SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૮૭ પ્રબુદ્ધ જીવન ૧૫૩ શ્રીલંકા અને ભારત (પૃષ્ઠ ૧૪૬ થી ચાલુ) શાંતિસેના શ્રીલંકા છેડે ત્યાર પછી જે શ્રીલંકામાં રાજદ્વારી પરિસ્થિતિ બદલાય છે. એ પછી સત્તા પરની વ્યકિત શાંતિકરારના દસ્તાવેજી કાગળને કચરાની ટોપલીમાં ફેંકી દેવા જેવો બનાવી દે તો પણ નવાઈ નહિ. શાંતિકરારના અમલ માટે ભારતીય શાંતિસેના ભવિષ્યમાં શ્રીલંકામાં જો ફરીથી પ્રવેશ કરે છે. તે આક્રમણું રૂપે જ લેખાય, સિવાય કે શ્રીલંકાને પિતાને એની ગરજ રહે. - શીલ કામાં સિંહાલી બૌદ્ધ લોકોની બહુમતી છે. બૌદ્ધ લે અહિ સાપ્રેમી છે. શ્રીલંકાએ અત્યાર સુધી શાંતિપ્રિય દેશ તરીકે સારી ખ્યાતિ મેળવેલી છે. પરંતુ તાસિલે સાથેના સંઘર્ષ પછી સિંહાલી બૌદ્ધ લે એ ભારત . વિરુદ્ધ ઘણે અવળે પ્રચાર કર્યો છે. ભારતીય હિન્દુઓએ બૌદ્ધધર્મને ભારતમાંથી હાંકી કાઢ, દક્ષિણ ભારતના ચેલા અને પાંડપ રાજાઓએ શ્રીલંકાના બૌદ્ધધમી એ ઉપર આક્રમણે કર્યા હતાં ઈત્યાદિ સૈકાઓ પહેલાં બનેલી ઘટનાઓના ઇતિહાસની યાદ તાજી કરીને તાલિમ હિન્દુઓ વિરુદ્ધ તેઓ જોરદાર પ્રચાર કરતા રહ્યા છે. અહિંસક સિંહાલી બૌદ્ધધર્મગુરુઓમાંથી પણ કેટલાકે હિ સાત્મક ઉધને કર્યો છે, એટલું જ નહિ, હિંસાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધો છે. વસ્તુતઃ એમ કરવાની તેમને ફરજ પડી છે તે બતાવે છે કે તામિલે અને સિંહેલીઓ, વચ્ચેને સંધર્ષ કેટલે ઉગ્ર બની ગયો છે. નિર્દી કતલ કરવામાં તામિલોએ શાંતિપ્રિય બૌદ્ધ ધર્મગુરુઓને પણ છગ્યા નથી એ હકીકત છે. શ્રીલંકામાં ખુદ તામિલે વચ્ચે પણ પિતાની સમસ્યાઓ ઓછી નથી પ્રાચીન સમયના” અનેક પેઢીઓથી વસવાટ કરેલા “શ્રીલંકા તામિલ' અને બે-ત્રણ પેઢીથી વસવાટ કરેલા નવા “ભારતીય તામિલો વચ્ચે પણ પૂરેપૂરે મનમેળ નથી. નવા તામિલેમાં પણ શાંતિપ્રિય તામિલે છે, જે અમૃતલિંગમના ‘તુ પક્ષને અનુસરે છે અને લડાયક મિજાજના તામિલે છે જે પ્રભાકરનના ટાઈગર પક્ષને અનુસરે છે. તેઓની વચ્ચે પણ પિતાની લડત માટે પણ એકમતી નથી. અન્ય વિસ્તારોમાં રહેતા, ઉચ્ચ સરકારી હોદ્દો ધરાવતા તામિલે. અને જાફના વિસ્તારના ગરીબ તામિલે વચ્ચે પણ એકસરખી વિચારસરણી નથી. એટલે આખી પરિસ્થિતિ ઉપર લડાયક અંતિમવાદી, ધાકધમકીવાળા ટાઇગર વર્ચસ્વ મેળવી જાય એ કુદરતી છે. ભારતીય શાંતિસેનાની કાર્યવાહીમાં ટાઈગર પક્ષના અનેક તામિલ યુવાને મૃત્યુને ભેટયા છે. અનેક તામિલ યુવાને પોતાની માતૃભૂમિને ખાતર મોતના સેગંદ લીધા છે. અનેક તામિલ યુવાને ગળામાં સાઈનાઈડ (ઝેરનું માદળિયું પહેરીને નીકળી પડયા છે અને વિકટ પરિસ્થિતિમાં પકડાવાનો વખત આવે ત્યારે ગુપ્ત માહિતી ન કહી દેવી પડે માટે માદળિયું ચૂસીને તને શરણુ ગયા છે. ટાઇગર તામિલે ભારતીય શાંતિસેના સામે સંઘર્ષ કરવામાં કદાચ ગેરરસ્તે દોરવાઈ ગયા હશે. એમનું પગલું કદાચ ગેરડહાપણભરેલું લેખાશે, તે પણ તેમની શહીદી અને સ્વાપણની ભાવના કઈક જદી જ લેખાશે. થિલિપન અને એવા બીજા કેટલાક યુવાનોએ આમરણાંત ઉપવાસ કરીને માતૃભૂમિને કાજે જીવન સમર્પિત કરી દીધું છે, આવી તે અનેક છૂટીછવાઈ ઘટનાએ શ્રીલંકાના તામિલેના સ્વાપણુંની જોવા મળશે. એક બાજુ વિપક્ષેને હંફાવવા માટે બે ધડાકાઓ દ્વારા અનેક નિર્દોષ માણસેને સંહાર કરનાર અને અન્ય પક્ષે પિતાના બાંધ. માટે તત્કાળ મૃત્યુને ભેટવા દ્વારા વાપર્ણની ભાવના ધરાવનાર એમ બે અંતિમ કોટિનાં લક્ષણ તામિલમાં જોવા મળે છે. " શ્રીલંકામાં લડાયક તામિલ યુવાનની તાકાતને નાબૂદ કરવામાં આવે એટલાથી શ્રીલંકાની સમસ્યા પૂરી ઉકેલાઈ જશે એમ માનવું યોગ્ય નથી, કારણ કે જેમ એક બાજુ લડાયક ગેરીલા તામિલે છે તેમ બીજી બાજુ લડાયક સિંહાલી ગેરીલાઓ પણ છે. ભારતીય શાંતિસેના શ્રીલંકામાંથી નીકળવાની ઉતાવળ કરશે તે નિઃશસ્ત્ર બનેલા તામિલ નાગરિક સિંહાલી ગેરીલાઓના અત્યાચારોને સતત ભાગ બનતા રહેશે. લડાયક તામિલ ટાગોને જેમ પિતાનું રવાયત્ત તામિલ રાજય જોઈએ છે તેમ લડાયક ગેરીલા સિંહાલીએ તામિલને શ્રીલંકા માંથી સદંતર હાંકી કાઢવા ઈચ્છે છે. બંને પક્ષેનું વન સિદ્ધ થાય એવું સરળ નથી, તે પણ એના છાંટા લાંબા સમય સુધી ઊડગ્યા કરે એ અસંભવિત નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય શાંતિ સેનાને શ્રીલંકામાં કેટલા સમય સુધી રાખવી એ પ્રશ્નને ગંભીર વિચાર થવો ઘટે. એમાં લેકમતને અનુસરી ઉતાવળિયું પગલું ભરવા જતાં પાછળથી પસ્તાવાનો વખત ન આવે એ ભારતે ખાસ જોવું જોઇશે. શ્રીલંકાની સરકારે પણ એમાં ભૂલથાપ ખાવા જેવું નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ પણ બે દેશ કાયમને માટે મિત્ર કે કાયમને માટે શરૂં રહેતા નથી. વાર્થ અને બદલાતી પરિસ્થિતિના સંદર્ભમાં પરસ્પર સંબંધમાં ભરતીઓટ આવ્યા કરે છે. “શત્રુને શત્રુ તે આપણે મિત્ર’ એવી રાજકારણની નીતિ હેઠ પ્રાચીનકાળથી ચાલી આવે છે. વર્તમાન સમયમાં દરેક રાજદ્વારી ઘટનાને પરસ્પર વિરુદ્ધ દ્રષ્ટિકોણથી નિહાળનાર રાજદ્વારી નિરીક્ષકે હેય છે. “ભારત નેપાળ, ભૂતાન, સિકિકમ અને બાંગલા દેશના આંતરિક કારભારમાં દખલગીરી કર્યા પછી હવે પિતાની લશ્કરી તાકાતના જોરે શ્રીલંકામાં દાખલ થયું છે?એવી ટીકા પણ કેટલાક પાશ્ચાત્ય રાજદ્વારી પુરુષોએ અને શ્રીલંકાના કેટલાક નેતાઓએ કરી છે. પડોશી દેશને લશ્કરી સહાય કરવા જતાં ભારતે ભૂતકાળમાં : જે જે ભેગ આપે છે, તેના બદલામાં તેને યશની સાથે અપયશ પણું ઘણું મળે છે. શ્રીલંકાનાં નિમંત્રણથી ત્યાંની પરિરિથતિને થાળે પાડવા માટે લશ્કરી મદદ કરવામાં ભારતને જેતે ભોગ આપવો પડશે. નથી. ભારતીય શાંતિસેનાના અનેક જવાને આ સંઘર્ષમાં માર્યા ગયા છે અને લશ્કર તથા રાહતકાર્યને નિમિતે ભારતને રોજના લાખો રૂપિયાનું ખર્ચ ઉઠાવવું પડ્યું છે (જેની ઘણી વિગતે લશ્કરી દ્રષ્ટિએ ગુપ્ત રખાય છે.) આમ છતાં ભવિષ્યમાં શ્રીલંકા ભારતનું કાયમનું દુશ્મન બની જાય તે પણ નવાઈ નહિ. આમ શ્રીલંકાના આંતરિક સંઘર્ષમાં શાંતિ સ્થાપવા ભારતે શાંતિસેના મોકલી છે; મોકલવી પડે તે અનિવાર્ય હતું. તે પણ આ અતિશય ખચોળ પગલાનું ભાવિ પરિણામ કેવું (પૃષ્ઠ ૧પર ઉપર) રખાય ના તો ભારતનું એક નવાઈ નહિ. આ સંઘર્ષમાં વિર્ય હતું. તે - અને શ્રીલ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy