહીં મારે જોઈએ તપલ ભલે એ સહુ થતું !” માદ્રી પણ જાણે છે કે આ તે વિનાશને આવકારી રહ્યા છે એટલે એ કહે છે કે, - અરે હાય ! હાય ! નહીં, નાથ નહીં કહીને છૂટી જઈ ભૂજ થકી, અવગત રહી તે.” પરંતુ પાંડુ તે હવે વસંતના પૂરા પ્રભાવ હેઠળ છે, તે કહે છે કે- “જાણું બધુ, પણ દીસે સ્થિતિ આ નવીન મારું નથી બલ બન્યું જલ બહાર મીન દેવી ! વિચાર કરવા સઘળા તજી દે રે હાય ! સ્પર્શ સુખ પ્રાણુ સખી હજી દે.’ પાંડુની માગણીને માદ્રી નકારી શકતી નથી, દેવને અંતે વિજય થાય છે અને કહ્યું વાતાવરણ છવાઈ જાય છે. ' - “ચઢવામિથુન’માં પણ રાત્રીવિરહ : સહન ન થતાં ચક્રવાક યુગલ સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં ક્ષણે ક્ષણના સહવાસને તલસતાં–તલસતાં ઊંચે ઊંચે ઊડતાં જ રહે છે ને પછી ઊંડી ખીણમાં ઝંપલાવે છે. રાત્રી સાથે ન ગાળવાનો નિયતિને શાપ છે એટલે પ્રિયતમાને વિચાર આવે છે અને ચાલે એવા સ્થળ મહિં વસે સૂય જેમાં સદેવ આનાથી કે અધિક હૃદયે આદ્ર હોય ત્યાં દેવ.” પરંતુ ચક્રવાક જાણે છે એટલે એ પ્રત્યુત્તર આપે છે કે... લાંબા છે જયાં દિન પ્રિય સખી રાત્રીએ દીર્ઘ તેવી આ મેં પ્રણયસુખની હાય આશા કેવી.’ અંતે એવું જ બને છે. પ્રણયસુખની ઝંખના બંદ્ધ જ રહે છે. ચક્રવાક યુગલના રૂપક દ્વારા અહીં પણ કવિ માનવીય જીવનની વિફલતા–નિસ્ટારતાને જ ઘેરા કરુણથી કલાત્મક રીતે આલેખે છે. કાન્ત પોતે જાણતા હતા કે તેઓ “નિરાશાવાદી ચિંતક છે. 'વિષાદનું બાળક' છે. આ નિરાશા અને વિષાદની સૃષ્ટિ તેમનાં ખંડકાવ્યોમાં લયાન્વિત રીતે પડઘાય છે. કવિએ બહુધા કઠોર વણને ખપમાં લીધાં નથી. ખાસ કરીને એણ્ડયદત્ય સ્પર્શીને એવી રીતે જયા છે કે કાવ્યબાની સંગીતપૂર્ણ બને છે. પ્રાસ, અનુપ્રાસ-આંતરપ્રાસને પણ આ કાવ્યબાનીને લયાન્વિત બનાવવામાં બહુ મોટો ફાળો છે. સૂઝપૂર્વકની છંદયોજના પણ આ ખંડકાવ્યની આગવી વિશિષ્ટતા છે. કાલે ભારે કુશળતાથી ભાવને અનુરૂપ છંદનું ભજન કર્યું છે.. આ કારણે કાવ્યમાંથી ભાવ તીવ્ર રીતે ઊપસે છે. ઉપરાંત માનવજીવનની વિફળતાને કાવ્યોચિત રૂપ અર્પવામાં એમણે પાંડ-માદ્રી, સહદેવ જેવી Mythો ઉપયોગ કર્યો. ચક્રવાકમિથુનઅને બીજાં કાવ્યોમાં Myth નથી ત્યાં કવિમય Poetic beliefને રચનાયુકત તરીકે પૂરી સમજદારી અને સહજતાથી વિયાગ કરવા પ્રવૃત્ત થયા અને સફળ પણ થયા. Mythનાં સૂઝપૂર્વકના વિનિયોગને કારણે તે આ ખંડકાવ્ય વધુ ચુરસ્ત અને ધારદાર પણ બન્યાં છે. માણસજાતની ક્ષમતા, મર્યાદા અને પરાધીનતાને વાચા આપવામાં કાન્ત પૂરા સફળ થયા છે. લયાન્વિત અને કાવ્યબાની અને છંદ, Myth વિનિયોગ કળાને કારણે કાવ્યતર્ગત ભાવ એ જ માત્રામાં સંક્રમણ પામે છે. લયાન્વિત કાવ્યબાની, ભાવાનુરૂપ છંદ જન અને Mythો વિનિયોગ આ રીતે અર્થપૂર્ણ અને સ્પર્શરૂપ છે. અકળતા, નિસારતા અને કરુણુભાવયુકત કથાનક તથા એની સૂઝપૂર્વકની અભિવ્યકિતનો એક બહુ માટે આદર્શ કાન્ત આ નિમિતે સ્થાપી ગયા છે. પાષાણમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું શાને આવું, નહીં નહીં કરે ! આપણે નાથ સહેવું ગોમંડળ પરિક્રમણ છે , અરુણું બક્ષી તાદર્થ (જુલાઈ ‘૮૮) તથા “પ્રબુદ્ધ જીવન” (નવેમ્બર થર્ણવી છે. '૮૮) માં શ્રી ચંદ્રવદન મહેતાએ સૌ. નંદકુવરબા રચિત પરદેશ પ્રવાસની પ્રવૃત્તિ અતિમંદ હતી તેવા સમયે ગેામંડળ પરિક્રમણ નામના પ્રવાસપુસ્તકને અદ્ભુત ગણાવી તેના ગોંડળનાં મહારાણી શ્રી નંદકુંવરબાએ દરિયાપારના ઘણા પુનર્મુદ્રણ અંગે જે સજાગતા દાખવી છે તે પ્રશંસનીય છે. પરંતુ દેશને પ્રવાસ કર્યો હતો. પ્રથમ નાદુરસ્ત તબિયતને કારણે મારે અહીં જણાવવું જોઈએ કે, ગુજરાતી પ્રવાસસાહિત્યના હવાફેર માટે તેઓ સ્કેટલેન્ડ ગયાં હતાં અને ત્યાંથી તેમણે સંશાધન-અભ્યાસ નિમિત્તે આ પુસ્તક વાંચવાની તક મને પ્રાપ્ત યુરોપના અન્ય કેટલાક દેશની સફર પણ કરી હતી. તે પછી થઇ હતી. વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આજથી દસ વર્ષ ફરી બે વાર તેમણે વિદેશપ્રવાસ કર્યા હતા. નવા દેશ, નવા લોકે અને પહેલાં આ પુસ્તકને મેં અભ્યાસ કર્યો હતો. અને મારા પ્રકાશિત નવા રીતરિવાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં હતાં. પ્રવાસ દરમિયાન મહાનિબંધ “ગુજરાતી પ્રવાસસાહિત્ય' માં “ગામંડળ પરિક્રમણ પરતકની એક લેખિકાના પ્રથમ મૌલિક પ્રવાસગ્રંથ તરીકે ૧ “ગુજરાતી પ્રવાસસાહિત્ય', ઈ. સ. ૧૯૦૨, પૃષ્ઠ ૯૧- નોંધ લીધેલી જ છે તથા તેની કેટલીક વિશેષતાઓ પણ પ્રકા. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy