________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ૧૨ '૮૭
પ્રાચીન નામે ફરી પાછા નવીનતા પામી પ્રચલિત થાય એવું ઘણા દેશમાં બને છે. કેટલાંક નામે પૌરાણિક ઐતિહાસિક દ્રષ્ટિએ એટલાં બધાં વગેવાઈ ગયાં હોય છે કે તે પાડવામાં આવતાં નથી. રાવણ, કંસ, દુર્યોધન, ગોશાલક વગેરેમાંથી કોઈ નામ પાડવાનું કે માતા-પિતાને ગમશે નહિ. હિટલર કે મુસલિની જેવું નામ પણ પશ્ચિમ દેશામાં જલદી પડશે નહિ.
દુનિયામાં જેટલા બાળકનાં નામ પાડવામાં આવે છે તે યોગ્ય, યથાર્થ, સમુચિત હોય તેવું નથી. કેટલાંક નામોમાં દેખીતી રીતે અતિશયોક્તિ કે અસંગતિ પણ જોવા મળે છે. તે કેટલાંક નામનું તે વ્યક્તિના જીવન સાથે સુસંગતપણું હેતું નથી. એટલા માટે જૂના વખતમાં નીચેને દહો પ્રચલિત બન્યા હતા?
લખમી છાણાં વિભુતી, ભીખતે ભૂપાલ; અમર મરતે દીઠિયે,
ભલે મારે ઠણઠણ ગોપાલ.” પિતાના પતિનું નામ “ઠણઠણ ગોપાળ” હતું અને તે ગમતુ ન હતું એવી કોઈક યુવતીએ બીજાનાં નામની તપાસ કરી તે તેને લમી નામની કન્યા જોવા મળી, પરંતુ તે છાણું વીણતી હતી. ભૂપાળ (રાજા) નામનો યુવાન હતા, પરંતુ તે ભીખ માગતા હતા. કોઈકનું નામ અમર હતું, પરંતુ તે મૃત્યુ પામ્યો હતે. આવી વિસંગતિઓ જોઈને તે યુવતીએ પિતાના પતિનું અણગમતું નામ ગમાડી લીધું.
નામકરણમાં માણસ જ્યારે નવીનતા ખાતર નવીનતા આણે છે પરંતુ અર્થની કે મહિમાની એને ખબર નથી હોતી ત્યારે કેટલીક વિસંગતિઓ દેખાય છે. કેઈ કન્યાનું નામ કાદમ્બરી પાડવામાં આવ્યું હોય પરંતુ તે કન્યા અત્યંત જાડી, કાળી, કદરૂપી હોય તે તે નામ તેને લજાવનારું બને છે. એનું એક કારણ એ પણ છે કે એ નામ હજુ એટલું પ્રચલિત બન્યું નથી. રંભા કે ઉર્વશી જેવાં નામે એટલાં બધાં પ્રચલિત થઈ ગયાં છે કે કોઈ કદરૂપી કન્યાનું એ નામ હોય તે પણ તે હવે ખૂંચતું નથી. કેઈ કે બાળકનું નામ નિહાર પાડવામાં આવે છે, પરંતુ શૌચક્રિયા માટે તે શબ્દ છે એવી ખબર નામ પાડનારને હોતી નથી. અમિષ કે અમિષા, અમિષી જેવાં નામ પાડવામાં આવે છે, પરંતુ તે માંસ માટે વપરાતે શબ્દ છે તે ઘણુની જાણમાં હોતું નથી. (અલબત્ત “અમિષાના અન્ય અર્થ પણ થાય છે પણ તે પ્રચલિત નથી.) હમણાં હમણાં આડાઅવળા વ્યંજને જોડી નવું નામ બનાવવામાં આવે છે, જેને ખાસ કઈ અર્થ હોતે નથી.
ભારતમાં નામ પાડવાની બાબતમાં પણ કેટલીક અંધશ્રદ્ધા હજુ પણ પ્રવર્તે છે. કે સ્ત્રીનાં બાળકે જીવતાં ન રહેતાં હોય તે કઈકની નજર લાગે છે એવી માન્યતા સાથે નવા. બાળકનું નામ ગાંડાલાલ, ભીખાલાલ, કચરાલાલ, મફતલાલ કે એવું કાઈ નામ પાડવામાં આવે છે, જેથી બાળકને કેાઈની નજર ન લાગે.
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સપક ઉત્તરોત્તર વધત જાય છે અને દુનિયાના ઘણા દેશમાં ભારતીય લેકેએ વસવાટ કરે છે. એવાં કેટલાંય કુટુંબમાં ત્યાંના સ્થાનિક
લોકનાં નામમાંથી કેટલાંક નામ પાડવામાં આવે છે. કેટલાક ભારતીય લોકોને પાશ્ચાત્ય નામે ગમે છે, તે પશ્ચિમના કેટલાક લેક ભારતીય નામે રવીકારવા લાગ્યા છે. બાળકે માટે નવાં નવાં નામોની આયાત-નિકાસ દુનિયાભરમાં વધવા લાગી છે.
દુનિયામાં મનુષ્યની વસ્તી તે અબજોની છે. એટલે એકસરખાં બે નામવાળી વ્યકિતઓ નજીક નજીકમાં હોય તે પણ તે કઠે એવી પરિસ્થિતિ નથી. કેટલાંક કુટુંબમાં તે નજીકના સગાનું નામ હેતુપૂર્વક સરખું રાખવામાં આવે છે. કેટલીક કેમમાં નામેની સમૃદ્ધિ એટલી નથી હોતી એટલે એકનું એક નામ અનેક ઘરે જોવા મળે છે. એવી વ્યકિતઓને ઓળખવા માટે પછી એમના નામ સાથે પિતાનું નામ, અટક, ગામનું નામ વગેરે જોડવામાં આવે છે. કચ્છમાં કેટલાંય કુટુંબમાં પિતાનું નામ અને અટક પણ મળતાં આવે છે. એટલે ગામના નામથી ઓળખવાને શિરસ્તે ઘણાં વર્ષોથી પડી ગયું છે.
જેમ વ્યકિતની બાબતમાં તેમ ગ્રન્થની બાબતમાં નવાં નવાં, નામની અપેક્ષા રહે છે. કોઈ પણ ગ્રન્થ માટે જૂના નામનું પુનરાવર્તન કરવામાં આવે છે તેથી ગેરસમજ થવાનો સંભવ છે. પિતાનામાં કંઈક ભાષાશકિત હોય તે જ માણસ સારે ગ્રન્થકાર થઈ શકે છે. એટલે ગ્રન્થકારોને માટે પિતાના ગ્રન્થનું નામ આપવાનું એટલું અઘરું નથી. તે પણ કેટલાક ગ્રન્થનાં નામ એક સરખા જોવા મળે છે, અજાણતાં તે અપાયાં હોય એમ પણ બની શકે. એવા ગ્રન્થ ઓળખવા માટે કર્તાનું નામ આવશ્યક થઈ પડે છે.
જમાને જમાને પ્રત્યેક ભાષામાં અનેક સજ કે પિતાની કૃતિઓનું સર્જન કરે છે અને તેને મનગમતું એવું કે કેઇ સરસ નવીન નામ આપે છે, પરંતુ તે દરેક નામની પણ આયુષ્ય-મર્યાદા હોય છે તેવી સજનકૃતિઓમાં પણ બાલમરણ કે યુવામરણનું પ્રમાણ સવિશેષ હોય છે.
સામાન્ય રીતે રસ્તાઓનાં નામ એની કઈ મશÉર નિશાનીના આધારે પડી જાય છે. પછી એ નામ એટલાં બધાં રૂઢ અને પ્રચલિત થઈ જાય છે કે મશહેર નિશાની ચાલ્યા ગયા પછી પણ એ નામ તે ચાલુ જ રહે છે. “લાલબાવાને લીમડો નામ રસ્તાનું પડયું હોય, પરંતુ પછીથી ત્યાં લાલબાબા પણ ન હોય અને લીમડે પણ ન હોય. લાલ દરવાજા પાસે કઈ લાલ દરવાજો ન રહ્યો હોય અથવા કાઠી પળમાં કઠીનાં ઝુંડ ન રહ્યાં હોય એવું બની શકે. કયાંક બેબી તળાવ નામના સ્થળે નથી તળાવ હતું કે નથી બેબી હતા. લંડનમાં કેટલાયે રસ્તાઓનાં નામ “ચર્ચ સ્ટ્રીટ” છે, પરંતુ એમાંના કેટલાક રસ્તાઓ ઉપર હવે કઈ ચર્ચા રહ્યાં નથી. આવી વિસંગતિ તે દુનિયામાં અનેક ગામ-નગરમાં જોવા મળશે. આઝાદી મળ્યા પછી ભારતની નગરપાલિકાઓમાં રસ્તાઓનાં નવાં નામ પાડવાની પ્રવૃત્તિ જોશભેર ચાલુ થઈ છે; પરંતુ તેવાં નવાં નામે અમરપટ લખાવીને આવ્યાં નથી હોતાં; એમાં સમયે સમયે ફેરફાર થયા કરે છે. પરિસ્થિતિ બદલાતાં જૂનાં નામે લુપ્ત થાય છે અને ફરી પાછાં નવાં નામો અપાય છે. કયારેક તે નવાં નામે અપાયાં છતાં લેકે તે વર્ષો સુધી એ રસ્તાઓને જૂના નામથી જ ઓળખતા હોય છે. * કોઈ પણ ગુલામ દેશની પ્રજા જ્યારે સ્વતંત્ર બને છે ત્યારે શાસક વિદેશી પ્રજાએ રસ્તાઓનાં કે મકાનનાં
(પૃષ્ઠ પાના ૧૬૪ ઉપર)