________________
૧૪૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨ (૭
વસેલા છે અને ચાના બગીચાઓમાં મજૂરે તરીકે તામિલ લેકે મેટી સંખ્યામાં કામ કરે છે. શ્રીલંકાના આર્થિક વિકાસમાં તામિલ લેકેને પણ મહત્ત્વને હિરસે છે એટલે સમસ્ત તામિલ પ્રજાને શ્રીલંકાની બહાર કાઢવાનો પ્રયાસ કરે છે એટલું સહેલું પણ નથી અને એ એના પિતાના જ હિતમાં નથી એ ત્યાંના રાજદ્વારી નિણાતે સારી રીતે જાણે છે. સિંહાલી લોટામાં મોટાભાગના લોકો બૌદ્ધધમી છે. તદુપરાંત મુસલમાન અને ખ્રિસ્તી લોકોની સંખ્યા પણ ઠીક ઠીક છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તામિલ હિન્દુઓ અને સિંહાલી બૌદ્ધ લોકો વચ્ચે ધર્મ અને ભાષાને કારણે સંધર્ષો ચાલ્યા કરતા હતા. ૧૯૪૮ માં આઝાદી મેળવ્યા પછી શ્રીલંકાની સરકારે જ્યારથી તામિલ લેમને અન્યાય કરનારા કાયદાઓ ધવા માંડ્યા ત્યારથી આ સંઘર્ષ વધુ ઉગ્ર બનતે. ગયું છે. ભારતીય તામિલેના મતાધિકાર છીનવી લેવામાં આવ્યા; તબીબી અને ઇજનેરી કોલેજોમાં અગાઉ સમાન ધોરણે બધા નાગરિકોને પ્રવેશ અપાતું હતું, તેને બદલે તામિલ વિદ્યાર્થીઓ માટે મર્યાદિત બેઠક કરી નાખવામાં આવી; લશ્કર અને પેલીસમાં તામિલને એક-બે ટકા જેટલું જ સ્થાન આપવામાં આવ્યું; સરકારી નોકરીઓમાં તામિલ લેકેનું સ્થાન કાયદેસર ઘટાડી દેવામાં આવ્યું; સિંહાલી ભાષા તામિલ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવી; તામિલ વિસ્તારોમાં એમની બહુમતી ઘટાડી દેવા માટે સિંહાલી લેકની વસાહતે ઇરાદાપૂર્વક ઊભી • કરવામાં આવી–આવાં આવાં પગલાં સેનાનાયક અને ભંડારનાયકની સરકાર દરમિયાન લેવાયાં. ત્યારથી તામિલ લેકે પિતાના વાજબી હકક માટે, પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા . માટે વધુ સભાન થવા લાગ્યા હતા. આમ ખુદ શ્રીલંકાની સરકારે પેટ ચેળીને તામિલેની સમસ્યાઓનું શૂળ ઊભું કર્યું હતું. તુફ” અને “ ટાઈગસ' જેવા પક્ષો અસ્તિત્વમાં આવ્યા અને સરકારી પગલાંઓને વિરોધ કરવા સહિત સ્વાયત્તતા કે સ્વતંત્ર તમિલ રાજ્ય (લિમ) માટે માગણી કરવા લાગ્યા.
બીજા વિશ્વયુદ્ધ પછી મેટાં રાષ્ટ્રનું વિભાજન થવાને કારણે અથવા મેટી સત્તાનાં સંસ્થાને સ્વતંત્ર થવાને કારણે દુનિયામાં ઘણાં નાનાં નાનાં રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યાં છે. એવાં કેટલાંક રાષ્ટ્રોએ કંઈક આર્થિક પ્રગતિ કરી છે, તે પણ જ્યારે આંતરિક સંઘર્ષ અથવા આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તેની સરકાર પાસે આખા દેશને અંકુશમાં લેવા જેટલી લશ્કરી તાકાત હોતી નથી. એથી પરિસ્થિતિ ગૂંચવણભરી બને છે અને બહારની લશ્કરી સહાયની અપેક્ષા રહે છે. અમેરિકા કે રશિયા જેવી મેટી સત્તાઓ તે આવી તકની રાહ જ જોતી હોય છે. એક વખત પગપેસારો કર્યો કે પછી તેમાંથી નીકળવાનું મન મેટી સત્તાઓને થતું નથી. પરસ્પર વિરુદ્ધ ગૂહરચના માટે પણ આવાં નાનાં રાષ્ટ્રોમાં સ્થાપેલાં પિતાનાં લશ્કરી થાણું બહુ ઉપયોગી થઈ પડે છે; પછી ભલે તે નાના રાષ્ટ્રની જે દુર્દશા થવાની હોય તે થાય. રશિયાએ અફઘાનિસ્તાનની, ચીને તિબેટની કે અમેરિકાએ ફિલિપાઇન્સની જે દુશા કરી છે તેનાં ઉદાહરણ જાણીતાં છે. શ્રીલંકામાં ભારત જે દાખલ ન થાય તે અમેરિકા કે અન્ય કોઈ સત્તા એક યા બીજા નિમિત્તે અવશ્ય ઘૂસી જાય અને તેમ થાય તે ભારતને માટે સતત ચિંતાને વિષે રહે. પાકિસ્તાન દ્વારા અમેરિકા ભારત ઉપર સતત લશ્કરી દબાણ રાખવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે શ્રીલંકામાં જે અમેરિકી સત્તા ધૂસે તે ભારતને એક સાથે બે દિશા
સંભાળવી કઠિન થઈ પડે. આંતરરાષ્ટ્રીય યૂહરચનાની દ્રષ્ટિએ પણુ ભારતે શ્રીલંકામાં શાંતિસેના મોકલી છે એમાં ડહાપણ રહેલું છે એમ નિરીક્ષકો માને છે. ભારતીય મહાસાગર ઉપર અમેરિકાનું લશ્કરી વર્ચરવ વધવું ન જોઈએ, એ વિશે સેવિયેત રશિયા પણ સતત ચિંતાતુર રહે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી શસ્ત્રોની સુલભતાને કારણે દુનિયાભરમાં ગેરીલા પ્રવૃત્તિઓ વધી ગઈ. બે દુશ્મન સેનાએ સામસામે યુદ્ધ કરે તે એને મેડેવહેલે અંત આવે, પરંતુ નાની નાની ટુકડીએ જંગલમાં છુપાઈને પિતાના જાનના જોખમે અચાનક છાપે મારે અને પચીસ-પચાસ સૈનિકોને મારી નાખે એ પ્રવૃત્તિને નાથવાનું કામ ઘણું અઘરું છે. તામિલ ટાઈગર સામે શ્રીલંકાની સરકારે બાથ ભીડી હતી, પરંતુ ચાર વર્ષે પણ તેને અંત આવ્યો નહિ. નિર્દોષ નાગરિકોને ઉભય પક્ષે અચાનક મેટી સંખ્યામાં સંહાર થઈ જતા, પરંતુ તેથી સમા તે ઊલટી વધારે ઘેરી બનતી. સિંહાલી સૈનિકે ઉપર અચાનક હુમલાઓ થવાને કારણે અને મેટી સંખ્યામાં મૃત્યુ પામવાને કારણે ખુદ સિંહાલી સૈનિકે પણ તામિલ વિસ્તારોમાં જતા ડરતા હતા. જયારથી સિંહાલી સૈનિકોએ જાનામાં ૧૯૭૪માં જાયેલી વિશ્વ તામિલ પરિષદ વખતે કેટલીક તામિલોને મારી નાખ્યા હતા, ત્યારથી તામિલ ટાઇગરેનું આંદોલન ચાલુ થયું હતું અને કેટલીયે તામિલ માતાઓએ પિતાને એક પુત્ર તમિલ ટાઈગરને ચરણે ધરી દીધું હતું. હાથમાં મેતને લઇને નીકળેલા લાયક જુરસાવાળા એ જુવાનેનું જુથ ઉત્તરોત્તર વધતું એલ્યું. લડાયક શસ્ત્રોની તાલીમ અને શસ્ત્રોનું ઉત્પાદન એ બને જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ટાઈગર સેના મેટી થતી ગઈ અને સિંહાલી સરકારને માટે માથાના ભયંકર દુ:ખાવારૂપ પુરવાર થઈ. ભારતની લશ્કરી સહાય લીધા વિના છૂટકે નહોતે. અંતે શાંતિકરાર થયા. ભારતીય શાંતિસેનાની કાર્યવાહીને સિંહાલી અને તામિલ આમજનતાને બહુમતી ટેકો મળે.
શ્રીલંક્ષના પ્રમુખ જયવધનની સરકારના તમામ સભ્યોએ ભારતીય શાંતિસેનાના પ્રવેશને આવકાર્યો છે એવું નથી. શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસે કેલમાં પાર્લામેન્ટમાં ભારતીય શાંતિસેના વિરુદ્ધ શબ્દો ઉચ્ચાર્યા હતા અને તેમ કરવામાં પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજો વિરુદ્ધ જે વાક્ય લખ્યાં હતાં તે ટાંકી બતાવ્યાં હતાં. ખુદ પ્રમુખ જયવધનની ભારત સાથેની નીતિ પણ ઉપરથી જેટલી સહકારભરી દેખાય છે તેટલી અંદરથી વાસ્તવિકપણે હશે કે કેમ તે પણ શંકાસ્પદ છે. શ્રીલંકામાં પિતાની સત્તા ટાવી રાખવા માટે જયવર્ધનને ધણાં નાટક કરવાં પડે એવું છે. એક બાજુ રાજીવ ગાંધી અને ભારતીય શાંતિસેના, બીજી બાજુ જેના વિશેષ ટકાથી પોતે સત્તા પર આવ્યા છે તે તામિલ લે, ત્રીજી બાજુ સિંહાલી સામાન્ય પ્રજાજને; ચેથી બાજુ લડાયક સિંહાલી આતંકવાદીઓને પક્ષ, પાંચમી બાજુ સતત વિરોધ કરનાર શ્રીમતી ભંડારનાયક અને તેના ટેકેદાર નેતાએ તથા પિતાની સરકારમાં પિતાની જ વિરુદ્ધ હિલચાલ કરનાર પ્રધાને અને અધિકારીઓઆવી ઘેરી પરિસ્થિતિ વચ્ચે જયવર્ધનનાં વચનમાં કેટલે વિશ્વાસ મૂકી શકાય એ પણ પ્રશ્ન છે. એક વખત ભારતીય
(પૃષ્ઠ ૧૫૩ ઉપર)