SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા૧-૧૨-૮૮ પ્રબુદ્ધ જીવન આ દેવતાએ દાવાનળનું રૂપ ધયું અને ભારતના ભાગલામાં હજારોને રહે સી નખાયા. આજે પણ આ આગ કરી નથી. તેમાંથી ધુમાડા, તણખા ને ભડકા નીકળ્યા કરે છે. સત્તાની સ્પૃહા, લેકનેતા બનવાની લાલચ, સરમુખત્યાર બનવાને સંમેહ, એવી અદશ્ય, વિનાશક ઈધણ વિનાની આગ લગાડે છે કે તે તેના પેટાવનારની કલ્પના કરતાંય કય પ્રચંડ રૂપ ધરે છે. દેવતામાંથી દાવાનળ. તણખામાંથી ત્રાસતાંડવ, સ્ફલિંગમાંથી લંકાલીલા સરય છે. ઇર્ષાની આગને અટકાવાતી નથી. તે ગામે, પ્રદેશ અને દેશને ભસ્મીભૂત કરે છે. વ્યકિતઓ, કુટું છે અને પ્રજાને પ્રલય કરે છે, તેના આદિપ્રેરકને તેના ઉપર અંકુશ રહેતું નથી. ત્યાં અગ્નિશામક દળનું ઊપજતું નથી, ત્યાં કાળા માથાના માનવીની કરામત ચાલતી નથી આભ ફાટે ત્યાં થીગડું કયાં દેવું? વૈદભી વનમાં વલવલતી રહી. દ્રૌપદીને માથે દુખનાં ઝાડવાં ઊગ્યાં, સંયુકતા વિધવા થઈ, રાણકદેવી સતી થઈ. ભારતના ભાગલામાં સેંકડો સ્ત્રીઓ વિધવા થઈ, બળાત્કારને બેગ બની, કન્યાઓનાં અપહરણ થયાં, વિધવાઓના બળકારે પુનર્વિવાહ થયા, સ્ત્રીઓએ કૂવા પૂર્યા. વીરેએ હજારની સામે તરવાર-બંદુક કેસરિયાં ક્ય. નિર્દોષનું નિકંદન નીકળ્યું, શાંતિપ્રિયજને શેકાઈ મુઆ, ભથ્વીરે ભૂંજાઈ મર્યા. ગુંડાઓને હાથમાં કુટુંબની સ્ત્રીઓ ન પડે માટે તેમના ભાઈબાપાએ સ્વહસ્તે તેમને વધેરી નાખી. અમેરિકા રશિયાની ઉન્નતિથી અકળું થાય છે. રશિયા, અમેરિકાના અભ્યદયથી અસ્વસ્થ બને છે. ચીન છાની તૈયારી કરે છે. પાકિસ્તાન ઉદ્ઘાડી તૈયારી કરે છે, બધા એકબીજાને પડકાર ફેંકે છે: “આવ પડોશી લડીએ !” આને ઉત્તર ગાંધીજીએ ને નેહરુજીએ કયારને આપી દીધો છે : “લડે મારી બલા !” “હું મરું પણ તને રાંડ કરુંની મનોદશા ક્યાં જઈને અટકશે ?” જેન કિલનિકને ભેટ રકમ અપવાને તથા પારિતોષિક વિતરણ સમારંભ સંઘના ઉપક્રમે ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખ સ્થાને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં જેન કિલનિક-મુંબઇને એક લાખ રૂપિયા અર્પણ કરવાને તેમ જ સંધ તરફથી મુંબઈના ગુજરાતી પત્રકારને ૧૯૮૭નું શ્રી મોહનલાલ મહેતા – “પાન' પારિતોષિક સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને “જન્મભૂમિ તથા પ્રવાસી દનિકના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેને અપવાને તેમજ પ્રભુદ્ધ જીવન’નું ૧૯૮૭નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક જાણીતા જેને તત્વચિંતક પં. પનાલાલ જ. ગાંધીને એનાયત કરવાને એક સમારંભ શનિવાર, તા. ૧૯-૧૧-૧૯૮૮ના રોજ સાંજના ચાર વાગે ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરમાં જાયો હતો. કાર્યક્રમને પ્રારંભ શ્રીમતી કોકિલાબહેન વકાણીની મંગળ પ્રાર્થનાથી થયે હતે. સંઘના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ‘ત્રિવેણી સંગમ સમે આ કાર્યકમ ત્રણે પ્રસંગને એકબીજા સાથે સાંકળે છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમની શકિતને લાભ સમાજના વિવિધ ક્ષેત્રને મળ્યા હતા. તેમના એક દાયકાથી વધુ સમય સુધીના નેતૃત્વથી જૈન યુવક સંઘને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું હતું. રાજકીય ઘટનાઓ સરસ રીતે રજૂ કરવાની તેમની શકિતએ સંધના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને વધુ કપ્રિય બનાવ્યું હતું. જૈન કિલનિકની સ્થાપનાના સમયથી તેઓ તેની સાથે સંકળાયેલા હતા અને જન્મભૂમિ ગૃપનાં પ ધરાવવા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં પ્રમુખપદે રહીને તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. તેમણે આઝાદીની લડત દરમિયાન જેલવાસ પણ ભગવ્યો હતું અને દેશની આઝાદી પછી તેઓ સંસદમાં પણ ચૂંટાયા હતા. ચીમનભાઈની સ્મૃતિ અર્થે યુવક સંઘે પિતાની વસંત વ્યાખ્યાનમાળાને તેમનું નામ આપ્યું છે. વળી, સંધે ગુજરાતી "સાહિત્ય પરિષદને હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ માટે તેમની સ્મૃતિમાં એક લાખ અગિયાર હજાર જેવી માતબર રકમ . આપી છે અને યુસુફ મહેરઅલી સેન્ટરને એકાવન હજાર રૂપિયાની રકમ આપી છે. આજે હવે જૈન કિલનિકને તેમની સ્મૃતિમાં એક લાખની રકમને ચેક આપતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.” ' આ પ્રસંગે ડે. રમણભાઈએ સંઘસ્થાપિત શ્રી મેહનલાલ મહેતા- “પાન” પારિતોષિકની અને શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિકની યોજનાની વિગતે સમજાવી હતી અને બંને પારિતોષિક વિજેતાને પરિચય આપવાની સાથે તેમને સંઘ વતી અભિનંદન આપ્યાં હતાં. સંધના મંત્રી શ્રી નિરુબહેન સુબોધભાઇ શાહના હરતે રૂપિયા એક લાખનો ચેક જૈન કિલનિકના કાર્યવાહક શ્રી કાંતિભાઈ ચત્રભૂજ વેકરીવાળાને અર્પણ કરાયો હતે. તથા સંધના સહમંત્રી શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહના શુભ હતે ૫. પનેલાલ ગાંધીનું અને સહમંત્રી શ્રી વસુબહેન ભણુસાળીના હસ્તે શ્રી હરીન્દ્રભાઈ દવેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ', , ' ' શ્રી જૈન કિલનિક વતી શ્રી કાંતિભાઈ વેકરીવાળાએ જણાવ્યું હતું કે “જૈન યુવક સંઘ દ્વારા અમારી સંસ્થાને જે સહાય મળી છે તે માટે અમે આનંદ અને આભાર વ્યકત કરીએ છીએ. સ્વ. ચીમનભાએ જૈન કિલનિકનું નેતૃત્વ ૪૦ વર્ષ સુધી સંભાળ્યું હતું. કાંદાવાડી સ્થા. જૈન સંઘના પણ તેઓ પ્રાણ સમા હતા. તેમની વહીવટી સૂઝને કારણે અમારી સંસ્થા સારે એવો વિકાસ કરી શકી છે.* * * - શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક સ્વીકારી અને આ પારિતોષિકની રકમમાં બીજા ચાર હજાર રૂપિયા ઉમેરી કુલ પાંચ હજાર રૂપિયાની રકમ સંધને અર્પણ કરતાંપં, પનાલાલભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે મેં મારી જિંદગીમાં ખૂબ વિચાયું છે, પરંતુ મેં તે કદી કો. લખ્યું નથી . મારા વિચારને લેખરૂપે રજુ કરવાનું કામ . શ્રી બંસીલાલ હીરાલાલ કાપડ્યિાએ અને તેમના પછી હાલ શ્રી સૂર્ણવદન ઠકેરલાલ ઝેરીએ કહ્યું છે અને
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy