SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૮૭ આપણે ત્યાં દીક્ષિત જીવનની ઊંચી પ્રતિષ્ઠા છે. ૧. જુએ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સુવણ મહેત્સવ ગ્રંથ છે અને તે વામી છે. પરંતુ મેહનીય કર્માંના ઉદ્દયથી સાધુ ધર્મના કડક પરીષહોનું પાલન ન થાય, ન થઈ શકે ત્યારે તે વ્યકિત સાહજિકતાથી ગૃહજીવન શરૂ કરી શકે એવું વાતાવરણ, એવી સ્વસ્થતા આપણા સમાજ-જીવનમાં જોવા મળતી નથી. એકાદ, એકલદોકલ વ્યક્તિના સાધુજીવનના ત્યાગથી જાણે કે 'ધમ અને સમાજ પર આભ ફાટી પડયું હોય, ધમ જાણે કે રસાતળ થવા ખેડૂો હોય એવી કાગારોળ થાય. કદાચ આજે એને બહુ મહત્ત્વ ન અપાતું હોય એવું લાગે ખરું, પરંતુ રોટી ખેટીના વ્યવહારના સદ'માં એવી વ્યકિતને સામાજિક સ્વીકૃતિ મળતી નથી, કારણ કે મેહનીય ક`નાં આવરણા હતાં આવી વ્યકિત કયારે પુનઃ દીક્ષિત થાય એ કહી શકાતું નથી. આવા (પુનઃ દીક્ષિત થયાનાં) કેટલાંય ઉદાહરણો આપણા કથાસાહિત્યમાં અને વત માનમાં પણ જોવા મળે છે. એના આનુષંગિક લાભ પણ છે. સમાજ–જીવનની આવી તાસીરના કારણે જીવનમાં આવેલી નખળી ક્ષણને તે વ્યકિત અતિકની જાય છે અને સાધુજીવનમાં સ્થિર થઈ જાય છે. ક્યારેક એવુ મને કે તેવી વ્યકિત નંબળા ક્ષણને અતિક્રમી ન શકે અને સાધુજીવન છેડી પણ ન શકે સંઘ દ્વારા પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંધના આર્થિક સહયોગથી અને શ્રી ભાલ નળકાંઠા પ્રાયોગિક સંધ સંચાલિત વિશ્વવત્સલ ઔષધાલય—ગુદીના ઉપક્રમે સાણથી ૧૫ કિ. મિ.ના અંતરે આવેલ માણકાલ ગામમાં શનિવાર, તા. ૩૧-૧૦-૧૯૮૭ના રાજ એક નેત્રયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. માણકાલની શ્રી ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલયના મકાનમાં યોજાયેલ આ નેત્રયજ્ઞમાં ૬૭ મતિયાનાં, ૫ વેલનાં, પ પરવેજનાં, ૧ ઝામરના એમ છ૮ એપરેશનો થયાં હતાં. તેમાં ૨૭ પુરુષ હતા અને પ૧ સ્ત્રીઓ હતી. ડૉ. વિનુભાઈ પટેલની પેનલે આ નેત્રયજ્ઞમાં સેવા આપી હતી. દીપ પ્રગટાવીને નેત્રયજ્ઞનું ઉદ્ઘાટન કર્તા સંધના પ્રમુખ ડૉ. રમણુલાલ સી. શાહે કહ્યું હતું કે પૂજ્ય ગુરુદેવ શ્રી સત– ખાલજીએ જનસેવાની જ્યોત ભાલ નળકાંઠા વિસ્તારમાં જગાવી ઉત્તમ કાય' કર્યુ છે. અને આજે પણ કાશીબહેન મહેતા જેવાં નિષ્ઠાવંત કાયકરા પૂષશ્રીનુ એ કાર્ય આગળ ધપાવવા પૂરા શ્રમ ઉઠાવી રહ્યાં છે એ આનંદની વાત છે. લોકસેવાનુ, લેાકાના કલ્યાણનું કાય કરવું એ કંઈ સહેલી વસ્તુ નથી. આવાં કાર્યાં કરવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. શ્રી કાશીબહેન છેલ્લા સાડાચાર દાયકા જેટલા દીધ સમયથી પૂજ્ય ગુરુદેવે ચીંધેલ માનવસેવાનું વિશેષતઃ નેત્રયજ્ઞનુ આ પુણ્યકા કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. માણસના શરીરનાં વિવિધ અગે છે તેમાં આંખ કેન્દ્રસ્થાને છે. આંખ ન હોય તે જીવન અકારું લાગે. આંખ વિના માનવી પરવશ બની જાય. આંખાની જે રીતે કાળજી લેવાવી જોઇએ તે રીતે આપણા ગ્રામજનામાં લેવાતી નથી. આંખની અસહાય, અપગ પરિસ્થિતિને દૂર કરવા આવા નેત્રયજ્ઞે . જરૂરી અને ઉપકારી અની રહ્યા છે. આજે વિશ્વમાં વિજ્ઞાને હરણફાળ ભરી છે. રાયલ કામનવેલ્થ સાસાયટી નામની સસ્થાએ માતિયાનાં એપરેશન માટે વિશ્વમાં જુદા જુદા વિસ્તારા નકકી કર્યાં છે. વિશ્વ આાગ્ય સંસ્થાએ આખી દુનિયામાંથી ) ૧૪૨ તે વિકૃતિ આવે. એટલે જ સયમની આરાધનાને અતિ દુષ્કર કહી છે. એની ત્રણ વખત પુનરુકિત કરીને એમ કહ્યુ છે. અહી એક સ્પષ્ટતા જરૂરી છે. સાધુજીવનના ઉચ્ચ આચાર અને આદર્શ ના ત્યાગને લેશમાત્ર પ્રેત્સાહન આપવાને ભાવ નથી. સાધુજીવનને ત્યાગ કરનારી વ્યક્તિ માટે અનુકંપા હોય. આમ, સમાજજીવનમાં, ભાવિને વીધીને જોઈ શકનારી વ્યકિતની દ્રષ્ટિને સમાજ પારખી કે આંબી શકતા નથી અને સ્વીકૃત મર્યાદાથી આગળ લઈ જનારા વિચારને આ મસત્ કરી શકતા નથી કે સાંખી શકતા નથી એ જેમ પરિવતનની પ્રક્રિયાનું ઘાતક પરિબળ છે તેમ ચેકકસ ધોરણની મર્યાદા બહારના પર ંતુ અપેક્ષિત ધેારણથી ઊતરતી કક્ષાના વ્યકિતના આચાર અને વ્યવહારને પણ સમાજ સ્વીકારી શકતા નથી, જીવી શકતા નથી. આ બાબત પણ પરિવત નની પ્રક્રિયામાં રૂકાવટ કરનારું પરિબળ છે. જેમ સમાજવ્યવસ્થાને જાળવનારૂં એ તત્ત્વ છે અને એટલે એ આભૂષણરૂપ છે એમ એવી જડતાના કારણે સમાજને મર્યાદામાં જકડી રાખનારું તત્ત્વ પણ છે. એમાં વ્યકિતગત કિસ્સામાં ગુણવત્તાના ધારણે, જેટલી પ્રવાહી સ્થિતિ રહે અને સમાજના સ્વીકૃત ધારણમાં જડતા ન આવે એટલુ એ સમાજને પોષક અને ઉપકારક બની રહે. નેત્રયજ્ઞ અતિ દુષ્કર જણાતા મેટા અળિયાના રોગને નાશ કર્યાં છે અને એ રાગ હવે કાઇને થતો નથી. વિજ્ઞાને પ્લેગ નામના મહાભયંકર રોગ ઉપર પણ વિજય મેળવી લીધા છે. કેટલાંય વર્ષથી આ વિશ્વમાંથી પ્લેગ અદૃશ્ય થઈ ગયો છે. હવે વિશ્વ આગ્ય સંસ્થાની આખી દુનિયામાંથી ખળલકવાને સદંતર નાબૂદ કરવાની યોજના છે. આજે બાળક જન્મે ત્યાર પછી તેને પોલિયોની રસી પીવરાવવામાં આવે છે. અને પછી મુકરર સમયે કરી ફરી એ રસી આપવામાં આવે છે. અને આ રીતે બાળકને બાળલકવા સામે પૂરતું રક્ષણ મળી રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની આ યોજના જે બરાબર કામ કરે તે સન ૧૯૯૫ની સાલ પછી બાળલકવાના નવા દદી એ આ દુનિયામાં નહિ હોય તેમ લાગે છે. આપણે ત્યાં કેટલાક રોગો તે અજ્ઞાન, અસ્વચ્છતા કે કેટલીક કુટેવાને લીધે થાય છે. તેને અટકાવવાના ઉપાય આપણી જાત માટે જાગૃત રહીએ તે જ છે. ભગવાન મહાવીરે કહ્યુ છે કે માંદની જે સેવા કરે છે તે મારી જ સેવા કરે છે. આમ સેવાના કાયને સૌથી ઉત્તમ અને મહત્ત્વનું ગણવામાં આવ્યુ છે. કાશીબહેને આ વિસ્તારમાં સેવાની જે જયોત પ્રગટાવી છે તે વધુ પ્રજ્વલિત બની રહે એ જ શુભેચ્છા. સધનાં સહમંત્રીશ્રી નિરુબહેન શાહે કહ્યું હતું કે કાશીબહેનના આ સેવાકાર્ય થી અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. સધના બીજા સહમ ંત્રીશ્રી વસુબહેન ભણશાલીએ જણાવ્યુ હતુ કે નેત્ર આપણુ રતન છે. તેના વિના શે જીવાય ? આ સેવાકાય` ખૂબ સુંદર રીતે થઈ રહ્યું છે. શ્રી ધીરજબહેન વારાએ જણાવ્યુ હતુ કે આજનું નેત્રયજ્ઞનુ કાય જોઇને મને થાય છે કે ભારતદેશને હુ ંમેશ ઉત્કર્ષ થતા રહેશે. આટલી સરસ સ્નેહ અને સમણુની ભાવના હોય તે દેશ કદી પાછળ ન રહે. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહે જણાવ્યુ હતું કે કાશીબહેન વિશેની પુસ્તિકા વાંચી ત્યારથી આ સેવામૂર્તિનાં દર્શન કરવાની તાલાવેલી હતી; જે આજે પૂર્ણ થઇ છે.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy