________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૭
ભાલ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં કાશીબહેન માનવસેવાનું જે કાર્ય કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. શ્રી રસિકલાલ લહેરચંદ શાહે જણાવ્યું હતું કે આંખમાં મેતિયો આવતા હોય કે આંખમાં બીજો કોઈ રેગ થયું હોય તેથી દૈવી કેપ થયે છે તેવી માન્યતાથી હવે ગ્રામજનોએ મુકત થવાની જરૂર છે. દવા કરાવવાથી, સારવાર લેવાથી આંખોને જરૂર સારું થાય છે. સાણંદના સુપ્રસિદ્ધ લોકસેવક ડે. શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય સંતબાલજીના સેવાકાર્યને પ્રારંભ આ નાનકડા માણુકેલ ગામથી થયું છે. મુખ્યત્વે આ વિસ્તારમાં કોળી પટેલ કામ વસે છે. ગરીબ છતાં દિલના અમીર એવા કાળા પટેલ શ્રી ગોરધનભાઈએ પિતાની જમીનનું દાન કરતા અહીં અમે ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય ઊભું કર્યું છે.
સેવાપરાયણ શ્રી કાશીબહેન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉપરાઉપરી દુષ્કાળ કેમ પડી રહ્યો છે તેનાં કારણે તપાસીએ તે સર્વ પ્રથમ એ જ કારણ છે કે આપણે ધરતીનું યોને જ નથી રાખ્યું આપણાં ધર્મશાસ્ત્રોમાં ચાર માતાએ કહી છેઃ ધરતી, જન્મદાતા સ્ત્રી, વૃક્ષ અને ગંગા (એટલે કે નદી).
ચારે તરફ આપણે ઉપેક્ષા જ સેન્ચા કરી છે, પછી પરિણામ શું આવે? સેવાને આજે આપણે ભૂલી રહ્યા છીએ. આપણે દુઃખી-પીડિતેને શકય સહાય કરીએ. હરિજન હલકે નથી. સારા-નરસા કામથી જ માણસનું મૂલ્યાંકન થાય છે એ વાત ન વીસરીએ. આપણે ન્યાય—નીતિથી ચાલીએ અને કણાનાં કાર્યોમાં હમેશાં સાથ આપતા રહીએ તે સૃષ્ટિ ઉપર સ્વર્ગ ખડું કરી શકાશે. આજે મુંબઈથી આટલી બધી તકલીફ લઈને તમે બધા પધાર્યા છે અને આ નેત્રયજ્ઞ માટે જે આર્થિક સહગ આપે છે તે બદલ તમારે જેટલે આભાર માનીએ તેટલો ઓછો છે. '' કાર્યક્રમને પ્રારંભ વિદ્યાલયનાં બાળકની પ્રાર્થનાથી થયે હતા. શ્રી પન્નાબહેન કીર્તિભાઈ મહેતાએ સંદેશાનું વાંચન કર્યું હતું. વિદ્યાલયના આચાર્યશ્રી શામજીભાઈ દેવજીભાઈ પટેલે કાર્યક્રમના અંતે આભાર માન્યો હતે. " * આ નેત્રયજ્ઞમાં શ્રી જૈન યુવક સંધના પ્રતિનિધિઓ સર્વશ્રી ડે. રમણલાલ ચી. શાહ, નિરુબહેન શાહ, વસુબહેન ભણશાલી, રસિકલાલ લહેરચંદ શાહ, ચંદ્રકાન્ત દીપચ દ શાહ, શાંતિભાઈ ગાંધી, જયાબહેન વીરા, સ્મિતાબહેન કામદાર, સુલીબહેન હિરાણી, ધીરજબહેન વેરા, સૂરજબહેન ગાંધી, શાંતિભાઈ ટોકરશી શાહ અને ચીમનલાલ લાધરે હાજરી આપી હતી અને આ નેત્રયજ્ઞની કાર્યવાહી નિહાળી હતી.
મહિલા વકતૃત્વ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન - આપણું સમાજની બહેનોમાં વકતૃત્વશકિત ખીલે, બહેને. સારાં વકતા બને તે હેતુથી સંઘ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા વકતૃત્વ તાલીમ વર્ગની પ્રવૃત્તિને પ્રારંભ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ઘણી બહેનેએ આ વર્ગને લાભ લઈ વસ્તૃત્વકલાની તાલીમ મેળવી છે.
પ્રા. ધીરેન્દ્ર રેલિયાના અધ્યાપન અને માર્ગદર્શન હેઠળ
સપ્તાહ સુધી ચાલનારા વતૃવકલાના આ વર્ગને ઉદ્દધાટન સમારોહ ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખ સ્થાને શનિવાર, તા. ૭ મી નવેમ્બર, ૧૯૮૭ ના રોજ પરમાનંદ કાપડિયાં સભાગૃહમાં યોજાયો હતે.
કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરતાં અતિથિવિશેષ શ્રીમતી જયોત્સનાબહેન શેઠે જણાવ્યું હતું કે વકતૃત્વ
એક કલા છે. જીવનમાં કયારે, શું, કેમ, કેટલું અને કેવું બેલવું એ મહત્વની વાત છે. બોલવામાં પણ સંયમ, ચીવટ હેવા સાથે સ્પષ્ટ વાત સહજ રીતે, સરળતાથી કહેવી તેનું નામ વકતૃત્વકલા છે. કઈ પણ વિષય પર બેસવાનું થાય ત્યારે પૂરેપૂરું Home work કરીને જવું જોઈએ. બહેને. માટે આ તાલીમ આજના યુગમાં ખૂબ જ જરૂરી અને મહત્ત્વની છે.
સંધના મંત્રી શ્રી કે. પી. શાહે પિતાની લાક્ષણિક શૈલીમાં ખેલતાં જણાવ્યું હતું કે વસ્તૃત્વકલા વનમાં પ્રત્યેક ક્ષણે આચરવાની કલા છે. ડે. રમણભાઈએ વડલા જેવું વટવૃક્ષ ઊભું કર્યું છે. એમાં વકતૃત્વકલાના વર્ગો માટે અમારી જોતિબહેન પી. શાહ જેવી બહેન સરસ કાર્ય કરી રહી છે. આ તાલીમ લેનારી બહેને સરસ વકતા બનીને સમાજની સેવા કરે જે અભ્યર્થના.
શ્રી ઉષાબહેન મહેતાએ જણાવ્યું હતું કે બેસવું અને તે પણ સમયમર્યાદામાં, વિધ્યને સંપૂર્ણ અવરીને બેસવું તે મુશ્કેલ છે, પણ અસાધ્ય નથી અને તેના માટે સઘન તાલીમ જરૂરી છે. બહેને માટે આ તાલીમ ખૂબ જ મહત્ત્વની છે.
પ્રા. ગુલાબભાઈ દેઢિયાએ જણાવ્યું હતું કે બોલવું સહેલું છે અને અઘરું પણ છે. સહજભાવે ખેલવું, સ્વયંભૂ બલવું એ અઘરી વાત છે, પણ માણસ ધારે તે તેને સાધ્ય કરી શકે છે. શ્રી સુબોધભાઈ શાહે જણાવ્યું હતું કે આ બધી બહેને વિસ્તૃત્વ તાલીમ લેવા અહીં આવી છે તે ખૂબ જ આનદની વાત છે. વક્તત્વલામાં આલ કારિક, આડબરી ભાષા કરતાં સાદી, સરળ છતાં સચેટ ભાષાને પ્રાધાન્ય અપાય તે આ તાલીમ વધુ દીપી નીકળશે. - ડે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે બહેને જાહેર જીવનમાં બોલતાં શીખે તે જરૂરી છે. આઝાદીની લડત વખતે ગાંધીજીએ આખા દેશમાં કેટલી બધી મહિલાઓને જાહેરમાં બોલતી કરી દીધી હતી. ઘણા શ્રેતાઓની હાજરીમાં ઊભા થઈ વ્યવસ્થિત જોલવું તે કલા છે, અને જેમની પાસે તે કલા સાય છે તે સારા વકતા બની શકે છે. જેમની પાસે આ કલા નથી તે પણ જે મહેનત કરવા લાગે તે સારા વકતા જરૂર બની શકે છે. સારા વકતા થવું જેમ કુદરતી બક્ષિસ છે તેમ મહાવરાથી પણ સારા વક્તા થઈ શકાય. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તેના ઉદાહરણરૂપે આપણી સામે જ છે. વર્તાવકલામાં ભાષાને આડંબર ન હોવા જોઈએ વધુ પડતા અંગ્રેજી શબ્દ પણ બોલવામાં ન આવી જવા જોઈએ. આપણે જે કઈ ભાષામાં બેલીએ તે ભાષામાં શુદ્ધ વકતવ્ય હોવું જોઇએ. પૂ. મહાત્મા ગાંધી હમેશાં સરળ અને સંયમિત ભાષામાં બોલતા, છતાં તેમને પ્રભાવ દરેક ઉપર ખૂબ જ સારો પડત.
આ પ્રસંગે કુ. નેહા રેલિયાએ તથા કુ. અનિલા પંચમિયા મહાત્મા ગાંધીનું પ્રિય ભજન’ એ વિષય પર પાંચપાંચ મિનિટનું સુંદર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન કરતા વર્ગના અધ્યાપક પ્રા. ધીરેન્દ્ર રેલિયાએ જણાવ્યું હતું કે આપણું રાષ્ટ્રનું ભાવિ નાનાં બાળકના હાથમાં છે અને તેથી જ તેમને વસ્તૃત્વકલાની તાલીમ આપી સારા વકતા બનાવવા જોઈએ. બહેનની સુષુપ્ત વકતૃત્વશકિતને સતેજ કરવા માટે આ તાલીમ વર્ગ શરૂ કરીને જૈન યુવક થે સરસ કાર્ય કર્યું છે તે માટે સંઘના તમામ કાર્યકર ભાઈ-બહેનોને મારા ધન્યવાદ.
આ વર્ગનાં સંજક શ્રીમતી નિબહેન પી. શાહે કાર્યક્રમના અંતે આભાર માન્યો હતે.
સંકલન : ચીમનલાલ એમ. શહ‘કલાધર ”