________________
તા. ૧-૧૧-૮૭
પ્રબુદ્ધ જીવન
અંતિમ ધ્યેય
એ તનસુખ ભટ્ટ
(સવ પલ્લી ડે. રાધાકૃષ્ણન કૃત ગીતાની અ ંગ્રેજી પ્રસ્તાવનાના -આધારે)
ગીતા આત્માના જીવનની પૃષ્ટુતા માટે આગ્રહ રાખે છે, આ પૂર્ણતાને તત્ત્વજ્ઞાનની પ્રજ્ઞામાં, નિામય પ્રીતિમાં અથવા તે પરિશ્રમપૂર્ણ કૃતિ (કમ')માં વિભાજિત કરી શકતી નથી. કમ, જ્ઞાન અને ભકિત, લક્ષ્યપ્રાપ્તિના પ્રયત્નમાં તેમજ લક્ષ્યસિદ્ધિના અંત પછીયે પરસ્પર પૂરક છે. આપણે બધા એક જ પથે પ્રવાસ ખેડતા નથી. પર ંતુ આપણે બધા જેને ખેાળીએ છીએ તે તે એક જ છે. ભલે આપણે ભિન્ન ભિન્ન કડીઓ વડે એક જ શિખર ઉપર ચડાઈ કરીએ, પરંતુ શિખર ઉપરથી દેખાતુ દૃશ્ય બધાંને માટે એક જ છે. ઋતંભરા પ્રજ્ઞાને શરીરિણી કલ્પીએ તે જ્ઞાન તેને શ્વેતુ છે અને પ્રેમ તેનુ હૃદય છે. જ્ઞાન, ધ્યાન, પ્રેમ અને સેવાપૂજાની વિભિન્ન કલા ધરાવતે યોગ તમસમાંથી ન્યુતિ તરફ તથા મૃત્યુમાંથી અમૃત તરફ લઇ જતા પ્રાચીન રાજમાગ છે.
પરમાત્માની કે વિશ્વાતીતની પ્રાપ્તિ એટલે બ્રહ્મલોક પ્રતિ આરેહણુ અથવા તે બ્રાહ્ની સ્થિતિની ઉપલબ્ધિ છે, તેનુ એક પાસુ` કેવલ્પ છે. ગીતા આ બધાયે મા પ્રતિ અગુલિ નિર્દેશ કરે છે તેના ધણા ચે શ્લોકખાડો એમ સૂચવે છે કે બ્રહ્મભાવમાં ૬ બ્રાહ્મીસ્થિતિમાં જૈતભાવે અદશ્ય થાય છે અને મુક્ત જીવ પૂર્ણ પુરુષોત્તમ સાથે, પુરાણ પુરુષ સાથે, એકરૂપ અને છે. તે સ્થિતિ મુકત, ભાવાતીત અને શાંતિમય હાઇ બધા યે ગુણાની અને ભાવાની પેલે પાર આવેલી છે. જે આપણને દેહ વળગ્યા છે તે ખાલી કાચલુ જેમ ફેંકાઇ જાય તેમ તે પડી જાય ત્યાં સુધી પ્રકૃતિ તેની પ્રતિક્રિયાશીલ રહેવાની જ. બાહ્ય સ ંસારમાં ગુંચવાયા વિના જીવન્મુકત પુરુષ તેની ઘટનાઓ વિષે પ્રતિક્રિયા કરતા રહે છે, આ મત પ્રમાણે, “આત્માનું સદાય પરસ્પર વિરોધી દ્વૈત છે તથા મુક્ત આત્માનું ાઈ સ્વતંત્ર ક્રમ
સંભવી ન શકે.
ગીતા. આવી માન્યતા ઉપર મુખ્ય ભાર નથી મૂકતી. ગીતાના મતાનુસાર મુકત દશા એટલે પરમાત્મા સાથેના દિવ્ય સાધમ્યના સાથ્ય માં તથા તેમના શાશ્વત નિયમેમાં આપણા માનવીય વ્યક્તિત્વનું પરિવર્તન છે. ગીતાએ જીવાત્માના પરમાત્માની સાથેના સાયુજયની કલ્પના નથી કરી. મુક્ત આત્મ દિવ્ય પ્રજ્ઞા વડે તથા દિવ્ય સંકલ્પ વડે પ્રેરિત થાય છે, પ્રવૃત્તિશીલ અને છે. આવે! મુકત આત્મા ઇશ્વરભાવની પ્રાપ્તિ કરે છે. તેના વિશુદ્ધ થયેલા સ્વભાવ દિવ્ય આત્મા તુલ્ય બને છે. જે કાઈ માનવ આ પપર દાને પ્રાપ્ત કરે છે તે યાગી છે, સિદ્ધ પુરુષ છે, સાક્ષાત્કારધન્ય છે, જીવન્મુકત છે, જિતાત્મા છે, યુતચેતસ છે, યેાગયુક્ત છે, બ્રહ્મનિર્વાણુમાં રમમાણ છે. અનંત, અનહદ તેના આંગણામાં આવી ઊભું છે. જમન માનસશાસ્ત્રી ફ્રોઇડની સંજ્ઞામાં કહીએ તે તેનું શરીર, મન, આત્મા, અંતઃકરણુ, રાતમાનસ, સુપ્ત માનસ તથા અજ્ઞાત માનસ, સર્વે અસ્ખલિતપણે સ ંવાદમય દશામાં વહ્યો જાય છે. આનંદસમાધિમાં અભિવ્યકત થતા લયની તે પ્રાપ્તિ અર્થાત્ સિદ્ધિ મેળવે છે. તે જ્ઞાનની પરમ જ્યંતિની તથા શક્તિની પ્રચંડતાની અનુભૂતિ કરે છે. મુતિને અથ અમર આત્માનુ મત્સ્ય જીવનથી અળગાપણું ને અતડાપણુ નથી. પરંતુ મુકિતન
મૈં
૧૨૯
અથ` માનવના સમગ્ર વ્યકિતત્વનું સ્વરૂપાન્તર તે ઉન્નયનમય પરિવતન છે. માનવજીવનના કલેશેનું સ્થિત્યંતર પરમ પરિવતન સાધવાથી મુક્તિ મળે છે, કલેશને ટાળવા માત્રથી નહિ.
ગીતા સ્વીકારે છે કે સત્ય પરબ્રહ્મ છે; પરંતુ સ ંસારની દૃષ્ટિએ તે સવવ્યાપી ઇશ્વર છે. આ જ એવી દૃષ્ટિ છે જે વડે મનુષ્યના મર્યાદાશીલ વિચાર સર્વસ્વામી પરમ સત્યની કલ્પના કરી શકે.
ગીતાનું બ્રહ્મલોકનું નિરૂપણુ એવુ છે કે બ્રહ્મલોક સ્વયં શાશ્વત સ્વરૂપ નથી પરંતુ સૃજનની તે સુદૂરતમ રિસીમા છે. આંનદ આપણા વિકાસની મર્યાદા છે. આપણે વિજ્ઞાનમાંથી આનદમાં પ્રવેશ પામીએ છીએ. આનંદ સંસારમય સૃજનતા જ આવિર્ભાવ છે. પરા સ્વયં નથી. ન દમય આત્મા કે નથી દિવ્યભાવમય આત્મા. વિશુદ્ધ આત્મા અન્નપ્રાણમન– વિજ્ઞાન– આનંદરૂપી . પાશેથી વિભિન્ન છે. જ્યારે સસારના સર્જનને હેતુ સિદ્ધ થાય છે, જ્યારે સ ંસારમાં રામરાજ્ય સ્થપાય છૅ, જયારે ભગવાન વિષ્ણુનું વૈકુઠ અવની ઉપર ઉતરે છે, જ્યારે જીવ માત્રને પરમાત્માની પ્રજ્ઞા થાય છે અને જન્મમરણની ભૂમિકાથી પર થાય છે. જ્યારે આ પરિશ્યમાન સૃજનની પેલે પાર આવેલા અજ્ઞાત તત્ત્વમાં આ કૃતકૃત્ય સ ંસાર સમેટાઇ જાય છે.
સાભાર સ્વીકાર
[] જયંવતસૂરિષ્કૃત શંગાર મજરી * લે. પ્રા. જયંત કાહારી * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૨૨ E મૂલ્ય ૨, ૫-૦૦ ત્ર પ્રકાશક – મગળા કાહારી, શબ્દ મ ંગલ, ૨૪, સત્યકામ સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ માગ, અમદાવાદ – ૪૦૦૦૧૫ [] જૈનગુજર કવિઓ ભાગ-૩ જો* સંગ્રાહક અને સપ્રયાજક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ - સપાદક : પ્રા. જ્યત કાહારી - ડેની સાઇઝ * પાકું પૂરું * પૃષ્ઠ-૭૯૫ મૂલ્ય રૂ. ૭૫/- * પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬ [] શેઠ આણંદજી કલ્યાણ જીની પેઢીના ઇતિહાસઃ ભાગ બીજો * લે. શ્રી રતિલાલ દીપચંદ દેસાઇ. * ક્રાઉન આઠ પેજી * પાકું પૂરું * પૃષ્ઠ-૩૬૦ * મૂલ્ય રૂ. ૧૦ પ્રકાશક : શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી, પટ્ટણીની ખડકી, ઝવેરીવાડ, અમદાવાદ-૩૮૦૦૦૧ [] નગરશે શાંતિદાસ ઝવેરી લે. માલતી શાહ # ડેમી સાઈઝ * પાકું પૂરું * પૃષ્ઠ-૨૧૫ - મૂલ્ય રૂ. ૫૦-૦૦ પ્રકાશક : ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, રતનપોળ નાકા, ગાંધી મગ, અમદાવાદ ૩૮૦૦૦૧ [] આપણી ભજનવાણી સંપા. ગગાદાસ પ્રાગજી મહેતા * ડેની સાઇઝ પાકું પૂરું * પૃષ્ઠ૨૫૬ * મૂલ્ય રૂા. ૪૦-૦૦ * પ્રકાશક : કુસુમ પ્રકાશન ૬૧/એ. નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માગ, પાલડી. અમદાવાદ - ૩૮૦૦૦૧ [] જૈન દૃષ્ટિએ વિપશ્યના ત્ર આચાયશ્રી વિજય જનચંદ્રસૂરિ * ક્રાઉન સેળ પેજી × પૃષ્ઠપર, મૂલ્ય રૂા. ૫૦-૦૦ * પ્રકાશક : મહેન્દ્રભાઈ મેહનલાલ શાહ, ભારત મહાલ, બ્લોક નં. ૩, લાલા લજપતરાય માગ, વિલેપાર્લા (પશ્ચિમ), મુ ંબ૪િ૦૦૦૫૬, ૦ મવિલાસ * લે. શ્રી વા. મા. શાહુ સંપા. ડે. સુધા પંડયા કાઉન સેળ પેજી * પૃષ્ઠ–૪૦૪ * પાકું પૂરું * મૂલ્યા. ૫૦
*
પ્રકાશક : નિર ંજન એમ. પડયા. ૧૦, અધ્યાપક · નિવાસ, પ્રતાપગજ, વાદરા-૩૯૦૦૦૨.