SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮૮૮ લેટરમાં એક પ્રતિનિધિત્વમાં આવા આંત માળવાળી લિપિઇમારત (પૃષ્ઠ ૧૦ થી ચાલુ) : હસ્વ અને માટે તેની ઉપલી વેલાટી (કમાન)ની પૂર્વે બીજી નાની ઊંધી કમાન કરીને અક્ષરની પછી જ છાપવી જોઈએ. જેમ કે કિશોરલાલને બદલે કઇશેરલાલ, અખિલને બદલે અખઇલ. તે જ રીતે કારને તળમજલામાંથી ખેંચીને વર્ણમાલમાં જ અક્ષર પછી મૂકવો જોઈએ. જેમકે કૃષ્ણને કરણું. નિર્ણયસાગર મુદ્રણાલય “લઘુરુદ્રાભિષેક લઇને વાંચવાથી તેમાંની વૈદિક લિપિમાં છાપેલા “રકાર તથા અનુસ્વાર આવે જ છે તે સમજાશે. તેમાં અનુસ્વારને બદલે દઆવું ચિહન છે. કાને, દીર્ઘ ઈ, એકાર, ઔકાર તથા અ (વિસગ) તે કઈ જ રીતે કષ્ટપ્રદ નથી તે કહેવાઈ ગયું છે. અર્ધ રકાર (રાષ્ટ્ર)ને માટે શુક્રવારના અધ રકારની જેમ લખવો રહ્યો. અર્થાત કની જેમ છેક રહ્યો. એટલું કરતાં મુદ્રાલેખનની તકલીફ દૂર થશે. અજજ (કાર), વરડુ (ઉંકાર) ત્રકાર માત્રાઓ, અનુસ્વાર અને અર્ધરકાર – આટલાં ચિહેનમાં ફેરફાર કરે પડે. રેફને બદલે અર્ધ રાર લખાય. આ ફિરકામાં. ચિહનાંના સ્થાનેતર જ સૂચવાયાં છે. તેમને માટે નવી સંજ્ઞાઓ સુચવાઈ નથી સિવાય કે વેલાંટી) અર્થાત નાની ઇની ઉપલી કમાન એકને બદલે બે કરવી. - લિપિસુધાર વિષે ગુજરાતી ભાષામાં અગાઉ ઘણું ચર્ચા થઈ ગઈ છે. કેઈ ઉત્સાહી લિપિ-સુધારકે નવા અક્ષરે કે ચિહને સરજીને “કુમાર”માં પિતાના લેખો તે સુધારેલી લિપિમાં છપાવ્યા પણ છે. - સંસ્કૃતમાં દુર્ગા ગુeffg શ્લોકમાં ઉકાર રકારની પછી જ લખાય છે. તે જ રીતે પુરુષસૂકતમાં હક્ક તરય પંકિતમાં દીર્ઘ ઉકાર પણ અક્ષરની “પછી જ લખાય છે. બંગાળીમાં અનુસ્વાર અક્ષરની પછી લખાય છે. જેમકે વંશને બદલે “વસ્ટિસ લખે છે. એટલે આ અનુવારને પણ ગુજરાતીમાં, બંગાળીની જેમ માથે ચડાવવાને બદલે બાજુએ હડસેલી શકાય. હકીક્તમાં મુદ્રાલેખનમાં ખરે પ્રશ્ન તે હસ્વ છેકાર, એકાર તથા કારને જ રહે છે. બંગાળીમાં “એ” શબ્દની પૂર્વે લખાય છે. ગુજરાતીમાં આપણે તેને રથાનભ્રષ્ટ કરીને અક્ષરની પછી લખી શકીએ જેમકે એકને બદલે ‘આ’ અને રાવતને બદલે “અ” રાવત’ આ ત્રણ સંજ્ઞાઓ પૂરતી છૂટ લઇને ન ફેરફાર કરીએ તે મુદ્રાલેખનકાર્ય સરળ અને શાસ્ત્રીય રીતે ઉચ્ચાર ક્રમાનુસાર લેખન ક્રમને જાળવનારું ગણાય. હસ્વ ઇકારનું સૂક્ષ્મ અવલોકન કરતાં જણાશે કે તે ઇકાર અને કાને મેળવવાથી બન્યું છે. હવે જો કારમાંથી ઉપલે દ કાઢી નાખીએ અને કાને રાખીએ તે તે (J) આ અક્ષર જેવો લાગે. આમાં સૌંદર્ય નથી. તેથી આ નવી આકૃતિમાં મૂળની હવ ઈની ઉપરની નિશાની રૂપ દરવો () જોડી દેતાં “ઇ” આ આંકડો કે અંગ્રેજી ગુને મળતે અક્ષક થશે. 2 વર્ગના ત્રીજા અક્ષર કારથી તેને જ પાડવા માટે ઉપલે દરવાજે પૂરેપૂરા આલેખ; આશા છે કે સુધારાવાંછુઓને આ લેખ વિચારપ્રેરક લાગશે.' ' વહ જૈન કેસ (પૃષ્ઠ ૯ થી ચાલુ) - આ કોંગ્રેસમાં લેસ્ટરના લોડા મેયર બે વાર પધાર્યા, એમના. તરફથી લંચ આપવામાં આવ્યું છે. લક્ષ્મીચ દ સિંઘવી વગેરેએ અભ્યાસપૂર્ણ નિબધે રજૂ કર્યા અને યુવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું એ એના મહત્વના ગુણપક્ષે છે. કોંગ્રેસની ફલશ્રુતિરૂપે એક સંસ્થાનું નિર્માણ કરવાનો નિર્ણય લેવા તે પણ મહત્ત્વનું કાર્ય ગણી શકાય. જે કે એનું કેવું વરૂપ ઘડાય છે અને તે કેવું કાર્ય કરશે તે તે ભાવિ કહી શકે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં અને વિદેશમાં યોજાયેલા વિવિધ પ્રકારનાં જૈન સંમેલનો અને અધિવેશને એક દ્રષ્ટિએ જોઈએ તે વિવિધ પ્રકારના અનુભવની કાચી સામગ્રી પૂરી પડે છે એમ કહી શકાય. આવાં સંમેલન દ્વારા પાયાનું કેટલુંક મહત્ત્વનું કામ થઈ રહ્યું છે, જે ભવિષ્યને આ જકેને માટે વધુ લેકશાહી ઢબે, વધુ પ્રતિનિધિત્વવાળા, વધુ વ્યવસ્થિત, વધુ દ્રષ્ટિસંપન્ન, વધુ સુજિત સંમેલન યોજવા માટે માર્ગદર્શનરૂપ થઈ પડે એવું છે. વિદેશ પ્રવાસની વધતી જતી સગવડને કારણે આંતરરાષ્ટ્રીય પ્રકારનાં સંમેલન યોજવાની આકાંક્ષા હવે ઉત્તરોત્તર વધતી જવાની. જેને પાસે પૈસા છે, શકિત છે, ઉદારતા છે અને આવડત પણ છે. એટલે લંડન, ન્યુયોર્ક, દિલ્હી વગેરેમાં જાયેલાં આંતરરાષ્ટ્રીય પ્રકારનાં જૈન સંમેલને પછી લેસ્ટરમાં યોજાયેલી આ કાંગ્રેસમાં પૂર્વના સંમેલન કરતાં આયોજનમાં અને પ્રતિનિધિત્વમાં કંઇક વધુ પ્રગતિની અપેક્ષા રાખી શકાય પરંતુ આપણે ત્યાં જાતાં આવા આંતરરાષ્ટ્રીય સંમેલને એકાદ બે વ્યકિતઓની મરજી પ્રમાણે હજ ચાલતાં હોવાના કારણે તથા સ્થાનિક કાર્યક્રમ જેવાં બની જતાં હેવાને કારણે તેને મળવી જોઇએ, તેટલી વ્યાપકતા, ગહનતા અને સર્વગ્રાહિતા બહુ મળી નથી, પરંતુ કમેકમે એ અવશ્ય મળવા લાગશે અને પરિણામલક્ષી સંમેલનો દેશવિદેશના જૈન સમાજના ભૌતિક તથા આધ્યાત્મિક અભ્યસ્થાનમાં ફાળે આપશે એવી આશા જરૂર રાખી શકાય. - રમણલાલ ચી. શાહ પયુંષણ વ્યાખ્યાનમાળા સંધના ઉપક્રમે પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે ગુરુવાર, તા. ૮-૯-૧૯૮૮ થી શુક્રવાર, તા. ૧૬-૯૧૯૮૮ એમ નવ દિવસ માટે જવામાં આવી છે. આ દિવસે દરમિયાન રોજ સવારના ૮-૩૦ થી ૯.૨૦ અને ૯-૩૦થી ૧૦–૨૦ સુધી એમ બે વ્યાવ્યાને રહેશે. વ્યાખ્યાનમાળા બિરલા કીડા કેન્દ્ર, પાટી, મુંબઈ – ૪૦૦૦૦૭ ખાતે ડે, રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે પૂ. સીવીશ્રી કસ્તુરાજી, પૂ. ભટ્ટારક ચાટુકાતિ છે, શ્રી સત્યનારાયણ ગોએન્કા, પૂ. મોરારીબાપુ, ડે. રમણલાલ ચી. શાહ, શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી શશિકાન્ત મહેતા, શ્રી સુનંદાબહેન હસ, ડે. ઉષાબહેન મહેતા, ડો. વિલાસ સાંગાવે, પ્રા. જયંતભાઈ કોઠારી, પ્રા. તારાબહેન ર. શાહ, ડે. કુમારપાળ દેસાઈ, ડે. રમેશભાઈ ભટ્ટ, પ્રા. રમેશભાઈ દવે, ડે. દોલતભાઈ દેસાઈ, ડે. નરેન્દ્ર ભાણાવત અને શ્રી ચદનમલ ચાંદ પધારશે. .. . વ્યાખ્યાનના વિષે સહિત વિગતવાર કાર્યક્રમ હવે પછી જણાવવામાં અાવશે.. - મંત્રીઓ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy