SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન માત જ્યારે નજીક આવે છે પૂ. મુનિશ્રી રત્નસુ દ્રવિજયજી મહારાજ પર ંતુ આજે જ્યારે તુ મારી સામે આવી જ ગયા છે ત્યારે હું તને ખુમારી સાથે કહું છું કે આજથી મારી જીવનપદ્ધતિ ખલા, જ જશે. મામૂલી પણ પ્રતિકૂળ બાબતે માં મને થઇ જતા કષાય હવે સ્થગિત થઇને જ રહેશે. ગમે તેટલા ભયંકર નુકસાન વચ્ચેય મગજની સમતુલા ગુમાવી બેસવાનું અકાય' હવે હું કરવાના નથી જ. સપત્તિ ખાતર આજુબાજુવાળા સાથે વૈરિર્વાધ કરીને ઊભી કરેલી દુશ્મનાવટને હું ઊખેડી નાખ્યા વિના રહેવાનો નથી જ. ટૂંકમાં કહુ તો તારું આગમન મારા માટે ત્રાસરૂપ નથી બન્યુ પણ આશીર્વાદરૂપ બન્યુ છે. તારી હયાતીએ મને ભલીત નથી બનાવ્યા પરંતુ વધુ નિર્ભય બનાવ્યા છે. તુ મારા જીવનને સમાપ્ત કરી રહ્યો હેાય એવું મને નથી લાગતું પરંતુ નવા જીવનમાં પ્રવેશ કરવામાં તું મને સહાય કરી રહ્યો હોય તેવું લાગે છે. મહાનુભાવ ! કેન્સરની આ બીમારીમાં મનને આવી ઉદાત્ત વિચારધારામાં રમતું કરી દેજો. અલબત્ત, એમાં કઠનાઈ અનુભવ જરૂર થશે પરંતુ મેતા જેવી અસદિગ્ધ વાસ્તવિકતા પ્રત્યે આવી વિચારધારાને અમલી અનાવ્યા વિના છૂટકાય નથી. આ વિચારધારા પરલોકમાં તે સદ્ગતિ આપશે. મોતને તે મંગળમય ખનાવશે પર ંતુ આવી જીવલેણ ભીમારીમાંય મનને અદ્ભુત સમાધિ આપશે ! શાંતિભાઈ ! .....ધ લાભ તમારા ટૂકા પત્ર મળ્યું...ડેકટર પાસે તમે જ આવ્યા અને માંદગીના નિદાનમાં ડોકટરે તમને ‘કૅન્સર' હાવાનુ કહ્યુ એ જાણ્યું. તમે સમાધિ ટકી રહે તેવા પ્રેરક પત્રની માગણી કરી છે એથી આ પત્ર તમને લખી રહ્યો છું... આમ તો કૅન્સર' શબ્દ પણ માણસના લેહીને થીજવી દે તેવા છે. પણ એ રેગ વાસ્તવિક અનીને જ્યારે તમારા શરીરમાં અડ્ડો જમાવીને ખેડ઼ા જ છે ત્યારે મારે તમને એક મહત્ત્વની વાત જણાવવી છે. એક વાત ખાસ સમજી રાખજો કે ત ંદુરસ્ત શરીરે માણસ પોતાના મેાત માટે વિચારવાય તૈયાર હાતા નથી. એને કાઈ એના મેતની યાદ કરાવે તે એ સામી વ્યક્તિ પર ગુસ્સે થઇ જતા હોય છે. અરે! બીજાના મેાતને પોતાની સામે નજરોનજર નિહાળવા છતાં એ લેશપણુ ધ્રુજારી અનુભવતા નથી હોતા પરંતુ પોતે જ જ્યારે રાગના ભાગ ખતી ખેસે છે, અસાધ્ય રોગથી ખુદનું જ શરીર જ્યારે ઘેરાઈ જાય છે ત્યારે મેતની બિહામણી પણ વારતવિકતા એને કઈક અ ંશે સમજાવા માંડે છે. તમે પણ અત્યારે એવા અસાધ્ય રાગના ભેગ ખની ખેઢા છે. આમ જોવા જાએ તા દુનિયામાંથી વિદાય થવાના તમારે હવે દિવસે જ ગણવાના છે. વરસેથી મહેનત કરીને એકઠી કરેલી સ ંપત્તિ, સામગ્રી, બગલા, મેટર, ફર્નિચર, ફેકટરી વગેરે બધુંય અત્રે મૂકીને જવાનુ છે. અરે પાળીપોષીને તગડા બનાવેલા શરીરનેય અત્રે છોડી દેવાનુ છે. મેતની એક બાજુ આ છે, જ્યારે બીજી બાજુ એ પણ છે કે આ જીવનમાં આરાધના કરવા માટે જરૂરી એવા ત ંદુરસ્ત શરીરના અત્યારે તમે સ્વામી નથી. વિહરમાન તીથ કર ભગવાનાં દશન આજે અત્રે સુલભ નથી શાશ્વતા તીર્થાંની યાત્રા કરવાનું સૌભાગ્ય તમને અત્યારે મળ્યું નથી. આ જીવનની સમાપ્તિ થઇ જાય તે આવતા જન્મમાં એ તમામ તારક તત્ત્વાની પ્રાપ્તિ થઈ જાય એવી શકયતા છે પરંતુ આવતા જનમની એ શક્યતાને અત્યારે એક બાજુ રાખીને મારે તમને આજન્મની જ કેટલીક શકયતાઓ અંગે કઇંક કહેવુ છે. 14 એક વાતને ખ્યાલ છે? કારેક એવું બનતું હોય છે કે મેત જયારે નજીક આવે છે ત્યારે જ માણુસ સાચું જીવન જીવતાં શીખે છે. કાયર માણુસની વાત જવા દા, ખાકી જે સમજદાર છે એ માણસ મેાતની આ વાસ્તવિકતાને જોઇને પોતાની જીવનપદ્ધતિ, વિચારસરણી, અમૂલચૂલ પરિવર્તન લાવી દે છે. માલવાની ઢબ વગેરેમાં તમે અત્યારે મેતની સામે જ ઊભા છે. અથવા તો મેત તમારી સામે જ આવીને ઊભું છે જ્યારે એ તમને અહીયા લાંખા સમય રહેવા દેવા નથી જ માગતું ત્યારે મારી તમને સલાહ છે કે માતને તમે કહી દે કે દાત! તારું આગમન તો મારા જન્મદિને જ નિશ્ચિંત થઈ ગયું હતું. અલબત્ત, તારા આગમનને કાઇ નિયત સમય મને ખ્યાલમાં નહેાતે; તા. ૧૬-૫-૮૯ અને ખીજી મહત્ત્વની વાત કરું? દુઃખને જ્યારે રાતાં રતાં ભાગવીએ છીએ ત્યારે એ હોય એના કરતાંય બમણુ લાગે છે, જ્યારે એને હસતાં હસતાં ભાગવીએ છીએ ત્યારે એ હાય એના કરતાં અડધુ' લાગે છે. આ વાસ્તવિકતાનેય નજર સામે જ રાખજો. રાગજન્ય વેદના જો અનુભવવાની જ છે તે પછી એમાં હાયવાય શુ કરવી ? બૂમબરાડા શુ કામ પાડવા ? બીજાને ત્રાસરૂપ શું કામ બનવું? શા માટે મસ્તીથી એ વેદનાને સહન ન કરવી ? વેદનાના એહુમલાને મનની પ્રસન્નતા દ્વારા શા માટે ઘટાડી ન નાખવા? શા માટે આવા સમયે મનને શુભ ભાવેશમાં રમતુ ન રાખવું? હું તો કહું , હાથની વાતને હાથમાં રાખો. આડાંઅવળાં ફાંફાં મારવાનું બંધ કરો. એક વાતનો ખ્યાલ રાખજો કે આવા સમયે કુટુંબીજના અને આજુબાજુવાળાએ સહાનુભૂતિ જરૂર બતાવશે પરંતુ એ સહાનુભૂતિમાં રાતલવેડા જ હશે, કાયરતા જ હશે, દીનતા જ હશે: હાય હાય! તમને આવે! જીવલેણ રોગ થઇ ગયો ? કેટલી ભંકર વેદના તમને થતી હશે? ભગવાને તમારા જેવા ધર્માત્માને શા માટે આવા દુઃખી કર્યાં? આવી વેદનાથી મરવા કરતાં હાર્ટ એટેકથી મરવું શું ખાટુ ? તમારા ગયા પછી બિચારાં બાળકાનું કાણુ? માત તા આવશે ત્યારે આવશે પણ આ બીમારી તમને આર્થિક બાબતમાં કેટલા તેડી નાખશે? ઘા પર મીઠું ભભરÜવા જેવા આવા શબ્દો સહુના માટે સાંભળવા મળશે. પરંતુ તમે એ શબ્દાતે મન પર લેશ પણ લેશે નહીં. કારણ કે આવા શબ્દો તમારા મનને મજબૂત (પૃષ્ઠ ૧૩ ઉપર) માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. ન. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ, પ્રિન્ટસ, જગન્નાથ શ ંકર શેઠ રોડ, ગિરગામ, મુંબ} + ૪૦૦ ૦૦૪.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy