SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No: MR. By / South 54 Licence No. 1 37... પબુ જીવન વર્ષ:૪૯ અક ૨૨-૨૩ મુંબઇ તા. ૧૬-૩-૧૯૮૮ અને ૧૪-૮૫ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/– છૂટક નકલ રૂા. ૩-૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહ જાતિવાદ વિષે ભગવાન મહાવીર ભારતમાં હમણાં હમણાં જાતિવાદ ફરી પાછે. ઉગ્ર બનવા લાગ્યા છે. એને ઉશ્કેરવામાં રાજકારણમાં પડેલા માણસોને સ્વાથી આશય ઘણુ કામ કરે છે. હિન્દુ, મુસલમાન, શીખ, નવમુદ્દો વગેરે વંગના કેંટલાક સકુચિત માનસવાળા લે ઠેરઠેર કઇ નિમિત્ત શેાધી સધ જન્માવે છે અને હિંસક આંદોલન ચલાવે છે. પરિણામે સત્તાધીશાને ત ્કાલિક નમતું આપવું પડે છે. મનુષ્યના મનુષ્ય તરીકે સ્વીકાર કરવાની સમાનતાની ઉચ્ચ' ભારતીય ભાવનાનું વખતોવખત ' વિલાપન થાય છે. ભારતીય સ ંસ્કૃતિમાં પ્રાચીનકાળમાં બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા એમ એ પર પરા કેટલાયે સૌકાએ સુધી ચાપા કરી છે. બ્રાહ્મણુ પર પરામાં વૈદિક ધમ' અને શ્રમણ પર ંપરામાં જૈન ધમ તથા બૌદ્ધ ધમના સમાવેશ થાય છે. હજારો વ પૂર્વે પ્રાચીનકાળમાં ઋષિમુનિઓએ અને સમાજચિતકાએ જીવન સુખમય જીવવા માટે કેટલીક વ્યવસ્થા ઊભી કરી હતી. ધમના રંગે રંગાતાં એ વ્યવસ્થાનાં મૂળ વધુ ઊંડાં અને સુદ્રઢ -અન્યાં હતાં. ર જીવન-વ્યવસ્થાના મીમાંસકાએ મનુષ્યના ચાર મુખ્ય પ્રકારો પાડયા હતા : (૧) બ્રાહ્મણ (ર ક્ષત્રિય (૩) વૈશ્ય અને (૪) શુદ્ર. વ્યવસાયને અનુલક્ષીને આ પ્રકારો પાડવામાં આવ્યા. તે સમયે એને. હેતુ વણ-વ્યવસ્થા દ્વારા જીવન-વ્યવસ્થા પરસ્પર સહકારમય અને સુખમય અને એ હતે. વધુ વ્યવસ્થાના એટલા બધા કડક નિયમે દાખલ કરવામાં આવ્યા હતા કે જેથી દરેક વર્ગના પેાતાના જુદા જુદા સારા સસ્કારી સારી રીતે સચવાઈ રહે. વણુ વ્યવસ્થાની ...ારે શરૂઆત થઈ હશે ત્યારે તેનુ પ્રયાજન તે કાળની અપેક્ષાએ ઘણુ મોટુ અને પ્રશસ્ય હશે. વણુ સંકર પ્રજાનાં માઠાં પરિણામ પણ ઘણાં જોવા મળ્યાં હશે કેપિણ નવી સામાજિક વ્યવસ્થા સમાજ ઉપર પરાણે લાદી શકાતી નથી. તેની ઉપયોગિતા ન હોય તો સમાજ તે સ્વીકારતા નથી; પરંતુ એક વખત ચાલુ થયેલી વ્યવસ્થામાંથી “બહાર નીકળવાનું સમાજ માટે સહેલુ નથી. ક્રાંતિકારી વિચારાના જ્યારે ઘણા મોટા પ્રભાવ સમાજ ઉપર પડે છે ત્યારે જૂની વ્યવસ્થા તૂટે છે અને નવી વ્યવસ્થા તેનુ સ્થાન લે છે. પ્રત્યેક પ્રજામાં, પ્રત્યેક સમાજમાં એટલું જ નહિ, પ્રત્યેક મુંબઇ. જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં વાર્ષિક રૂા. ૨૦૦ માનવમાં સરેરાશપણે કેટલાંક રૂઢિગ્રસ્તતા હોય છે, અને કેટલાંક નવીન તત્ત્વો હોય છે. એકના એક માણુસમાં કેટલીકવાર યુવાનીમાં ખડખાર વૃત્તિ હોય છે અને પ્રૌઢાવસ્થા કે વૃદ્ધા વસ્થામાં સંરક્ષક વૃત્તિ જોવા મળે છે. લેકાના આચાર-વિચારમાં કેટલાક નવા ફેરફારો કરવા માટે કાઇ નવી પેઢીને ધણુ ઝઝુમવુ પડે છે, તેા ખીજી બાજુ સમય જતાં એ જ ફેરફારો કશા પણ પુરુષાથ' વિના સમાજમાં સહજ રીતે થઈ જાય છે. કાળના એ પ્રભાવ હોય છે. પરિસ્થિતિ બદલાતાં જૂની વાતની ઉપયેાગિતા રહેતી નથી. અઢી હજાર વર્ષ પૂર્વે જ્યારે જાતિ અને વણુની વ્યવસ્થા ધણી જ કડક હતી એ સમયે ભગવાન મહાવીરે એમાં રહેલાં દૂષણા પ્રત્યે લેાકાને જાગૃત કર્યાં હતા. વર્ણવ્યવસ્થા, જાતિવાદ કે ગોત્રના અભિમાન સામે નવા ક્રાંતિકારી વિચારો દર્શાવવાનુ સરળ નહોતું. પરંતુ ભગવાન મહાવીરે પોતાના વિચારા એવી સરસ, પ્રિય અને સચેષ્ટ વાણીમાં રજૂ કર્યાં હતા કે જેથી લાકા ઉપર તેના પ્રભાવ ઘણા મોટા પડયા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે जे माहणे खत्तिए जाइए बा तहुम्गपुते तह लेव्हबी वा । जे पप्वइए परदत्तभोई, எ तस्व जाती गोतेण जे थम्मति माणबद्धे ॥ व कुलं व ताणं, गण्गस्थ विज्जाचरण सुचिणं । णिक्खम्म से सेवईऽगारिकम्मं તમે વાર્ હોતિ વિમોયળાર્ ( સૂત્રકૃતાંશ ́૨/૨૨ / ૨ -{{) (જે કાર્લ બ્રાહ્મણ હોય અથવા ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલ હાય અથવા ઊંચા કુલ- પુત્ર હોય અથવા લિચ્છવી વશમાં જન્મેલા હાય, પરંતુ જે પુરુષ દીક્ષા ગ્રહણ કરીને ખીજામાં આપેલો આહાર ખાય છે અને પેાતાના ઊઁચ ગાત્ર કે કુળનું અભિમાન નથી કરતા તે જ વીતરાગ માગ ના આરાધક છે. જાતિ અને કુળ તેનું રક્ષણ કરી શકતાં નથી વિદ્યા અને સદાચાર સિવાય અન્ય કાઈ રક્ષણ કરવા સમ નથી. જે મુનિ દીક્ષિત - ચક્ષુને ગૃહસ્થનાં કાર્યાંનું સેવન કરે છે. તે ' સસારના પાર પામી શકતો નથી.)
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy