SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન છ તકી, તા. ૧૬-૩-૭ . બે મિત્રની ચિરવિદાય (પૃષ્ઠ ૧૬૮ થી ચાલુ) એને દિવ્ય પ્રકાશ, પ્રકાશ નકી, એક દીપક પ્રગટ ચંદ થકી; એને જીવન કોડિયે સ્નેહ છલોછલા, એનાં કર્મની વાટ પહો કશી નિર્મલ ! સ્થિર સૈર પ્રકાશ ઝગી શું પલેપલ, નિશદિન નિશા હરવાનું કશું બલ ! મહાતિ શું આખિર એ લપછી, એક દીપક પ્રગટ દીપ થકી. મેં જોયું હતું કે તેઓ દરેક પ્રશ્નોના ખૂબ ઉંડાણથી ચીવટપૂર્વક અભ્યાસ કરતા અને પિતાના મૌલિક વિચારે દર્શાવતા. તેમની પાસે વિશાળ અનુભવ હરે, જેથી એમનાં - સૂચને માર્ગદર્શક બની રહેતાં. તેઓ અત્યંત વિનમ્ર અને સૈન્યશીલ સ્વભાવનો હતા. વયકિતના હિત કરતાં સંસ્થાના હિતને તેઓ વધુ પ્રાધાન્ય અપતા. અને પોતે જે જે સંસ્થાઓને વરેલા હતા તે સંસ્થાઓના હિતને જરા પણ આંચ ન આવે એવાં પગલાં લેવાની સતત જાગૃતિ દર્શાવતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું ત્યારે સાહિત્યમાં પિતે છે સ ન ધરાવતા હોવા છતાં પણ કોંધ્યરૂપ સમજીને તેઓ તેમાં અવશ્ય હાજરી આપતા એથી તેઓ અમારા બધાને માટે પ્રેરણારૂપ બની રહેતા. સ્વ. જગજીવનભાઇની સુવાસ મુંબઈના જૈન સમાજમાં ઘણી મેટી હતી. તેમના અવસાનથી એક સન્નિષ્ઠ, પ્રામાણિક, જાગ્રત મયંકરની આપણને પેટ પડી છે. શ્રી જગજીવન પિપટલમ્ શાહનું શુક્રવાર, તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૮૭ને રોજ સિતેર વર્ષની વયે અવસાન થયું. એમના અવસાનથી મને એક સાથી કાર્યકરની અને જૈન સમાજને એક સંનિષ્ઠ સેવકની ખેટ પડી છે. શ્રી જગજીવનભાઈ મુંબઈના જૈન સમાજના એક અગ્રણી કાયકતાં હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં મંત્રી તરીકે હું જોડાય ત્યારે ઘણુ વર્ષોથી વિદ્યાલયના મંત્રી તરીકે કાર્ય કરનાર જગજીવનભાઈ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. વિદ્યાલયમાં મંત્રી તરીકે અમારે પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, ભાવનગર વગેરે શાખાઓની મુલાકાતે એમની સાથે જવાનું થતું અને એથી જગજીવનભાઈના અંગત પરિચયમાં આવવાની સરસ તક સાંપડી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુખ્ય મંત્રીશ્રી જે. આર. શાહની ઓફિસે અમારી વિદ્યાલયના મંત્રીઓની બેઠક ઘણીવાર મળતી એથી જગજીવનભાઈ સાથે મારો સબંધ ધશે ગાઢ થયા હતા. જગજીવનભાઈએ જૈન યુવક સંધની અમારી કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ ઘણું વર્ષ સુધી સેવા આપી હતી. જગજીવનભાઈએ પાલિતાણુમાં શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમમાં . રહી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યાર પછી મુંબઈ આવી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી શલેજને અભ્યાસ ચાલુ કર્યો હતો. પિતે એન્જિનિયર થવા ઇચ્છતા હતા એટલે કરાંચીની નાદિરશાહ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળતાં તેઓ ત્યાં કેલેજમાં જોડાયા હતા. અને પિતાની તેજસ્વી કારકિર્દી બનાવી હતી. તેમણે ત્યાર પછી મુંબઈમાં આવી એન્જિનિયર તરીકે હાસન અને ટુ નામની પ્રસિદ્ધ કંપનીમાં કેટલાંક વર્ષ કામ કર્યું હતું. ત્યાર પછી તેમણે મકાન બાંધકામને પિતાને સ્વતંત્ર વ્યવસાય વિસાવ્યું હતું અને એમાં યશસ્વી સિદ્ધિ મેળવી હતી. પિતાની કારકિર્દી ઘડવામાં શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ બે સંસ્થાઓએ ઘણું મહત્વને કાળે આપ્યું હતું એટલે એ ઋણ ચુક્વવા એમણે એ બે સંસ્થાઓમાં વર્ષો સુધી અનેરી સેવા આપી. આ ઉપરાંત તેઓ માનવ સેવા સંધ, જીવદયા મંડળી, સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, શ્રી ગેડીઝ જૈન દેરાસર, શ્રી જૈન વેતાઅર કેન્ફરન્સ, શ્રી આત્માનંદ જેને સભા વગેરે અનેક સંસ્થાઓમાં તેઓ પિતાની વિશિષ્ટ સેવા આપતા રહ્યા હતા. છેહલાં કેટલાંક વર્ષોથી જગજીવનભાઈએ વ્યવસાયમાંથી કમિટ નિવૃત્તિ લીધી હતી, અને જિંદગીના છેલ્લાં વર્ષોને તેમણે સમાજ સેવાન સુંદર કાર્ય કરીને શોભાવ્યાં હતાં. જગજીવનભાઈ એટલે સંનિષ્ઠ, પ્રામાણિક અને કર્તવ્યપરાયણ સમાજસેવક, વિદ્યાલયની શાખાઓની મુલાકાત દરમિયાન જ સંધિ સમાચાર « સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહ ' વસંત વ્યાખ્યાનમાળા સંધના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા આ વર્ષે સેમવાર, મંગળવાર બુધવાર અનુક્રમે તા. ૬, ૭, ૮ એપ્રિલ, ૧૯૮૭ના રોજ જ્વામા આવી છે. તેને કાર્યક્રમ નીચે મુજબ છે. વિષય : રાષ્ટ્રીય એકાત્મકતા, પડકાર અને નિરાકરણ સ્થળ : વાચંદ હીરાચંદ સભાગૃહ, ઈન્ડિયન મરચન્ટસ - ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ-૨૦ સમય : સાંજના ૬-૦૦ કલાકે. ઉદ્દઘાટક : શ્રી નાની પાલખીવાળા પ્રમુખસ્થાન: શ્રી અમરભાઈ જરીવાલા મતિયાના દદીઓને ચશમાં માટે સહાય સંધના ઉપક્રમે સાધારણ રિથતિવાળા મોતિયાના દર્દીઓને ઓપરેશન પછી ચરમ માટે સહાય આપવાની યોજના કરવામાં આવી છે. તે માટે શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી અમને રૂ. ૧૫૦૦૦) નું ઘન મળ્યું છે. તે માટે અમે એમના અત્યંત ઋણી છીએ. સંધની આ એક નવી પ્રવૃત્તિ છે અને એમાં આર્થિક સહકાર આપવા સૌ કોઈને વિનંતી છે. એ થાજના અંગે વધુ વિગતે હવે પછી જાહેર કરવામાં આવશે. - મંત્રીએ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે પ્રબુદ્ધ જીવનનો સંયુકત અંક ભગવાન મહાવીર જન્મ કલ્યાણુક નિમિત્તે તા.. ૧-૪-'૮૭ અને તા. ૧૬-૪-૮૭ને ‘પ્રબુદ્ધ જીવનને અંક સંયુકત અંક તરીકે તા. ૧૬-૪-૮૭ના રોજ પ્રગટ કરવામાં આવશે. એટલે તા. ૧-૪-૮૭ને અંક પ્રગટ થશે નહિ.. - તંત્રી
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy