SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ પ્રબુદ્ધ જીવન અને સિન્વેટિક બ્લડની શોધ થતાં લોહીને સંઘરી રાખવાની જરૂર નહીં રહે. વ્યકિતનું આયુષ્ય એટલું બધું વધી ગયું હશે કે સાઠ વર્ષની વ્યકિતને વૃદ્ધ કે ડોસે કહેશે તે તમારું આવી બનશે ! પરંતુ આ ટેકનોલેજીના વિકાસની બીજી બાજુ પણ છે. વિખ્યાત ચિંતક સુમાકાર કહે છે કે, ટેકનોલોજીના મદમાં માણસ પૂરપાટ આગળ જતો રહ્યો છે અને ટેકનોલોજીનાં પરિણામ શું આવે એની એ પરવા કરતો નથી”. પેટ્રોલિયમ છેડા વખતમાં ખલાસ થઈ જશે, પછી શું ? ખાણમાંથી કલસે ખૂટી જશે પછી શું ? પેલ, પ્રદુષણ અને ખનીજોની અછત એ માનવજાતની મહાસમસ્યા છે. એકવીસમી સદીમાં ઘણા વૈજ્ઞાનિકની માન્યતા પ્રમાણે લીકવીડ હાઈડ્રોજન (LH2)ને વપરાશ મુખ્ય બળતણ તરીકે થત હશે. વિમાને સહિત મોટા ભાગનાં વાહને આ લીકવીડ હાઇડ્રોજનથી ચાલતાં હશે એ સાચું છે કે લીકવીડ હાઈડ્રોજનને ખૂબ સંભાળપૂર્વક સંધર પડે છે અને એને ભરવા માટે ઘણી મોટી ટેન્ક જોઈએ છે. પરંતુ આ લીકવીડ હાઈડ્રોજન શુદ્ધ સ્વરૂપમાં મળે છે અને એથીય વધુ તે એ પ્રદૂષણમુકત હોય છે. માનવીએ વૃક્ષોને એટલો બધો નાશ કર્યો છે કે વિશ્વ પ્રત્યેક માનવી જ એક વૃક્ષ વાવે તે જ તે સરભર થઈ શકે. આજે જે રીતે રહ્યાં-સહ્યાં વૃક્ષને નાશ થયે છે તે જોતાં એકવીસમી સદીમાં વરસાદ વરસશે પણ એમાં પાણીના બદલે કારખાનાઓમાંથી નીકળતા કેમિકલ્સને પરિણામે એસિડ-વર્ષા થશે. દુનિયાની સંપત્તિના એંશી ટકા દુનિયાના છ ટકા લેકે વાપરે છે. બાકીના ચેરણું ટકા માણસને ભાગે દુનિયાની વીસ ટકા સંપત્તિ જ આવે છે. આ આર્થિક અસમાનતા જગતના અનેક દેશમાં ગરીબી અને ભૂખમરાના રૂપે જોવા મળે છે. અમેરિકાના પ્રમુખ આઇઝન હોવરે “કલીનની હિમાયત કરી. આ કલીનોંબ માણસને અપંગ કે રોગગ્રસ્ત બનાવે નહીં, પણ એને સેએ સે ટકા મારી નાખે, એનું આખુ અસ્તિત્વ જ કલીન - સાફ ને સફાચટ કરી નાખે. આ પછી લેસર કિરણોના ઉપગથી માટે બેંબર શેધા. હવે નપામ બેંબ શો છે, જેમાં ભીંત, ખુરશી, દીવાલે બધું જ રહે, માત્ર એની વચ્ચે કોઈ જીવંત ચેતના ન રહે. અણુભઠ્ઠીના અકસ્માતેએ સાવ જુદો જ ભસ્માસુર ખડે કર્યો છે. આજે ૫,૦૦૦ જેટલાં આવિક શસ્ત્રો માનવસંહાર માટે હાજરાહજૂર છે. એક અમેરિકન વિચારકે કહ્યું કે જે હવે અણુયુદ્ધ ફાટી નીકળે તે દુનિયાની મોટાભાની વસ્તીને નાશ એક પ્રગાઢ ચુંબન એટલે સમય લે તેટલા સમયમાં થઈ જાય. આ દુનિયાનો દેઢશે વખત સંહાર કરી શકે એટલાં સંહાર સાધનો માણસે તૈયાર કર્યા છે, તેથી જ હવે જગતમાં યુદ્ધ અને શાંતિ એવા બે સમયગાળા આવતા નથી પણ યુદ્ધનો કાળ અને યુદ્ધની તૈયારીને કાળ એવા બે સમયગાળા હોય છે છેલ્લાં ૩૦૦૦ વર્ષમાં ૧૫૦૦૦ જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પિતાના જાતભાઈઓને સૌથી વધુ નાશ કરવાનું ગૌરવ” મનુષ્યજાતિ ધરાવે છે. હવે જો યુદ્ધ થાય તે અણુશસ્ત્રોને પરિણામે આ પૃથ્વી પર “ચુકલીયર વિન્ટર, સજશે અને એવો શીતયુગ વ્યાપી જાય કે આજને આપણે એક નહીં, પણ આવા એકસે સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. આ પરિસ્થિતિમાં મેકિસમ ગોકીના જીવનની એક ઘટના યાદ આવે છે. રશ્મિાનાં ગામડાઓમાં જઈને શેકી વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતા હતા, એ કહેતા કે વિજ્ઞાનને પરિણામે માનવી આકાશમાં ઊંડી શકે છે, દરિયાના તળિયે ખાંખાખોળા કરી શકે છે. મોટું ખેતર એ પળવારમાં ખેડી શકે છે. એક નાનકડા ગામમાં મેકિસમ ગોકી વિજ્ઞાનની અભુત સિદ્ધિ વિશે પ્રવચન આપતા હતા, ત્યારે એક વૃદ્ધ પુરુષે પૂછ્યું: ‘તમે માનવીને આકાશમાં ઊડતા અને દરિયાના તળિયે પહેચતા કેમ આવડ્યું તે બતાવ્યું. પણ આપણને આ દુનિયામાં ધરતી પર કેમ રહેવું એ આવડતું નથી તેનું શું?’ વૃદ્ધને પ્રશ્ન સારો અને માર્મિક તે ધરતી પર માનવીને કેમ રહેવું તે શીખવવું એ જ પ્રત્યેક ધર્મનું હાર્દ છે. આથી જ ધાર્યતે તિ વર્મ: અર્થાત જેનાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ તે ધર્મ, આજે તે માનવીએ વિનાશક અણુશસ્ત્રો સજીને ભસ્માસૂરને જગાડે છે, જે ભસ્માસુર ખુદ માનવજાતિને જ રવાહ કરી જાય તેવો છે, સ્ટાર્સ જગતને ઘેરીને બેઠી છે. આવતી કાલે હૈંક રેકેટ કે બેબ નકામાં બની જશે. ઝેરી, વાયુ કે માનસ-પ્રભાવ કરતાં યુધ્ધ ખેલાશે. શસ્ત્રોનાં રૂપ બદલાય છે, પણ માનવીની હિંસકવૃત્તિમાં તે વધુ ને વધુ ઘી હોમાય છે, આથી જ માનવજાત આજે બુદ્ધ, મહાવીર, ઇશુ કે ગાંધી તરફ આશાભરી મીટ માંડીને બેઠી . ન આવે સમયે પ્રસિદ્ધ દૂચ નવલકથાકાર વિકટરશ્રુગનંદ શબ્દો યાદ આવે છે વિશ્વનાં તમામ લશ્કરી કરતાં એક વસ્તુ બળવાન છે અને તે છે સવેળાને વિચાર” અહીં એ વિચાર કરીએ કે જૈનદર્શનનાં કયાં તો આ ભૂલી -ભટકી, મૂંઝાયેલી અકળાયેલી અને હિજરાયેલી યાતનાગ્રસ્ત માનવજાતને માટે આવતી સદીમાં દિશાસૂચક બની રહે તેમ છે. આને માટે સર્વ પ્રથમ વિચાર કરીએ જૈન ધર્મના - મૂળ સિદ્ધાંત જેવા અપરિગ્રહને, “સૂત્રકૃતાંગ” નામના જૈન આગમના પ્રથમ અધ્યયનમાં અપરિગ્રહની વાત કરવામાં આવી છે, પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય. અને અસત્યનો આશરો લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવી બનાવ્યો છે. એનામાં નિરતર ભેગવૈભવની લાલસાનું તાંડવ રહ્યું છે. આથી વર્તમાન સમયના ચિંતકે ભારે વિષાદ સાથે એટલું જ કહે છે The less I have, the more I am.' 400 ophta દર્શન કઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એને જ પરિગ્રહ કહેતું નથી. કઈ પણ વસ્તુ માટેની મૂછ અને આસકિત એને પરિગ્રહ ગણે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની આસકિતએ માનવીને કે બેદે અને મૂલ્યહીન બનાવી દીધા છે. સત્તાની અસકિત આંધળી – સંહારક દોડમાં પરિણમી છે. વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની વકરેલી. બહેકેલી અને વણસેલી એ છીએ Tી દીધો છે અને કરે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy