SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ યુદ્ધ અન માનવધ પ. પૂ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ માનવધર્મને સમજવા માટે, મનુષ્યત્વને શાથી મહત્ત્વનું માનવામાં આવ્યું છે ? એ વસ્તુનો ખ્યાલ પેદા થવો એ અતિશય જરૂરી છે. મનુષ્યત્વ મહાન છે. તે મનુષ્યત્વની મહત્તા કાના આધારે છે એ સમજવું જ જોઈએ. જેના આધારે મનુષ્યત્વને મહાન માનવામાં આવ્યું હોય, તેને અભાવ દેખાય કે તેના ખ્યાલને પણ અભાવ દેખાય, તેની બેદરકારી દેખાય, 'તેના વિરેધ દેખાય કે તેના ખ્યાલને પણ અભાવ દેખાય, તે મનુષ્યત્વ, મહાન હોવા છતાં પણ, તે પ્રકારના મનુષ્યત્વને કેવી રીતે મહાન ગણાય? જે મહાપુરુષોએ મનુષ્યત્વની મહત્તાને વણવી છે, તેઓએ મનુષ્યના ધ્યેયનુ અને મનુષ્યનાં કતવ્યોનુ વર્ણન પણ કર્યુ છે. દુન્યવી સાધના અથવા દુન્યવી વૈભવ આદિની પ્રાપ્તિ, રક્ષા અને તેના ભોગવટાની અપેક્ષાએ મનુષ્યત્વની મહત્તા આંકવામાં આવી નથી. જે ધર્માંની આરાધના, આરાધના કરનારનું અને જગતના જીવાનુ પણ એકાન્ત કલ્યાણ સાધનારી નીવડે છે, તે ધમ'ની ઉત્તમમાં ઉત્તમ કાટિની આરાધના અને પ્રચારા આદિ મનુષ્યત્વને પામેલા પુણ્યવાના જ કરી શકે છે. એ જ એક કારણે તત્ત્વજ્ઞાનીઓએ ખીજા જીવા કરતાં મનુષ્યને ઉચ્ચ કક્ષાને જીવ માનેલા છે. મનુષ્ય નિશ્ચયપૂર્વક યોગ્યતા કેળવીને જે જાતની ધમ સાધના કરી શકે છે, તે જાતની ધ સાધના દુનિયાની બીજી કા પણ જાતિના જીવાત કરી શકતા નથી. આમ છતાં મનુષ્યપાને પામેલા જો ધમ ના વિચારથી પણ વ ંચિત રહે, હું માનવ છું અને મારું માનવ તરીકેનું વન કેવુ રહેવુ જોઇએ એને · જીવનના અન્ત સુધી વિચાર સરખાય ન કરે, વળ કમાવુ, ભોગવવું અને એશઆરામમાં જીવન પુરુ' કરવું એ જ ધ્યેયથી વર્યાં કરે, તે એ મનુષ્યો ભલે આકારે મનુષ્ય હોય પણ • વાસ્તવિક ક્રુટિના મનુષ્ય નથી જ. મનુષ્યત્વ મહાન છે એવુ માનનારે, પેાતાના મનુષ્યત્વને મહાન તરીકે પુરવાર કરી આપવાના પ્રયત્ન કરવા જોઇએ. અને એ, માનવધર્મને સમજ્યા, વિચાર્યાં અને આચર્યાં વિના શકય નથી. આ ચેામેર અશાંતિના ધ્વ સળગ્યો છે, શાંતિ શાખીય જડતી નથી. જીવન અશાંતિમય બની ગયુ છે. આવી ફરિયાદ આજે તેા લગભગ બધા જ તરફથી કરવામાં આવે છે. આની સામે સૌથી પહેલા પ્રશ્ન એ છે કે શાંતિ એકલા તમને જ જોઇએ છે કે સરાય જ્ગતને ? જો સૈા કાડ઼ શાંતિને પૃચ્છે છે, તે તમે તમારા માટે એવો નિયમ કર્યાં છે. ખરો કે ‘મારે મારી શાંતિ એવી રીતે શોધવી અને સાધી કે જેથી બીજા કાઇની પણ શાંતિના ભંગ થવા પામે નહિ ?' તમે વિચાર કરો છે કે ‘મારે સુખ જોઇએ છે, મારે શાંતિ તેજીએ છે, પણ સાથે સાથે એ વિચાર પણ કરે છે ખરા કે જેમ મારે સુખ અને શાંતિ જોએ છે, તેમ વિશ્વમાં સૈા પ્રશ્નને સુખ અને શાંતિ જ જોઇએ છે? આજે તો લગભગ એ સ્થિતિ છે કે મારે શાંતિ જોઈએ તા. ૧-૧૨-૮૭ છે એ વિચાર એટલે બધા વેગમાં આવી ગયા છે કે ખીજાને પણ મારી જેમ સુખ અને શાંતિ જોઇએ છે એ વાત જ ભુલાઈ' ગ છે. એક જ વાત પ્રધાન ખની છે કે ખીજાનું ગમે તે થાએ: અરે, ખીજાના સુખ-શાંતિના ભાગે પણ મને સુખશાંતિ મળવાં જોઇએ! માં આવી સ્વાથીલી મનોવૃત્તિ વધે, ત્યાં શાંતિ પ્રગટે કે હાય તેટલી શાંતિ પણ્ ભાગવા માંડે? ડાહ્યો માણસ તે તે ગણાય કે જે પોતાનાં સુખ-શાંતિ સાધે, તે એવી રીતે સાથે કે જેથી બીજાનાં સુખ-શાંતિનો ભંગ ન થાય. એટલું જ નહિ, પણ બીજાએ પણ એના પ્રયત્નથી સુખ-શાંતિનો ભંગ ન થાય, એ માટે કારમી આફ્તાને પણ પ્રસન્નતાથી સહી લે. તમને કાઇ કહે કે તમે અમુક રીતે નશા તે તમને તે શાંતિ નહિ મળે, પણ જગતના ખીજા જીવાને શાંતિ મળશે. તે એ રીતે વર્તવાને તૈયાર કેટલા? અને જગતના બીજા જીવોની શાંતિના ભાગે પણ પેાતાની કલ્પિત સુખશાંતિને મેળવવા માટે તત્પર બનનારા કેટલા ? જો કે જગતના નાં સુખશાંતિનો ભંગ ન થાય એવી રીતે વિવેકમય આચરણ કરનારા અનુપમ સુખશાંતિને ભોગવટા કરી શકે છે, પણ જ્યાં ખીજાનાં સુખશાંતિની દરકાર જ નથી ત્યાં શું થાય? તમે મનુષ્ય છે, તે તમારામાં બીજાનાં સુખશાંતિની દરકાર હેવી ઘટે. જ્યાં સુધી એ દરકાર નહિ પ્રગટે ત્યાં સુધી તમારી પાસે માનવધર્માંની ચાહે તેટલી વાતે કરવામાં આવશે, તે ય તે તમારા હૈયામાં ઊતરી શકશે નહિ. આથી જ તમારા માટે માનવધમ તરીકે સૌથી પહેલી વાત મૈત્રી કેળવવાની મૂકવામાં આવે છે. મૈત્રી એટલે આજે તમે જેતે મૈત્રી. માની બેઠા છે તેવી મૈત્રી નહિં. સાથે હરવુ ફરવુ, ખાવુંપીવું, ખેસવું-ઊઠવુ, મળવુ-ભેટવુ આદિ રૂપ જ મૈત્રી. નહિ, આજના એવા મિત્રો તે કેટલીકવાર છૂપા દુશ્મનાની પણ ગરજ સારે છે, હૈયામાં દુશ્મનાવટ હોય, તે છતાં પણુ એવી મૈત્રી તેા રાખી શકાય છે, આપણે તે છવ માત્ર સાથે મૈત્રીભાવ ધારણ કરવાની વાત કરીએ છીએ. જીવ માત્રના કક્ષ્ાણની ભાવના, એનુ નામ મૈત્રીભાવના છે. મંત્રીભાવ, પ્રમાદભાવ અને કરુણાભાવ–એ ત્રણની સાથે એક ચેાથા ભાવની પણ જરૂર છે અને તે માધ્યથભાવ. દુષિતને સુધારવાને પ્રયત્ન કરવે એ આપણા ધર્મ છે, પણ ગમે તેટલા પ્રયત્ન કરવા છતાંય દોષિત ન સુધરે તે એના તિરસ્કાર કરવા એ આપણે ધમ નથી. એના તરફ મધ્યસ્થતા ધારણ કરવી. એ સુધરે અને કલ્યાણ સાધે એવી ભાવના સાથે, એના તર ઉપેક્ષાભાવ સેવવે. દુષ્ટને પણુ શિષ્ટ બનાવવાના કાઇ માર્ગ હોય તો તે આ જ માર્ગ છે, આ ચાર ભાવનાને પોતાના મનુષ્ય, પોતાના મનુષ્યપાતે સા શકે છે અને ક્રમશ: વધતાં વધતાં સ્વરૂપને પામી શકે છે. હૃદયમાં સ્થાન આપનાર બનાવી શકે છે, ઉજાગી તેને આત્મા પરમાત્મ- માલિક : શ્રી મુખર્જી જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુખ′ ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩પ૦૯૬ ઃ મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, સુખ′ -- ૪૦૦ ૦૦૪. | ૦
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy