________________
૧૩૨
પ્રબુદ્ધ જીવન
કેકારવ બેચેન બનાવી ૐ છે
ગુલામ દેઢિયા
રાજા તો મેઘ રાન્ન, ભેજ રાજા કાય કા? એ વાત આજે દુકાળિયા પ્રદેશમાં આવીને આંખે વળગે છે. પોતાના તરફ તાતુર મંડાયેલી આંખને આકાશ સહન નથી કરી શકયું. હવે દિવાળી વખતે આકાશમાં કયારેક રડીખડી પસાર થતી સૌંદ વાદળીએ ભારે નિલ લાગે છે.
સવારના પહેરમાં ક્યાંક ખળભળાટ થાય છે તે નિર્જનતામાં ખેડેલા મેરલાઓ અને મેદ્મગજ ના સમજી ‘મેઆવ’‘મેઆવ’ એવા ટહૂકાર કરી ઊઠે છે. એક સાથે કેટકેટલા અવાજો! એ કેકારવ ખેચેન ખનાવી દે છે. માર ખેલે ને બેચેન બની જઇએ એ જ દુકાળ ! એ જ દુકાળ !!
ધરતીનાં ધાવણ છૂટાં છે. ભૂમિપુત્રાએ ત્રણસો ફૂટ ઊંડે સુધી ખાર નાખી દીધા છે. ક્યાંક લીબડા જોઇને થાય છે: લીબડા પાણીની શેાધમાં પી. વી. સી. નાં મૂળિળ ક્યાંથી લાવતા હશે !
કવિ ઉશનમૂના કાવ્ય ‘વળાવી બા આવી’માં વિરહ આગલી રસ્તે જ બધાની વચ્ચે બેસી ગયો હશે તેમ, લેાાની બધી વાતોના કેન્દ્રમાં દુકાળ છે. આખરે વાત દુકાળ પાસે આવીને અટકે છે. લાખો નિરાશામાં એક વધુ માનિરાશા છુપાઇ છે કે, પ્રજા નિરાશામાં ડૂખીને માનવા લાગી છે કે, આવતે વર્ષે દુકાળ પડશે તે ? બસ આ પ્રશ્નની આગળ વિચારવાની હિમ્મત ક્યાં છે ? જગડુશા દાતારની વાતાલકા મલાવી મલાવીને ફરી ફરીને કહી રહ્યા છે.
દિવસે ગામડાની શેરીએ શેરીએ ફરી વળે, કાઇ માણુસ જોવા ન મળે. માત્ર મકાનેના પડાછાયા નાનીમોટી ભૌમિતિક આકૃત્તિઓ રચતા જોવા મળે છે.
સીમમાં કર્યાંક કાંટાળા થાર, ઝાંખરાં, બાવળ, લીલા રંગ ખાઇને માત્ર દ્િ કરી ધૂળના ખેાળામાં ઊભાં છે.
પસાર થતી ખસને જોઇ, કાઈ ખાલિકા દૂરથી નાનકડી માટલી પાણી ભરીને લાવી છે, તે ઊભી રહી પર થતી બસને હાથ ઊંચા કરી વિદાય આપે છે.
પીવાનું પાણી ભરવા માથે ખેડાં લગ્ન સ્ત્રીએ માલા સુધી ચાલે છે. એ લેા જ્યારે પોતાના જ રાષ્ટ્રના અન્ય ભાગમાં અતિવૃષ્ટિના સમાચાર વાંચે કે પાણીમાં ડૂખેલા વિરતારાના ફાટાપ્રાક્ જુએ ત્યારે કેવી લાગણી અનુભવતા હશે !
આઝાદીનાં ચાળીસ વર્ષ પછી પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના પ્રશ્ન આ દેશમાં નથી ઉકૈલાયેા. નદીઓને નાથવાની વાતો થાય છે અને વાતે જ થાય છે. લીલા કે સૂકા દુકાળ વખતે તત્પૂરતી મદદનાં થીગડાંથી પરિસ્થિતિને ઢાંકી દેવામાં આવે છે. લોકમાતાઓનાં પાણી દરિયામાં ભલે ઠલવાય પણ સૂકા વિસ્તારામાં ન જ પહોંચે એવા નિર્ધાર કરીને તે આપણે નથી ખેડ઼ા ને? યુદ્ધના ધોરણે અહીં યુદ્ધ જ થાય છે. શાંતિકાય નથી થતું
'
ઝહીર કુરેશી નામના કવિએ લખ્યું છેઃ દૃશ્ય ઊંડતે વિમાનસે દેખા, બઢકા મીનાનસે દેખા.
તા. ૧-૧૧-૮૭
ઉસને સત્તા અશ્વ પર ચક્કર, જો ભી દેખા-વે શાનસે દેખા.
હેલિકાસ્ટરમાં ખેસીને ડૂખેલા પ્રદેશનું વિહ ંગાવલોકન અને રાશતકામેાના બેચાર શ્રમજીવીએ સાથેની વાતેને રેડિયેય અને દૂરદર્શન પરથી ફુલાવી ફુલાવીને રજૂ કરવામાં આવે છે. મહાનગરના નારિકાને ગામડાંએના દુકાળની ઊની આંચ સુદ્ધાં નથી આવતી. નવી સીરિયલે અને નવી જાહેર ખબરે બધું બહુર’ગી બનાવી દે છે. રંગીન ટી. વી.ને લીલા રંગ દુકાળને ફ્રેંકવા દેતા નથી.
અમે નાના હતા ત્યારે પહેલા વરસાદ પછી ધરતી પર ફરતા લાલ લાલ મખમલિયાને જોઇ ભારે વિસ્મય પામતા. અમે એ મખલિયા-ઇન્દ્રગેપ-ને વરસાદના મામા કહેતા. ત્યારે દૃઢપણે માનતા કે, વરસાદના મામાની આસપાસ સાત કુંડાળાં કરવામાં આવે અને એ એમાંથી બહાર નીકળી જાય તે બહુ વરસાદ પડે. મખમલિયાને જોતાંની સાથે જ કુંડાળાં બનાવવા મડી પડતા.
ત્રણ વર્ષથી જ્યાં વરસાદ એક વખત નથી પડયો ત્યાં વરસાદના મામા ક્યાંથી જોવા મળે?
સાત કુ ંડાળાં આંગળીઓમાં જ ગુંચળું વાળીને પડેલાં છે. ઈન્દ્રગોપના સુકામળ સ્પર્શ હવે કયારે મળશે ?
શહેરા પર ભલે ગમે તેટલે ફિટકાર વરસાવીએ છતાં એ શહેરીજને જ આવા કપરા કાળમાં મદદને હાથ લખાવે છે. હજી અનુકંપા લીલીછમ છે, એ જ માટે સધિયારો નથી શું?
ભકિત-સગીતના વગેર્યાં
સંધના ઉપક્રમે બહેનને ભકિત સંગીત – સ્તવન વગેરે શીખવવા માટેના છ અઠવાડિયાંના વર્ગના પ્રાર ભ થાય છે.
ઉદ્દઘાટન: શુક્વાર, તા. ૧૩–૧૧–૧૯૮૭ સમય : સાંજના ૫-૦૦ વાગે
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, એસ. વી.પી.
રાડ, રસધારા કા–એપ. સાસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, પ્રાથના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪ ફ઼ાન ઃ ૩૫૦૨૯૬ ભકિત સંગીતના આ વર્ગના સમય દર મુધવારે સાંજના ૪-૦૦ થી ૫-૦૦ને રહેશે. શ્રી ખસીભાઈ ખંભાતવાલા આ વર્ગના અધ્યાપક તરીકે સેવા આપશે. રસ ધરાવતાં બહેનને સધના કાર્યાલયમાં સ ંપર્ક સાધવા વિનતી છે.
ઉષાબહેન મહેતા સંયોજક
કે, પી, શહુ પન્નાલાલ ૨. શાહ મંત્રીએ