SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૫૮ પ્રબુદ્ધ જીવન ગ્રંથાલયાની સમૃદ્ધિ વધારનાર આકગ્રંથ" સમીક્ષક : કાન્તિભાઇ બી. શાહ meer tyden જીવનમાં વકીલાત જેવી વ્યાવસાયિક કારકિદી સ્વીકાર્યાં છતાં, પોતાના આયુષ્યના લગભગ સાડાત્રણ દાયકાના લાંગા સમયપટ ઉપર યથાય રીતે સરસ્વતી ઉપાસના કરતા રહીને શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈએ વર્ષોં પહેલાં ‘જૈન ગૂજ'ર કવિએ’ સાગ ૧-૨-૩ના દળદાર ચાર ગ્રંથ અને 'જૈન સાહિત્યના ચક્ષિપ્ત તિકાસ' ઉપલબ્ધ કરી આપીને જૈન ગુજરાતી સાહિત્યક્ષેત્રે મૂલ્યવાન પ્રશ્નાન કર્યુ હતુ. 'જૈન ગુજ'રવિ' એટલે લગભગ ૪૦૦૦ પાનામાં વિસ્તરેલા આકગ્રંથ. હસ્તપ્રત ભારા આદિ ૨૦૦ જેટલાં સાધનાને ઉપયોગમાં લઇને એમણે જે વિસ્તૃત સાહિત્યસૂચિ તૈયાર કરી એમાં લગભગ ૧૦૦૦ જેટલા જૈન કવિઓ, સેએક જૈનેતર કવિઓ અને એમની આશરે મઢી હજાર કૃતિને આ ગ્રંથમાં સમાવિષ્ટ કર્યો હતાં. કાઇ એક યુનિવર્સિટી હાથ ધરી શકે એવુ સ ંશોધન – સંપાદનનું મા ભગીરથ કાર્ય શ્રી દેએ એકલે હાથે અત્યંત પરિશ્રમ લઈને દાયકાઓ પહેલાં પાર પાડયું હતુ. કર્તા ઋને એમની કૃતિઓના સમયાનુક્રમિક પરિચય આપતાં, શ્રી. દેશાઇએ કૃતિ એના આરંભ અને અંતના ભાગેની તેમ જ પુષ્પિકાની ચીવટભરી પ લને, તાલે અને એમાંની કેટલીક હજી આજે પણ જે સામગ્રી ભંડારામાં દટાયેલી પડી છે એના શિક નમૂન એનું ચિત્ર ગુજરાતી પ્રજા સમક્ષ પ્રત્યક્ષ કરી માપ્યુ હતું. આ ઉપરાંત એમણે ગુજરાતીની પૂર્વ' પર’પરાને ઇતિહાસ, જૈન ાની ગુરુપદાવલીઓ, કથાનામાષ, કૃતિઓમાં ઉપ્લેગમાં લેવાયેલા અઢી હજાર દેશીઓની અનુક્રમણિકા તથા કૃતિ અને સ્થળનામાની શબ્દાનુક્રમણી જેવી ગંજાવર સામગ્રી એમાં સામેલ કરીને ભાવિ સધન માટે મંજની દિશા ઉદ્ઘાટિત કરી આપી હતી, ફિઇ સશોધન-સંપાદનનું આ કામ શ્રી દેશાફ્ટ દ્વારા એકલે સમયના લાંબા પટ ઉપર ચાહ્યા કર્યુ હોઇને બન્યુ એવ” કે જેમ જેમ કાઇ કર્તા કે કૃતિ વિશે વધુ માહિતી પ્રાપ્ત બનતી ગઈ અથવા તા જૂની માહિતીને સુધારવાની જરૂર ઊભી થતી ગઈ તેમ તેમ પૂર્તિ' રૂપે તે, સપાને હાથે મેં ત્રણ તમાકે નોંધાતી ગઈ. આથી એક જ સાનાં કર્યાંકૃતિ એકથી વધુ સ્થાને પ્રસ્તુત ગ્રંથમાં નોંધાયેલાં છે, એટલે કાઇ કર્તા કે કૃતિ વિશે પૂરતું ચિત્ર મેળવવા માટે બધું જ સ્થાન જોઇ જવાં પડે એ સ્થિતિ ઊભી થઇ. વળી શ્રી દેશાઈએ જાતે જોયેલી હસ્તપ્રતો ઉપરાંત ખીજેથી જે સમગ્રી પ્રાપ્ત થઈ એમાં આરંભ-અંત કે પુષ્પિકાના ભાગે ઉપલબ્ધ ન થયા હોય ત્યાં કેત્રળ નામ-યાદી મપાઇ ડાઇ, સામગ્રીની અધિકૃતતાના કેટલાક પ્રશ્નો ઊભા રહેતા હતા. તા.૧૨-૮૭ m પ્રકાશિત થવાને કારણે મૂળ ગ્રંથમાં અનેક સુધારાવધારા કરવાનુ પશુ આવસ્યક બન્યુ હતું. જૈન ગૂજ'ર કવિઓ' ગ્રંથની સુધારેલી અને સંવર્ધિત નવી આવૃત્તિનું પ્રકાશન કરવાના મહત્ત્વને નિશ્થ કરી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇ દ્વારા શુદ્ધિ-વૃદ્ધિ સહિતની ખીજી આવૃત્તિના સંપાદનનુ કામ વરસેક અગાઉ પ્રા. જયંત કાહારીને સોંપવામાં આવ્યું હતું.. 'જૈન ગુર્કવિ'ની આ અશેષિત-સ ંવર્ધિત આવૃત્તિ લગભગ ૮ થી ૧૦ ગ્રંથમાં પ્રકાશિત કરવાનું આયેાજન તેના સપાદક શ્રી જયત કારૢરીશે કપુ" છે તેના પ્રથમ સુફળ રૂપે તાજેતરમાં જ પ્રસ્તુત ગ્રંથને પહેલા ભાગ પ્રગટ થયા છે. આ ગ્રંથના પુનિન'ર્માણનું કાય' હાથ ધરવા માટે શ્રી જયંત કડ્ડારીએ પર્યાપ્ત અધિકાર અને સુસજજતા પ્રાપ્ત કર્યાં છે, અને એમાં મુખ્ય નિમિત્ત બની છે ‘ગુજરાતી સાક્રિષાશ'ના મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિસાગના સપાદનની એમણે છેલ્લા સાતેક વર્ષથી સ્વીકારેલી કામગીરી. મળના જૈન કવિઓ-કૃતિઓનાં અધિકરણ લેખન સ ંપાદન માટે એક આજીથી જૈન ગૂર્જર ષિએ' મુખ્ય આધારથ બની રહ્યો, તા ખીજી બાજુથી, જૈન ગુજરાતી સાહિત્યની અન્ય ધણી સામગ્રીમાં ને પૂરક સાધનાના ઉપયેગમાં જવાનુ થતાં ‘જૈન ગૂજર કવિઓ'માં રહી ગયેલી ત્રુટિમાં, ઊણપો પણ પ્રશ્નમાં આવતી ગઇ. સાહિત્યકાશ'ને નિમિત્તે શ્રી જયંત કાઠારીને જે સમસ્યાઓના સામના સ્થાને આવ્યા અને એમ કરતાં એના ઉકેલની ચાવી પશુ એમને મળતી ગઇ એ સમગ્ર પ્રક્રિયા દ્વારા એમણે મેળવેલી તાલીમ અને વિશેષ સજ્જતાને એમણે જૈન ગુજર કવિઓ'ની બીજી માતૃત્તિના સપાદન વેળાએ સામગ્રીની શુદ્ધિવૃદ્ધિમાં સુપેરે મે વગાડી છે. પ્રથમ આવૃત્તિમાં અનેક તર્ક પૂતિઓ દાખલ કરવાથી કર્તીપરિચય અને કૃતિપરિચયેા ખડિત રહેતા હતા. તે સૌને સમયાનુક્રમે અહી' પુનઃ સબૈજિત કરી લેવામાં માળ્યા છે. વળી પ્રથમ આવૃત્તિમાં શ્રી કેશાએ પાછળથી જે જે સુધારાઓ કરેલા તે સૌને આ બીજી આવૃત્તિમાં યથાસ્થાને આમેજ કરી લેવાયા છે. તે ઉપરાંત મૂળમાં ગદ્યકૃતિ અને એના કર્તાઓની સામગ્રી જે અલગ રીતે અપાઇ હતી તેને પણ મુખ્ય સામગ્રીની સાથે જ લઇ લેવામાં આવી છે. આમ શ્રી જયંત કાઠારીએ પૂર્તિ'માં વિભકત સામગ્રોને સંકલિત કરી લીધી છે. આ નવી આવૃત્તિમાં સ પાર્ક સામગ્રીની રજૂઆત માટેની અત્યંત ચીવટવાળી વિશદ અને ચેકસ વ્યવસ્થા ઊભી કરી છે, અહીં કર્તા કે કૃતિને વિશેષ પરિચય કર્તા કે કૃતિના નામની નીચે જ મૂક્વાની એકધારી પદ્ધતિ તેમણે અપનાવી છે. હસ્તપ્રતેના નિર્દેશ કો ́સના ઉપયોગથી સ્પષ્ટ કરવામાં આવ્યા છે તા પ્રકાશિત કૃતિઐને ‘પ્રકાશિત' એવા સ્પષ્ટ નિર્દેશ સાથે હસ્તપ્રત યાદીથી જુદી પાડવામાં આવી છે. હસ્તપ્રત અ’ગેની માહિતીને પણ · સંપાદક એક ચોકકસ ક્રમમાં ગોઠવીને રજૂ (અનુસંધાન પૃષ્ઠ ૧૫૭ ઉપર) ૧૯૨૬થી માંડીને ૧૯૪૪ના ગાળાનાં વર્ષોમાં ‘જૈન ગૂર્જર*વિશ્મા'ના ત્રણ ભાગોની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન ક્રમશઃ શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ, મુંબઇએ કર્યુ. હતું. પણ ધાં વર્ષોથી સશધન માટે અતિ મહત્ત્વના એવા આ આધારભૂત સદગ્રંથ અપ્રાપ્ય ન્યા હતા તેમ જ વચગાળે ખીજી ઘણી હસ્તપ્રતો પ્રાપ્ય બનવાને કારણે અને અનેક અપ્રગટ કૃતિ માલિક : શ્રી મુબઈ જૈન યુવક સધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શ્રાદ્ધ, પ્રકાાન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રા યુએઈ ૪૦૦ ૦૦૪. ટે ન. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. 12
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy