________________
તા. ૧-૩-૨૭
પ્રબુદ્ધ જીવન
૧૫૭
‘હિન્દી વિચાર–ગોષ્ઠિ
સંકલન : ગણપતલાલ ઝવેરી શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે તા. ૨૧-૨-૮૭ની સાંજે સંધના સભાગૃહમાં રાષ્ટ્ર કવિ શ્રી મૌથિલીશરણ ગુપ્ત શતાબ્દી નિમિત્ત એક ગેષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્વાન વક્તા અને મહારાષ્ટ્ર રાજય વિધાન પરિષદના સભ્ય છે. શ્રી રામમનોહર ત્રિપાઠીએ “રાષ્ટ્રકવિ મથિલીશરણ ગુપ્ત ઔર રાષ્ટ્રીય કવિતા' વિષય પર ખેલતાં કહ્યું કે “મૈથિલીશરણુજી જન્મજાત કવિ હતા. શુદ્ધ હિન્દી ભાષાના તેઓ પ્રણેતા અને પુરસ્કર્તા હતા. રામનામ અને કવિતા એમની રગેરગમાં વણાઈ ગયાં હતાં.
શ્રી ગુપ્તજીને જન્મ સંપન્ન ચુત વૈષ્ણવ પરિવારમાં થયે હોવા છતાં પિતે ભગવાન રામચંદ્રના પરમ ભકત હતા. એટલે જ એમણે ગાયું હતું કે
રામ દુહારા વૃત્ત સ્વયં હી કાવ્ય છે
કેઈ કવિ બન જાય, સહજ સંભાવ્ય હૈ. મૌથિલીબાબુના જીવન ઉપર દિગંબર જૈન સંપ્રદાયની અહિંસા, ઝાંસી કી રાણી” લક્ષ્મીબાઈની શાયગાથા અને દેશપ્રેમ તથા તત્કાલીન આર્યસમાજની વિચારધારાની પ્રબળ અમર હતી. ત્યાર બાદ. મહાત્મા ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા પછી તેઓ ગ્રેિસી બન્યા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયા તેના પરિપાક રૂપે એમણે ભારતની આઝાદીને બિરદાવતે શ્રેષ્ઠ કાવ્યગ્રંથ ભારત ભારતી'ની રચના કરી જેનાથી સમકાલીન સાહિત્યકારે, કવિઓ અને રાજપુઓ ખૂબ પ્રભાવિત થયા. ભારતીય નારી સમાજ પ્રત્યેના ' અન્યાય, અસમાનતા અને ઉપેક્ષાથી તે અત્યંત વયથિત થયા ? હતા. તત્કારણે નારી ઉદ્ધારના અભિયાનરૂપે એમણે પૌરાણિક અને ઐતિહાસિક પાત્ર, જેવાં કે લક્ષ્મણની પત્ની ઊર્મિલા અને સિદ્ધાર્થની રાણી યશેખરને ઉપસાવતાં અદિતીય મહાકાવ્યની રચના કરી હતી. આમ, તેઓ દેશપ્રેમ અને રાષ્ટ્રભાષાના સ્વનામધન્ય કવિ હતા. કેગ્રેસ તરફથી તેઓ રાજયસભામાં ચૂંટાઈને આવેલા ત્યારે એમણે પિતાનું ભાષણ ગદ્યમાં નહીં પરંતુ કવિતા દ્વારા આપીને
તાજને આશ્ચર્યચક્તિ કરેલા. તત્કાલીન સામાજિક, સાહિત્યિક અને રાજકીય પરિબળોને સતત સંઘર્ષ અને પ્રતિકાર કરતા રહીને શ્રી મૈથિલીશરણ ગુપ્ત એક મહામાનવ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા.
બીજા સાક્ષર હતા મુંબઈ વિશ્વવિદ્યાપીઠના હિન્દી વિભાગના અધ્યક્ષ છે. વિનોદ ગેદિરે. એમને વિષય હતે. મથિલીશરણ ગુપ્ત કી રાષ્ટ્રીય ચેતના” ' એમણે કહ્યું કે “ગુપ્ત જન જાગરણના કવિ હતા. એમણે રાષ્ટ્રીય ચેતના જગાડવાનું અને ચરિત્રનિર્માણનું ભગીરથ કાર્ય કયું હતું એમની ૬૦ વર્ષની કારકિદી દરમિયાન એમણે ૬૦ જેટલાં પુસ્તક લખ્યાં હતાં. સંવેદન, પા અને ઘટનાઓના માધ્યમ દ્વારા એમણે ભારતમાતાનું દેવીકરણ કર્યું એટલે કે ભરતભૂમિને દિવ્યતા અપાવી હતી પોતાના બહોળા અનુભવોને માધારે મથિલીશરણ ગુપ્તજીએ પ્રતિપાદન કર્યું કે નારી જાગરણ વિના રાષ્ટ્રીય જાગરણું સંભવ નથી. તેઓ પરંપરાગત ધર્મ યુક્ત હતા પરંતુ ધમધ ન હતા. તેમનાં કાવ્યસજનામાં સમકાલીન સમર્થ કવિ ભારતેન્દુ તથા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની છાયા વર્તાતી હતી. ત્યારબાદ શ્રી ગોદરેજીએ મહાત્મા ગાંધી અને મૈથિલીશરણુ ગુપ્ત વચ્ચે સરખામણી કરતાં કહ્યું કે
બને પરમ વૈષ્ણવ હતા. બન્ને અનન્ય રામભકત હતા ગુપ્તજી તે રામખલા તરીકે પ્રખ્યાત થયા હતા, અને પ્રખર રાષ્ટ્રપ્રેમી . હતા. રાષ્ટ્રીય ચેતનાના બને પુરસ્કર્તા હતા. ગાંધીજી રાષ્ટ્રનેતા હતા જ્યારે ગુપ્ત રાષ્ટ્રકવિ હતા. બન્ને મહાપુરુષોએ પિતપિતાનાં માધ્યમ દ્વારા નારી. ઉદ્ધાર માટે, તથા ઉપેક્ષિત નારીની પ્રતિભા અને સુષુપ્ત શકિતને પ્રગટાવવા પ્રચંડ અને કયાં હતાં. આના અનુસંધાનમાં મૌથિલીશરણુજીએ એક ઠેકાણે લખ્યું હતું કે :- “અબલાજીવન દાય, તુમહારી હી કહાની
અચલ હે દૂધ એર આખો મેં પાની” : શ્રી ગુપ્તજી હિન્દી ઉપરાંત, અંગ્રેજી, બંગાળી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષાના ઊંડા જ્ઞાની હતા. એમનાં કાવ્યસજામાં, સાકેત યશોધરા, ભારત ભારતી, પંચવટી, કિસાન, જયદ્રથવા છે. રચનાઓ અત્યંત સુપ્રસિદ્ધ અને ઉલ્લેખનીય રહી અને એમની સરળ અને હૃદયસ્પર્શી શૈલીને કારણે એમની ઘણી બધી કવિતાઓ લેકજીભે ચઢી ગયેલી.”
સભાના પ્રારંભે શ્રી કે. પી. શાહે સંધને સંક્ષિપ્ત પરિચય આપે હતા, ત્યાર પછી ગેષ્ઠિના સંયોજક શ્રી બસંતીલાલ નરસિંહપુરાએ બન્ને વિદ્વજનોને પરિચય કરાવ્યો હતો.
અંતમાં, સભાના પ્રમુખ છે. શ્રી રમણભાઈ શાહે પિતાના લાક્ષણિક સલીમ અને પ્રબુદ્ધ વ્યાખ્યાતાઓની માહિતીસભર, મનનીય અને રસપ્રદ વ્યાખ્યાનની સમુચિત સમાપના કરીને તેમને હાર્દિક આભાર માન્યા હતા. રામાયણ અને મહાભારતનાં કેટલાંક ઇતર પાત્રો
(પૃષ્ઠ ૧૫૮ થી ચાલુ) કારણે આપણે સમજી નથી શકતાં.
રામાયણ અને મહાભારતનાં પા ચિરંતન છે. જે આપણાં સગાંવહાલાં કરતાં પણ વધુ સાચી લાગે છે. ભારતીય સંસ્કૃતિને વળાંક આ કથામાં જોવા મળે છે. બન્ને મહાકાવ્ય કદી વાસી નથી થવાનાં એવાં નિત્યનુતન છે.
કાર્યક્રમના આરંભે શ્રી કાકીલાબહેન વકાણીએ કપાને કર્યું હતું. પરિસંવાદના સંયોજક છે. ધનવંત તિ. શાહે સૌને આવકાર આપ્યું હતું અને પરિસંવાદની ભૂમિકા સમજાવી હતી. આ પરિસંવાદના મૂળમાં ઉર્મિલાનું ઉપેક્ષિતા કહેવાયેલું પાત્ર રહેલું છે, તે સમજાવ્યું હતું
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ ડો. રમણલાલ શાહે મહેમાનને પરિચય અ હતું અને એક દિવસના પરિસંવાદને હેતુ સમજાવ્યા હતા.
આરંભે મહેમાનોનું સ્વાગત સંધના મંત્રી શ્રી પન્નાલાલ ૨. શાહ અને સહમંત્રી શ્રી નીરુબહેન એસ. શાહે કહ્યું હતું.
કાર્યક્રમના સમાપનમાં ઉપસંહાર કરતાં શ્રી રમણભાઈ કહ્યું હતું કે, જીવંત વ્યકિત અમુક વર્ષો સુધી જ રહે છે હું સજ કે સજેલી પાત્રસૃષ્ટિ સૈકાઓ સુધી જીવંત રહે છે. આ બને કથાઓમાં ઘણું ફેરફાર થયા છે. સમયે સમયે જુદી જુદી . અર્થધટન ઉમેરાતાં રહ્યા છેવિદેશમાં પણ રામાયણની કથા પહોંચી છે. બાલિ, ફિલિપાઈન્સ, થાઇલેન્ડ, વગેરે સ્થળોએ રામાયણની કથા પહેાંચી છે. જ્યારે કઈ રશિયન શિલ્પી ગાંધીજીની પ્રતિમા ઘડે ત્યારે આપણને અસલ નથી લાગતી, તેમ જાપાનમાં ભગવાન બુદ્ધની મૂતિ પણ જાપાની શૈલીવાળા
જોવા મળે એમ અનેક પાત્ર વિશે પણ બને છે. આજે આ સમર્થ અધિકારી વકતાઓએ આપણને આપણું આકર ગ્રથને આરવાદ કરાવ્યો છે. થોડાં નવા અર્થધટને આપ્યાં છે. આ કાર્યક્રમનું સંચાલન સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કર્યું હતું.