________________
૧૩૬
મૃદ્ધ
સર્વોપરી છે. એટલે માગુસે પેાતાના જીવનવ્યવહાર શક્ય તેટલી ઓછી હિંસા દ્વારા ચલાવવા જોઈએ. ભગવાન મહાવીરે કહ્યુ છે કે દરેક જીવને જીવવું ગમે છે. કાને મરવું ગમતુ. નથી. માટે પ્રાણીઓના વધ કરવા નહિ.
જૈનધમ માને છે કે માત્ર પશુ – પ ંખીઓમાં જ નહિ, વનસ્પતિમાં પણ જીવ છે. હવા, પાણી અને માટ્ટીમાં પણ સૂક્ષ્મ જીવા રહેલા છે. પેાતાના નિર્વાહ માટે માણસે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ. અહિંસાનું મહાવ્રત ધારણ કરનાર સાધુ-સાધ્વીએના જીવનમાં શકય તેટલી ઓછામાં ઓછી હિંસા રહેલી હાય છે. બિનજરૂરી, થૂલ કે સમા હિંસા કરવી એ પણ મેઢુ પાપ છે. પૃથ્વી, પ્રાણી, વાયુ, અગ્નિ વગેરેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવે છે. વનસ્પતિમાં પણ જીવ છે. અનાજના પ્રત્યેક દાણામાં, વૃક્ષના પ્રત્યેક પાંદડામાં જીવ છે. ગાય, ભેંસ, ઘેટુ, મરધી વગેરેમાં રહેલા આત્મા અને ધાસના તણુખલામાં કે અનાજના દાણામાં રહેલા આત્મા આત્મતત્ત્વની દ્રષ્ટિએ સમાન છે.
ગાય, ઘેટું કે મરઘીમાં જેમ જીવ છે તેમ શાકભાજીમાં અને ઘઉં-ચેખા વગેરેના પ્રત્યેક દાણામાં પણ જીવ છે. તે પછી શાકાહારીઓના વનસ્પતિના આહાર દ્વારા જેટલા જીવાની હિંસા થાય છે તેના કરતા માંસાહારીઓ દ્વારા ઓછા વેની હિંસા થાય છે એમ ન કહી શકાય? એક, ધેડું મારીને આહાર કરનાર માણુસ એક જીવને વધ કરે છે, ત્યારે રેટલી, દાળ, ભાત ખાનાર વ્યકિત કેટલા બધા દાણાતા અર્થાત્ કેટલા બધા જીવોનો વધ કરે છે? તે આ એમાં વધુ હિંસા કાની ? આવા પ્રશ્ન આજે જ ઊઠયા છે એવુ નથી. હજારો વર્ષ પહેલાં આ પ્રશ્નની વિચારણા થયેલી છે. બહુ પ્રાચીન સમયમાં તાપસાના એક પથ હતો જે હસ્તિ તાપસ' નામે ઓળખાતા હતા. એક હાથીને મારીને એનું માંસ ખાદ્ધને ઘણા તાપસા કેટલાક દિવસ સુધી નિર્વાહ કરતા. તે એમ કહેતા કે અમે ઘણા બધાએ ભેગા મળીને ફકત એક જ જીવના વધ કર્યાં છે, અને તેનું પાપ પણુ અમારામાં ઘણા બધા વચ્ચે વહેંચાઈ ગયુ છે. એટલે દરેકને ભાગે બહુ એન્ડ્રુ પાપ આવે છે.' આ હસ્તિ તાપસના પથ લાંખા સમય ચાલ્યા નહિ. કારણ કે જીવવધની બાબતમાં માત્ર સખ્યાના જ વિચાર કરવાના નથી હોતા. જો કુકત જીવની સખ્યાના જ વિચાર કરાતા હોય ત માંસાહરી કરતા શાકાહારી લેાકા વધુ જીવોની હિંસા કરે છે એમ થાય. પરંતુ સંખ્યા ઉપરાંત વેદનાને સિદ્ધાંત પણ સ્વીકારવામાં આળ્યો છે.
જૈનધમે સમગ્ર જીવસૃષ્ટિનું વર્ગી કરણ ઇન્દ્રિય અનુસાર કયુ" છે. એકેન્દ્રિય, ખેન્દ્રિય, વેન્દ્રિય, ઉરેન્દ્રિય, પંચેન્દ્રિય એમ ઇન્દ્રિયની સંખ્યા અનુસાર જીવસૃષ્ટિના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ વધુ ધન્દ્રિય તેમ તે વધુ શક્તિશાળી જીવ. એકન્દ્રિયમાં માત્ર સ્પર્શની ઈન્દ્રિય હોય છે. તમામ વનસ્પતિને માત્ર સ્પર્શેન્દ્રિય 'હાય છે. મેન્દ્રિય જીવાતે સ્પશ તથા રસના (જીભ) એ બે ઇન્દ્રિયા હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવામાં તદુપરાંત ધાણેન્દ્રિય (નાક) હોય છે. ચરન્દ્રિય જીવને તદુપરાંત ચક્ષુ હાય છે. પંચેન્દ્રિય જીવોને તદુપરાંત શ્રવણ (કાન) હોય છે. પચેન્દ્રિય જીવામાં પણ મનવાળા (સસી) અને મન વગરના (અસની) એમ એ પ્રકાર પડે છે. મનવાળા જીવામાં પણ વિકસિત વાચા ભાષાવાળા અને અવિકસિત વાચાવાળા જીવા હોય છે. જૈન ધમ' કહે છે કે જીવની પાસે જેમ વધુ ઇન્દ્રિય તેમ સુખ કે દુઃખને અનુભવવાની એટલે કે વેદનાની તેની શકિત વધારે. મનુષ્યા પાંચે ઇન્દ્રિયો, મન અને વાચા દ્વારા ભૌતિક સુખાતો વધુમાં વધુ
જીવન
તા. ૧૬–૧૧–૮૭
અનુભવ કરી શકે છે. તે જ પ્રમાણે દુઃખને પણ તે વધુમાં વધુ અનુભવ કરે છે. એકાદ મ ભેદક શબ્દથી પણ મનુષ્યના પ્રાણ હરાઇ જાય છે. જ્યારે ઘણા પ્રહાર કરવા છતાં પણ. કેટલાંક પશુઓને એટલી વેદના થતી નથી અને થયેલી વેદનાનુ ડીકમાં વિસ્મરણ થાય છે. આ દ્રષ્ટિએ મનુષ્યની હિંસામાં સૌથી વધુ પાપ રહેલુ છે.
મનુષ્યમાં પણ ખાળક, વૃદ્ધ, ચેર કે સ ંત-મહાત્માના વધનું એકસરખું પાપ નથી. સંત-મહાત્માના વધનું વધુ પાપ ગણાય છે. વળી મારતી વખતના સંજોગા અને મનના ભાવા પણ લક્ષમાં લેવાય છે. એટલે હિંસા દ્વારા થતાં પાપેામાં પણ ધણી તરતમતા હોય છે.
જેમ ઇન્દ્રિય એછી તેમ વેદન એછું. પરિપૂણૅ પાંચેય ઇન્દ્રિયાવાળા મનુષ્ય કરતાં આંધળા, બહેરા અને મૂંગા માણસ સુખદુઃખને એછાં અનુભવી શકે છે. એન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. વનસ્પતિને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે અને એ જીવેની ચેતના સુષુપ્ત' દશામાં હોય છે. આથી વનસ્પતિના આહાર માટે તે તે જીવાની જ્યારે હિંસા થાય છે ત્યારે તેમને પહોંચેલી કુલ વેદનાનુ પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. એક મરઘીની હિંસાથી એ જીવને જેટલી વેદના પહોંચાડાય છે તેના -કરતાં અનાજનો હજાર દાણાને પહેાંચાડેલી કુલ વેદના ઘણી જ ઓછી હોય છે. એટલે શાકાહારમાં જીવાની સંખ્યા વધુ હોય છે તો પણ હિંસા દ્વારા તેઓને પહોંચાડાતી વેદના ધણી જ ઓછી હોય છે. વનસ્પતિમાં પણ સૂકી વનસ્પતિ કરતાં લીલી વનસ્પતિ વધુ વેદના અનુભવે છે. એટલા માટે, આ જ સિદ્ધાંતને લખાવીને લીલી વનસ્પતિના લીલોતરીને આહાર શક્ય એ છે કરવા તરફ્ જૈનેતુ લક્ષ્ય હોય છે. કેટલાક જૈને આજીવન લીલોત રીના ત્યાગ કરે છે, તેા કેટલાક પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વ તિથિએ લીલાંતરીતે ત્યાગ કરે છે. એ ત્યાગમાં એકન્દ્રિય જીવાને પણ પોતાના તરફથી શક્ય તેટલી ઓછી વેદના પહેોંચાડાય આવી શુભ ભાવના રહેલી હોય છે. સાધુ-સાધ્વીએ આ ભાવનાના અમલ વધુ ઊંચી ટિએ કરે છે. તેઓ તો સૂકી વનસ્પતિમાં પણ કેટકેટલી વસ્તુઓનો ત્યાગ કરવાના નિયમવાળા હોય છે. અલબત્ત, ફકત આહારમાં જ ધમના બધા નિયમો આવી જાય છે એવુ નથી. જીવનવ્યવહાર અને ધર્માચરણમાં ખીજી અનેક વસ્તુએ સકળાયેલી છે. કેટલાક ગતાનુગતિક ધર્માચરણ કરતા હાય તા તેથી સિદ્ધાંત ખાટા કરતા નથી.
માંસાહાર કરતાં શકાહાર ચડિયાતા છે એમ માનનારા કેટલાક લેાકેા જે જુદી જુદી લીલા કરે છે તેમાં કેટલીક વિવાદમય દલીલ પણ હોય છે. કેટલાક શાકાહારી લેકાં માને છે કે પશુ-પક્ષીમાં જેમ જીવ છે તેમ વનસ્પતિમાં પણ જીવ છે; અનાજના પ્રત્યેક દાણામાં જીવ છે. આવુ માનનારાઓને માંસાહારી લેાકા કહે છેઃ જો તમને પશુ-પક્ષીના માંસને આહાર કરવાથી પાપ લાગે તે તે પ્રમાણે વનસ્પતિમાં જીવ હેવાથી તેને આહાર કરવાથી પણ પાપ લાગે જ.'
એના જવાબમાં કેટલાક શાકાહારીઓ એમ કહે છે કે ‘તમે તેા મરેલાનું માંસ ખાવ છે, જ્યારે અમે તા જીવતા જીવાતે ખાઇએ છીએ. મરેલાનું માંસ ખાવા કરતાં જીવતા જીવને ખાવાનુ અર્થાત્ શાકાહાર કરવાનુ શ્રેષ્ઠ છે; તમે જો જીવતાં વાધ-વરુ ખાવ તો તમે ચડિયાતા ગણાવ. મરેલાનુ માંસ ખાવામાં કંઈ બહાદુરી નથી.'
શાકાહારીઓની આ દલીલ ભામક છે, કારણ કે જીવતા ( અનુસંધાન પૃષ્ઠ ૧૪૩ ઉપર )
2