SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ તેને નિષેધ કરે તે ત્રાણ, તાત્પર્ષ, (૧) લય સાથે સંગત એવા વિધિ-નિષેધ દર્શાવવા એ શાસ્ત્રનું મુખ્ય પ્રજન છે; અને એ કથનામની પહેલી કસેટી છે. આત્માને સુધારવાને બદલે વધુ વિકૃત કરે એવા વિધિ નિષેધ દર્શાવનાર ગ્રન્થ આ પહેલી પરીક્ષામાં જ નાપાસ થઈ જાય છે. ( 2 થી નિરૂપણ કરી (૨) વિધિ-નિષેધ દર્શાવ્યા બાદ તેના પાલન માટે અત્યંત ઉપગી, પેષક અને નિર્દોષ ક્રિયાઓ પણ શા દર્શાવવી જોઇએ. દા. ત. અબ્રહ્મસેવન નિષેધ કર્યા પછી સ્ત્રીપરિચયત્યાગ, વિકૃતાહારત્યાગ, સ્ત્રીકથાત્યાગ વગેરે ૫ અ ચારે જે ન દર્શાવાય તે બ્રહ્મચર્યની સાધના સફળ બને નહિ એ ગળે ઊતરે એવી વાત છે. જે પ્રસ્થમાં આ રીતે નિર્દોષ ક્રિયાઓનું સૂચન જ ન હોય અથવા તે વિપરીત ક્રિયાઓનું સૂચન હોય તે બીજી છેદપરીક્ષામાં નાપાસ થાય છે. (૩) ત્રીજી તાપપરીક્ષા એ રીતે છે કે શાસ્ત્ર દ્વારા અમાદિ જે અતીન્દ્રિય પદાર્થોનું નિરૂપણ કરાય તે વિધિ-નિષેધ, નિર્દોષક્રિયા અને મુખ્ય લક્ષ્ય સાથે સંગતિ ધરાવતું હોવું જોઈએ એ પ્રકારના નિરૂપણ માટે તનાં (પરસ્પર વિરુદ્ધ દેખાતાં). અનેક પાસાંઓને ધ્યાનમાં લેવાં જરૂરી છે–એનું જ બીજુ નામ અનેકાન્તવાદ છે. જે કોઈ એક જ દષ્ટિકોણથી તે તનું નિરૂપણ કરવામાં આવે તે પાર વિનાની અસંગતિ ઊભી થાય અને એ ગ્રન્થ તાપપરીક્ષામાં નાપાસ થાય. " પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ત્રણ પરીક્ષાઓનું વર્ણન ઘણી સૂક્ષમતાથી કર્યું છે અને વીતરાગસ્તેત્રના આઠમા પ્રકાશના કેટલાક શ્લેકેના આધારે, સાંખ્ય-ૌદ્ધ-નૈવાયિકવૈશેષિક તથા પ્રભાકર, કુમારીલભટ્ટ કે મુરીરિમિશ્ર વગેરે જૈનેતર દાર્શનિકની માન્યતાઓથી સ્યાદ્વાદનું સુંદર સમર્થન ધરાવતું હોવું લગભગ દરેક યુગની બે અવસ્થા હોય છે. (૧) સિદ્ધદશા અને (૨) સાયમાન દશા. સિદ્ધજ્ઞાનયોગીને પરખવાનું લક્ષણ એ છે કે બાહ્ય ઇન્દ્રિયવિષયે તેને ઝેર જેવા લાગતા હોઈ સહજ રીતે જ તેમાં તેની પ્રવૃત્તિ હોતી નથી. સાદવમાન દશામ કદાચ આટલી ઉચ્ચ સ્થિતિ ન હોય પણ તે દિશામાં પ્રગતિ તે હોય જ. ઉચ્ચકેટેિની સાયમાન દશામાં અથવા સિદ્ધદશામાં કેવું આત્મજ્ઞાન થતું હશે તેની કંઇક ઝાંખી કરાવતા પૂ. ઉપાધ્યાય કહે છે કે-બીજી સઘળી વસ્તુઓથી આત્મામાં એકમાત્ર ચિન્મય-સ્વરૂપકૃત ભિન્નતાની નિરંતર પ્રતીતિ થયા કરેઅર્થાત આત્મામાં વિશુદ્ધ ચિન્મયતા સિવાય બીજુ કાંઈ જ લક્ષિત ન થાય તેવું જ્ઞાન એ શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.” (પ્લે. ૧૫) મન, વચન અને બાહ્યદષ્ટિથી જે કાંઈ નજરે ચડે એ બધું પરસ્વરૂપ છે, શુદ્ધદ્રવ્યનું એ સ્વરૂપ નથી, શુદ્ધ આત્મદ્રવ્ય તે. એનાથી તદ્દન પર છે. આગમે અને તેમાં રૂપ, રસ, વચન વગેરે ઉપાધિઓની વ્યવૃત્તિ કરવા દ્વારા જ શુદ્ધમાન સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે. એ બધી ઉપાધિઓથી પર એવા અતીન્દ્રિય બ્રહ્મતત્વનું ભાન સેંકડે શાસ્ત્રો કે તર્કથી નહીં પણ એક માત્ર વિશુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે છે.' (પ્લે. ૧૮-૧૦-૨-૨૧). “આ અનુભવદશા સુષુપ્તિ (બેભાન દશા) રૂપ નથી કારણ કે મેહથી અલિપ્ત છે. સ્વM કે જાગ્રત દશારૂપપણું નથી કારણ કે એમાં તે કલ્પનાવિકલ્પના ખેલ ચાલુ હોય છે. માટે આ અનુભવદશો એ બધાથી જુદી જ ‘તુય (ચતુર્થ) દશા’ના નામે ઓળખાય છે.” (. ૨૪) આ અનુભવદશામાં કર્મકૃત સ્ત્રી–પુરુષ–મનુષ્ય આદિ પર્યાય સાવ ગળાઈ ગયા હોય છે. જેમ રસ્તે જતા લેકે લૂંટાય ત્યારે અલ્પજ્ઞ લોકે “રસ્તે લુટાયે” એવે વ્યવહાર કરતા હોય છે તેમ “હું ગોરે, શામળે, રૂપાળે...” વગેરે શબ્દપ્રયોગો દ્વારા અજ્ઞાની લે કમકૃત વિકૃતિઓને પિતાનામાં ઉપચાર કરતા હોય છે, પણ અનુભવદશામાં આવું કશું હેતું નથી.. . આવા સિદ્ધજ્ઞાની પુરુની સ્વાર્થવૃત્તિ તર્ત નાબૂદ થઈ જાય છે અને તેથી લેક વચ્ચે રહેવા છતાં પણ તેઓ જલકમલવત નિલેપ રહી શકે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં ચેતાવણીના સ્વરે ઉચ્ચારતા કહ્યું છે કે આવા શ્રેષ્ઠ નિર્વિકલ્પસમાધિદશાની વાતે પરિપકવ બેધવાળાને જ કરવી જોઈએ, નહીં કે અધૂરા બેધવાળાને. જે અધૂરા બેધવાળાને ‘તું અને આખુંય જગત બ્રહ્મમય જ છે એમ સમજાવાય તે અગમ્યગમન વગેરે મહા અનર્થ મચી જાય. માટે પ્રારભદશામાં તે વ્રતનિયમોથી અને શુભવિકશી ચિત્તશુદ્ધિ કરવાનું જ બતાવવું જોઈએ. . * ક્રિયાયોગ શુદ્ધિ * વિભાગ-૩ : ખુદ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વાહનમાં બેસીને મુસાફરી નહીં કરતા પગે ચાલીને જ વિહાર કરે છે, યાવત્ બધી જ મુનિચર્યાઓનું લગભગ પાલન કરે છે. એનાથી ક્રિયાયોગ કેટલે મહત્ત્વનું છે તે સમજાય છે; પણ જ્ઞાનયુગની વાત એટલી . સહામણી છે કે એ ભલભલા સાધકને વિભ્રમમાં નાખી દે છે. “અધૂરો ઘડો છલકાય એ કહેવત અનુસાર આજે પણ દેખાય છે કે કેટલાય. સાધકે અનુભવજ્ઞાન, નિરાલ-.. અન એગ કે થાન–અધ્યાત્મના નામે ક્રિયાયેગને સર્વથા ત્યજી * જ્ઞાનગ શુદ્ધિ * વિભાગ-૨: આ વિભાગની ભૂમિકા કરતાં પુ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે ત્રિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ એવા શાસ્ત્રથી ચીંધાયેલી દિશામાં ચાલતાં ચાલતાં, શાસ્ત્રદર્શિત અતીન્દ્રિયતની, ખાસ કરીને આત્મતત્વની વિશેષેપલબ્ધિ માટે સાનગ સાધતાં રહેવું જોઈએ. આત્મતત્વની વિશે પલબ્ધિનું જ બીજું નામ પ્રતિભજ્ઞાન છે. જો કે આ પ્રતિભજ્ઞાન શાસ્ત્રીય પરિભાષા મુજબ તે કેવલજ્ઞાનના અરુ થરૂપ હોવાથી બારમા ગુણસ્થાનકની નીચે હોય નહિ, પણ પૂ. ઉપા. મહારાજે જ્ઞાનબિંદુ વગેરે ગ્રન્થમાં તરતમ ભાવવાળા પ્રતિભાનનું નિરૂપણ કરેલું હોવાથી નિમ્ન-નિમ્નતર કક્ષાનું પ્રતિભાન ચેથા વગેરે ગુણસ્થાનમાં પણ સંભવી શકે છે જે સાધકે માટે અત્યંત આશ્વાસનરૂપ વાત છે. આ પ્રાતિજ્ઞાનનું આ વિભાગમાં અને અન્યત્ર પણ આત્મદર્શન, અમજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કાર અતબ્રહ્માનુભવ, નિર્વિકલ્પસમાધિ, નિરાલમ્બનયોગ વગેરે જુદી જુદી પરિભાષાઓથી નિરૂપણ થયેલું છે. પરિભાષા ભિન્ન હોવા છતાં આ બધાં જ્ઞાનયોગનાં જ વિવિધ સ્વરૂપે છે. આ જ્ઞાનની પ્રાપ્તિ માત્ર શાસ્ત્રાભ્યાસથી નથી થતી પરંતુ આત્મદેશનની તીત ઉઠો અને શાસ્ત્રજ્ઞાનપ્રેરિત, અમુંબતાવી તે પ્રાપ્ત થાય છે.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy