________________
તા. ૧-૫-૮૮ તા. ૧૬-પ-૨૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
૩૩
ઝાઝું તે એ ઉપમા-દષ્ટાંતને આશ્રય લે છે. અખાજીની ઉપમાશકિતને જેટે જડવો મુશ્કેલ છે. એમની ઉપમાનસૃષ્ટિ એટલી વિશાળ છે કે જાણે જગતના એકે એક પદાર્થને એમાં સમાવેશ થયો હોય એવું લાગે ઉપમાને અનુરૂપતાથી. અનાયાસપણે અને ઊભરાતાં આવે છે. ઉપમા-દ્રષ્ટાંતની અવયવરચના વિવિધ રીતે થતી આવે અને સતત તાજગીને અનુભવ આપણને થયા કરે છે. અલંકારરચનાનાં જડ એકઠાં કયાંયે દેખાતાં નથી. એક બાજુથી “યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર” જેવી સઘન રૂપકરચના આપણને મળે છે, તે બીજી બાજથી ફલાવેલાં, વિરતારેલાં ઉપમાચિત્ર પણ સાંપડે છે. જેમકે
જડી છે એ રીતે વિચારનું મૂલ્ય છે. - આ રીતે જોઇએ ત્યારે અખાજી તત્વવિચારક કરતાં વધુ તે જીવનસાધક સંત છે એમ કહેવા વારે આવે. પણું અખા અંગત જીવનસાધનામાં પુરાઈ રહ્યા નથી. ગાંધીજીની જેમ એ માનતા જણાય છે કે જે એકને માટે શકય છે તે સૌને માટે શકય હોવું જોઇએ. એથી જ તે એમણે આપણી સાથે વાર્તાલાપ આરંભ્યો છે. એમની વાણીમાં અમીયતા છે કે મનુષ્યમાત્રના કલ્યાણને આવેશ પણ ધબકે છે. એ સંસારને, પિતાના સાથી-માનવેને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે.
જ્ઞાની સંત અખાએ પિતાની જાતને કવિમાં ખપાવવાનું ઇચ્યું નથી. જ્ઞાનીને કવિ ગણવાની એ ચોખ્ખી ના પાડે છે. પણ આનું કારણ તે એ છે કે કવિઓ વિશેને એમને અભિપ્રાય જરાય ઊંચે નથી. એ જુએ છે કે કવિઓ તે જ્ઞાન કે અનુભવ વિના પોકળ વાણીવિલાસ કરનારા છે. એમની પંગતમાં કેમ બેસાય? પણ કવિતાના કોઈ પણ ધોરણે આપણે અખાજીને કવિપણામાંથી બાકાત રાખી શકીએ તેમ નથી. બલકે મેટા ગજાના કવિ તરીકે એમને આપણે સ્વીકારવાના રહે છે. અખાજીએ નિરૂપણું ભલે તત્ત્વવિચારનું, બ્રહ્મજ્ઞાન ને એની સાથે સંબંધ ધરાવતા વિષયનું કર્યું પરંતુ એમાં એ તટસ્થ નિરૂપક રહ્યા નથી. એમની ભારે જાતસંડોવણી છે એમા. એમની કૃતિઓ વાંચતાં રાષ, કેપ, વિનેદ, વિસ્મય, આરત, આદર, ઉમળકે, ઉત્સાહ, ઉલ્લાસ, પ્રસન્નતા વગેરે અનેક ભાવની મુદ્રાઓ આપણે કલ્પી શકીએ છીએ. “વિચાર કહે પાપે શું અખા ? જન્મોજન્મને કયાં છે સખા?” એ પંકિતમાં વ્યકત થત આરતમિશ્રિત વિષાદને ભાવ જ અને “એ કાઢયે. ખેળી ભાઈ રે હુંએ હું કાઢયો ખેાળી' એ ઉદગારમાં છલકાત બાલસહજ આનંદમતીને ભાવ જુઓ. “અખેગીતા'માં મળતા ભક્તના વર્ણનની ભાવસભરતા તે અનન્ય છે.
આ ભાવાવિષ્ટતા એ અખાજીને પહેલે કવિગુણ તે પ્રત્યક્ષતા કે મૂર્તતા એ એમને બીજો કવિગુણ વિચારને ચિત્રમાં પલટાવવાની અદ્દભુત કળા અખાજીને સાધ્ય બની છે. કેટલીક વાર એ સીધું વીગતભયું વર્ણન કરે છે-“એક મૂરખને એવી ટેવ” વગેરે જાણે કથાકથન કરતા હોય એવું પણ લાગે. પણ
બાળક જ્યમ રમાડે શ્વાન, દુર થકી દેખાડે ધાન, પૂછ હલાવે, ચાટે લાળ, ઊંચું કરી ભરાવે ફાળ, લલચાવ્ય દેશાન્તર જાય, અખા એમ રમાડે માય.
ઉપમા-દ્રષ્ટાંતને અનેક ક્રિયાઓને સમાવતા ગતિશીલ ચિત્રરૂપે રજૂ કરવાની અખાની આ વિલક્ષણ રીતિ છે.
અખાજીને ત્રીજો કવિગુણ તે એમની ભાષાસમૃદ્ધિ છે. એમની ભાષાનું લક્ષ્ય સ્વાભાવિક રીતે જ સેન્દય નથી પણ સામર્થ્ય છે. સંસ્કૃત, ફારસી, તળપદી, ગુજરાતી, ગામઠી અને ગુજરાતના વિવિધ પ્રદેશોની ભાષાના ખજાનાને અખાજીએ કસ કાઢયો છે ને “ત્રપનમે” “વિરહવૈરાગ્ય’ જેવા અર્થે સમર્પક શબ્દ ઘડી કાઢયા છે. કહેવતો, રૂઢકિતઓને પણ એમણે કસ કાઢયે છે અને લકિત બનીને રહે એવી અનેક સ્મરણીય મકિતઓ આપેલી છે. વિરલ શબ્દોને વિનિયોગ અને વિલક્ષણ વાક્યરચનાઓ અખાજીની વાણીને કેટલીકવાર દુર્બોધ બનાવે છે, પણ એવાં સ્થાને એ જ્યારે અર્થપ્રકાશ થાય છે ત્યારે આપણને ચમત્કારને અનુભવ થયા વિના રહેતા નથી.
અખાના વિચાર-અનુભવ-જગતને આપણને સાક્ષાત્કાર કરાવનાર છે અખાજીનું આ કવિત્વ. એમના કવિત્વની એ જ સાર્થકતા છે.
વિચારક સંત અને કવિ જેમનામાં એક બનીને વસ્યા છે એ આ અખાજી રમધ્યકાલીન ગુજરાતની જ નહીં, સવકાળના ગુજરાતની વિરલ વિભૂતિ છે.
વિચાર–વલેણું
૦ જયેન્દ્ર ત્રિવેદી રક્ત-કણમાં કયા કયા તત્વો રહેલાં છે એને થે વાંધો આવતે નથી પણ એ તત્વની ઉપાસના કરવાનું મન ઘણે ખ્યાલ છે. પૂરતી માહિતી તજ પાસેથી મેળવી શકું થતું નથી. મકરન્દ દવે જેવાના સાનિધ્યમાં હોઉં છું ત્યારે તેમ છું પરંતુ મારી અંત તનાના ઘડતરમાં કયા કયા તએ એ પરમ તત્વની ચેતના સર્વવ્યાપ્ત છે એમાં શંકા થતી નથી ભાગ ભજવ્યું છે અને નિશદિન એમાં શું પરિવર્તન થઈ પણ એ પરમ તત્વની સાધના કરવાનું મન થતું નથી. ભારતીય રહ્યું છે એને તટસ્થ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું પણ ધર્મગ્રન્થ વાંચ્યા છે પણ આ જીવન નશ્વર છે અને સ્વગ– પૂર્ણ સફળતા મળતી નથી.
પ્રાપ્તિ કે મેક્ષપ્રાપ્રિ એ જ જીવનને હેતુ છે એવું કદી લાગ્યું સંસ્કારના જોરે મંદિર-મસ્જિદ-દેવળ-ગુરુદ્વારા પાસેથી
નથી. ચૌદ લોકની વાત કપોલકલ્પિત છે એમ માનું છું પણ પસાર થતી વખતે નમસ્કાર થઈ જાય છે પણ માકને વાંચ્યા જીવ સૂક્ષ્યદેહે અવકાશમાં વિચરતા હોય તે વિચારતા હોય પછી ઇશ્વર નથી એની દઢ પ્રતીતિ મનને થઈ છે. કેઈ પરમ એમ પણ ક્યારેક લાગે છે. તત્ત્વનું અસ્તિત્વ હોઈ શકે છે એમ માનવામાં આ પ્રતીતિને જ્ઞાન-ભક્તિ-કમની મહત્તા અને મર્યાદા સમજાય છે પણ