________________ " પ્રબુદ્ધ જીવન તા. 12-87 નામકરણ (પૃષ્ઠ 156 ચાલુ) આપેલાં નામે ઝટ ઝટ બદલાવીને પોતાના નેતાઓનાં નામ આપે છે. એમાં પણ કયારેક દંપ, સ્પર્ધા, અહંકાર, સંકુચિતતા ભાગ ભજવી જાય છે. થોડા સમય પહેલાં દક્ષિણ ભારતના એક શહેરમાં વિશ્વ ધમ પરિષદમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું. ત્યાં ગયો ત્યારે જોવા મળ્યું કે એ પરિષદમાં ભારત બહારથી કોઈ પ્રતિનિધિ અધ્યા ન હતા. ખુદ ભારતમાંથી પણ મારા જેવા સાત-આઠ પ્રતિનિધિઓથી વધારે ન હતા. ત્રણસો જેટલા શ્રોતાઓ એશહેરના પિતાના જ હતા. લગભગ બધા જ હિન્દુ ધર્મના પ્રતિનિધિ હતા. ઈરલામ, યહૂદી કે બૌદ્ધ ધર્મના કોઇ પ્રતિનિધિ ન હતા. વસ્તુત: બહારની વ્યકિતઓને ખસિ નિમંત્રણ અપાશે જ નહતાં. ખર્ચાની-ભોજન-ઉતારાની ઘણી મર્યાદા હતી, છતાં એક ધમ નેતાના અહંકારને સંતોષવા ખાતર પરિષદને વિશ્વધર્મ પરિષદ એવું નામ અપાયું હતું. હમણાં હમણાં દુનિયામાં આવી કેટલીય પરિષદો અને સંમેલને જાય છે કે જેમાં નામ ઘણું મોટું હોય છે પરંતુ કાર્ય કે કાર્યક્ષેત્ર તે અલ્પ માત્ર હોય છે. વર્લ્ડ કોન્ફરન્સ કે અખિલ ભારતીય સંમેલનો વારંવાર જાય છે, પરંતુ તેમાં પ્રતિનિધિત્વ તે તે નગરનું પણ’ પૂરું રહેતું નથી. કેટલાક ઉદ્યોગપતિઓ, સાહિત્યકાર, પત્રકારે;"અર્થશાસ્ત્રીઓ, કેળવણીકારે પિતાના દંભી આત્મસંતોષને ખાતર આવી પરિષદોને ઈરાદાપૂર્વક મેટાં ભ્રામક નામે આપે છે અને લેકે છાપાઓમાં એના અહેવાલે વાંચી ઘડીભર અંજાઈ જાય છે; પરંતુ જે જાણે છે તે જાણે છે અને આત્મવંચનાને માણે છે. ' નામકરણની બાબતમાં અનુકરણની વૃત્તિ લેકમાં વિશેષપણે રહેલી હોય છે. કોઈ એક નામ બહુ પ્રખ્યાત થઈ ગયું હોય તે તે નામ માટેની પિતાની યોગ્યતા હોય કે ન હોય તે વિચાર્યા વગર તે પાડ્વા માટે માણસે. લલચાય છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યુયેકમાં પ્રખ્યાત થયા પછી મુંબઈ અને અન્ય સ્થળે એવાં નામ વપરાયું છે, પરંતુ તે ઉપહાસપાત્ર બની રહ્યાં છે.' પિતાની નવી દુકાન કે કંપનીને શું નામ આપવું એ પણ કેટલાકને મૂંઝવતા પ્રશ્ન છે. દુનિયામાં કોડે દુકાને, કંપનીઓ, ઉદ્યોગ, પેઢીઓ છે. એમાં કેટલાંય નામ સાવ સામાન્ય પ્રકારનાં છે. નવાં નામે બહુ ચલણી બની જતાં ઘડીકમાં જૂનાં થઈ જાય છે. હમણાં હમણાં ગુજરાતમાં દુકાનોનાં નામ માટે કોર્નર’ કે ‘સેન્ટર’ જેવા અંગ્રેજી શબ્દો વધુ પ્રચલિત થયા છે. કેટલીય દુકાનોનાં “સેન્ટર ' નામ હોય પરંતુ તે સેન્ટરમાં જ હોય અથવા તે જ સેન્ટર હોય એવું નથી. દુકાનનું નામ કિન્નર' હોય તે પણ તે કોર્નરમાં હોય નહિ. ‘જલારામ પાન નર” નામની દુકાન હોય, પરંતુ તેથી તે કેનરમાં છે અથવા તે કેર્નર જ છે એવું હોતું નથી. - હમણાં એક રોપાનિયું ટપાલમાં આવ્યું. નામ હતું વિશ્વ હિન્દુ ટાઈમ્સ.' ચાર પાનાંના એ પાનિયામાં વિશ્વની કઈ વાત ન હતી. સમગ્ર ભારતની વાત પણ ન હતી. હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજની પણ તેમાં ખાસ કોઈ વાત ન હતી. એાળખાણને લાભ લઈ, જાહેરખબર મેળવી ચેડાં પૈસા અને પ્રસિદ્ધિ મેળવી લેવા સિવાય બીજી કે ગુજાયેશ એ પત્રમાં નહોતી, આટલા નાના પતાકડાને આખા વિશ્વનું નામ આપવા પાછળ છે. આશય હશે એ વિચાર કરીએ તે કેટલાય ગંભીર અને રમૂજી તર્ક કરી શકાય. ' દુનિયાની ઘણી બધી ભાષાઓમાં છાપાંઓ અને સામયિક પ્રગટ થાય છે. વખતેવખત નવાં નવાં નામ અસ્તિત્વમાં આવે છે, પરંતુ તે જે કંઇ સામટ બતાવે છે તે જ તેનું નામે પ્રચલિત બને છે અને તે લોકજીભે ચઢી જાય છે; નહિં તે થોડા સમયની આવરદા ભોગવી કાળના ગર્ભમાં તે વિલીન થઈ જાય છે - શાળાએ લેજે, હોસ્પિટલો, ધર્મશાળાઓ, હોટેલ, ધર્માદા સંસ્થાઓ, દુકાને, મારકેટો કે એવા પ્રકારની બીજી સંથાઓનાં માનેને જે નામે અપાય છે એમાં પણ વખતે વખત પરિવર્તન થયા કરે છે. ધર્માદા સંસ્થાઓમાં જૂના દતાએનાં નામ, ફેટા કે પૂતળાં જીણું થઇ જાય છે અને નવા દાતાઓનાં નામ, ટા કે પૂતળાં પ્રસ્થાપિત થઈ જાય છે. એ બધાનું આયુષ્ય મકાનના આયુષ્ય જેટલું, સૈકા–બે સૈકાથી વધુ સમય ભાગ્યે જ રહેતું હોય છે. - તાજમહાલ, તુબમિનાર, રાણકપુર, દેલવાડા, અજન્ટાઇલેરા, શ્રવણબેલગોડા વગેરે ભવ્ય નામાંકિત પ્રાચીન કૃતિઓ પિતાના નામથી હજારેક વર્ષથી વધુ સમય પ્રસ્થાપિત રહી શકે છે; પરંતુ એવી કૃતિઓની પણ આયુષ્ય મર્યાદા હોય છે. નદી, પર્વત, કે તારાઓનાં મહિમાવંત નામે જેટલા લાંબા સમય સુધી રહે એટલાં આવી કૃતિનાં નામ ટકી શકતાં નથી. કુદરતમાં ચારે બાજુ જીર્ણતાનું તત્ત્વ સતત કાર્ય કરે છે અને અનેક મેટી મટી કૃતિઓ, આકૃતિઓ કે મેટાં મેટાં નામે કાળના યજ્ઞમાં હોમાઈ જાય છે. , જે સંસ્થા, સામયિક કે એવી બીજી કઈ પ્રવૃત્તિના પાયામાં પુણ્યશાળી વ્યકિતઓની અહંકારરહિત, નિઃસ્વાર્થ, સવને કલ્યાણની શુભ ભાવના રહેલી હોય છે તેવી પ્રવૃત્તિનાં મૂળ ઊંડાં અને લાંબા સમય સુધી સજીવ રહ્યા કરે છે. તેવી પુણ્યશાળી વ્યકિત તે ચાલી જાય છે, પરંતુ એની પ્રવૃત્તિને પિષણ આપનારી નવી સંનિષ્ઠ, સેવાભાવી પેઢીએ સમયે સમયે તેમને મળતી રહે છે. "What is there in a Name?" અથવા “નામ તેને નાશ છે!” જેવી કેટલીક ઉકિતઓ લેકપ્રચલિત છે. નામનો મહિમા નથી એમ ન કહી શકાય, પરંતુ નામમાં જ સર્વસ્વ આવી જાય છે એમ પણ ન કહી શકાય. વસ્તુત: નામ બહુ સરસ, ચમત્કૃતિભરેલું, આકર્ષક હોય કે સાવ સામાન્ય હોયઃ વ્યકિત કે કૃતિનું સામર્થ્ય જ નામને વધુ જીવંત બનાવી દે છે. મહાન વ્યકિતએ કે કૃતિઓ પિતાના અસામાન્ય સૌરભભર્યા, સામર્થ્યયુકત કાર્યથી પિતાનાં નામને મહિમા ચારે બાજુ. પરિમલની જેમ પ્રસરાવી શકે છે. ' -રમણલાલ ચી. શાહ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી. રોડ, મુંબઈ 400 004. ટે. નં. 350296 : મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - 400 004.